Satya na Prayogo Part-2 - Chapter-11 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-2 - 11

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. ખ્રિસ્તી સંબંધો

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્‌સ આદિની ઓળખાણ થઇ. બધાંએ ઘુંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં

પણ તેમનું અનુકરણ કર્યું. પ્રાર્થનામાં જેની જે ઇચ્છામાં આવે તે ઇશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઇશ્વર અમારાં હ્ય્દયનાં દ્ઘાર ખોલો, ઇત્યાદી તો હોય જ. મારે સારુ પણ

પ્રાર્થના થઇઃ ‘અમારી વચ્ચે જે નવો ભાઇ આવ્યો છે તેને તું માર્ગ બતાવજે. જે શાંતિ તેં

અમને આપી છે તે તેને પણ આપજે. જે ઇશુએ અમને મુકત કર્યો છે તે તેને પણ મુક્ત કરો. આ બધું અમે ઇશુને નામે માગીએ છીએ.’ આ પ્રાર્થનામાં ભજનકીર્તન નહીં. માત્ર કંઇક પણ ખાસ માગણી ઇશ્વર પાસ કરવી ને નોખા પડવું. સહુને બપોરનું ખાણું ખાવાનો આ વખત, એટલે બહુ આમ પ્રાર્થના કરી પોતપોતાના ખાણા સારુ જાય. પ્રાર્થનામાં પાંચ

મિનિટથી વધારે ન જ જાય.

મિસ હૅરિસ અને મિસ ગેબ એ બે પીઢ કુમારીકાઓ હતી. મિ. કોટ્‌સ ક્વેકર હતા. આ બે બાઇઓ સાથે રહેતી. તેમણે મને દર રવિવારે તેમને ત્યાં ચાર વાગ્યાની ચા

લેવાને સારુ નોતર્યો. મિ. કોટ્‌સ મળે ત્યારે દર રવિવારે મારે તેમને અઠવાડિયાની ધાર્મિક રોજનીશી સંભળાવવાનું હોય. શાં શાં પુસ્તકો વાંચ્યાં, મારા મન ઉપર તેમની શી અસર થઇ, એ ચર્ચા કરીએ. આ બાઇઓ પોતાના મીઠા અનુબવો સંભળાવે અને પોતાની શાંતિની વાત કરે.

મિ. કોટ્‌સ એક નિખાલસ મનના ચુસ્ત જુવાન ક્વેકર હતા. તેમની સાથે મારો સંબંધ ગાઢ થયો. અમે ઘણી વેળા ફરવા પણ જોઇએ. તે મને બીજા ખ્રિસ્તીઓને ત્યાં લઇ

જાય.

કોટ્‌સે મને પુસ્તકોથી લાદ્યો. જેમ જેમ તે મને ઓળખાતા જાય તેમ તેમ તેમને યોગ્ય લાગે તે પુસ્તકો વાંચવા કબૂલ કર્યું. આ પુુસ્તકોની અમે ચર્ચા પણ કરીએ.

આવાં પુસ્તકો મેં સન.૧૮૯૩ના વર્ષમાં ઘણાં વાંચ્યાં. તેમાંનાં બધાંના નામ તો મને યાદ નથી. પણ તેમાં સિટી ટેમ્પલવાળા દા. પારકરની ટીકા, પિયર્સનનાં ‘મેનિ ઇનફૉલિબલ

પ્રૂફ્સ,’ બટલર ‘ઍનેલૉજી’ ઇત્યાદિ હતાં. આમાંનું કેટલુંક ન સમજાય, કેટલુંક ગમે, કેટલુંક ન ગમે. આ બધું કોટ્‌સને હું સંભળાવું. ‘મેની ઇનફૉલિબલ પ્રૂફ્સ’ એટલે ઘણા સચોટ પુરાવા. એટલે કે બાઇબલમાં જે ધર્મ કર્તાએ જોયો તેના સમર્થનના પુરાવા. આ પુસ્તકની

મારા ઉપર કંઇ જ છાપ ન પડી. પારકરની ટીકા નીતિવર્ધક ગણી શકાય, પણ જેને ખ્રિસ્તી ધર્મની ચાલુ માન્યતાઓ વિશે શંકા હોય તેને મદદ કરે તેવી નહોતી. બટલરની ‘ઍનેલોજી’ બહુ ગંભીર ને કઠણ પુસ્તક લાગ્યું. તે પાંચસાત વાર વાંચવું જોઇએ. તે નાસ્તિકને આસ્તિક બનાવવા સારુ લખાયેલું પુસ્તક જણાયું. તેમાંની ઇશ્વરની હસ્તી વિશે રજૂ કરવામાં આવેલી દલીલનો મને ઉપયોગ નહોતો. કેમ કે આ સમય મારો નાસ્તિકતાનો નહોતો. પણ જે દલીલો ઇશુના અદ્ઘિતીય અવતાર વિશે ને તેના મનુષ્ય અને ઇશ્વર વચ્ચે સંધિ કરનાર હોવા વિશે હતી તેની છાપ મારા પર ન પડી.

પણ કોટ્‌સ કંઇ હારે એમ નહોતા. તેમની માયાનો પાર નહોતો. તેમણે મારા ગળામાં વૈષ્ણવની કંઠી જોઇ. તેમને આ વહેમ લાગ્યો ને તે જોઇ દુઃખ થયું. ‘આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું.’

‘એ કંઠી ન તૂટેઃ માતુશ્રીની પ્રસાદી છે.’

‘પણ મને તેને માનો છે?’

‘એનો ગૂઢાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી

લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરાવવામાં તેણે મારું શ્રેય માન્યું, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. કાળે કરીને તે જીર્ણ થઇ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહીં રહે. પણ આ કંઠી ન તૂટે.’

કોટ્‌સ મારી દલીલ કદર ન કરી શકયા, કેમ કે તેમને તો મારા ધર્મને વિશે જ અનાસ્થા હતી. તે તો મને અજ્ઞાનકૂપમાંથી ઉગારવાની આશા રાખતા હતા. અન્ય ધર્મોમાં ભલે કંઇક સત્ય હોય, પણ પૂર્ણ સત્યરૂપ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર વિના મોક્ષ ન જ મળે, અને ઇશુની દરમિયાનગીરી વગર પાપપ્રક્ષાલન થાય જ નહીં ને પુણ્યકર્મો બધાં નિરર્થક છે, એ તેમને બતાવવું હતું. કોટ્‌સે જેમ પુસ્તકોનો પરિચય કરાવ્યો તેમ જેમને તે ધર્મચુસ્ત ખ્રિસ્તી માનતા હતા તેમના હતા તેમનો પરિચય પણ કરાવ્યો.

આ પરિચયોમાં એક ‘પ્લીમથ બ્રધરન’નું કુટુંબ હતું. ‘પ્લીમથ બ્રધરન લાગ્યા. નામનો એક ખ્રિસ્તી સંપ્રદાય છે. કોટ્‌સે કરાવેલા ઘણા પરિચયો મને સારા લાગ્યા. તે માણસો ઇશ્વરથી ડરનારા હતા એમ લાગ્યું. પણ આ કુટુંબમાં મારી સાથે આવી દલીલ થઇ; ‘અમારા ધર્મથી ખૂબી જ તમે ન સમજી શકો. તમારા બોલવા ઉપરથી હું જોઉં છું કે, તમારે હમેશાં ક્ષણે ક્ષણે તમારી ભૂલનો વિચાર કરવો રહ્યો, હમેશાં તેને સુધારવી રહી, ન સુધરે તો તમારે પશ્ચાત્તાપ કરવો રહ્યો, પ્રાયશ્ચિત્ત કરવું રહ્યુ’ કરવું રહ્યું. આ ક્રિયાકાંડમાંથી તમે ક્યારે મુક્તિ પામો? તમને શાંતિ તો ન જ મળે. આપણે પાપી છીએ એ તો તમે કબૂલ કરો જ છો. હવે જુઓ અમારી

માન્યતાની પરિપૂર્ણતા. આપણો પ્રયત્ન ફોગટ છે. છતાં મુક્તિ તો જોઇએ જ. પાપનો બોજો કેમ

ઊપડે? આપણે તે ઇશુ ઉપર ઢોળીએ. તે તો ઇશ્વરનો એક માત્ર નિષ્પાપ પુત્ર છે. તેનું વરદાન છે કે જેઓ તેને માને તેનાં પાપ તે ધુએ છે. ઇશ્વરની આ અગાધ ઉદારતા છે. ઇશુની આ

મુક્તિની યોજનાનો અમે સ્વીકાર કર્યો છે તેથી અમને અમારાં પાપ વળગતાં નથી, પાપ તો થાય જ. આ જગતમાં પાપ વિના કેમ રહેવાય? તેથી જ ઇશુએ આખા જગતના પાપનું એકીવખતે પ્રાયશ્ચિત્ત કર્યું. જેને તેના મહાબલિદાનનો સ્વીકાર કરવો હોય તે તેમ કરીને શાંતિ

મેળવી શકે છે. કયાં તમારી અશાંતિ ને કયાં અમારી શાંતિ?’

મને આ દલીલ મુદ્દલ ગળે ન ઊતરી. મેં નમ્રતાપૂર્વક જવાબ વાળ્યોઃ ‘જો સર્વમાન્ય

ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય

રહેશે.’

પ્લીમથ બ્રધરે ઉત્તર આપ્યોઃ ‘હું તમને ખાતરી આપું છું કે તમારો પ્રયત્ન ફોગટ છે.

મારું કહેવું ફરી વિચારજો.’

અને આ ભાઇએ જેવું કહ્યું તેવું પોતાના વર્તનમાં કરી પણ બતાવ્યુંઃ ઇરાદાપૂર્વક અનીતિ કર્યાનું દર્શન કરાવ્યું.

પણ કંઇ બધા ખ્રિસ્તીની આવી માન્યતા ન હોય, એટલું તો હું આ પરિચયો પૂર્વ જ જાણી શક્યો હતો. કોટ્‌સ પોતે જ પાપથી જરીને ચાલનાર હતા. તેમનું હ્ય્દય નિર્મળ હતું. તે હ્ય્દયશુદ્ઘિની શક્યતા માનનાર હતા. પેલી બહેનો પણ તેવી જ હતી. મારા હાથમાં આવેલાં પુસ્તકોમાંનાં કેટલાક ભક્તિપૂર્ણ હતાં. તેથી આ પરિચયથી કોટ્‌સને થયેલો ગભરાટ મેં શાંત પાડ્યો ને ખાતરી આપી કે એક પ્લીમથ બ્રધરની અનુચિત માન્યતાથી હું ખ્રિસ્તી ધર્મ સામે ભરમાઇ જાઉં તેમ નથી. મારી મુશ્કેલીઓ તો બાઇબલ વિશે ને તેના રૂઢ અર્થ વિશે હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED