Karan Ghelo - 7 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 7

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૭


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૭

પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભછાનસ, આબં, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણ ઘેલા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આઘા હતા તેટલી વારમાં શા શા બનાવો બન્યા તેનું ટૂંકમાં વર્ણન કરી આગળ શું બને છે તેથી વાંચનારાઓને વાકેફ કરીએ.

રૂપસુંદરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુંદરી તેની પાછળ સતી થઈ, તથા માધવ રાજ્યમાંથી નાસી ગયો, એ સઘળા બનાવો એકીવારે થયા તેથી શહેરના લોકોના મન ઉપર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એની એ જ વાત થતી હતી, અને આગળ શું નીપજશે તે વિષે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી; અને તે કંઈક ખરી પણ પડી. ઉપલી સઘળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાતે શહેરમાં મોટી આગ લાગી, અને તેને જદેમ જેમ છાંટતા ગયા તેમ તેમ બીજાં નવાં ઘરો સળગતાં ગયાં. લોકો ઘણા ભયભીત થયા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ તો દૈવકોપ થયો. કેટલાક બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઊડતાં માણસોને આગ લગાડતાં જોયાં. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવ બનવામાં કાંઈ ચમત્કાર છે, એમ લોકોને થોડી વારમાં ખાતરી થઈ. કેટલાક લોકોની બારીએ રાતની વખતે મોટા મોટા પથ્થરો અથડાયા; કેટલાકનાં ઘરમાં રાંધેલું ધાન બદલાઈને નરક થઈ ગયું; કેટાલકનાં ઘરમાં કૂવાનાં પાણી બદલાઈને લોહી જેવાં થઈ ગયાં; રાતે મોટી મોટી ચીસો સંભળાવા લાગી; કોઈથી દીવા થયા પછી બહાર નીકળાય નહીં. ઘણાંનાં ઘરમાં બૈરીઓ ધૂણવા લાગી; અને વારે વારે શહેરમાં આગ લાગ્યા કરવા માંડી. એ પ્રમાણે પુરમાં હાહાકાર થઈ રહ્યો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ, અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાંજમીર તળાજાની ફૂલારાણી ઘણા જોસથી ધૂણવા લાગી, તથા તેનામાં એટલું સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિંમત ચાલે નહીં. સઘળાઓને હવે ખાતરી થઈ કે કોઈ મોટું જોરાવર ભુત શહેરમાં આવ્યું છે, અને તે સઘળાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભૂવા, જતિ વગેરે મંત્ર જાણનારા લોકોની રોજી જાગી. તેઓ ઠામેઠામ ભૂતને બોલવવા લગ્યા; શહેરના સઘળા દરવાજા ઉપર ખીલા ઠોક્યા; ચકલે ચકલે ઉતાર મુક્યા, જગાએ જગાએ કાપેલાં તથા સિંદૂર ચોપડેલાં લીંબુઓ રઝળતાં પડ્યાં, તથા ઘેર ઘેર મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોએ ઘરમાં સરસિયાના દીવા બાળવા માંડ્યા; પણ ભૂત શહેરમાંથી ગયું નહીં. તથા તેની પીડા પણ ઓછી થઈ નહીં. જ્યાં જ્યાં ભૂત ધુણાતું ત્યાં ત્યાં તે પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા, અને સઘળે ઠેકાણે અને સઘળી વખતે એના એ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી. એક દહાડો સવારે શહેરની આગળ એક કૂવા ઉપર બૈરીઓ પાણી કાઢતી હતી તે વખતે એકદમ કૂવામાં એક મોટો ધબાકો થયો, અને તે સાંભળતાં જ સઘળી બૈરીઓ જીવ લઈ નાસી ગઈ. તેઓમાંની એક કૂવામાં પડી, અથવા તેને કોઈએ ફેંકી દીધી, એમ કહીએ તો ચાલે. ઘણા લોકો એકઠા થયા, પણ કોની માએ શેર સુંટ ખાધી હોય કે તે ડૂબતી બૈરીને બહાર કાઢે. બાબરા ભુતે તેને ફેંકી દીધેલી એટલે કૂવામાં ઊતરવાની કોઈની હિંમત ચાલે નહીં. એટલામાં તયા એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતાં જ પોતાના હાથમાં એક સવા મણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપયો, પોતાનાં લૂગડાં ઝટ વારમાં કાઢી નાંખી કૂવામાં ઉતરી પડ્યો, અને સહેજ વારમાં તે બૈરીને હસહસતી લઈ ઉપર આવ્યો. આ રજપૂતનું પરાક્રમ જોઈ સઘળા ઘણા વિસ્મિત થયા, અને તે જીવતો બહાર નીકળ્યો તેથી તેઓ ઘણા હરખાયા. તે બૈરીનો ધણી તથા તેનાં માબાપ તે જગાએ આવી પહોંચ્યાં હતાં, તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માનયો, અને તેને પણ પોતાને ઘેર પરોણા દાખલ તેડી ગયાં. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો તેથી તેણે તેઓને ઘેર જવાનું કબૂલ કર્યું; અને લોકો સઘળા તે જગાએથી વેરાઈ ગયા.

તે બૈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણા ઊંડા વિચારમાં પડ્યો. કરણ રાજાને શી રીતે મળવું, એ વિષે કાંઈ તદબીર શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું. ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતી કરી; અને જમતાં જમતાં પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડામાં થયેલી સઘળી હકીકત વિગતવાર કહી સંભળાવી. બાબરો ભૂત જે શહેરમાં ખરાબી કરતો હતો, તથા રાજાની ફૂલારાણીને તે વળગેલો હતો, તે વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સઘળું સાંભળી ઘણું હરખાયો, અને કોઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું, અને પછી પોતાની સઘળી વાત તેની આગળ કહેવી એવો તેણે ઠરાવ કર્યો. બાબરા ભુતને મારી ફૂલારાણીને તેના જુલમથી બચાવવી, એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું; માટે ગમે તે ઉપાયે કરવાનો તેણે નિશ્ચય કર્યો. પણ તે થાય શી રીતે ો તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો, અને તે ખરો છે, એમ તેણે ઘણી અજમાશથી નક્કી કર્યું હતું. પણ તેણે તે ઘણી મુદત થયાં અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહીં એ સંબંધી તેને ખાતરી ન હતી. હવે કાળી ચૌદશને બે ત્રણ દહાડા બાકી રહ્યા તેથી એ મંત્રને તે દહાડે મધ્યરાત્રીએ સાધવાનો તેણે મનસૂબો કર્યો. સઘળો સામાન તૈયાર કર્યો. અને કાળી ચૌદશની તે રાહ જોતો બેઠો.

