Hindu Dharmnu Hard book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hindu Dharmnu Hard is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હિંદુ ધર્મનું હાર્દ - નવલકથા
Mahatma Gandhi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી)
શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ?
આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી; ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુેન ‘ઈન્ડસ’ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના ‘સ’ નો ‘એચ’ એટલે ‘હ’ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે એ ધર્મ સૌથી વધારે સહિષ્નુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વતા અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારા માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ હિંદુ ધર્મમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે. દરજ્જાને જરા સરખો ઉતારી પાડ્યા વિના હું ઈસ્લામના મજહબમાં, પાસી મજહબમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પંથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમાનભાવે આદર રાખું છું, એમ જાહેર કરુ છું ત્યારે કશી વિસંગત વાત કરતો નથી.
(1) હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત ૧. ‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’ (પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી) શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ ...વધુ વાંચોકોઈ વસ્ત છે ખરી ? આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ
(2) ૬. એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ? (‘સાચી અંતરદૃષ્ટિ’માંથી - મ.દે) હિંદુ ધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે છે ? આ સવાલ ન પૂછવો જોઈતો ...વધુ વાંચોએ ચર્ચવાથી શો લાભ મળવાનો હતો ? છતાં મારે એનો જવાબ આપ્યે જ છૂટકો કેમ કે મારે મન ધર્મ એટલે શું એ તો હુ સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની - જોકે અત્યંત અધૂરી - સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કોઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું.
(3) ખ્રિસ્તી ધર્મના બિશપો અને પાદરીઓ સામે આ દેશમાં તેમ જ બીજા દરેક દેશમાં ઉગ્ર ટીકાઓ થયેલી છે, છતાં બીજા કોઈ પણ ધર્મને અનુસરનાર કે કોઈ પણ ધર્મને ન માનનારા માણસોના કોઈ પણ વર્ગે નથી કરી એટલી માનવસેવા આ ...વધુ વાંચોકરી છે. ગમે તે માણસ એમની પાસે જઈ શકે છે, ખ્રિસ્તી મિશનો ધનિક નથી રહ્યાં પણ ઊલટાં ગરીબ બન્યાં છે કેમ કે પશ્ચિમના દેશમાંથી જે લોકો મદદ આપતા તેમાંથી જેઓ આજે હિંદુ ધર્મની મહત્તા કબૂલ કરે છે તેઓ મદદ કરતા બંધ થયા છે, ને મિશનોને કહે છે કે તમે જાઓ ને પોતાનો પૈસે તમારા ભાંડુઓની સેવા કરો. ખ્રિસ્તી ધર્મના અધ્ષ્ઠાતાઓએ
(4) ૩ (‘કોટ્ટાયમ’ના ભાષણમાંથી) હમણાં મેં જે કેટલીક સ્ત્રીપુરુષોની વિરાટ સભાઓમાં ભાષણ આપ્યાં છે તેમાં હું જેને હિંદુ ધર્મનો અર્ક ગણું છું તે સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે, ને મેં તેમને નો એક અતિશય સીધો સાદો મંત્ર હિંદુ ધર્મના ...વધુ વાંચોબતાવ્યો છે. તમે જાણતા હશો કે જે ઉપનિષદો વેદસંહિતાના જેટલાં જ પવિત્ર મનાય છે તેમાંનું, એ એક છે. ના પહેલા જ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : આ જગતની સર્વ વસ્તુઓના અણુએઅણુમાં ઈસ્વર વ્યાપી રહેલો છે. એ મંત્રમાં ઈશ્વરને સર્જક, ઈશ, વિશ્વના અધિષ્ઠાતા કહેલો છે. એ મંત્રના દ્રષ્ટા ઋષિને આ આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે એમ કહીને સંતોષ ન થયો,
(5) દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠા ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે ...વધુ વાંચોમુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુઃખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં ! મને ભય છે કે શું કાવું અને કોની જોડે ખાવું એની ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે