Shayar - 23 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ - ૨૩

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ-- ૨૩.

ગૌતમનું શારદાપૂજન

વગડાંનાં પંખી પિંજરમાં પુરાઈને ઊડવાની ટેવ જ ભૂલી જાય એમ પાંજરાપોળની ખોલીમાં પુરાયેલી આશા જાણે બહાર જવાની ટેવ જ ભૂલી ગઈ હતી. એમનું બજારકામ અભણ અબુધ પણ

કહ્યાગરો નરસી કરતો હતો. ને ગૌતમ હવે નિત્યદર્દી હતો. કોઈ ભાંગેલા ખંડેરમાં જેમ ચામાચીડિયાં ઊંધે માથે લટકીને દુનિયાને અવળી જ જુએ એમ એના મનની હતાશા દુનિયાને અવળી

જ રીતે જોતી હતી. ખંડિયેર જેવા બનેલા હૈયામાં ઘુવડના એકધારા અવાજશો માત્ર એક જ પુકાર ઊઠતો હતો કે ઃ તું બેવકૂફ છો. તેં તારું તારે હાથે ગુમાવ્યું છે. કાન તોડે એવું સોનું પહેરવા

જતાં તેં તારું જીવન તોડી નાંખ્યું છે - કેવળ તારું નહિ - આશાનું પણ. તું આ દુનિયામાં મોટામાં મોટો બેવકૂફ છો. ઘરની બહાર પગ મૂકીશ તો માણસ માત્ર તારી બેવકૂફી સામે આંગળી ચીંધી

હસવાનું છે. તેં આશાને દગો દીધો છે. તારા બાપને દગો દીધો છે - તારી જાતને દગો દીધો છે.

આશા પણ બહાર નીકળતી જ નહિ. સ્વેચ્છાથી એ પોતાના નિત્યદર્દી પતિની સેવા કરતી હતી. વાતો કરવા જેવું હવે બે વચ્ચે થોડું રહ્યું હતું ? - દરદ સિવાયની. ફરિયાદ સિવાયની, કવિતાની

વાત આશા કાઢતી તો ગૌતમ મૂંગો થઈ જતો ને પાળેલાં ઢોરને એનો માલિક મારે ત્યારે એની આંખમાં જે અનાથતા છાય છે એવી અનાથતા એની આંખમાં છાઈ હતી. કવિતાની વાત કરવી

એ પણ આશાને ક્રૂરતા સમું લાગતું .

એનો ધર્મ સ્પષ્ટ હતો. સાથે જોડેલા જીવનને સાથે પાર ઉતારવું. કદી એ પાંજરાપોળમનાં ખોંડાં ઢોરની દેખભાળ કરતી, કદી એ પોતાનાં લૂગડાં સીવતી. કદી એ સૂઈ રહેતી. એ કંગાળ ને

સ્વચ્છ કેદખાનાની કોટડીમાં એક પુસ્તક પણ લાવી શકાતું નહિ - લાવવાનો અર્થ ન હતો. જીવનમાં રસ માત્ર લુપ્ત થયો હતો. ગરીબીનો નિજાનંદ ઊડી ગયો હતો. એની પામરતા ધીમે

ધીમે એમના દેહ ઉપર પોતાના પીળા પાલવ વિસ્તારતી હતી. બહાર શું થાય છે એની એમાંથી કોઇને ખેવના ન હતી, ખેવના રાખવાનો અર્થ પણ ન હતો. જીવ વગરનાં ખોળિયાં જાણે સાથરા

ઉપર સૂતાં હોય એમ ઉર્મિવહોણાં બનેલાં. આ બે માનવી- ઉર્મિલ માનવી જીવનની ઓટના ઓવાળ જેમ જીવતાં હતાં - કેમ કે એમને મૄત્યુ આવતું ન હતું.

પાંજરાપોળની વચમાં એક મોટો ચોક હતો. એ ચોકમાં એક મોટો મંડપ બંધાતો હતો. કેટલાંય માણસો આવીને ક્યારનાં કામે લાગી ગયાં હતાં ને ક્યાંય સુધી કામ કરવાનાં હતાં. બેલગાડીઓએ બેલ ગાડીઓ ભરીને ખુરશીઓ ઠલવાયે જતી હતી. જાતભાતના દીવાઓ આવવા માંડ્યા હતા ઃ મંડપને એક છેડે ઊંચા મેજો ગોઠવીને મોટો મંચ ખડો કરવામાં આવ્યો હતો.

