TRN LOK PR JIT MELVI books and stories free download online pdf in Gujarati

TRN LOK PR JIT MELVI

ત્રણ લોક પર જીત મેળવી

ઓણમ એ ખુબ પ્રાચીન ઉત્સવ છે હજુ આજના આધુનિક સમયમાં પણ તે ઉજવાય છે. કેરળનો ચોખાની લણણીનો તહેવાર અને મલયાલમ મહિના ચીગમમાં આવતા રેઈન ફલાવરના તહેવારને રાજા માવેલીની પ્રાચીન સમયથી પાથાલમની વાર્ષિક મુલાકાત તરીકે ઉજવવામાં આવે છે રાજા માવેલીને કેરળના લોકો દ્ન્રારા આદરભાવ આપવામાં આવે છે ત્યારથી ઓણમ એક અનોખો તહેવાર છે.

દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સૂવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. આ બધા જ ગુણો ઉપરાંત, મહાબલિ ફક્ત એક દુર્ગુણ ધરાવતો હતો. તે અહંકારી હતો.

આમ છતાં, મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે, ભગવાને તેને એક વરદાન આપ્યું હતું કે જેથી તે તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હતો. આ મહાબલિની તે મુલાકાત છે જેને પ્રત્યેક વર્ષે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે અને તેમના માનીતા રાજાને સંદેશો આપે છે કે તેઓ ખુશ છે અને તેઓ શુભેચ્છા પણ પાઠવે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે.

થિરૂઓણમને દિવસે તૈયાર કરવામાં આવતી ઓનાસાડ્યા નામની મહાભોજનની મિઠાઇ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. તે ભોજનમાં નવ અલગ પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં 11 થી 13 આવશ્યક ડીશનો સમાવેશ થાય છે. ઓનાસાડ્યાને કેળના પત્તા પર પિરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે.

ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકાલિ છે, જે પમ્પા નદી પર યોજાય છે. એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દ્રશ્ય ખૂબ જ આહલાદક છે.

ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાનો પણ રિવાજ છે, જેને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષો તલપ્પાન્થુકાલિ (દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ અને કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઇ સ્પર્ધા જેવી ભારે રમતો રમે છે.

મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેઓ રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે બનાવવામાં આવેલી ફુલોની સાદડી, પૂકાલમ બનાવે છે. ઓણમના દિવસે મહિલાઓ કઇકોટ્ટિ કાલિ અને થુમ્બી થુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરે છે. કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પરનું નૃત્ય ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે.

મહાબલિનો શાસનકાળ કેરળ માટે સૂવર્ણયુગ ગણાય છે. કશ્યપને બે પત્નીઓ હતી, દિતી અને અદિતી, જેઓ અનુક્રમે રાક્ષસો અને દેવો (અસુરાસ અને દેવો)ના માતાપિતા હતા. તપસ્યા કરીને પરથી પરત આવેલા કશ્યપે અદિતી રાણીના રડતી જોઇ. દૈવિક શક્તિને કારણે, કશ્યપ તરત જ તેણીના દુ:ખનું કારણ સમજી ગયા.

તેમણે રાણીને દિલાસો આપવાનો પ્રયત્ન કરતા જણાવ્યું કે દૈવી સંકેત વિના જગતમાં કઈ જ થતું નથી અને લોકોએ તેમની ફરજ નિભાવતા રહેવું જોઈએ. તેમણે રાણીને આરાધના કરવા જણાવ્યું અને પાયોવ્રતા વિષે જ્ઞાન આપ્યું, જે ધાર્મિક વિધી કારતક મહિનાના સુદ પક્ષના 12મા દિવસ (શુક્લ-પક્ષ દ્વાદસી)થી અનુસરવામાં આવે છે.

અદિતીએ પવિત્ર હદય સાથે વ્રત પૂર્ણ કર્યુ હોવાથી વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે તેણીને એવી માહિતી આપી કે તેઓ ઇન્દ્રને મદદ કરશે. સાથે સાથે, મહાબલિ દેવોને હરાવીને ત્રણ લોકનો વિજેતા બની જતા દેવો ખૂબ જ ત્રાસી ગયા હતા.

દેવો પર હિંસા પણ કરવામાં આવતી હતી. દેવોએ વિષ્ણુનો સંપર્ક કરીને તેમની પાસેથી મદદની માગ કરી. વિષ્ણુએ દેવોને જણાવ્યું કે મહાબલિ એ તેના પ્રમાણે સારા કાર્યો કરી રહ્યો છે અને તે સુર (દેવો) બનવા માટે લાયક છે. તમારે દેવોએ તે અંગે ઇર્ષ્યા કરવાની જરૂર નથી.

ઈર્ષ્યા કરવાથી તમને અસુર બની જશો. વિષ્ણુએ મહાબલિની પરિક્ષા લેવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, મહાબલિ કિનારે વિશ્વજીત યાગમ અથવા અશ્વમેઘ યાગમની યજ્ઞબલિનો ધાર્મિક વિધી કરી રહ્યો હતો. તેણે એવી જાહેરાત પણ કરી હતી કે યાગમ દરમિયાન તે કોઇ પણ વ્યક્તિને કઇ પણ વસ્તુ દાનમાં આપી દેશે.

મહાબલિના શાસનનો અંત

આમ કહેતા, તેણે વામનને ત્રણ પગલા જમીન માપવા જણાવ્યું. મહાબલિને સમજાવવામાં શુક્રાચાર્યના બધા જ પ્રયત્નો નિષ્ફળ પૂરવાર થયા. મહાબલિ તેની પાસે મદદ માટે આવતા પ્રત્યેક લોકોને ભગવાન માનતો અને કઇ પણ ના આપવા માટે તેણે ક્યારેય કોઇને ના પાડી ન હતી. મહાબલિએ તેના ગુરૂને કહ્યુ: "પ્રાણ (જીવન) અને માન (પ્રતિષ્ઠા) એક વ્યક્તિની બે આંખો સમાન છે. જીવનના ભોગે પણ પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું જોઇએ.

મારા દ્વારા આવેલી વ્યક્તિ ખુદ ભગવાન છે તેવું હું જાણતો હોઉ, તો હું ખૂબ ભાગ્યશાળી છું કે જે માનવજાતને બધુ જ આપે છે તે શક્તિ આજે મારી પાસે કઇંક માગવા માટે આવી છે. " મહાબલિએ આત્મસ્તુતિ કરતા જણાવ્યું કે જો ખુદ વિષ્ણુએ પણ આવીને કઇં માગ્યું હોત તો તે જરૂર વચન પૂરુ કરતો.

વામને પોતાનું કદ દેવલોક સુધી વિસ્તાર્યું. એક પગલાથી, તેણે પૃથ્વીને સર કરી લીધી. બીજા પગલામાં, તેણે આખું દેવલોક લઇ લીધું. મહબલિએ તેને આપેલા વચન પ્રમાણે હજુ એક પગલું જમીન લેવાની બાકી હતી. મહાબલિ પાસે હવે કઇં બાકી રહ્યું ન હોવાથી તેણે વામનને અંતિમ પગલું પોતાના મસ્તક પર મુકવા જણાવ્યું. વામને તેમ કર્યુ અને તેને (પૃથ્વી નીચે રહેલા સામ્રાજ્ય) પાતાળલોકમાં ધકેલી દીધો.

વિષ્ણુના વરદાન

આ દૈત્ય મહાબલિની ભક્તિથી ખુશ થઇને, ભગવાન વિષ્ણુએ (વામન) તેને પાતાળલોકનું રાજ્ય આપી દીધું આ ઉપરાંત તેને એક માનવાંતર સુધી ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવાનું પણ વરદાન આપ્યું, આમ કરીને તેમણે તેમના ભક્તની ઇચ્છા પૂર્ણ કરી (ઇન્દ્રની સભામાં સ્થાનમાં દર માનવાંતરમાં ફેરફાર થાય છે).

અંતિમ વરદાન રૂપે, મહાબલિને વર્ષમાં એક વાર પોતાના સ્વજનોની મુલાકાત લેવાની મંજુરી આપી. આથી, કેરળવાસીઓ મહાન રાજા મહાબલિની યાદમાં ઓણમના તહેવાની ઉજવણી કરે છે, જે મુલાકાત લેવાનું પોતાનું વચન પાળે છે. મહાબલિની ગણના સત્ય ("સત્ય") માટે આત્મબલિદાન કરનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે. "મહાબલિ" નામનો અર્થ જ મોટું બલિદાન આપવું થાય છે.

ઓણમ દરમિયાન, મિઠાઈ અને લોકોમાં આનંદનું વાતાવરણ, સૌથી સારા વસ્ત્રપરિધાન, એ મહાબલિના પૂર્ણ શાસનકાળ દરમિયાન સમૃદ્ધિ અને આનંદભર્યા જીવનનું સંસ્મરણ કરાવે છે. લોકો ઓણમ દરમિયાન નવા વસ્ત્રો પહેરે છે. 'વસ્ત્ર'નો એક અર્થ હદય પણ થાય છે.

આથી નવા કપડા પહેરવા પાછળનું મહાત્મ્ય એ છે કે બધા જ ખરાબ વિચારો અને લાગણીઓને ત્યજી દઇને હદયને પણ નવું બનાવવું. લોકો પોતાના સાંપ્રદાયિક વિચારોને ભૂલી જઇ, પવિત્ર 'થિરૂવોણમ' દિવસને આવકારે છે.

નૈતિક પ્રશ્નો

ભગવાન વિષ્ણુએ મહાબલિને શિક્ષા કરી તે અનૈતિક લાગશે, જેના દાદાજી () ભગવાન સૌથી મહાન ભક્ત માનવામાં આવે છે. આમ છતાં, મહાબલિને વિષ્ણુએ કોઇ દંડ કર્યો છે તેમ મનાતું નથી, કેમકે તેને વિષ્ણુના વરદાન પ્રાપ્ત થયા હતા અને ઓણમના રૂપે તેની યાદગીરી શાશ્વત કાળ સુધી રહેવાની છે. તેણે પોતાનું મસ્તક ભગવાન વિષ્ણુના પવિત્ર ચરણ નીચે રાખવાની પણ તક મળી હતી,

આથી તેના બધા જ પાપ ધોવાઇ ગયા હતા. આ ઉપરાંત વિષ્ણુના વરદાનથી, મહાબલિ આઠમા મનુ, (સવર્ણી મનુ)ના સમય દરમિયાન આગામી (આઠમા) ઈન્દ્ર બનશે. પુરંધરા પ્રવર્તમાન ઇન્દ્ર છે. મહાબલિ પોતાનું સમગ્ર સામ્રાજ્ય સમર્પિત કરીને ભગવાના વિષ્ણુનો પૃથ્વી પરના સૌથી મહાન ભક્ત બની ગયો હતો તેમ મનાય છે.

સુર એટલે સારા માણસો અને અસુર એટલે ખરાબ લોકો. હિન્દુવાદ પ્રમાણે, સુર તેમના ખરાબ કાર્યોથી અસુર થઇ શકે છે અને અસુર પવિત્ર કામો કરીને સુર બની શકે છે. મહાબલિ અસુરમાંથી સુર બનવા માગતા હતા. આથી, તેમણે લોકો માટે હંમેશા સારા કામો કર્યા હતા.

મહાબલિની પરમાર્થવૃત્તિ અને નિ:સ્વાર્થપણાની પરિક્ષા કરવા માટે, મહાવિષ્ણુએ વામનનો અવતાર લીધો હતો અને તેને પાતાળમાં મોકલી આપ્યો હતો, જે નિર્ણયને મહાબલિએ વિના સંકોચે સ્વીકાર્યો હતો. આમ, મહાબલિ સુર અથવા દેવ બની ગયો, અને ઓણમ હિન્દુવાદના અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિક છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED