Ajvadana Autograph book and story is written by Dr. Nimit Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajvadana Autograph is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજવાળાંનો ઓટોગ્રાફ - નવલકથા
Dr. Nimit Oza
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.
આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)
કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.
આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે ...વધુ વાંચોકોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)
જ્યારે આપણી કોઈ પ્રિય વ્યક્તિનો જન્મદિવસ આવતો હોય ત્યારે અવારનવાર આપણે વિચારતા હોઈએ છીએ કે એ વ્યક્તિને ભેંટમાં શું આપી શકાય ? અત્યારના સમયમાં જ્યારે બધા પાસે લગભગ બધું ઉપલબ્ધ હોય ત્યારે ગમતી વ્યક્તિને આપવા માટે નવું કશું જ ...વધુ વાંચોપાસે હોતું નથી.
એક જમાનો હતો જ્યારે દિવસની શરૂઆત મમ્મીના અવાજથી થતી. નિશાળે જવાનું હોય ત્યારે રોજ સવારે મમ્મી ઉઠાડવા આવતી. મમ્મી પ્રેમથી આપણું નામ બોલે અને માથા પર હાથ ફેરવે, સ્વયં એ ઘટના જ સવાર કરતા વધારે અજવાળુ લઈને આવતી. બારીમાંથી ...વધુ વાંચોપ્રવેશતા સૂરજના કિરણો મમ્મીના ચહેરા પર પડતા અને આંખો ખોલતાની સાથે જ આપણને અહેસાસ થતો કે આપણી જિંદગીમાં બબ્બે સૂરજ ઉગ્યા છે.
જે રૂમાલમાંથી કબુતર કાઢે એને જાદુગર કહેવાય. જાદુગર કાંઈપણ કરી શકે. એ ધારે તો આખેઆખા માણસને ગાયબ કરી શકે. પણ કેટલાક જાદુગર એવા હોય છે જે પડદાની પાછળ રહીને જાદુ કરતા હોય છે. તેમના જાદુથી ઉદાસી ગાયબ થઈ જાય. ...વધુ વાંચોહાથ ફરે અને જિંદગીના ખરબચડા રસ્તાઓ મખમલ જેવા સુંવાળા થઈ જાય. તેઓ નિરાશાની ટોપલીમાંથી આશાવાદનું કબુતર ઉડાડવાની કળા જાણે છે.
ઘરનો એ ઓરડો હવે બહુ ખાલી લાગે છે, જે ઓરડામાં ગણપતિનું સ્થાપન કરેલું હતું. એક જગ્યાએ ચુપચાપ બેસાડેલી ભગવાનની મૂર્તિ સાથે પણ થોડા જ દિવસોમાં આપણને કેટલી બધી આત્મીયતા આવી જતી હોય છે. વિસર્જન કરતી વખતે ખ્યાલ આવે ...વધુ વાંચોભલે ને મૂર્તિને હોય પણ વિદાય આપવી સહેલી નથી. તેમ છતાં આપણે ઢોલ-નગારા વગાડીને અને મીઠાઈઓ વહેંચીને ગણપતિને વિદાય આપીએ છીએ.