God Himself is a science books and stories free download online pdf in Gujarati

ઈશ્વર ખુદ એક વિજ્ઞાન છે - જ્ઞાન વિજ્ઞાન અને અલોંકીક વાતો

વીચારતો બહું આવે છે... શું છે આ જગત , આપણે કયાંથી આવ્યા?
સુર્યમંડળ ના બધા ગ્રહોની જેમ મંગળ અને પૃથ્વી છુટા પડેલ...પૃથ્વી કરતા કઈ ગણો મોટો મંગળ, પૃથ્વી તેની નાની બહેન કહેવાય છે..એક જ સોર્ય મંડળના એકજ જેવા ગૃણધર્મ ધરાવતા આ ગ્રહો...બુધ શુક્ર શની જેવા અન્ય ગ્રહો અને તેમના પણ ઉપગ્રહો ચંદ્રો, આમ નવ ગ્રહો તો ખરાજ તે ઉપરાંત ધૃવનો તારો સપ્ત તારા, પુંછડીયા તારો ધુમકેતુ.વીગેરે ગ્રહો ગેલેક્સી મા છે, તો હજારો કોસો દુર ચમકતા રાત્રે દેખાતા તારા જેનું નામ ઠામ ઠેકાણું પણ નથી.
અવકાસ એટલે જેનો કોઈ છેડો નથી કે જ્યા બધુજ શુવ્ય છે..
તો આ અવકાસ મા વીવીધ ખનીજ તત્વો વાયુઓ ખનીજો, એસીડો, અને બરફ અને પાણી ધરાવતા પથ્થરો ગ્રહો‌તારાઓ સુર્ય મંડળો ગેલેક્સી ઓ આવી ક્યાંથી, એમને ગતી કોણે આપી? એમને અગ્ની કોણે આપી, ક્યાંથી તે ધગધગવા લાગ્યાં? આ લાવા ક્યાંથી આવ્યો, તેને ઠાર્યા કોણે?? અરે આ શુન્ય આવાસમાં આ તરે છે કેવી રીતે, કોઈ આધાર વીના? અને તેમને લગાતાર ફેરવે છે કોણ??
આ બધાનો વીજ્ઞાન પાસે નકકર આધાર હોય તો બોલો??
આ બધી કઈ માયા છે? કેવી રીતે શક્ય છે? હજું આપણે પુથ્વીની ઉત્પતી નું સાચું રહ્સય શોધી નથી શક્યા, ફક્ત અનુમાન લગાવીએ છીએ,
એક અનુમાન મુજબ
પૃથ્વીની ઉત્પતી તો તમે જાણી હશે ગુરુત્વા કર્ષણ અપાકર્ષણ પરાકર્ષણ બળ ચુબકીય તરંગો ના લીધે સુર્ય માંથી વીવીધ ગ્રહો છુટા પડયા તેમ પુથ્વી પણ , અને કરોડો ખરબો વર્ષ પછી ધગધગતી પૃથ્વી ઠરતા જ્વાળામુખી ની રાખ માંથી પડ બંધાયું..
પણ પછી???

બન્યું એવું પ્લૂટો સુર્ય મંડળ ની ભ્રમણ કક્ષા થી બહાર જતો રહ્યો જેથી ચુબકીય બળ થી અન્ય શીલા ગ્રહો અવકાસમાથી ભ્રમણ કરતા એ સુર્ય મંડળ મા ખેચાયા અને મંગળ અને પૃથ્વી પર હજારોની સંખ્યામાં પડયા ,આ ઉલકા શીલાઓએ એવો વીધવન્સ ફેલાવ્યો કે અંદરનો જવાળા બહાર ફાટયો, અને વીધવંસ ફેલાયો, બરફથી છવાયેલા બન્ને ગ્રહો, જ્વાળામુખી થી બરફ પીગળી નીચાણવાળા ભાગમાં સરકવા લાગ્યાં
કહેવાય છે કરોડો વર્ષ પહેલા બન્ને પર એક જેવી સ્થીતી હતી, જ્વાળામુખી પર્વત અને બરફથી છવાયેલ અન્ય પર્વત , જ્વાળામુખી વીશ્ફોટ થી બરફ પીંગળતા પૃથ્વી કરતા કેટલાય મોટા સમુદ્ર મંગળ પર થયેલા,
એક બાજુ પુથ્વી બુજાઈ રહી હતી ત્યા મંગળ ખીલી રહ્યો હતો, સાગર ઉપરથી ઉઠતી બાફ લીલા જાંબલી તરંગો ઓઝોન તેનું જતન કરી રહ્યો હતો, પણ કાળ કર્મ , મંગળ પરનું રક્ષા કવચ તુટવા લાગ્યું અને સમુદ્રો સુકાવા લાગ્યા અને જ્વાળામુખી ની રાતી રાખના લીધે ઉજ્જડ મંગળ લાલ મૃતપાય બની દેખાવા લાગ્યો.
જયારે બીજી બાજુ પૃથ્વી લુપ્ત અવસ્થામાં હતી તે સમયે આજ લીલા જાંબલી ઓઝોનના રક્ષા કવચ માં જીવ શૃષ્ટી ફલકવા લાગી...
અને કાળ ક્રમે પૃથ્વી પર જીવન ફુંલ્યુ ફાલ્યું છે, અને મંગળ બહારથી વીરાન સુકો ભાસે છે, પણ અત્યારે પણ મંગળ પર સમૃદ્ધ નદીઓ સુકાયેલા દેખાય છે...નદીઓના વહેણના નિસાન દેખાય છે..
આ છે આપણી શૃષ્ટીની ઉત્પત્તિ ની કહાની..
પણ હજું કહેવાય છે કે મંગળ પર પેટાળમાં પાણી હોઈ શકે કે જીવન શક્ય છે...
અને હા સુર્ય પણ કરોડો જોજન વર્ષ પછી ઠંડો પડશે જ્વાળામુખી શાંત થશે, ત્યારે પ્રકાસ માટે પૃથ્વીને વીકલ્પ શોધવો પડશે..
આતો આપણા સુર્ય મંડળની વાત થઈ .આવા કેટલાય સુર્ય મંડળ અવકાસ માં છે..આવી કેટલીય ગેલેક્સી ઓ પણ,
તેમ છતા આપણે માત્ર પૃથ્વી અને તેની માયામાં અટવાયા,
એક ઈશ્વર જે આ બધાનો રચના કર છે..હશેજ, આપણે તો માત્ર માળાના મણકા જે દીવસે તુટ્યા કોઈ પતો નહીં,
વિજ્ઞાન આટલું આગળ વધ્યું ચંદ્ર થી મંગળ સુધી પહોંચ્યું અને સુર્ય મંડળ બહાર ની પણ ખબર લાવી , તેમ છતા ઈશ્વર છે તેના પુરાવા મળે છે, માણસ મુત્યુ બાદ મોક્ષ પામી કયા જાય તે તો માત્ર ઈશ્વર જાણે, પણ અધોગતીએ જનાર નો આત્મા શરીર છોડયા બાદ ,પણ આશા તૃષ્ણા કર્મ ના ભાથા એટલે કારક શરીર સાથે આત્મા આ દુનીયામાં ભટકે છે તે નજરે જોયો અનુભવ્યો છે..
શું છે આ દુનીયા કલ્પના હકીકત કે અર્ધ સત્ય કોયડો વણ ઉકેલ્યો છે..
જેમ જેમ માણસની સમજ વધી માનસીક વીચારોથી ભગવાન અને ધર્મ સ્થાપતા ગયા ગ્રંથો લખતા ગયા, એકજ હીન્દુ ધર્મમાં કેટ કેટલા દેવ કેટ કેટલા ભગવાન,
જયારે અન્ય ધર્મોમાં પણ અલગ અલગ ભગવાન, જેને જેમ અનુકુળ લાગ્યું પોતાની બુધ્ધિ પ્રમાણે લખ્યું અને લોકોના મનમાં બેસાડ્યું, અને જેમના મનમાં બેઠું તે તેમના અનુયાયીઓ બન્યા, અને આભ ધર્મ ના નામે હું મોટો મારો ધર્મ સાચો ભગવાન સાચો ના નામે વાદ વીવાદો, પણ આ બધાયનો રચૅતા તો કોઈ એકજ છે,
આમ છતા જેમ પૃથ્વી માટે ઉર્જા નો સત્રોત સુર્ય છે...તેમ આખી ગેલેક્સી માટે પણ હશે, અને આવી ગેલેક્સી ઓ માટે પણ કોઈક સત્રોત તો હશેજ...
શરીરમાં પણ ઉર્જા રૂપે આત્મા જીવ બીરાજે...
પછી કીડી...હાથી...માણસ દરેક શરીર રૂપી યંત્ર મા ઉર્જા નો સત્રોત તો કોઈક છેજ..
આગમાં બધું ભસ્મ થાય પણ આગ એટલેકે અગ્નીની આજુબાજુ બધું ફુલે ફાલે છે, જીવન ઉત્પન્ન થાય છે, બસ આટલું જ સમજવાનું છે, અગ્નીજ સ્રોત છે જીવનનો અને વીનાસનો પણ, એજ ભગવાન છે,
આપણા મા જે ઉર્જા અગ્ની પ્રકાસ જે છે તે એ ઉર્જા એટલે જીવ આત્મા પ્રકાસ જેનો ઉદભવ કયાક તો થતોજ હશે, એ ઉર્જા ના સત્રોત શુધી પહોચવા આજનું વીજ્ઞાન પણ સફળ નથી,
ધરતીનો છેડો શોધવા ૯ થી ૧૦ કીલોમીટર ઉડી ટનલ ખંદાઈ ચુકી છે પાતાળનો છેડો‌છોડો ધરતીના પડનો અંત આવતો નથી,
અવકાશમાં મોટા મોટા ટેલીસકોપ અને ઉપગ્રહો લગાવ્યા અવકાસનો અંત આવતો નથી'. જેમ આગળ વધે નવી ગેલેક્સી નજરે ચડે છે, માટે તો કહેવાય છે કરોડો બ્રહમાડનો માલીક એક છે, તમે નથી માનવા તૈયાર તે તો તમારી ખોટી જીદજ કહેવાય ને?
કોણે કહ્યું આ ધરતી પરજ પાણી જમીન ખડકો વાયુઓ છે...? અન્ય ગ્રહો પર પણ આવાજ પુરાવા મળી રહ્યા છે..
તો આપણું શું આવે આ શૃષ્ટી ના રચીતા આગળ?
તેને શોધવા જવાયે નહીં,ના મળે, હજારો જન્મ ઓછા પડશે તેને સોધતો. એણે તમને દીમાગ આપ્યું છે આટલું તેજ તો એનું કેટલું તેજ હશે દીમાગ, એની બનાવેલી શૃષ્ટી નો ભેદ કે પૃર્ણ રીતે એણે શું કેવી રીતે કેટલી માત્રા મા શું શું કયારે કેમ બનાવ્યું એ પણ આપણા ગજા બહારની વાત છે તો પછી એના શુધી પહોચવાની વાત એ પણ બુધ્ધી થી?? લાગે છે સક્ય?? તો અનુમાનો કરવાના રહેવા દો, અને આ બધું ના સમજાય એટલે ઈશ્વર છેજ નહીં તો તું કયાથી ટપક્યો, મા બાપ વીના તારો જવ્મ કખવી રીતે, અને શોધ તારી પેઢી દર પેઢી પુરવજો અને એમનું મુળ શોધી સકે તો,
બહું બધું છે કહેવા સમજાવવા માટે , સમજાવા તમને અને મને સમજાવતા આ જન્મ નહી હજારો જન્મ ઓછા પડશે ,
માટે ડહાપણ ના વાપરો પણ જે સામે નજર સમક્ષ છે તેનો સ્વીકાર કરો,
ઈશ્વર એ એક એટલી મોટી કાયનાતનો રચના કાર છે, જેમાની નાનકડી પૃથ્વી કે તમારો દેશ ગામ મહોલ્લો કે ઘર પણ તમે એક નજરે એક સાથે સંપૃર્ણ જોઈ નથી સકતા ..તમારી દ્રષ્ટિ ઓછી પડે છે ,તો એના રચના કાર ને જોવાનૅ દ્રષ્ટિ કયાથી લાવી તમે કે તમને એ છે કે નહી તમે નક્કી કર્યું,
બસ તમારૈ માનવા માટે એટલું કાફી છે કે તમે છો એ એણે બનાવેલ છે, માટે એતો છેજ, પણ કાલે તમે નહી હો પણ આજ જગ્યાએ નવી પેઢી હશે..પણ ઈશ્વર તો હશેજ..
માટે એને સમજવો હોય તો સમર્પણ ની ભાવના શ્રધ્ધા વીશ્વાસ થી એની શરણમાં જાઓ,
બાકી કોઈ એક બેના માનવા ન માનવાથી હકીકત બદલાવવાની નથી, આસ્તીક કે નાસ્તીક, અને આપણે આજે વર્તમાન છીએ કાલે ભુતકાળ, આપડા વડવાઓ પહેલા વર્તમાન હતા હવે ભુતકાળ, અને આપડી આવતી પેઢી અત્યારે ભવીશ્ય છે ,પણ એક દિવસ તે વર્તમાન અને એક દીવસ ભુતકાળ બનશે ..એ નીછ્ચીત છે...
આ ધરાની માયા ને બનાવવી મટાડવી એના માટે કોઈ નવાઈની વાત નથી, બધુજ ક્ષણીક છે..
જાગો....બસ એનો સાક્ષાત્કાર એજ ધ્યેય રાખો...
એને કોઈ નામ રંગ રૂપ આકાર આપો છો એતો તમારી આસ્થા છે, અને કલ્પના છે...
પણ પ્રકાસ તેજ કુંજ શક્તિ નો સમનવય તે ઈશ્વર છે જેની પાસે બધીજ કળાઓ છે..
ઓમ શાંતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED