Satya na Prayogo book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Satya na Prayogo is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સત્યના પ્રયોગો - નવલકથા
Mahatma Gandhi
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે. આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે. જેરામદાસ,સ્વામી આનંદ જેવા નિકટના સાથીઓની માંગણીઓને આખરે માન આપીને, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યા પછી આ કથા લખવાનો અવસર આરંભ્યો. આ કથા વિશે તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ કરી હતી. તેમણે એમ જણાવ્યું કે તેમના દરેક પ્રકરણના મૂળમાં એક જ અવાજ છે, સત્યનો જય થાઓ . આ કથા તેમણે કુલ ૫ ભાગ અને તે ૫ ભાગમાં થઈને કુલ ૧૭૭ પ્રકરણમાં લખી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્મકથા અથવા સત્યના પ્રયોગો.
ગાંધીજીના સત્યના પ્રયોગોમાં સત્યની જ વાત છે સત્યના પ્રયોગો નામના અનેક પ્રકરણો છે. પ્રકરાણ-1માં તેઓ પોતાના જન્મની, પિતાની, માતાની વાત કરે છે. ગાંધીજીની વાત કરીએ તો તેમના પિતા કબા ગાંધીએ એક પછી એક ચાર ઘર કરેલા, પહેલા બેથી બે ...વધુ વાંચોહતી, છેલ્લા પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરાઓ થયા હતા જેમાં સૌથી છેલ્લા ગાંધીજી હતા.
તેમના પિતા રાજમાં હતા અને માતા ઘણા ધાર્મિક હતા. એકટાણા કરવા તેમન માટ સામાન્ય હતું પરંતુ ચાતુર્માસ કાયમ કરતા, ચાહે તે માંદા પણ કેમ ન હોય...
આમ પોતાના પરિવારની વાત વિગતે આ પ્રકારણમાં કરવામાં આવી છે
આ પુસ્તકમાં ગાંધીજી ચોરી ક્યારેય કરતા નથી તે બાબતને પૂરવાર કરે છે. એક પ્રસંગને વર્ણવતા તેઓ કહે છે કે એક વખત ઇન્સ્પેક્ટર નિશાળ તપાસવશ આવ્યા હતા. તેમણે લખાવેલા શબ્દોમાંથી એક શબ્દ કેટલ (Kettle) હતો, મે જોડણી ખોટી લખી. માસ્તરે ...વધુ વાંચોછોકરાની પાટીમાંથી જોઇને લખવાની કહ્યું પરંતુ મે ન માન્યુ. માસ્તરે મને ઠોઠ, મૂર્ખો કહ્યો પરંતુ હું ટસથી મસ ન થયો અને ચોરી નક કરી.
આ ઉપરાંત આ પુસ્તકમાં રાજા હરિશ્ચંદ્ર અને શ્રવણના પાત્રોથી પણ તેઓ કેવી રીતે પ્રભાવિત થયા છે તે જણાવે છે. હરિશ્ચંદ્ર પર આવી પડેલી અનેક વિપત્તિઓ છતાં તેમણે સત્યનો માર્ગ છોડ્યો ન હતો તેની ગાંધીજીના મન પર ભારે ઊંડી અસર થઇ હતી તેનું નિરુપણ અહીં કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં રાષ્ટ્રપિતા ઘણા કડવા ઘૂંટ પીવે છે. ભારતમાં વર્ષોથી જળાની જેમ વળગેલા બાળલગ્નનો ભોગ કેવી રીતે બન્યા તે વર્ણવે છે. એક વાર તો તેઓ કહે છે જ્યારે મારા લગ્ન 13 વર્ષની ઉઁમર કરી દેવામાં આવ્યા ત્યારે એ પ્રથમ ...વધુ વાંચોબે નિર્દોષ બાળકોએ વગર જાણ્યે સંસારમાં ઝંપલાવ્યું હતું. આ પુસ્તક લખ્યું ત્યારે તેમણે પિતાના તેમના લગ્નના નિર્ણયની ટીકા કરી હતી. ગાંધીજી તેમના લગ્નને જીવનનો અવળો પ્રસંગ કહે છે, જેનો ડંખ તેમને લાંબા સમય સુધી રહ્યો હતો. ગાંધીજીએ ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે મારી એક પછી એક ત્રણ સગાઇ થયેલી, જો કે તે ક્યારે થઇ તેમની મને કશીયે ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બે કન્યાઓ એક પછી એક મરી ગઇ.
લગ્ન બાદ મહાત્મા ગાંધી ધણી બન્યા હતા. આ પ્રકરણમાં ધણીપણા અંગે કહે છે કસ્તૂરબા કેદ સહન કરે તેવા ન હતા. હું દાબ મુકુ તો તે વધારે છૂટ લેતા હતા. હું દાબ મુકુ તો મારે ઘણું બધું સાબિત કરવું પડે ...વધુ વાંચોહતું. તેમ છતાં તેમના ઘર સંસારમાં મીઠાશ હતી. કસ્તૂરબાના સ્વભાવનું નિરુપણ કરતા ગાંધીજી કહે છે કે તે નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર અને મહેનતુ હતી. સ્ત્રીની નિરક્ષરતા પર પ્રકાશ પાડતા તેઓ કહે છે કે વડીલોને દેખતા તો સ્ત્રીને ભણાય જ નહી. ગાંધીજી અને કસ્તુરબા વચ્ચેનો સહવાસ 13થી 19 વર્ષની વચ્ચે છુટક છૂટક કરીને માંડ ત્રણ વર્ષનો હતો. ગાંધીજી 18 વર્ષની વયે વિલાયત ગયા અને બન્ને વચ્ચે વિયોગ આવ્યો, વ્લાયતથી પરત આવીને પણ તેઓ સાથે છએક માસ રહ્યા હતા.
આ કૃતિમાં ગાંધીજી કહે છે કે સાચુ બોલનારે અને સાચુ કરનારે ક્યારે પણ ગાફેલ ન રહેવું જોઇએ. પોતાની પાસે પૂરતા પૂરાવા રાખવા જોઇએ. આ બાબતને પ્રસંગમાં ટાંકતા ગાંધીજી કહે છે કે એક વખત હાઇસ્કુલમાં સાંજે વ્યાયામ રાખ્યો હતો. હું ...વધુ વાંચોસેવા કરવા રોકાયો અને મોડો પડ્યો, શિક્ષકે બીજા દિવસે ઠપકો આપ્યો, મને ખૂબ દુઃખ થયુ સાથે મનમાં ભાવના હતી કે હું ખોટો નથી. વધુમાં ગાંધીજી આ પ્રકરણમાં પોતાના ખરાબ અક્ષર માટે પણ સંતાપ કરે છે, આ બાબતનો ખ્યાલ તેમને દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે વકીલોના મોતી જેવા દાણા જોઇને આવ્યો. ભાષા જ્ઞાન વિશે તેઓ કહે છે કે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતને એક ભાષામાં ગણી શકાય. ફારસી સંસ્કૃતને લગતી ભાષા છે, છતા બન્ને ભાષાઓ ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બન્ને વચ્ચે નિકટનો સંબંધ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે અરબી અને ફારસી ભાષાના જાણકારને સંસ્કૃત જાણવું આવશ્યક છે.