Rajvi book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rajvi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાજવી : પ્રીતની નવી રીત - નવલકથા
Mittal Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
જૈન સંસ્કૃતિ એક અગાધ સમુદ્ર છે. જેમાં આપણે ડૂબકી મારીએ તો તેમાંથી દરેક વખતે નવું એક છીપ અને એક નવું જ મોતી મળે. દરેક ડૂબકીમાં નવા નવા જ મોતી મળે. દરેક મોતીનો એટલે કે દરેક વાતનો સાર મોક્ષ મેળવવાનો અને સંસારમાં થી પાર ઉતારવાનો છે.
આધ્યાત્મિક વાતો કરનારા ગ્રંથો, એને સમજાવતી વાર્તાઓ પણ ઘણી અને અદ્ભુત છે. એ ગ્રંથો આધ્યાત્મિક કેવી રીતે વિકાસ કરવો એની માહિતી સાથે સાથે પ્રેરણા આપે છે.
જૈન ગ્રંથોમાં ચોવીસ તીર્થંકરો અને એમની સાથે જોડાયેલા દરેક પાત્રોનું વર્ણન છે. એ દરેક વર્ણનો એટલા અદભૂત અને જીવંત છે કે જાણે એવું લાગે કે, આપણે ત્યાં જ બેઠા છીએ અને દરેકને નજર સમક્ષ નિહાળીએ છીએ.
આવો જ અગાધ સમુદ્ર સમાન ગ્રંથોમાં થી કહો કે વાર્તાઓ માંથી કહો તો ડૂબકી લગાવીને મેં શોધ્યું છે, એક એવું પાત્ર. શ્રી નેમિનાથ તીર્થંકરના સમયમાં થયેલ અને હિંદુઓના સમયમાં કૃષ્ણ ભગવાનના સમયમાં થયેલ છે.
જેને નેમિનાથ ભગવાન સાથેની પ્રીતિ સાચવી અને નિભાવી જાણી. એ પણ એક નવી રીત સાથે. જેને મંડપમાં જ એકલી મૂકીને જતા રહ્યા છતાંય તેને પોતાની પ્રીતિ સાચવવા શ્રી નેમિનાથ પાછળ ભેખ લીધો.
આ પાત્ર વિશે જેમ જેમ હું વિચારતી ગઈ તેમ તેમ હું ઊંડી ઊતરતી ગઈ. અને એ પાત્રને લખવા માટે મારું મન અતિશય લલચાઈ ગયું.
આ પાત્રને વિશે લખવા માટે જૈન ગ્રંથો અને જયા ઠાકોરના પુસ્તકનો આધાર લીધો છે. તો તમારા મહત્ત્વના પ્રતિભાવ અવશ્ય આપશો.
પ્રસ્તાવના જૈન સંસ્કૃતિ એક અગાધ સમુદ્ર છે. જેમાં આપણે ડૂબકી મારીએ તો તેમાંથી દરેક વખતે નવું એક છીપ અને એક નવું જ મોતી મળે. દરેક ડૂબકીમાં નવા નવા જ મોતી મળે. દરેક મોતીનો એટલે કે દરેક વાતનો સાર મોક્ષ ...વધુ વાંચોઅને સંસારમાં થી પાર ઉતારવાનો છે. આધ્યાત્મિક વાતો કરનારા ગ્રંથો, એને સમજાવતી વાર્તાઓ પણ ઘણી અને અદ્ભુત છે. એ ગ્રંથો આધ્યાત્મિક કેવી રીતે વિકાસ કરવો એની માહિતી સાથે સાથે પ્રેરણા આપે છે. જૈન ગ્રંથોમાં ચોવીસ તીર્થંકરો અને એમની સાથે જોડાયેલા દરેક પાત્રોનું વર્ણન છે. એ દરેક વર્ણનો એટલા અદભૂત અને જીવંત છે કે જાણે એવું લાગે કે, આપણે ત્યાં જ
(૨) (મથુરાના રાજા ઉગ્રસેન મહારાજ અને ધારિણી રાણીને એક દિકરીનો જન્મ થયો. તેનું નામ ઉગ્રસેન રાજાએ રાજુલ પાડયું. હવે આગળ...) બાળપણ કેવું હોય, એક નિર્દોષ સમય જેમાં કંઈ જ ના વિચારવાનું કે ના કોઈ જાતની ચિંતા કરવાની. કોઈને ગમશે ...વધુ વાંચોનહીં ગમે તે વિચાર્યા વગર જીવનનો આનંદ જ લેવાનો. બાળપણના દિવસો જેવા દિવસો અદ્ભુત બીજા એકપણ સમયના નથી. એ જ દરેક વ્યક્તિના ઘડતરમાં સૌથી વધારે યાદગાર અને મહત્ત્વ ધરાવે છે. એ વખતની નિર્દોષ મિત્રતા, નિર્દોષ હાસ્ય, નિર્દોષ રમતો અને એવા જ આપણા તોફાનો, મસ્તી અને મનફાવે તેમ કરવાની આઝાદી. આ બધી દરેકના બાળપણની નિશાની છે. રાજુલની ત્રણ સખીઓ વૃંદા, શશિલેખા
(૩) (બાળપણની રમતો રમતી, સખીઓ સાથે હસતી રાજુલ મોટી થઈ ગઈ અને જોડે જોડે તેના વિચારો પણ. હવે આગળ...) સમયનું ચક્ર હંમેશા એકધારી ગતિમાં જ આગળ વધતું રહે છે, તે કયારેય પાછું નથી જતું કે નથી ધીમું ચાલતું. ઉગ્રસેન ...વધુ વાંચોપ્રભાતે જાગ્યા તેવા જ જાણે તે ચક્રવર્તી થયા હોય એવા આનંદમય થઈ ઉઠયા. ધારિણી દેવી પણ પતિને આટલા આનંદિત જોઈ હરખાઈ ગયા. સ્વભાવિક રીતે ઉગ્રસેન રાજા નામ પ્રમાણે થોડા ઉગ્ર સ્વભાવવાળા હતા. એટલે જ જયારે પતિ આનંદિત હોય ત્યારે રાણી પોતાના મનની વાત કહી દેતા. "આજે આટલા વહેલા કેમ જાગી ગયા, મહારાજ?" "કોણ જાણે પણ આજે મારું મન આનંદ અનુભવે
(૪) (ધારિણી રાણી મનમાં રાજુલ માટે ચિંતા કરે છે અને તે મહારાજ ઉગ્રસેન આગળ વાત પણ કરે છે. હવે આગળ....) વિચારો! કુંભારના ચક્રની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમ જ વિચારો પણ એક પછી એક મનમાં જન્મયા ...વધુ વાંચોકરે છે. તેનો અંત કયારેય નથી હોતો. પહેલા રાજુલ અને હવે તેની માતા ધારિણી દેવી વિચારોમાં ખોવાઈ ગયા હતા. રાજુલ તેની માતાની છાતીમાં લપાઈ ગઈ અને ધારિણી રાણી એના લાંબા કેશકલાપને પંપાળતા કયાંય સુધી બેસી રહ્યા. તેમના મનના વિચારો તો.... 'મારી દિકરીના મનમાં કેટકેટલા અભરખા અને આશાઓ એના હ્રદયમાં રમતા હશે! એ કોને પામશે?... મારા આ સુંદર પુષ્પનો ભોક્તા કોણ
(૫) (ધારિણીદેવીને માતા તરીકે રાજુલના વિચારો તેમને એક બાજુ ગમે છે અને એક બાજુ તેની ચિંતા પણ થાય છે. હવે આગળ...) કુદરતની માનવજાત માટે એક મોટી મજાક છે કે માનવીના મનમાં એક વિચાર લાંબો કયારે પણ ટકતો નથી. એક ...વધુ વાંચોમનમાં જન્મે અને ગાઢ થાય તે પહેલા જ એની પાછળ ને પાછળ વિરોધાભાસી વિચાર જન્મ લે છે. અને મનમાં આવો ને આવો વિરોધાભાસ ચાલતો જ રહે છે. આવું પણ રાજુલ જોડે થયું. 'મને પણ છે ને... એક પણ વખત મારું મન જ નથી સમજાતું, તો પછી માતા પિતાની વાત તો શું કરું? જેવો ચંદ્રોદય જોઉં છું અને મારા મનનો મોર