પાંજરાપોળના નોકરવર્ગમાં આ મંડપનું કુતૂહલ હતું. પહેલો એવો મત હતો કે અહીં કોઈના લગન થવાનાં છે. પછી એવો મત થયો કે અહીં રામલીલા ભજવવાની છે. બહુ મોડે ખબર પડી કે

રામલીલા તો ખરી પણ આજના અંગ્રેજી જમાનાને યોગ્ય રાણી સરકારના રાજની હવાની તાસીરને અનૂરૂપ એવી રામલીલા ભજવાશે ઃ તરગાળાં કરે છે એવું નાટક, પણ આ નાટકમાઅં

તરગાળા નહિ હોય. નાટકનો ધંધો કરનારા નાટકિયા નહિ હોય. એમાં તો સારા ઘરના છોકરાઓ ભાઈડા બાઈડીના વેશ લઈને તાયફો કરશે. ... ને શહેરના સારા સારા માણસો આવશે. મોટા

ઘરના છોકરા બાઈડીઓનો વેશ પહેરીને નાચશે ને એમનાં માબાપ જોશે. શું કાળ આવ્યો છે ? રાણી સરકારના રાજમાં ન થાય એ બધું ઓછું.

તહેવારનો દિવસ હતો, સમો સાંજનો હતો. નાટકના શોખીન કરવૈયાઓએ ગોળી ગોખીને બધું પાકે પાકું કર્યું હતું. પાંજરાપોળના ચોકમાં મંડપ બાંધ્યો હતો ને એમના માણસોએ કેટલીય

ટાંટિયાતોડ કરી હતી. પરંતુ બરાબર સમે તમામને આઘાપાછા કરી દેવામાં આવ્યા હતા. માણસો આવવા માંડ્યા હતા. પડદા પડી ગયા હતા. તબલાવાળાં તબલાં મેળવતા બેસી ગયા હતા.

અને તબલાની આડીઓને હથોડાઓથી ઠોકાઠોક કરતા હતા. અંગ્રેજી વાજું હતું ને એ વાજાંનો વગાડનાર પગથી વગાડતો હતો ને હાથથી સૂર નીકળતા. જો કે અંગ્રેજી ભાષાનું ગ્નાન ન હોય

તો એવા ગમાર માણસો એને ' હડમાનિયું, કહેતા. પણ ખરું નામ હારમોનિયું હારમોનિયું નહિ ભાઈ, હા -ર - મો- નિ- ય- મ . હા. હા. એ હરમોનિયામ કહો કે હારમોનિયું કહો. બધુમ એકનું

એક જ , મુદ્દે હડમાનિયું તો નહિને ? '

ચતુરદાસ શેઠ આમથી તેમ હરફર કરતા હતા. ઘડીકમાં નાટકિયા પાસે જતા, ઘડીકમાં બહાર ઊભા રહેતા. ઘડીકમાં મંડપમાં ઊભતા. ક્યાંય ખસી ગયેલી ખુરશી સરખી કરતા- ક્યાંક કોઈક

ની સાથે વાત કરવા ઊભા રહેતા. ક્યાંય અચાનક કોઈ યાદ આવ્યું હોય એમ દોડાદોડ કરતા. સૌથી આગળ બૈરા માટે અલાહેદી જગા હતી ને ત્યાં ્ચંચળ શેઠાણી હરતાં ફરતાં હતાં.

ટ્ન...ન..ન..ટ્ન...ન પહેલી ટોકરી વાગી.

બીજી વાગી. તબલાંવાળાં સજ્જ થઈ બેઠા. વાજાંવાળો સૂર પૂરવા માંડ્યો. પ્રેક્ષકો ટટ્ટાર થવા માંડ્યા. અત્યાર સુધી હરતા ફરતા તે છેક છેલ્લી ઘડીએ બેસવામાં પોતાની ટોપી, પાઘડી, લાકડી,

જે જે જગ્યા ઉપર મૂકીને પોતાની ખુરશી ' રીઝ્વીટ' રાખી હતી તે તરફ આગળ ધપવા માંડ્યા.

ત્રીજી ટોકરી વાગી - ને એક મોટો ધડાકો થયો.

મંચ ઉપરનો પડદો ઊંચે ચડ્યો. ફૂલની માળા પહેરીને તંબૂરો લઈને સૂત્રધાર મંચ ઉપર ઊભા હતા. ને ઊંચામાં ઊંચા અવાજે ને મોટામાં મોટા આલાપે બીજાઓને કેવળ તબલાં વાજાં ને

માણસના અવાજનો મોટો ઘોંઘાટ માત્ર સંભળાય એમ સરસ્વતીની સ્તુતિ ગાવા માંડ્યા. સૂત્રધારે સ્તુતિ પૂરી કરી. શેળો ઉઘાડ બીડ થતો હતો એમ એનું મોઢું સ્થિર થયું. ગાવાના અથાગ

પરિશ્રમમાં એમની નાકમાં ચીપિયાથી પકડી રાખેલી મૂળ વાંકી થઈ ગઈ ને એને સરખી કરવા એમણે આખી મૂંછ એક હાથે કાઢીને બીજે હાથે ગોઠવવા માંડી. ત્યાં એમની પાઘડી જરાક

ખસી ગઈ ને એને ઉતાવળે ટેકો આપવા જતાં પાઘડી નીચે પડી. પાઘડી ઉપાડતાં મૂંછ નીચે પડી. ને મૂંછ ને પાઘડી વગરનો એમનો ચહેરો પ્રેક્ષકોને ક્ષણભર જોવા મળ્યો. થયું હતું હસવા

જોગ. ને હસવું યે જોઈતું હતું, પણ એક તો મફતિયું જોવા આવ્યા હતાઃ ચતુરદાસ શેઠનો સમારંભ હતો ને સૂત્રધાર તરીકે ચતુરદાસ શેઠનો જુવાન પુત્ર રતનદાસ જ હતો. એટલે હસાય

નહિ. થઈ જાય. ઓછો એમનો નાટકનો ધંધો છે ?

સભાક્ષોભ સૂત્રધારને જાણે સતાવી રહ્યો. આખરે સૂત્રધારને એક પરમ સત્ય સમજાયું. સભાક્ષોભમાંથી નીકળી જવાનો માર્ગ એક જ ઃ પોતાને બોલવું હોય એ બધું કડકડાટ બોલીને ' વીન્ગ'

માં પાછા બેસી જવું ઃ બોડમાં કેમ પેસવું એક વિષે સસલુંય બે નવી વાત શીખે એમ.

' સભાજનો ! ' સૂત્રધારે ચીસ જેવા અવાજે બોલવા માંડ્યું ઃ ' સભાજનો ! ગોરાઓ દેશીઓ ઉપર પોતાના વેપાર માટે કેવા જુલમ ગુજારે છે એનું આ નાટક તમારી સામે ભજવવાનું છે.

નાટકનું નામ ' નીલદર્પણ.' આપણા મહાન કવિરાજ ગૌતમ બી.એ. '

ગૌતમ બી.એ છે, કે સૂત્રધાર બીએ છે એ વાતનો, પ્રેક્ષકો નાટકનું નાટક જોવા મળશે એની પ્રસન્નતા અનુભવતા, પૂરો તાગ મેળવી શકે ત્યાં તો પ્રેક્ષકોને પોતાને જ બીવાનો પ્રસંગ ઊભો થયો.

સાઉટર સાહેબની પીળી પાઘડીઓનું ધાડું હાથમાં ડંડુકાઓ ઘુમાવતું દાખલ થયું ને પ્રેક્ષકોની વચમાંથી ધક્કામુક્કી કરતું નાટકના મંચ ઉપર ચડી ગયું. એમાં એક ટોપાવાળો અમલદાર હતો.

પારસી જેવો લાગતો હતો. ધોળા પોષાકમાં સજ્જ હતો. એના હાથમાં પાતળી નેતરની સોટી હતી. એની કમરમાં બંદૂકડી હતી.

' ચતુરદાસ શેઠ કોણ ? ' તીખું મરચું ખવાઈ ગયું હોય એવી તચ્છથી એણે બૂમ પાડી.

આભા બનેલા ચતુરદાસ શેઠે જવાબ આપ્યો.

' કેમ ? જી. હું.... '

' તમે ? તમને હું ગિરફતાર કરું છું. સરકારનો કાયદો તોડવા માટે. કોઈ પણ નાટક કે તમાસો જાહેરમાં ભજવવો હોય તો એ પહેલાં સાઉટરની પરવાનગી મેળવવી પડે. તમે એવી પરવાનગી મેળવી નથી. '

' પણ મેં સાઉટર સાહેબને વાત કરી હતી, ને એમને પોતાને આમંત્રણ પણ આપ્યું હતું. '

' ત્યારે સાહેબ બહાદુરે તમારું નાટક જોયું ન હતું. હવે એમણે વંચાવી જોયું છે. એઓ સાહેબ તમારા આમંત્રણનો ચોખ્ખો ઇન્કાર કરે છે ને એમની પરવાનગી મેળવ્યા વગર નાટક ભજવવાનો ગુનો કરવા બદલ તમને ગિરફ્તાર કરવામાં આવે છે.'

બે પીળી પાઘડીવાળા ચતુરદાસ શેઠનાં બે કાંડાં પકડીને ખડા થઈ ગયા. પ્રેક્ષકોને લાગ્યું કે વગર પરવાનગીએ નાટક ભજવવાનો સાઉટર સાહેબના ને રાણી સરકારના કાયદામાં ગુનો

ગણ્યો છે તો વગર પરવાનગીએ નાટક જોવા આવવામાંયે ગુનો થતો હશે કે કેમ ? સવાલ સાચો હતો, ભવિષ્યમાં નાટકો જોવાં કે ન જોવાં એનું સ્પષ્ટ દિશાસૂચન આપનારો હતો. પરંતુ

કોઈનેય આ સવાલની અત્યારે ચોખવટ કરવાની જરૂરત ન દેખાઈ. પીળી પાઘડીવાળો એમનાં કાંડાં પકડી લે તો ? એમનેય ચાવડીએ લઈ જાય તો ? દિલ્હીની કત્લેઆમ વખતે પણ આ મંડપ આટલી ઝડપથી ખાલી થઈ શક્યો ન હોત.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED