Prarambh book and story is written by Ashwin Rawal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prarambh is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રારંભ - નવલકથા
Ashwin Rawal
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
(પૂર્વ કથા )
(વાચક મિત્રો આજથી પ્રાયશ્ચિત નવલકથાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજો ભાગ હોવા છતાં પણ આ એક સ્વતંત્ર નવલકથા હશે. જેમણે પહેલો ભાગ નહીં વાંચ્યો હોય એમને પણ કોઈ તકલીફ નહીં પડે. આશા છે આપને પણ આ નવલકથા જકડી રાખશે. ,,??)
કેતન દોઢ વર્ષ લાંબા સ્વપ્નમાંથી જાગી ગયો. ચેતન સ્વામીની ગુફામાં બેઠેલો કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !
જામનગરની આખી દોઢ વર્ષની યાત્રા એ ગુરુજીએ સર્જેલી એક માયાજાળ જ હતી !! કેતનના જીવનમાં જામનગરમાં જે પણ પાત્રો આવ્યાં એ બધાં કેતનના આ જીવન દરમ્યાન પરિચયમાં આવેલાં અને પૂર્વ જન્મમાં એની સાથે જોડાયેલાં પાત્રો જ હતાં ! આ એક સ્વપ્ન જેવી અવસ્થા હતી !!
એ કુટિરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એણે સ્પેશિયલ ટૅક્સી કરી અને દોઢ કલાકમાં હરિદ્વાર પહોંચી ગયો. ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીચ ટ્રાફિક રહે છે એટલે ટેક્સીએ વધારે સમય લીધો.
પ્રારંભ પ્રકરણ 1(પૂર્વ કથા )(વાચક મિત્રો આજથી પ્રાયશ્ચિત નવલકથાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજો ભાગ હોવા છતાં પણ આ એક સ્વતંત્ર નવલકથા હશે. જેમણે પહેલો ભાગ નહીં વાંચ્યો હોય એમને પણ કોઈ તકલીફ નહીં પડે. ...વધુ વાંચોછે આપને પણ આ નવલકથા જકડી રાખશે. ,,)કેતન દોઢ વર્ષ લાંબા સ્વપ્નમાંથી જાગી ગયો. ચેતન સ્વામીની ગુફામાં બેઠેલો કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !જામનગરની આખી દોઢ વર્ષની યાત્રા એ ગુરુજીએ સર્જેલી એક માયાજાળ જ હતી !! કેતનના જીવનમાં જામનગરમાં જે પણ
પ્રારંભ પ્રકરણ 2જામનગર સ્ટેશનથી જેવી ટ્રેન ઉપડી કે કેતન પોતાના દોઢ વર્ષના ભૂતકાળને યાદ કરીને ખૂબ જ લાગણીવશ થઈ ગયો. જામનગરમાં પસાર કરેલો દોઢ વર્ષનો સમયગાળો એક માયાજાળ જ હતી અને હકીકતમાં તે જામનગરમાં રહેલો જ નથી એવી જ્યારે ...વધુ વાંચોસ્વામી દ્વારા એને ઋષિકેશમાં ખબર પડી ત્યારે એ ખૂબ જ અપસેટ થઈ ગયો. દોઢ વર્ષ જેટલો સમય ગાળો નાનો નથી અને એને સંપૂર્ણ પણે ભૂલી જવો પણ શક્ય નથી. જામનગરની યાદોને તાજી કરવા માટે જ એ આજે જામનગર આવ્યો હતો પરંતુ જામનગરમાં એને ઓળખનાર કોઈ જ ન હતું. ગુરુજીએ એના સૂક્ષ્મ શરીર પાસે પ્રાયશ્ચિત કરાવીને આખી માયાજાળ સંકેલી લીધી હતી.ટ્રેન
પ્રારંભ પ્રકરણ 3સિદ્ધાર્થ અને કેતન બંને સગા ભાઈ હતા. પિતા જગદીશભાઈનો ડાયમંડ નો ધંધો સુરતમાં બંને ભાઈઓ સંભાળતા હતા. સિદ્ધાર્થ અને કેતનના દાદા જમનાદાસે સુરતમાં આવીને આ ડાયમંડની પેઢી નાખી હતી. એમના પુત્ર જગદીશભાઈએ આ ધંધાનો વિસ્તાર કર્યો હતો ...વધુ વાંચોહવે બંને પુત્રો ધંધો સંભાળતા હતા. ધંધાના વિસ્તાર માટે કેતનને મેનેજમેન્ટનો કોર્સ કરાવવા માટે પિતા જગદીશભાઈએ બે વર્ષ અમેરિકા પણ મોકલ્યો હતો. પરંતુ કેતનને અમેરિકામાં ચેતન સ્વામી નામના એક એવા સંન્યાસી મળ્યા કે જેમણે કેતનને કહ્યું કે " તારા દાદા જમનાદાસનો જ તારા સ્વરૂપે બીજી પેઢીએ પુનર્જન્મ થયો છે. પૂર્વજન્મમાં તું પોતે જ જમનાદાસ હતો અને તારા થકી એ વખતે
પ્રારંભ પ્રકરણ 4જયેશ ઝવેરીનો નંબર મળી ગયા પછી પળનો પણ વિલંબ કર્યા વગર કેતને એને ફોન કર્યો. " જયેશ હું કેતન બોલું સુરતથી. તારો જૂનો મિત્ર. યાદ હોય તો જામનગર તારા ઘરે પણ હું આવેલો છું. " કેતન બોલ્યો. ...વધુ વાંચોઅરે કેતન તું તો બહુ મોટો માણસ છે. તને ના ઓળખું એવું બને ? બોલ કેમ યાદ કર્યો ? " જયેશ બોલ્યો. જયેશ પહેલેથી જ કેતનનું રિસ્પેક્ટ કરતો હતો. કેતને એને કૉલેજમાં નાની મોટી મદદ પણ કરેલી. "મારે તારું કામ હતું જયેશ. હું તો જામનગર પણ જઈ આવ્યો. પટેલ કોલોનીમાં પણ ગયો હતો પરંતુ તારું મકાન તો તેં વેચી દીધું
પ્રારંભ પ્રકરણ 5પેપરમાં રાકેશ વાઘેલાના ખૂનના સમાચાર વાંચીને કેતનને રાકેશનું આખું પ્રકરણ યાદ આવી ગયું. આ બધી ઘટનાઓ એ જ્યારે ગુરુજીએ રચેલા માયા જગતમાં હતો ત્યારે બનેલી. કેતનની પડોશમાં રહેતી નીતા મિસ્ત્રીને રાકેશ વાઘેલા હેરાન કરતો હતો. પોલીસ સુપ્રીનટેન્ડેન્ટ ...વધુ વાંચોઅંકલને કહીને કેતને એને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એ પછી એણે બદલો લેવાનું નક્કી કર્યું હતું અને કેતનની સોપારી રાજકોટ રહેતા અસલમ શેખના શાર્પ શૂટર ફઝલુને આપી હતી. અસલમ રાજકોટમાં ' ભાઈ ' હતો. અસલમ શેખ કેતનનો તો ખાસ મિત્ર હતો એટલે એને જ્યારે સોપારીની ખબર પડી ત્યારે એણે રાકેશ વાઘેલાનું જ મર્ડર કરી નાખવાનું ફઝલુને કહી દીધું. અને ફઝલુએ