Barbrakjishnu - Jaisingh Siddhraj book and story is written by Dhumketu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Barbrakjishnu - Jaisingh Siddhraj is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - નવલકથા
Dhumketu
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર આવી રહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો) હતો. અંદરઅંદરના ભાઈભાઈના ઝઘડામાંથી હવે એ નિવૃત્ત થયો હતો. એનો નાનો ભાઈ જયસિંહ, જે લડાઈમાં ખરેખર સિંહ સમાન ગણાતો, તે એનાંથી હારીને ભાગી આવ્યો હતો. અને નવસારિકા પાસેના જંગલમાં રહ્યોરહ્યો, પોતાનું નાનકડું રાજ્ય સ્થાપવા મથી રહ્યો હતો. વિક્રમાંકે પોતાના દરબારના ખાસ ‘લાટ-કર્ણાટક સંધિવિગ્રહિક’ને એ દિશા તરફ નજર રાખવાનું કહ્યું હતું. વિક્રમાંક, જયસિંહ અને લાટ – એ ત્રણે આમ પાટણ માટે પ્રશ્નરૂપ બન્યાં હતાં. ગમે તે ક્ષણે, જરાક જેટલી ભૂલ જો લાટનો દંડનાયક કરી બેસે, તો કર્ણાટકના સામંતો તૈયાર જ હતાં. આ પાટણનો પહેલો મહાબળવાન અરિ. દૂરનો એટલે તાત્કાલિક ધ્યાન ન ખેંચે, પણ જો લાટનો દંડનાયક જરા જેટલું ગોથું ખાઈ જાય, તો એને સપડાવે.
ધૂમકેતુ પ્રવેશ મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર ...વધુ વાંચોરહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો)
૨ રા’ આવ્યો મોંસૂઝણું થયું ત્યાં લક્ષ્મદેવ અને લોલાર્ક જાગી ઊઠ્યા. તેમણે ઉતાવળે-ઉતાવળે પ્રાત:કાર્ય આટોપી લીધું. ઊપડવાની તૈયારી કરતા હતા, એટલામાં કોઈક આ બાજુ આવતું લાગ્યું. સોનેરી-રૂપેરી ઘૂઘરીનો અવાજ આવી રહ્યો હતો. કોઈ રાજવંશી છે કે શું – કુતૂહલમાં ...વધુ વાંચોદ્રષ્ટિ ફેંકે છે ત્યાં એમને શિવાલયની પાસે જ એક સાંઢણીને ઝોકારતી જોઈ. સાંઢણી ઉપરથી એક પ્રચંડકાય પુરુષ નીચે ઊતર્યો. વૃદ્ધ છતાં તે અણનમ હતો અને એની કાયામાં હજી શક્તિ ને સ્ફૂર્તિ હતી. તે નીચે ઊતરીને અણનમ ઊભો રહ્યો. ચારે તરફ એણે એક નજર ફેરવી: ‘આંહીં તો કોઈ આવ્યું લાગતું નથી, રાણંગ! કાં તો આપણો સંદેશો જ નહિ મળ્યો હોય! પેલા
૩ જગદેવને પાટણમાં રસ પડે છે રા’ મદનપાલની હવેલી પાસે પહોંચ્યો, તો ત્યાં માણસો માતા ન હતાં. સેંકડો માણસો મદનપાલના મૃત્યુસમાચાર સાંભળીને ત્યાં ભેગા થઇ ગયા હતા. કોઈ કાંઈ બોલતું ન હતું. પાટણમાંથી એક સાડસતી ગયાનો સૌના મનમાં ઊંડો ...વધુ વાંચોહતો. મહારાજ કર્ણદેવના સમયનો અધમૂર્ખ મદનપાલ ધીમીધીમે એવો શઠ ને ઠગ બન્યો હતો કે પાટણને એ ક્યારે દગો દેશે એ કહેવાય તેમ ન હતું. રા’ સાથે, લાટ સાથે, કદાચ બર્બરક સાથે એની છાનીછપની ગોષ્ઠિ ચાલી રહેલી હોય તો ના નહિ, એમ બધાને શંકા હતી જ. સૌ એને પાટણમાંથી કાઢવા આતુર હતા. એ જાય એમ મહાઅમાત્ય પણ ઈચ્છતા હતાં. પણ એ
૪ મહાઅમાત્યની ચિંતા ખર્પરકનું અનુમાન સાચું હતું. રાજમાતા મીનલે સાંજે જ પહેલાં તો ખાનગી મંત્રણાસભા બોલાવી. મહાઅમાત્યને ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું. કેશવે એ સમાચાર આપ્યા અને સાંતૂને એમાં રા’નો વિજય દેખાયો. રા’ જમાનાનો ખાધેલ વિચક્ષણ પુરુષ હતો. અત્યારે પાટણમાં ...વધુ વાંચોપાડવાની પરિસ્થિતિ તેણે જોઈ લીધી. તે જેટલો ઉગ્ર, કડક અને બરછટ હતો એટલો જ ઠંડો, શીળો અને કુનેહબાજ થઇ શકતો – થવું હોય ત્યારે. અત્યારે એ એકદમ ઠંડો થઇ ગયો. મદનપાલની વિપત્તિને એણે ભાવિના લેખ તરીકે શાંતિથી સ્વીકારી લીધી એમાં પણ આ જ હેતુ હતો. ‘પણ આપણે પૂછો તો ખરાં, બા!’ તેણે ધીમેથી મીનલદેવી પાસે મૂક્યું હતું: ‘કે આ અન્યાય
૫ પાટણના મહારથીઓ દરેક નગરીને પોતાનું વ્યક્તિત્વ હોય છે; પણ જ્યાં ઈતિહાસ ઘડાય છે ત્યાં એ વ્યક્તિત્વ અદભુત અને તેજસ્વી બની રહે છે. વ્યક્તિત્વ વિનાની કોઈ નગરી કલ્પી જ શકાતી નથી. વનરાજદેવે વસાવેલી પાટણનગરીનું પણ એવું જ હતું. પોતે ...વધુ વાંચોહતો. નગરી પોતે જ વસાવી હતી, યુદ્ધ પણ વર્ષો સુધી કરીને પોતે જ દેશને જન્મ આપ્યો હતો, છતાં જ્યારે નગરીનો નામકરણસમય આવ્યો, ત્યારે મહારાજ વનરાજદેવે પોતાના સાથી ભલા, ભોળા જૂના વિશ્વાસુ મિત્રનું નામ આગળ ધર્યું. વનરાજ નહિ, અણહિલપુર પાટણ વસાવ્યું. ત્યારથી એ નગરીનો ઈતિહાસ ઘડાવા માંડ્યો. પછી તો પાટણની એક અભંગ પ્રણાલિકા જ બની ગઈ કે એ નગરીમાં સિંહાસન મહાન,