કાળીરાત્રીનો એક પહોર ગયો તે વખત અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો. એક તો વદ ચૌદશની રાત એટલે અંધારું તો હોય જ, તે સાથે વળી આ વખતે તો ઘનઘોર થઈ રહ્યું હતેં. આકાશમાં કાળાં વાદળાં છવાઈ ગયેલાં હતાં, તથા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો વીજળીના ચમકારા વખતે વખતે થતાં, તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઊગેલાં ઘણાં ઝાડ તથા નાની નાની દહેરીઓ, દેવડીઓ, તથા મોટાં શિવાલયો દેખાતાં હતાં. વીજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા, તથા વખતે વખતે પવન એવા જોરથી વાતો હતો કે જાડની ડાળીઓ ભોંય સાથે તથા એકબીજા સાથે અથડાતી હતી. ઢોરનાં સ/કાં હાડકાં મસાણમાં સડ્યાં કરતાં હતાં તેમાંથી ફૉસ્ફરસ નીકળી ખુલલી હવાને લાગતાં તેમાં મોટા ભડકા થતા, તથા કીચડવાળી ભોંયમાંથી એક જાતનો વયુ નીકળી તે પોતાની મેળે સળગતો, અને અંતરિક્ષમાં તેના ભડકા ઊયા કરતા. એ બળતાં ઉપર વરસાદના ઝીણા ઝીણાં છાંટા પડતા તયારે તેમાંથી એક જાતનો છણછણાટ થતો સંભળાતો હતો. ત્યાં કોઈપણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીને સામે કાંઠે તેમ આ કાંઠે પણ આઘે આઘે કેટલાક માછીઓ પોતપોતાની હોડીઓ લંગરવાર કરી મોટાં તાપણાં સળગાવી તેની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણો શબ્દ તથા દેડકાંનો બેસૂરો અવાજ કાને પડતો હતો. એવી ભયુકર જગાએ તથા એવા ભયાનક વખતે વીજળીના તેજથી એક માણસ નદીના કિનારા ઉપર ફરતો દેખાતો હતો. તે જોઈ તેની હિંમતનાં વખાણ કર્યા વિના કોઈથી રહેવાય જ નહીં. વીજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલુમ પડ્યું કે એ ફરનાર માણસ પેલો રજપૂત સવાર, જેણે તે દિવસે કૂવામાંથી બૈરીને કાઢી હતી તે જ હતો; અને તે આ વખતે તથા આ જગાએ શા માટે આવ્યો હતો, તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાધા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપર તે ફરતો હોય એમ બેધડક તથા વગર બીકે ચાલતો હતો. અને કોઈ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગાએ અટક્યો, અને ત્યાં ઊભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે ત્યાં ખોદવા લાગ્યો. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખોદ્યા પછી તે અટક્યો; નરાન જમીન ઉપર મૂકી દીધી, અને પોતાના ધોતિયા વડે મોં ઉપર પરસેવાનાં મોટાં મોટાં ટીપાં બાઝ્‌યાં હતાં તે લૂછી નાખ્યાં. તેણે કમર તાણીને બાંધી, અને તે ખાડામાં નીચે ઊતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેણે સાંભળ્યો. તે જ વખતે તે ત્યાંથી છલંગ મારી દશ કદમ પાછળ પડ્યો, અને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણ વાર પણ ભયને વશ થયો ખરો, તોપણ તે છેક હિંમત હાર્યો નહીં. તે લાગલો જ કિનારા ઉપર ગયો અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કૂતરાને પકડી પાણીમાં ઘસડતી તેની નજરે પડી. કૂતરાએ બહાર નીકળવાને ઘણાયે પછાડા માર્યા, પણ પાણીમાં તેનું જોર ચાલ્યું નહીં; અને તેનો શત્રુ પોતાની મીનમાં હતો તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઈ ગયો. આ બનાવ જો તેને પાછી ધીરજ આવી, અને તે ફરીથી ખાડા આળ ગયો. નીચે ઊતરીને એક મડદું તે લઈ બહાર આવ્યો, પણ તે મડદું કેવી સ્થિતિમાં હતું ? તેમાંથી ઘણું-ખરું માંસ ખવાઈ ગયું હતું; બધે મોટા મોટા કીઠા ખદબદતા હતા; આંખની જગાએ બે મોટા ખાડા પડી ગયા હતા; નાક અર્ધું ખવાઈ ગયું હતું; ખોપરી બહાર નીકળેલી હતી; માંસના લોચામાંથી ઘણી જ દુર્ગંધ નીકળતી હતી; તથા શરીરનાં સઘળાં હાડકાં ઉઘાડાં જણાતાં હતાં. તે મડદા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા, અને વીજળીના અજવાળાથી જ્યારે તેણે બે બિહામણું પ્રેત જોયું ત્યારે તરત તે તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો; તે ઉપરથી મડદાના કીડા તેનાં લૂગડાંમાં ભરાયા હશે, એમ જાણી તેણે તે સઘળાં તરાી ખંખેરી નાંખ્યાં, અને તેને પાછાં પહેરી તે મડદાને પગ વતી, હડસેલતો કિનારા પર લઈ ગયછો. તેનો વિચાર તેને ધોઈ નાખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે છે અટલે તેના પગે કોઈ જાનવરે બચકું ભર્યું. રજપૂત તો દરદથી બે હાથ ઊંચો ઊછળયો, અને પાછો તેને જોવા જાય છે તો મડદું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે એક મોટો ભડકો થયો, અને તેના શરીર ઉપર વીંટળાઈ જશે, એમ લાગ્યાથી તે ત્યાંથી ઊભી પુંછડીએ નાઠો. મડદું ઘસાડતું ચાલ્યું. તેની પાસે જવાની તેની હિંમત ચાલી નહીં. હાય ! સઘળી મહેનત નિષ્ફળ ગઈ. આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે. હવે હું શું કરું ? એમ રજપૂત ઊભો ઊભો વિચાર કરવા લાગ્યો. પણ તેણે પોતાનું અંતઃકરણ પથથર જેવું કઠણ કર્યું હતું; બીક તો ઘેર મુકી આવ્યો હતો; તથા ગમે તે થાય તોપણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠકાણેથી ન જાવનો દૃઢ નિશ્ચય કર્યો હતો, તેથી તે પોતાની નામર્દાઈથી શરમાયો, અને તે મડદાને પકડી લાવવાને તે આગળ ધસ્યો. વીજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલૂમ પડ્યું કે મડદાને ઘસડનાર તો એક શિયાળવું હતું. હવે તેની દહેશત ઊડી ગઈ. તેને પગે એક પથ્થર અથડાયો તે ઊંચકી લઈ જે દિશામાં મડદું ઘડસાતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીસ સંભળાઈ, કોઈ દોડતા જનાવરનાં પગલાં કાને પડ્યાં ને મડદું ઘસડાતું બંધ થયું. તયાં જઈ તેને પાછું પાણીમાં તેણે હડસેલી મૂકયું, અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઊભો રહ્યો. પાણીમાં વારેવારે ધબાકા થયા કરતા હતા. માછલાની પાંખમાંથી ચળકાટ વખતે થતો, અને વખતે સાપની ડોંખલફી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઊભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુડદા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે, તથા તે ઉપરનું મટોડું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ઘણા, માટે તેને ઘણી ચટપટફી થતી હતી, અને પોતાની ધારેલી મતલબ પાર પડશે કે નહીં, એ વાતની ફિકરથી તેને સઘળું કામ ઉતાવળથી કરી નાખવાની ઘણી આતુરતા હતી. મડદાને હાથમાં લીધું પણ તે આટલું ઠંડુગાર થઈ ગયું હતું કે તે તેના શરીરને લાગતાં જ તેને કંપારી છૂટી, તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં,અને તેને સંધિવાયુ થયો હોય તેમ તેના હરેક સાંધામાં કળતર થવા માંડ્યું, અને તેનાથી એક પગલું આગળ મુકાયું નહીં. હવે શું કરવું ? હિંમત, હિંમત. બીજો કાંઈ ઈલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેણે એક છલંગ મારી, અને જીવ લઈને નાસતો હોય તેમ દોડી એક નાના દહેરા આગળ ચત્તોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીકને મનમાંથી ઝટ કાઢી નાખી, અને ઊભો થઈને તે મડદાને લઈ તે દહેરામાં પેઠો. ત્યાં તેણે સઘળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ, માટેલૂગડાં ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. આ આ વખતે તેનું ચિત્ત શાંત હતું તેથી તેને કાંઈ દહેશત લાગી નહીં. તેણે મંત્ર ભણી સ્નાન કર્યું અને ભીને ધોતિયે પાછો દહેરામાં આવ્યો. ત્યાં તેણે ચકમક પાડી દેવતા તૈયાર કર્યો, અને એક કોડિયામાં સરસિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી. ચાર દિશાએ મંત્રેલાં લીંબુ કાપી સિુંદર ભરી મૂક્યાં; ચાર ખૂણે ખીલા દાટ્યા; અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા. પછી સઘળી વાતની આગળથી તૈયારી કરી કપાળે સિંદૂરની આશકા કરી; શરીરના કેટલાક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી; હાથે કેટલાંક તાવીજ બાંધ્યાં; તથા ગળે એક મોટું માદળિયું પહેર્યું. એ પ્રમાણે ભૂત, પ્રેત, પિશાચ, શંખણી, યક્ષણી વગેરે બલાની સામાં હથિયાર બાંધી તેણે તે મડદાનું આસન કર્યું, અને તે ઉપર ઘોડો ફલંગીને બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થઈ ગયો હતો કે તેને આસપાસનું કાંઈ ભાન રહ્યું ન હતું; તેમ દહેશત ઉપજાવે એવું તો કેટલીક વાર સુધી કાંઈ બન્યું પણ નહીં. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો; વીજળીના ચમકાટ વધારે તેજસ્વી થવા લાગ્યા, કડકડાટ કાન બહેર મારી જાય એવા સંભળાવા લાગ્યા; વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું; હવે અંધકાર વધારે ભયંકર થઈ ગયો. પણ આ સઘળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કાંઈ પણ અસર થઈ નહીં. તે તો પોતાનો જપ કર્યો જ ગયો, પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિધ્ને ચાલ્યું નહીં. જે મડદા ઉપર બે બેઠો હતો તે તેની નીચેથી હાલવા તથા થોડી વારમાં ઉજળવા લાગ્યું. મડદા સાથે તે પણ ઊછળતો ગયો અને તેના પગ વડે તે મડદાને એવી તો તેણેચુડ ભેરવી કે તેની પાસેથી છટકી શક્યું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું, પણ તેનાથી નીકળી જવાતું ન હતું, તે વખતે ત્યાં ચીસાચીસ તથા બરાડાબરાડ થઈ રહી હજારો ભુતો તેની આગળ નાચવાકુદવા લાગ્યાં; કેટલાંક ખડખડ હસવા લાગ્યાં; કેટલાક તેને મારવા આવતાં હોય તેમ પાસે આવવા લાગ્યાં; કેટલાંક આઘેથી ધમકી આપવા લાગ્યાં; કેટલાંક મોટાં વિકરાળ મોં કરી તેને બિવડાવતાં હતાં; ચુડેલ તથા વંતરીઓ માથે ધગધગતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોરબકોર કરી રહી હતી; ઘણા જ ભગ્યંકર રાક્ષસો, ભેંસાસુરો ઈત્યાદિ ત્યાં આવી તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું. રજપૂત મનમાં બીધો તો ખરો; તે.ના શરીર ઉપરના સઘળા નિમાળા ઊભા થયા; તેની ચામડી ઉપર મરતી વખતના જેવાં શીત આવ્યાં; આખે અંગે જાડો ચીકણો પરસેવો વહેવા લાગ્યો; તથા છાતી પણ ઘણા જોરથી ધબકવા લાગી. કોઈ કોઈ વાર તેનાથી બૂમ પાડી દેવાકશે એમ તેને લાગ્યું. દોડવાની તો ક્યાંથી પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી ન હતી. પણ તેણે પોતાનું મન આવે બારીક વખતે પણ એવું સાવધ રાખ્યું કે તે તેનું કામ કરી શક્યો. તેના જપમાં ઘણી હરકત પડવા દીધી નહીં. મડદું વધારે જોરથી ઊંચે ઊછળવા લાગ્યું. ભૂતપ્રેતની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે થતી ગઈ; પણ તે રજપૂતે પોતાની આુખ આંધળી તથા કાન બહેરા જેવા કરી નાખ્યા હતા તેથી તેણે તેઓની કાંઈ દરકાર કરી નહીં. તેણે બધી દીશાએ આગળથી એવો પાકો તથા મજબૂત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે એ સઘળાં મલિન પ્રાણીઓથી તેની પાસે અવાતું ન હતું. તે પ્રમાણે ત્રણ કલાક કામ જારી રાખ્યું, અને પોતાનોમંત્ર એકસો ને આઠ વાર જપી રહ્યો.

મંત્ર જપાઈ ચૂક્યો, અને તેની સાથે રાતનો અમલ પણ ઊતર્યો. અરુણનો ઉદય થયો; દીવાનું તેજ ઝાંખું પડ્યું; વસ્તુઓ થોડી થોડી દેખાવા લાગી; અને આખી સૃષ્ટિનું રૂપ જાતે બદલાઈ ગયું. થોડીક વાર થયાં વરસાદ બંધ પડ્યો હતો; વાદળાં વિખેરાઈ ગયાં હતાં; અને થોડો પવન વાતો હતો; તેથી એકાએક તેઓ એક પછી એક નાસાનાસ કરી રહ્યાં હતાં. વીજળી બંધ થયેલી હતી, તથા ગર્જના સંભળાતી ન હતી. સઘળાં ઝાડપાન લીલાં કુંજાર જેવાં દેખાતાં હતાં. અને નાના પ્રકારનાં ફૂલોમાંથી ચોમેર સુવાસ પથરાઈ રહેલી હતી. એવે સમયે તે રજપૂત દહેરાની બહાર નીકળ્યો. તેણે તેની ખાુધ ઉપર સામાનની ઝોળી નાખી હતી, અને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેણે કોઈ મોટું સંકટ ભોગવ્યું હોય, તેના માથા ઉપર કોઈ ભારે આફત આવી ગઈ હોય એમ તેનું મોં ફિક્કું, તેજ ઊડી ગયેલું તથા ચિંતાતુર દેખાતું હતું. પોતાનું ધારેલું કામ પાર પડ્યું, એ જાણીને તેના અંતફકરણમાં ઘણો આનંદ થજયો હતો. તોપણ હજી સુધી ભયની અસર તેના મન ઉપર એટલી તો ચોટેલી હતી કે તે હૃષને બહાર નીકળવાને વખતે મળ્યો ન હતો. તે ઘણા ઊંડા વિચારમાં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટાં મોટાં ડગલીાં ભરી ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણી વાર ટકી નહીં. શહેરના કોટ આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કૂવા આગળ એક બૈરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી તેથી તેણે બે બૈરકી પાસે જઈ પાણી માગવાનો ઠરાવ કર્યો. તે તેની આગળ જઈ કેટલીક વાર ઊભો રહ્યો, પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહીં, આવી તેની બેપરવાઈથી રજપુતને ઘણો ક્રોધ ચઢ્યો, અને તેણે બૂમ પાડી પાણી માગ્વ્યું. પણ કૂવો સાંભળે તો તે સાંભળે. રજપુતે ધાર્યું કે એ બૈરી બહેરી હશે તેથી તેણે તેનો હાથલ પકડ્યો, અને તેને હલાવવા જાય છે એટલામાં તે બૈરી તાડ જેટલી લાંબી થઈ ગઈ. રજપૂત તો તેને જોઈ ગગડી ગયો, અને તે એટલો તો ભય પામ્યો કે, તેનાથી એકે તરફ નસાયું નહીં. થોડી વાર ઊભી રહી તે સ્ત્રી બોલી : ‘‘કેમ રે રજપૂતડા ! પાણી જોઈએ છે ?’’ થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિંમત આવી. એક બૈરીથી તે આટલો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો, અને નામર્દાઈનું કલંક ખસેડવાને તેણે જુસ્સાથી જવાબ દીધો : ‘‘રાંડ ! તું ગમે તે હોય, તેથી હું કાંઈ બીવાનો નથી. હું ક્ષત્રિય બચ્ચો છું. મારા બાપદાદાઓએ મોટાં મોટાં યુદ્ધ કરેલાં છે. તેઓ કોઈથી ડરતા ન હતા. માટે જો હું તારા જેવી રેેંજીપેેંજીથી બીઉં તો હું મારા બાપદાદાનો ખરો છોકરી નહીં. તારું માથું સ્વર્ગને અડકે, અને તારા પગ પાતાળે પહોંચે તોપણ તું આખરે અબળા અને હું તે રજપૂત શુરવીર કહેવાઉં, માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે, અને ગમે તેટલા ચાળાચસકા કરશે, તોપણ હું લગારે ડરવાનો નથી. હું તારી પાસેથી ભલમનસાઈથી અથવા બળાત્કારે પણ પાણી પીશ. પછી જે થાય તે ખરું.’’

પેલી સ્ત્રીને આ સઘળી વાત સાંભળીને ઘણી નવાઈ લાગી, અને તે તેના મનમાં તે પુરૂષનાં વખાણ કરવા લાગી, પણ હજીયે તેની વધારે પરીક્ષા કરવાને તે બોલી : ‘‘અલ્યા વેંતિયા ! તું મારા હાથને તો પહોંચતો નથી ને બળાત્કારે પાણી તે શીરતે લઈશ. તે જોવાની મને ઘણી જ ઈચ્છા છે.’’

આખી રાત આથી વધારે ભયાનક દેખાવો જોયા, આથી વધારે બિહામણાં ભૂતપ્રેતથી બીધો નહીં અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ, એમ જાણી તે રજપૂતે પોતાના હાથમાંની ડાંગ ફેરવી એવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તરત ભોંય પર ચત્તીપાટ પડી; તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું. તેની ખૂબસૂરતી ખરેખરી દેવાંગના જેવી દેખાઈ, અને તેની આંખમાંથી બોરબોર જેવડાં આંસં પડવા લાગ્યાં; તો પણ તેણે પોતાનો એક હાથો લાંબો રાખી પાણીનું બેડું પકડી રાખ્યું; ફરીથી તેણે તેની પાસે પાણી લેવાનું કર્યું, પણ પાછો તેનો હાથ ઊંચો ચઢવા લાગ્યો. રજપૂત ઘણું આશ્ચર્ય પામ્યો, અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને બેડું નીચે પાડવાનો તેણે વિચાર કર્યો. પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીના કેળના ગર્ભ જેવા હાથ પર ઘા તે કેમ કરાય ? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી, એમ જાણી તે ત્યાં ઊભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા, અને તે ખરેખરો રજપૂતના નામને યોગ્ય છે, તથા તેણે કદી નહીં જોયેલો એવો તે નર છે, એવી તેની ખાતરી થઈ. પણ હજી તેને વધારે કસવાની તેની ધારણા હતી. તેણે તરત પોતાનું રૂપ બદલ્યું અને એક છલંગ મારી રજપૂતની ગળચી પકડી તેને નીચે પાડ્યો. હવે તે કંઈ રૂપાળી નાજુક અબળા દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બિહામણા રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાનો વખત ન હતો. હવે હાથ બંધ રાખવાની જરૂર ન હતી. તેણે તે રાક્ષસના હાથ છોડાવવાને ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે ને વધારે દબાવવા લાગ્યું, અને શ્વાસના રોકાણથી તેને એટલો ગૂંગળાટ થયો કે તેની આવરદાની દોરી હમણાં તૂટશે, એમ તેને નક્કી થયું. તેણે તેની આગળ યમના દૂત જોયા, અને તેના આત્માને પકડી જનારા પોતાનું કામ જલદીથી કરી નાખવાને તૈયારી કરતા હોય એમ તેને લાગયું. તેના હોશ તો સઘળા ઊડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાને વાસ્તે પોતાનું સઘળું સામર્થ્ય વાપર્યું. તેણે આ છેલ્લી વખતે એટલું જોર કર્યું કે તે સ્ત્રીનો હાથ છટકાવી દીધો. અને એક છલંગ મારી તે તેના ઉપર ચઢી બેઠો. પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ અપ્સરા જેવું થઈ ગયું; પણ આ વખતે તેના હાથમાંનું બેડું મુદ્દલ જોવામાં આવ્યું નહીં. તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામું જોયું નહીં; આ વખતે તેને તેના ઉપર દયા આવી નહીં; અને આ વખતે તેણે પોતાના ક્ષત્રિય ધર્મ ઉપર વિચાર કર્યો નહીં. ઉપર ચઢી બેસતાં જ તેણે તે સ્ત્રીનો ટોટો એવો જોરથી દાબ્યો કે તેના શરીરનું તમામ લોહી તેના મોં ઉપર પથરાઈ ગયું. તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો, એમ જણાયું, તેની જીભ તેના મોંમાંથી બહાર નીકળી પડી; તેના મોંમાંથી ફીણના ગોટેગોગટા નીકળવા લાગ્યા; તેની આંખના ડોળા બહાર લબડી ગયા; તથા તેને આખે શરીરે આંચકા આવવા માંડ્યા, આવી વખતે જ્યારે તે રજપૂતને ખાતરી થઈ કે હવે રાંડનું મોત પાસે આવ્યું છે તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી જઈ, અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઊભી રહી. રજપૂત તેને જોઈ ઘણું ચિઢાયો. અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેણે નક્કી જાણ્યું. થોડીવાર ચૂપ રહ્યા પછી તે સ્ત્રી બોલી : ‘‘અલ્યા રજપૂત ! તને ધન્ય છે. તું ખરેખરો ક્ષત્રિયવંશનો છે. હું ઘણાં વર્ષ થયાં કોઈ શૂરા રજપૂતને શોધું છું પણ અત્યાર સુધી તેવો મને જડ્યો ન હતો. હમણાં મારી ખાતરી થાય છે કે જેવો મારે જોઈએ છે તેવો જ તું છે. તું મને હજી ઓળખતો નથી. આટલી વારમાં તને ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી. હું અંબાભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું. પણ માનવીઓનો સંસાર કેવો છે, તથા એ સંસારમાં કેવું તથા કેટલું સુખ ભોગવવાનું છે તે જાણવા સારુ તથા ચાખવા સારું હું પૃથ્વી ઉપર ઘણી મુદત થયાં ફર્યા કરું છું. મારે કોઈ વર વરવાની ઈચ્છા છે, અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું; માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે રહેવાને ખુશ છું. માટે મારી વિનંતી કબૂલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહીં, તથા બધી રીતે તને સુખી કરીશ.’

