Ajvadana Autograph - 10 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 10

અજવાળાંનો ઓટોગ્રાફ

(10)

પ્રશ્નો અને તેના ઉત્તરો

૧ - “તારક મેહતા” ને કયા ઉપનામ થી ઓળખવામાં આવે છે?

-ઇન્દુ

2 - “દીકરાનો મારનાર” કૃતિ ના રચયિતા કોણ ?

-ઝવેરચંદ મેઘાણી

૩ - “ઘસાઈ ને ઉજળા થાઓ” - એ કોના જીવનનું સુત્ર હતું ?

-રવિશંકર મહારાજ

૪ - “ગુર્જરવાળી વિલાપ” કોનું કાવ્ય છે ?

-દલપતરામ

5 - ગની દહીંવાલાનું મૂળ નામ શું છે ?

-અબ્દુલ ગની દહીંવાલા

6 - “શરણાઈ ના સૂર” વાર્તા કોની છે ?

-ચુનીલાલ મડિયા

૭ - “ભૂખથી ય ભૂંડી ભીખ” - આ નવલકથા ખંડ કઈ નવલકથા નો ભાગ છે ?

-માનવીની ભવાઈ

8 - પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ ક્યાંના વાતની છે ?

-થાનગઢ

૯ - “ફાટેલી નોટ” હાસ્યકથા ના લેખક કોણ ?

-ડૉ.જગદીશ ત્રિવેદી

૧૦ - “વીનીપાત “ - વાર્તા ના લેખક કોણ હતા ?

-ધૂમકેતુ

૧૧ - “રેતી ની રોટલી” હાસ્યનિબંધ કોનો છે ?

-જ્યોતીન્દ્ર દવે

૧૨ - “ડાળખી થી સાવ છુટ્ટા “ - આ કાવ્ય સંગ્રહ કોનો છે ?

-ડૉ.અશોક ચાવડા

13 - “દમયંતી સ્વયંવર “ - કોની કૃતિ છે ?

-પ્રેમાનંદ

૧૪ - “રાવણનું મિથ્યાભિમાન” - આ કથાકાવ્ય કોનું છે ?

-ગિરધરદાસ

15 - “સત્યાગ્રશ્રમ” કોની કૃતિ છે ?

-વિનોબા ભાવે

16 - “વાયરલ ઇન્ફેકશન” નામનો નિબંધ કોને લખ્યો હતો ?

-ગુણવંત શાહ

૧૭ - “શિકારીને” - શીર્ષક થી આપયેલું ઊર્મિ કાવ્ય કોનું છે ?

-કલાપી

૧૮ -”અડાબીડ” - વાર્તાસંગ્રહ કોનો છે ?

-ભગવતીકુમાર શર્મા

૧૯ - “આલા ખાચર” નું પાત્ર કોના કાવ્યો નું છે ?

-રમેશ પારેખ

20 - “ઉર્મિલા” - ખંડકાવ્ય ના રચયિતા કોણ હતા ?

-બોટાદકર

21 - “કુરુક્ષેત્ર” નવલકથા કોણે લખી છે ?

-મનુભાઈ પંચોલી

૨૨ - “ભારેલો અગ્નિ” ના લેખક કોણ હતા ?

-રમણભાઈ દેસાઈ

૨૩ - “આંગળીયાત” ના લેખક કોણ હતા ?

-જોસેફ મેકવાન

૨૪ - “ગુજરાતની અસ્મિતા” શબ્દ ના પ્રણેતા કોણ હતા ?

-કનૈયાલાલ મુનશી

૨૫ - “થોડા આંસુ થોડા ફૂલ” - કોની આત્મકથા છે ?

-જયશંકર સુંદરી

૨૬ - “મળેલા જીવ” - કોની કૃતિ છે ?

-પન્નાલાલ પટેલ

૨૭ - “કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું છે ?

-દત્તાત્રેય

૨૮ - ગુજરાતી ભાષા ની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે ?

-ભંદ્રભંદ્ર

૨૯ - “લોહીની સગાઇ” વાર્તા ના લેખક કોણ છે ?

-ઈશ્વર પેટલીકર

૩૦ - ગુજરાતી ભાષા માં ભક્તિગીતો લખવાનું કોણે શરુ કર્યું હતું ?

-નરસિંહ મેહતા

31 - “નયન ને બંદ રાખી ને” ગઝલ ના રચયિતા કોણ છે ?

-બરકત વિરાણી

૩૨ - “જ્યાં જ્યાં નઝર મારી ઠરે” - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિ ની છે ?

-કલાપી

૩૩ - “ઈર્શાદ” - તખલ્લુસ કોનું છે ?

-ચિનુ મોદી

૩૪ - “જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી હું પાઘડી નહી પહેરું” આ પ્રતિજ્ઞા કોણે કરી હતી ?

-પ્રેમાનંદ

૩૫ - બરકત વિરાણી નું ઉપનામ જણાવો.

-બેફામ

૩૬ - “ઇંધણા વીણવા ગઈ તિ મોરી સૈયર” - ગીત ના રચયિતા કવિ કોણ છે ?

-રાજેન્દ્ર શાહ

૩૭ - “સરસ્વતીચંદ્ર” નવલકથા ના લેખક કોણ હતા ?

-ગોવર્ધનરામ ત્રિપાઠી

૩૮ - “જનની ની જોડ સખી નહી જડે રે લોલ” - કાવ્યપંક્તિ ના કવિ કોણ હતા ?

-બોટાદકર

૩૯ - “જાય જાય ગરવી ગુજરાત” ના કવિ કોણ હતા ?

-નર્મદ

૪૦ - “રાખ ના રમકડા મારા રામે રમતા મેલ્યા રે” ના સર્જક કોણ છે ?

-અવિનાશ વ્યાસ

૪૧ - “રીંછ એકલું ફરવા ચાલ્યું” કાવ્ય ના કવિ કોણ હતા ?

-રમણલાલ સોની

૪૨ - “મિસ્કીન” ઉપનામ કયા સાહિત્યકાર નું છે ?

-રાજેશ વ્યાસ

૪૩ - બાળ શિક્ષણ ના ક્ષેત્ર માં “મૂછાળી માં” તરીકે પ્રખ્યાત ગુજરાત ના શ્રેષ્ટ કેળવણીકાર નું નામ જણાવો.

-ગીજુભાઈ બધેકા

૪૪ - જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરી નું મૂળ નામ જણાવો

-જયશંકર ભોજક

૪૫ - “ચકોર” તરીકે જાણીતા ગુજરાત ના જાણીતા કાર્ટૂનીસ્ટ નું નામ જણાવો

-બંસીલાલ વર્મા

૪૬ - અંબાજી તીર્થ કઈ પર્વતમાળા માં આવેલું છે ?

-અરવલ્લી

૪૭ - વડોદરા નો વૈભાઈ “લક્ષ્મી વિલાસ પેલેસ” કોણે બંધાવ્યો ?

-મહારાજા સયાજીરાવ ગાયકવાડ

૪૮ - અડલજ ની વાવ કોણે બનાવી હતી ?

-રાની રૂડાબાઈ

૪૯ - અમદાવાદ ના પ્રથમ મેયર કોણ હતા ?

-ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ

૫૦ - ગાંધી વીચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલય નું નામ જણાવો.

-ગુજરાત વિદ્યાપીઠ

૫૧ - સુરત પાસેનો કયો દરિયા કિનારો પ્રખ્યાત છે ?

-ડુમ્મસ

૫૨ - અમદાવાદ માં આવેલ સ્થાપત્યકલા નો ઉત્તમ નમુનો એવી જુમ્મા મસ્જીદ કોણે બનાવી હતી ?

-અહમદશાહ બાદશાહ

૫૩ -સંતરામ મહારાજ નું પ્રખ્યાત મંદિર ક્યા આવેલું છે ?

-નડિયાદ

૫૪ - સ્ત્રીપાત્રો ની ભૂમિકાને રંગ મંચ પર જીવંત કરનાર નાત કોણ હતા ?

-જયશંકર સુંદરી

૫૫ - ગુજરાત માં સૌ પ્રથમ કઈ કૉલેજ શરુ થઈ હતી ?

-ગુજરાત કૉલેજ 1887

૫૬ - કયા બીનગુજરાતી સાહિત્યકાર “સવાયા ગુજરાતી” તરીકે પ્રખ્યાત છે ?

-કાકાસાહેબ કાલેલકર

૫૭ - કવિ “કાન્ત” નું મૂળ નામ શું હતું ?

-મણિશંકર રત્નજી ભટ્ટ

૫૮ - વિશ્વામિત્રી નદી કયા શહેરમાંથી વહે છે ?

-વડોદરા

૫૯ - અમદાવાદ માં પતંગ મ્યુઝીયમ ક્યા આવેલું છે ?

-ટાગોર હોલ, પાલડી

60 - ગાંધીજી ને “બાપુ” નું બિરુદ કયા સત્યાગ્રહ વખતે મળ્યું હતું ?

-ચંપારણ સત્યાગ્રહ

૬૧ - મોઢેરા નું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું ?

-ભીમદેવ

૬૨ - એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતા ની પુત્રી ગણાય છે ?

-સૂર્ય

૬૩ - ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે ?

-નર્મદા

૬૪ - ગુજરાત માં આવેલી એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ?

-સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

૬૫ - ગુજરાત માં કયા સ્થળે સાત નદિયોં નો સંગમ થાય છે ?

-વૌઠા

૬૬ - ગાંધીજી ના અંગદ સચિવ કોણ હતા.

-મહાદેવભાઈ દેસાઈ

૬૭ - સોનેટ કાવ્ય માં કેટલી પંક્તિઓ હોય છે ?

-ચૌદ

૬૮ - ઓખાહરણ ના સર્જક નું નામ જણાવો.

-પ્રેમાનંદ

૬૯ - ગુજરાતી વ્યાકરણ ના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે ?

-હેમચન્દ્રાચાર્ય

૭૦ - “લોકપ્રિય” - શબ્દ નો સમાસ જણાવો

-તત્પુરુષ

૭૧ - “પીતાંબર ” - શબ્દ નો સમાસ જણાવો

-બહુવ્રીહી

૭૨ - “ચાર-પાંચ ” - શબ્દ નો સમાસ જણાવો

-દ્વંદ

૭૩ - “સૈફ પાલનપુરી” નું મૂળ નામ જણાવો

-સૈકુદ્દીન ખારાવાલા

૭૪ - સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યા થયો હતો ?

-ટંકારા (રાજકોટ )

૭૫ - પોરબંદર માં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?

-કીર્તિ મંદિર

76 - પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?

-અંધજન મંડળ અમદાવાદ.

૭૭ - ભારત માં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતી એ મહત્વ ની ભૂમિકા ભજવી છે ?

-સામ પિત્રોડા

૭૮ - પ્રાચીન ગુજરાત ની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ નું નામ જણાવો.

-વલભી વિદ્યાપીઠ

૭૯ - ઝવેરચંદ મેઘની ને રાષ્ટીય શાયર તરીકે કોણે સંબોધ્યા હતા ?

-ગાંધીજી

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED