Bhed book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhed is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભેદ. - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના પછી ક્લ્બમાં જતા. ત્યાં મિત્રો સાથે ગપ્પા મારતાં. ક્યારેક પત્તે રમતા. બરાબર અગિયાર વાગ્યે પાછા આવતા, ભોજન કરતા અને પછી સુઈ જતા.
તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના ...વધુ વાંચોક્લ્બમાં જતા. ત્યાં મિત્રો સાથે ગપ્પા મારતાં. ક્યારેક પત્તે રમતા. બરાબર અગિયાર વાગ્યે પાછા આવતા, ભોજન કરતા અને પછી સુઈ જતા.
શાંતિનગર…!
પહાડી ક્ષેત્રમાં વસેલો એક ખુબસુરત અને રળિયામણો વિસ્તાર...!
શાંતિનગર પર સોનુ વરસાવી રહ્યો હતો.
થોડા વર્ષો પહેલા આ સ્થળ એકદમ ઉજ્જડ અને સુમસામ હતું.
પછી સમય જતા અહીં સભ્યોનો રંગારંગ ધીમે ધીમે વધવા લાગ્યો.
જોતજોતામાં જ શાંતિનગરની વસ્તી બે લાખ પર પહોંચી ગઈ.
સુંદર ...વધુ વાંચોબંગલા, સીધી સપાટ પાકી સડક, ખુબસુરત બાગ-બગીચા અને આધુનિક બજાર વસી ગઈ.
લોકોના કથન મુજબ અહીં જેટલા માણસ વસે છે એ બધા લાખોપતિ-કરોડપતિ છે.
-ભગવતી એકદમ ધૂંધવાઈ ગયો હતો.
-કારણ...!
કારણ, તેને સવારના પહોરમાં જ ફોન પર સર દીનાનાથના બંગલામાં એક વધુ ખૂન થઇ ગયાના સમાચાર મળ્યા હતા.
આ સમાચાર મળતાં જ તે એકદમ હેબતાઈ ગયો હતો.
હજુ તો દીનાનાથના ખૂનની તપાસમાં રજમાત્ર પણ પ્રગતિ નહોતી થઇ ...વધુ વાંચોત્યાં આ બીજા ખૂનના સમાચારે એના મગજની એકેએક નર્સને ખળભળાવી મૂકી હતી.
દીનાનાથ પછી તેની પુત્રવધુ માલતીનું ખૂન કોણે, કેવી રીતે અને શા માટે કર્યું, એ તેને જરાયે નહોતું સમજાતું .
કાવેરીના રૂમની બહાર દિલીપ તથા કાવેરી વાતો કરતા ઉભા હતા.
‘હું તમારાથી ખુબ જ નારાજ છું મિસ્ટર કૈલાસ...!’ સહસા કાવેરી બોલી.
‘કેમ…?’ દિલીપે પૂછ્યું, ‘મારાથી શું ભૂલ થઇ ગઈ?’
‘તો હવે તમારી શું ભૂલ થઇ છે, એ પણ મારે જ કહેવું પડશે ...વધુ વાંચોને?’
‘હું નથી જાણતો એટલે કહેવી તો પડશે ને?’ દિલીપ બોલ્યો, ‘કોઈ સુંદર અને ખુબસુરત યુવતી કારણ વગર જ નારાજ થાય, એવું તો મારી જિંદગીમાં આ પહેલી વાર જ બન્યું છે.‘
કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો.
[વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, આનંદ, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.]
એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો ...વધુ વાંચોગયો હતો.
એની બાજુમાં જ બે ખુરશીઓ પર બળવંત તથા આનંદ બેઠા હતા.
‘આ બંગલામાં આ બધું શું થાય છે એ જ મને નથી સમજાતું.’ કિશોરના ફિક્કા ચહેરા સામે તાકી રહેતા બળવંત બોલ્યો, ‘પિતાજી અને માલતીના ખૂન…! તમારાં પર ગઈ રાત્રે થયેલો જીવલેણ હુમલો...! હે ઈશ્વર...હું શું કરું...? શું કરું...?’