વર્ણન
આનંદનગર એ માત્ર ઈંટ-સિમેન્ટથી બનેલી ચાર દીવાલો કે ફ્લેટોનું સરનામું નથી, પણ “મિની ભારત”નું જ્વલંત ઉદાહરણ છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી પરિવારો છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, બંગાળી, રાજસ્થાની, મલયાળી, કન્નડ અને તેલુગુ ભાષાઓ સાંભળવા મળે છે.અહીં લગભગ ૧૫૦ પરિવારો મોજ મસ્તી અને એકતા સાથે રહે છે.
આનંદનગર એક આધુનિક મધ્યમ વર્ગના લોકોની રહેણાંક સોસાયટી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે.
આનંદનગરમાં એક સુંદર બગીચો, નાનું મંદિર, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, જીમ, બાળકોનું પ્લે એરિયા અને સિનિયર સિટિઝન કોર્નર છે.
આનંદનગરમાં દરેક સમસ્યાનો ઉકેલ સોસાયટી ના દરવાજે ચાની કિટલી પરની ચર્ચામાંથી નીકળે છે.
અહીં ગુજરાતી સંસ્કૃતિનો હૂંફાળો સ્પર્શ છે, પણ સાથે સાથે દેશના ખૂણે-ખૂણેથી આવીને વસેલા લોકોનું અનોખું મિશ્રણ છે. દરેક સાંજે અહીં રાજકારણથી લઈને ક્રિકેટ, મોંઘવારીથી લઈને સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડ, મોબાઇલ સુધી દરેક વિષય પર રોજેરોજ ચર્ચા થાય છે.
અહીં રોજરોજ અવનવા નવા, જુના, જાણીતા વિષયો, વ્યક્તિઓ, વાતો, પર પ્રકરણ આવશે જેને આપ મનભરીને વાંચીને અનુભવીને મજા કરી શકશો.