Lilo Ujas - Divyesh Trivedi book and story is written by Smita Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lilo Ujas - Divyesh Trivedi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લીલો ઉજાસ - દિવ્યેશ ત્રિવેદી - નવલકથા
Smita Trivedi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. તેઓ મારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે
કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. ...વધુ વાંચોમારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે
રાબેતા મુજબ સવારે છ વાગ્યે મનહરભાઈની આંખ ખૂલી ગઈ. એમના આશ્ચર્ય વચ્ચે એમની પડખે સૂતેલાં એમનાં પત્ની વિનોદિનીબહેન જાગી ગયાં હતાં અને છતને તાકી રહ્યાં હતાં. સામાન્ય રીતે મનહરભાઈ ઊઠી જાય ત્યારે વિનોદિનીબહેનનો હજુ છેલ્લો પ્રહર ચાલતો હોય. મનહરભાઈ ...વધુ વાંચોજાગી ગયેલાં જોઈને સહજ મર્માળું હસ્યા. એ જેવા પથારીમાં બેઠા થયા કે તરત વિનોદિનીબહેન બોલ્યાં, “હું તો કયારનીય જાગું છું. ખબર નહિ, કોણ જાણે કેમ પણ મળસ્કે આંખ ઊઘડી ગઈ એ પછી ઊંઘ જ ન આવી ...” મનહરભાઈ કંઈ બોલ્યા નહિ એટલે એમણે આગળ ચલાવ્યું. “કારણ વગર જીવને કચવાટ થતો હોય એવું લાગે છે...” મનહરભાઈએ ઊંડો શ્વાસ
મનહરભાઈએ મનીષા અને ઉદય અંગેના રહસ્ય પરથી પડદો ખેંચી કાઢવા માટે આબાદ યુક્તિ અજમાવી હતી. એમનું અનુમાન સાચું ઠર્યું હતું. કદાચ પિનાકીનભાઈએ લાગતા વળગતા સૌ કોઈને સૂચના આપી દીધી હોવી જોઈએ કે મનીષાના પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો ...વધુ વાંચોસાચી માહિતી આપવી નહિ અને માત્ર તાબડતોબ વડોદરા આવી જવાનું જ કહેવું. પેલા બંગાળી સજજન કદાચ સંજય નામની કોઈ વ્યક્તિને ઓળખતા ન હોય તો પણ ઉદયની સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે એને સાચી વાત કહી દે એવી ધારણા સાથે જ મનહરભાઈએ આ યુક્તિ અજમાવી હતી. એમના મનમાં કશુંક અમંગળ બન્યાની શંકા હતી જ અને એ સાચી પડી
ઉદયે શા માટે આત્મહત્યા કરી હશે એ સવાલ લગભગ સૌ કોઈને મૂંઝવતો હતો. એનું કારણ એ હતું કે, ઉદયને દેખીતી નજરે કોઈ દુઃખ નહોતું. જેમણે પણ ઉદય અને મનીષાને સાથે જોયાં હતાં એમને એ બંને ખુશખુશાલ લાગ્યાં હતાં. પાંચ ...વધુ વાંચોપહેલાં માતા અને ત્રણ વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા પછી એના મોટા જનાર્દનભાઈએ એને સાચવ્યો હતો. જનાર્દનભાઈનાં પત્ની જ્યોતિબહેન પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતાં. પિતાની થોડી ઘણી મિલકત હતી. બંને ભાઈઓએ એ વહેંચી લીધી હતી. જનાર્દનભાઈ ડભોઈની એક સ્કૂલમાં શિક્ષક હતા. એમના ભાગે ડભોઈનું ઘર આવ્યું હતું અને ઉદયને જે રોકડા પૈસા મળ્યા હતા. એમાંથી એમણે એને વડોદરામાં ફ્લેટ
મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા ત્યારે જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો ...વધુ વાંચોથોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ. પરંતુ મોટે ભાગે ૭૨ કલાક જેટલી રાહ જોવી પડે છે. એમની દ્રષ્ટિએ બહુ ચિંતા કરવા જેવું નથી. કોઈક અપવાદરૂપ કિસ્સામાં દર્દીના જ્ઞાનતંતુઓ પર અસર થતી હોય છે...” “પણ એ