તે રજપૂત, શક્તિની આ સઘળી વાત સાંભળીને ઘણો હરખાયો, તથા જ્યારે લક્ષ્મી ચાંલલો કરવા આવી ત્યારે મોં ધોવા જવું એ મૂર્ખાઈનું કામ, એમ ધારી તે તેને પગે પડ્યો, અને મોટા હર્ષની સાથે તેણે તેનો હાથ પકડ્યો. તેણે જાણ્યું કે હવે ખરેખરો મારા ભાગ્યનો ઉદય થયો; હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા; હવે મારું ધારેલું કામ પાર પડશે; અને હવે મને કોઈ રીતે દુઃખ થશે નહીં. રજપૂત તથા શક્તિ બંને ઉતારે ગયાં, અને પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફરવા ગયો. કેટલીક પૂછપરછ કર્યા પછી તેણે એક સારો મહેલ શોધી કાઢ્યો, ત્યાં તે તથા શક્તિ તે જ દહાડે જઈ રહ્યાં.

હજુ સુધી શક્તિએ તેના પતિને તેની આગલી કાંઈ પણ વાત પૂછી ન હતી. તેના ચહેરા ઉપરથી તેના બોલવા ઉપરથી, તથા તેની હિંમત અને બીજા રજપૂત નામને યોગ્ય એવાો ગુણો ઉપરથી, તેના સમજવામાં આવ્યું હતું કે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેનાં માબાપ કોણ તથા કેવાં છે, તે જીવે છે કે મરી ગયાં છે, તેને પોતાનો દેશ શા સારુ છોડવો પડ્યો; તથા પાટણમાં આવી તેણે શું કરવા ધાર્યું છે, એ સઘળી વાતથી વાકેફ થવાને તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી, અને બંને વાળુ કરી નિરાંતે એકઠાં બેઠાં ત્યારે વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો.

શક્તિ - હું કોણ છું, અને તમને વરવાની મારી શી મતલબ છે, એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે; પણ તેની સાથે તમે કોણ છો તે વિષે મેં કાંઈ તજવીજ કરી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કર્યું છે; માટે તમારી અવસ્થા જાણવાની ભમારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જેવા ગણું છું તેવા જ તમે તમારી હકીકત ઉપરથી નીકળી આવશો એવો મને પાકો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો, એટલે જણાશે કે મારી અટકળ ખોટી નથી.

રજપૂત - અગર જો તું મને વગર ઓળખાણે પરણેલી છે, કમારાથી તું કહેવાય છે માટે ક્ષમા કરજે કેમ કે હવે આપણો ધણીધણિયાણીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બોલતાં ‘‘તું’’ શબ્દ વાપરવો જોઈએ) તેં મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપ, રંગ વગેરેથી અનુમાન તો કર્યું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તોપણ મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે, અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહીં, પહેલાં તો મારું નામ હરપાળ છે. મારો બાપ કચ્છ દેશના કિરંતીગઢનો રાજા કેસર નામે હતો; અને મરી મા આ ગુજરાત દેશના કરણ વાઘેલા રાજાની માની બહેન હતી. એ ઉપરથી તને હવે નક્કી થયું હશે કે મારું કુળ નીચું નથી, હું રાજાનો છોકરો છું અને કરણ રાજાનો માસીનો દીકરો ભાઈ થાઉં છું; પણ એટલા જ ઉપરથી હું કાંઈ આબરૂ માનતો નથી. રાજાનો છોકરો તો કોઈ મૂઢ પણ હોય, અને કરણની માસીનો છોકરો કોઈ કાયર, અધમ પુરુષ પણ હોય. હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહી સંભળાવીશ, અને તેઓએ કેવાં પરાક્રમ કર્યા છે તે તને બતાવીશ. હજી મારી ઉંમર નાની છે અને મારું શૂરાતન દેખાડવાનો વખત આવ્યો નથી, તથા કાંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી તો પણ મને નક્કી છે કે સિંહનાં બચ્ચાં તે સિંહ જેવાં જ નીવડે; કહેવત છે કે ‘‘મોરનાં ઈંડા ચીતરવાં ન પડે.’’ માટે જ્યારે વખત આવશે ત્યારે હું પણ મોટું નામ મેળવી મારા બાપદાદાના નામને વધારે ઝેબ આપીશ. બાપ કરતાં બેટો સવાયો ન નીકળું તો મારું નામ હરપાળ નહીં, હવે હું મારું ટાહેલું ચલાવું છું, મારો દાદો નામે વેહિયાસ કચ્છમાં કિરંતીગઢમાં રાજ્ય કરતો હતો. તે બાજ્ય તેના બાપદાદાથી તેને ઊતરેલું હતું, અને તેઓ મકવાણા કહેવાતા હતા. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેનો જીવ કેમે કર્યો જાય નહીં. તેના છોકરા તથા સગાંવહાલાંએ ઘણી બાધા લીધી તથા કેટલાંક વ્રત કરવાનું વચન આપ્યું, પણ કાંઈ વળ્યું નહીં. ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછ્યું : ‘‘બાપા ! તમારો આત્મા તમારો દેહ શા માટે છોડતો નથી ? તમારા મનમાં જે હોય તે મને કહી દો, અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ.’’ ત્યારે વેહિયાસે જવાબ દીધો : ‘‘સામૈયું કરીને એક શહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ્ય કરે છે. જો તેની ઘોડારમાંથી તેના સવાસો ઘોડા લઈ આવી મારી ત્રયોદશાને દિવસે ભાટ લોકોને બક્ષિસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય.’’ તે વખતે વેહિયાસના ભાઈઓ તથા ભત્રીજા તેની આસપાસ ઊભા હતા, પણ તેઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં. તે વેળા કેસરની વય કાચી હતી તોપણ તે મેદાને પડ્યો, અને આગળ આવી પોતાના બાપના હાથમાં પાણી મૂક્યું, અને વચન આપયું કે હું તમારી આજ્ઞા પાળીશ. આ વાત સાંભળતા જ વેહિયાસ દેવલોક પામયો. જ્યારે ત્રયોદશાનો દહાડો પાસે આવ્યો ત્યારે કેસરે પોતાના બાપનો શોક મૂકી દીધો; પાઘડી બાંધી; અને પોતાનાં સગાંને સામૈયું નગરની સામા લડવા જવાને બોલાવ્યાં; પણ કોઈ આવ્યું નહીં. કેટલાક બોલ્યા કે તારા જેવા આજકાલના છોકરા સાથે જાણી જોઈને મરવા કોણ આવવાનું છે ? જ્યારે સઘળાઓએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરા પણ નાહીંમત થયો નહીં. તેણે પોતાના જ સામર્થ્ય ઉપર વિશ્વસ રાખ્યો : કહેવત છે કે ‘‘આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.’’ તેના હાથ એટલા તો લાંબા હતા કે તે તેના ઘૂંટણની નીચે પહોંચતા; તે સવા મણ વજનનો લાભો એક હાથે પકડતો; તે ધનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો; અને તેનો બેસવાને ઘોડો વિષ્ણુના ગરુડ જેવો હતો. તેણે સામૈયા ઉપર ચઢાઈ કરી, અને ત્યાંથી સવા સો ઘોડા લઈ આવ્યો, અને પોતાના બાપના તેરમાં દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાળ્યો. આ પરાક્રમ કર્યા પછી કેસરે રાજ્યજોશીને બોલાવી મંગાવ્યા, અને પોતાની આવરદા પૂછી. જોશીએ જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારું આયુષ્ય ટૂંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે જો હું મારા ઘરના ખૂણામાં મરી જઈશ તો મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તો મારું નામ પ્રસિદ્ધ થશે, એવું વિચારી તેણે ફરીથી સામૈયા ઉપર ચઢાઈ કરી, અને તેની નદી આગળ હમીરનાં સાતસો ઊંટ ચરતાં હતાં તે સઘળાંને લઈ ગયો, અને કિરંતીગઢના ભાટોને વહેંચી આપ્યાં. આટલું આટલું કર્યા છતાં પણ હમીરને કાંઈ ગુસ્સો લાગ્યો નહીં, તથા તેણે વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. જ્યારે તે આ સઘળું અપમાન ધીરજથી ખમી રહ્યો, અને ‘ધોલ મારી તો ધૂળ ઊડી ગઈ’ એમ માન્યું, ત્યારે કેસર ત્રીજી વાર લડવાને નીકળ્યો. જે દહાડે તો સામૈયા નગર આગળ પહોંચ્યો તે દહાડો દશેરાનો હતો માટે અમીરની વહુ તથા છોકરી રથમાં બેસી એશઆરામ કરવાને બાગમાં જતી હતી. કેસર તે બાગમાં પેસી તેઓને ખેંચી ગયો, અને તેઓની સાથે સવા સો સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે હમીર જાગ્યા, અને તેણે કિરંતીગઢમાં પોતાના પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા તે સઘળી હમીર રાજાની વહુ તથા બહેન છે. અને હમણાં તેઓ તમારે ઘેર આવેલાં છે, માટે જેમ પિયરથી સાસરે વળાવેલી સ્ત્રીઓને પૈસા, લૂગડાં સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વળાવવાં જોઈએ. પ્રધકાનનું આ બોલવું સાંભળીને કેસર ખડખડ હસ્યો, અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચૂકી, માટે તમને પાછી આપવામાં આવશે નહીં. એ સઘળી તો હવે મારી ધણીયાણી થઈ. આ જવાબ લઈને પ્રધાન સામૈયે ગયો. પછી કેસરના જેટલા સગા કિરંતીગઢમાં હતા તેઓ સઘળાને તેણે તેડાવ્યા, અને એકેકને એક સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે ચાર રાખી, અને બીજી ઘણી તેની રાણી હતી તેમાં ઉમેરો કર્યો. એ પ્રમાણે દશબાર વર્ષ વહી ગયાં, પણ લડાઈ બંધ પડી નહીં. એટલા વખતમાં તેને તથા તેના પિત્રાઈને સુમરી સ્ત્રીઓને પેટે અઢાર દીકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું, ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું, અત્યાર સુધી જ્યારે કેસર હમીરને કહેતો, ‘આવ, પડોશી, લડીએ’ ત્યારે હમીર જવાબ દેતો કે ‘લડે મારી બલા’, પણ આ વખતે તો તેણે કેસરને કહેવડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કિરંતીગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કાંઈ નથી, ત્યારે ત્યાં આવ્યા પછી મારા લશ્કરનેો ખાવાનું ક્યાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કહેણ જ્યારે હમીરે મોકલ્યું ત્યારે તેના જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું એક હજાર વીઘાં જીમનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કિરંતીગઢ તરફ આવ્યો, અને તેની તથા કેસરની વચ્ચે ઘણી લડાઈ થઈ. ઘણા રજપૂતોના પ્રાણ ગયા, અને ઘણી રીતે આખા રાજ્યની ખરાબી થઈ. આખરે એક મોટી લડાઈ થઈ તેમાં કેસર પોતે, તથા મરા સિવાય તેના સઘળા છોકરા માર્યા ગયા. મારા કાકા તથા પિત્રાઈ ભાઈઓ સઘળા રણસંગ્રામમાં પડ્યા. કિરંતીગઢને હમીરે બાળી જમીનદોસ્ત કરી નાખ્યું; અને સુમરી રજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં બળી મૂળ. એ પ્રમાણે મારા કુટુંબનો નાશ થયો; એ પ્રમાણે અમારું નસંતાન ગયું; એ પ્રમાણે અમારું રાજ્ય ધૂળધાણી મળી ગયું; અને પ્રમાણે સઘળાનો અંત આવ્યો, હવે હું સજ માત્ર જીવતો રહ્યો તે એકલો શું કરું માટે મેં આણીગમ-તેણીગમ ફર્યા કર્યું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહીં. મેં કોઈ બીજા રાજાની પાસે જઈ ત્યાં મોટાં પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો, અને ગુજરાતનો કરણ રાજા મારી માસીનો દીકરો થાય છે, એમ જાણીને તેને મળવાને થોડા દહાડા ઉપર હું પાટણ શહેરમાં આવ્યો. અહીં આવતાં જ મેં બાબરા ભૂતની વાત સાંભળી વિચાર કર્યો કે બાબરા ભૂતને શહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે, અને આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે, પછી હું તેને મારું સગપણ જણાવીશ, અને હું સુખેથી અહીં રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાનો એક મંત્ર શીખેલો હતો, અને તે વડે મેં ઘણાં કાઢ્યાં પણ હતાં. પણ બાબરો ભૂત ઘણો બળવાન છે એમ જાણી તે મંત્ર ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો. ત્યાં મેં મડદા ઉપર બેસી જપ કર્યો. હજારો ભૂત, પિચાશ, વંતરી વગવેરે મલિન પ્રાણીઓએ મને બિવડાવ્યો, તોપણ મેં મારું કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતાં તારો મેળાપ થયો, અને તેનું પરિણામ એ થયું કે આપણે બે આ ઠેકાણે પાસે પાસે બેઠાં છીએ. હવે જ્યારે ફુલારાણીને ભૂત આવશે ત્યછારે હું કોઈ ભૂવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ, અને ઈશ્વરકૃપાથી તથા તારી મદદથી બાબરા ભૂતનું કાસળ કાઢીશ.

શક્તિ - તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો, અને મને પક્કી ખાતરી થઈ કે તમને જેવા ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કર્યો છે તેથી હું હવે જરા પણ પસ્તાવાની નથી. તમારું ધારેલું કામ પાર પડશે; તમે બાબરા ભૂતને જીતશો; એમાં હિંમતનું માત્ર કામ છે, પણ હું તમને એક શિખામણ દઉં છું તે ખૂબ યાદ રાખજો; તે તમને ઘણી કામ લાગશે, અને જો તે નહીં માનો તો કદાપિ તમારા મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે, જો બાબરો ભૂત તમારી સાથે બહાર નીકળી લડવા આવે તો તરત તેની ચોટલી પકડી લેજો, એટલે તેનું જોર કાંઈ ચાલશે નહીં અને તે તમને તરત વશ થશે.

બીજે દહાડે સવારે તેઓ ઊઠ્યાં, અને રસોઈ કરી બંનેએ મિષ્ટાન્ન લીધાં. પછી તેઓ બેઠાં હતાં એટલામાં શહેરમાં બૂમ ચાલી ફુલારાણીને બાબરો ભૂત વળગ્યો છે, અને તે ઘણું તોફાન કરે છે. હરપાળ એ સાંભળીને તરત ઊઠ્યો, અને એક હિંદુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો, અને ચોટલી પકડવાની વાત ફરીથી યાદ દેવડાવી. કરણના મહેલમાં કોઈ પણ ભૂવાને જવાને કાંઈ હરકત પડતી ન હતી, તેથી હરપાળ વગર અડચણે માંહેના મહેલમાં દાખલ થયો, અને જે ઓરડામાં કરણ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાને જુહાર કર્યો. કરણે તેને તેનું નામ, ઠામ કે કામ પૂછતાં જ તે બોલ્યો : ‘‘મહારાજ ! હું લખનોર શહેરનો ભૂવો છું. હું સઘળા જંત્રમંત્રમાં પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટણ, સ્તંભન, આકર્ષણ વગેરે ઘણી મેલી વિદ્યામાં કુશળ છું. હું બદરીકેદારનાથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકા થી જગન્નાથપુરી સુધી સઘળા ભરતખંડમાં ફરી આવ્યો છું. મેં આખી પૃથ્વીના મુખ્ય મુખ્ય જાદુગરો તથા ભૂવાઓ સાથે મેળાપ કરેલો છે, અને તેઓ સઘળાના મંત્ર હું જાણું છું. પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સઘળે ઠેકાણે પ્રવાસ કર્યા પછી હું છેક પૂર્વમાં કામરૂદેશના સ્ત્રિયા-રાજ્યમાં જઈ પહોંચ્યો.ત્યાં મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરુષને આકારે રાણી સાથે ત્રણ વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વોત્કૃષ્ટ મંત્રશાસ્ત્ર શીખી લાવ્યો. હું ત્યાંથી છળભેદ કરી નાસી આવ્યો, અને આપના રાજ્યમાં ફરતો હતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઈલમી આટલા દહાડા થયાં મળતો નથી તે જોઈને મને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને તમારા, તમારી ફુલારાણી તથા નગરના સઘળા રહેવાસી ઉપર ઘણી દયા આવી. હું અહીં આવ્યો, અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું, માટે મને મારી વિદ્યા અજમાવવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ.’’

કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થયો, અને અત્યાર સુધી કોઈ આવો ભૂવો આવ્યો નથી, તથા તે બાબરા ભૂતને કાઢશે જ, એમ જાણીને તેનું સન્માન કર્યું અને તેને ફુલારાણીના ઓરડામાં લઈ જવાને ચાકરોને હુકમ કર્યો. હરપાળ ત્યાં ગયો, ને જોયું તો આશરે સો બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા; બીજા ઓરડામાં ઘણા હિંદુ તથા જૈન ભૂવા, જતિઓ ધંતરમંતર કરતા હતા; પણ કોઈની ફુલારાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી ન હતી. હરપાળને જોઈ સઘળાઓએ પોતપોતાનું કામ મૂકી દીધું, અને કોઈ મોટો ઈલમી હિંદુસ્તાનથી આવ્યો છે તે એ જ છે, એમ જાણી તે શું કરે તે જોવા તેની પાસે તે સઘળા આવી ઊભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફુલારાણીના ઓરડાનાં કમાડ ઉઘડાવી નાખ્યાં, અને માંહે જોયું તો તેને ખાટલા ઉપર બેઠેલી દીઠી. તેની આંખ લાલ હિંગળોકવર્ણી હતી, તથા તે એવી સ્થિર એકી નજરે જોયા કરતી હતી કે તેના પોપચાંનો પણ પલકારો થતો ન હતો. તેનું મોં ફિક્કું અને બિહામણું થઈ ગયું હતું, અને તેનું રૂપ એવું તો ઉગ્ર દેખાતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી. તેની કાન્તિ ઘણી જ નાજુક હતી, તથા તેની વય આશરે વીશેક વર્ષની હશે એમ અટકળથી લાગતું હતું. આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિમ્મત આવી, અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યા. જેવા તે દાણા ફુલારાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયેલો ભૂત જાગ્રત થયો, અને એક છલંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સઘળી જમીન ધ્રુજી ગઈ. તેની સાથે તેણે એવી મોટી ચીસ પાડી કે તેથી આખો મહેલ ગાજી રહ્યો, અને શહેરના પણ ઘણા ભાગમાં તે સંભળાઈ. હવે વખતે બારીક આવ્યો, બાબરો ભૂત (હવે આપણે ફુલારાણીને એ નામથી લખીશું) હરપાળની સન્મુખ આવી ઊભો રહ્યો, અને તેને પકડવાનું કર્યું એટલે તેણે બીજા દાણા મંત્રીને તેના ઉપર નાખ્યા. આ વખતે તે પાછો તો ખસ્યો, પણ તેણે પોતાનું ખરેખરું વિકરાળ સ્વરૂપ પ્રકાશ્યું, બીજા આસપાસ ઊભા રહેલા લોકો ભૂતનું આ રૂપ જોઈને નાઠા. હરપાળ એકલો ઊભો રહ્યો, અને મોટા અવાજે તેને પૂછ્યું કે, ‘‘તું કોણ છે, અને શા કારણ સારું અણહીલપુરના રહેવાસીઓને, રાજાને તથા રાણીને આટલા બધા ઉપદ્રવ કરે છે ?’’ આ સાંભળી બાબરો ખડખડ હસવા લાગ્યો, અને એક મોટી ગર્જના કરી બોલ્યો : ‘‘સાંભળ રે માનવી ! હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, તથા કોઈને કહેવાનો મારો વિચાર ન હતો, તોપણ તું કોઈ મોટો ઈલમી જણાય છે, માટે તારી આગળ હું કહું છું. તું કોઈ પરદેશી જેવો જણાય છે, માટે તારી આગળ હું સઘળી વાત યથાસ્થિત કહીશ, અને પછી તું ન્યાય કરજે કે હું જે કરું છું તે વાજબી કે ગેરવાજબી છે. હું મારા પાછલા ભવમાં નાગર હતો. અને મારો ભાઈ માધવ આ દુષ્ટ, ચંડાળ, કૃતધ્ની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો, અને તેનો બચાવ કરવામાં મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મૂઈ, તેથી અમારી અસદ્‌ગતિ તો થાય જ નહીં; પણ વેર વાળવાને મેં યમ રાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કર્યું અને રાજની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુઃખ તે રાજાને જ સમજવું, એમ જાણી હું તેઓને પણ પીડું છું. જ્યારે મારું વેર તૃપ્ત થશે તયારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ, અને કૈલાસલોકમાં વાસો કરીશ.’’

હરપાળે આ સઘળી વાત સાંભળી લીધી, અને ભૂતનું કામ વાજબી છે એમ તેને જણાયું, પણ તે વાજબી કે ગેરવાજબી ગમે તેવું હોય તોપણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ હતો તેથી તે બોલ્યો : ‘અલ્યા બાબરા ! હવે બસ થયું; હવે આ રાણીનો તથા આ શહેરના લોકોનો કેડો છોડ અને તું તારે ઠેકાણે જા; જો ભલમનસાઈથી નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા.’’ પણ હરપાળની વાત બાબરાએ ગણકારી નહીં. તે પાછો નાચવા, કૂદવા તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા એટલે તે પાછો ગાંડો થયો, અને ઘણા જુસ્સાથી આવી તેણે તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા; ત્યાં શોરબકોર થઈ રહ્યો; તેઓ બંને જમીન ઉપર ગબડ્યા; અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઊથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તો બાબરો રમત કરતો હતો. તેણે પૂરું જોર અજમાવ્યું ન હતું. પણ જ્યારે મારામારી ઉપર વાત આવી, અને લડાઈ બંધ કરવાને ઘણું સમજાવ્યા છતાં હરપાળે માન્યું નહીં, ત્યારે બાબરો ઊભો થયો, તેણે હરપાળને પોતાના એક હાથમાં ઊંચકી લીધો અને તેને ભોંય ઉપર પછાડી મારી નાખવાની ધમકી આપી. હરપાળ કાંઈ બીધો નહીં. તે હવામાં ઊંચો ઊછળ્યો, અને ભોંય ઉપર પછડાવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો. અને તેના શરીરને બાથ ભીડી દીધી. હવે બાબરાએ તેનું ગળું પડક્યું, અને તેને એવા જોરથી દાબ્યું કે તેનો પ્રાણ તત્કાળ નીકળી જાત, પણ આ વખતે તેને શક્તિની શિખામણ યાદ આવી, અને તેણે મહામહેનતે એક છલંગમારી બાબરા ભૂતની ચોટલી જોરથી હાથમાં પકડી લીધી. તે જ ક્ષણે બાબરો નરમ ઘેંશ થઈ ગયો; વાઘનો એકદમ બકરી થઈ ગયો; તે એક ગરીબ ગાયની પેઠે ઊભો રહ્યો. ‘‘છોડ ચોટલી’’ એટલું જ તેનાથી બોલી શકાયું, હરપાળને હવે જીવમાં જીવ આવ્યો, અને બાબરો અંતે જિતાયો એ જોઈને તેના હૈયામાં હર્ષ માયો નહીં. બાબરા સામું જોઈ તે બોલ્યો - ‘‘હવે નીકળો, બચ્ચા ! હવે ખરેખરા દાવમાં આવ્યો છો, હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ.’’ બાબરો છેક લાચાર થયો, અને દેશ છોડી જતાં રહેવાનું કબૂલ કર્યું; પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી માટે બોલ્યો કે જો મારાં સઘળાં કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ તે વખતે તરત હાજર થઈ મને સહસાય થવાનું વચન આપે તો જ હું તને જવા દઉં. બાબરાએ એ શરત કબૂલ કરી, પણ તેના બદલામાં તેણે પણ તેની સાથે એવી શરત કરી કે જ્યારે તું મને કાંઈ કામ સોંપશે નહીં ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું, ‘કબૂલ’. પછી તેણે એક શીશો મંગાવી તેમાં ઊતરવાનું બાબરાને કહ્યું. હવે તે છેક નિરાશ થઈ ગયો હતો, તથા તેનું કાંઈ ચલણ રહ્યું ન હતું, તેથી તે શીશામાં ઊતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોઢી મંત્ર ભણીને છાપ મારી, અને તે શીશો લઈ કરણ રાજાની આગળ આવી ઊભો રહ્યો. અત્યાર સુધી જે જે હકીકત બની તે સઘળીથી કરણ વાકેફ થયો હતો, અને તેનો હર્ષ ઊભરાઈ જતો હતો; તે હરપાળને પગે પડ્યો. અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેણે કબૂલ કર્યું.

હવે હરપાળને બોલવાનો વખત આવ્યો. તે હાથ જોડી રાજા આગળ ઊભો રહ્યો, અને પોતાની સઘળી વાત તેણે અથથી ઈતિ સુધી કહી, આ વાત સાંભળીને કરણ ઘણું આશ્ચર્ય લાગ્યું; અને કેટલીક વાર સુધી તો તેણે તે સાચી માની નહીં. જ્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાતરી કરાવી ત્યારે કરણને ઘણો જ આનંદ થયો, અને આંખમાં હર્ષનાં આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સઘળે તે વાત પથરાઈ. અને ત્યાંથી સઘળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેર ઘેર આનંદ થઈ રહ્યો; અને કરણના માસીના દીકરા હરપાળે બાબરા ભૂતને શહેર બહાર કાઢ્યો તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી શીશાને આખા શહેરમાં ફેરવ્યો અને તેને ગુજરાતની સરહદ બહાર મોકલાવી દીધો. પછી કરણે હરપાળને એક મોટો સરપાવ આપ્યો; તેને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાનો ઘણો આગ્રહ કર્યો, પણ હરપાળે પોતાની નવી સ્ત્રીની સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તે તેને સ્વાધીન કર્યો; અને તેને ઘણી ધામધુમ સાથે તેના નવા ઘરમાં વિદાય કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED