ડોક્ટર કે ભગવાન Sonal Gosalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટર કે ભગવાન

નવલિકા

ડોક્ટર કે ભગવાન ?

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ડોક્ટર કે ભગવાન ?

હોસ્પિટલમાં જઇએ ત્યારે ખબર પડે કે દુનિયામાં આટલું બધું દર્દ હોય છે. આપણે આપણા દુખડાં રોતાં હોઇએ છીએ પણ બીજાને દુખ માં પણ હસતા જોઇને પોતા પર જ ગુસ્સો આવે છે. કોઇને જીવલેણ કેન્સર હોય છે, તો કોઇને મગજની બીમારી. નાનાં બાળકોને આવી જીવલેણ બીમારીમાં પીડાતા જોઇ ને ગૂંગળામણ થાય છે. કયારેક અંતરમાંથી એક પ્રશ્ન નીકળે છે. શું ખરેખર ઇશ્વર છે ? અને છે તો આવો નિર્દય કેમ ? જુવાનજોધ વ્યક્તિઓ મૃત્યુ પામે ને એમના કુટુંબીઓનો વલોપાત (કલ્પાંત) હ્ય્દયને ચીરી નાખે છે. ડોક્ટર ખરેખર જીવતા ભગવાન જ છે. આપણી આયુષ્યદોરી લંબાવી નથી શકતા પણ બનતી બધી જ કોશિશ કરે છે, પેશન્ટ ને પીડામુક્ત કરવાની, ને જીવ બચાવવાની. ઘણા ડોક્ટરો તો માનવાની મૂરત હોય છે. જેના માટે ગરીબ સુખી દર્દી એક સમાન.પોતાથી બનતી બધી આર્થિક મદદ કરે ને પેશન્ટનો જીવ બચાવવા તનતોડ પ્રયાસ કરે. આવા ડોક્ટરમાં સાક્ષાત ભગવાન જ દેખાય ને ? એક પરિણીત સ્ત્રી જેને કેન્સર થયું, તેને તેના પતિ તથા સાસરીયાએ તરછોડી મૂકી. આર્થિક રીતે પણ નબળી આ સ્ત્રી કોની મદદ માંગે ? અમદાવાદના એક પ્રખ્યાત કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરે એની ફ્રીમાં ટ્રીટમેન્ટ કરી નવી જીંદગી આપી. આજે એ સ્ત્રી સ્વમાનથી જીવે છે અને આ ડોક્ટરને લાખો દુઆ આપે છે. છે ધનવાન આમના જેટલા કોઇ બીજા ડોક્ટર? આ મહાન ડોક્ટરને પોતાની મહાનતાના ગુણ ગાવા જરાય પસંદ નથી. પરંતુ લોકોના ધ્યાનમાંથી આવા લાડીલા ડોક્ટર બચી શકે ? માનવતાની આ મૂરત કેટકેટલા લેતા હોય છે ? પૈસા તો બધા કમાય છે પણ અંતરના સાચા આશિષ કોને મળે છે ? પરોપકાર કરીને પણ સાદગી દેખાડવી અત્યંત કપરી છે બંધુ. આ ડોક્ટરે કયારે પેશન્ટને એવું મહેસુસ નથી કરાવ્યું કે પૈસા હશે તો જ તારી ટ્રીટમેન્ટ થશે ને તું જીવીશ.

એમના મુખેથી હિમ્મતભરી વાત જ નીકળે “ હિમ્મત રાખ, મારાથી બનતી બધી જ કોશિશ કરીશ તને સાજો કરવા, પૈસાની ચિંતા ના કર. સૌ સારાં વાનાં થશે” આહા .. કેટલુ ગર્વ લેતું હશે આ ડોકટર સાહેબનુ કુટુંબ ! માતા પિતાની ઉછેરણી મહેકતાં ફૂલની જેમ ફળી. પ્રેમાળ કુટુંબ ને આવી પ્રેમાળ વ્યક્તિ મળી. ધન્ય છે આવા લોકોને માનવતા જીવિત રાખવા. આવા ઘણા મહાનુભવો હજી છે આપણા સમાજ અને કુટુંબમાં.

“ પ્રેમથી જયારે લોકોમાં માનવતા ખીલે છે,

ત્યારે પૃથ્વી પર સ્વયં સ્વર્ગ ઊતરે છે.

આંખોમા સ્નેહ અને હ્ય્દયમાં પરોપકાર છે,

મૃત્યુના દ્વારે પહોચેલાને જીવાડવાની જીદ છે.

આ ધરતી પર આવા વિરલ ડોક્ટર કોક જ છે.

એવા સદ્‌વિચારી ભવ્ય ડોક્ટર દર્દીઓનું સ્મિત છે.”