રોમાં બેનને સંબંધ બાંધવાનો ભારે શોખ...
એમના સંબંધો ઘણા મોટા મોટા માણસો સાથે...
અને પોતાના સંબંધો
મોટા માણસો સાથે છે તે વાત સોને પાછા કરે પણ ખરા...
એટલે એમના સર્કલમાં સોને ખબર..
એમને ભારે ગોરવ તેમના સંબંધો નું ..
હવે આ તરફ તેમની અને પતિની ઉમર થઇ
૬૦ ઉપર થાય એટલે સ્વાભાવિક રીતે ઉમર ઉમરનું કામ કરે .
સંબંધો માં પણ થોડી ઓટ આવે તે સ્વભાવીક છે.
તબિયત પણ એટલી ન ચાલે.
પહેલા જેટલી દોડધામ પણ ન થાય. અવરજવર પણ થોડી ધીમી પડે.
વળી છોકરા મોટl થયા એટલે તેમનો સંસાર ..
તેમને થાળે પા ડવાના એ બધી માથાકૂટ અને ચિતા ઓ પણ ખરી.
છોકરાના સંબંધો પણ સાચવવાના…
એટલે વખત જતા ઘણું બધું બદલાય.
નવી પેઢીને યુવાનોને અનુકુળ પણ થવાનું ..
સ્વાભાવિક છે કે હવે સંબંધો પહેલા જેટલા સચવાતા નથી
તેમ તમને થયા કરે.
બધી દોડાદોડ થતી નથી.પણ સબધો વગર કેમ ચાલે..
કોઈ જોઈએ બોલવા ,બેસવા કે વાતો કરવ્l
કંપની તો મોટી ઉમેરે વધારે હુંફ આપે એટલે વધુ જરૂર પડે .
ઉમર વધતા શક્તિ ઘટે એટલે પહેલા જે થતું હતું
સબધો સાચવવા તે હવે નથી થતું..
એમ એમને લાગ્યl કરે ..
મનુષ્ય સમાજિક પ્રાણી છે ..સમાજ વગર તેને નથી ચાલતું.
સંબધો પણ એટલેજ ઉભા થાય છે. બંધાય છે.
એકલો માનવી વધુ અશક્ત બને છે.
અને અlયુશ્ય પણ ઘટી જાય છે.
એમ બ્રિટન સહિત વિશ્વના ઘણા અભ્યાસો કહે છે.
સમાજ અને સંબંધો તેને સુખી કરે છે.
તેને બોલવા માટે, share કરવા માટે
કે દિલ હલકું કરવા કોઈ જોઈએ.
.અને તેથીજ સંબધો ની જરૂ ર પડે છે
વિજ્ઞાનિક અભ્યાસ પણ કહે છે કે એકલા રહેવાથી
માત્ર કંટાળો આવે છે એમ નથી..
આયુષ્ય પણ ઓછુ થાય..
આપણે ત્યાં પહેલા તો સંયુક્ત કુટુબ પ્રથા હતી.
.
પરિવારો મોટા હતા ,વ્યવહારો પણ મોટા હતા..
.નાતજાતના રીવાજો પણ રહેતાં..
હવે તો સમય જતા ઘણા પરિવર્તનો આવ્યા છે.
પરિવારો વિભક્ત થયા છે નાના થયા છે.
રીવાજો પણ પહેલા જેવા નથી રહ્યા.
અભ્યાસ,નોકરી ધંધા વ્યવસાય વગેરે કારણોસર શહેરો
અને ગામડા વચે પરિવારો વહેચાઈ ગયા છે..
નાના મકાનો થી પણ વિભાજન પરિવારમાં આવ્યું છે
લાઈફસ્ટાઇલ પણ બદલાઈ છે.
આ બધા કારણોસર સંબધો માં પણ પરિવર્તન સ્વાભાવિક આવે જ.
શહેરો મોટા થતા જાય છે..ટ્રાફિક વધ્યો છે
મકાનો અને ઘરો ના અંતરો વધ્યl છે
નોકરી ધંધા ની વ્યસ્તતા અભ્યાસ વગેરે માં જ સમય જતો રહે છે .
..એક બીજાને મળવાનો પણ સમય નથી રહેતો…
તો સંબંધો ની તો વાત જ ક્યાં આવી ..
છતા સંબધો છે અને નવા નવા સંબધો નવી નવી રીતોમાં વિકસે છે..
ટીવી અને internet ના watsup ના નવા નવા સબધો વિકસ્યl છે…
મોબlઈલે નવી ક્રાંતિ સંબધોમાં કરી છે..
શાકવાળો પણ મોબાઈlલ વાપરે ,રસ્તો સાફ કરર્તો જlડુવાળો
પણ મોબlઈલ ઉપર વાત કરે .
પોતાના સંબધો આ રીતે જાળવી રાખી શકે છે.
નવી સુવિધા ઓ નવી શોધોએ આપી છે તો તેનો ઉપયોગ કેમ ન કરવો,
યુવાનો તો આમl જ આનંદ મlણે છે...
આંતરરાષ્ટ્રીય સંબધો સોસીયલ મીડિયા ઉપર બહુ ઝડપે
હવે વ્યક્તિ વિકસાવી રહ્યો છે..
માત્ર માહિતી કે જ્ઞાન નહિ ટાઇમપાસ ,મનોરંજન અને
સંબંધોની નવી દુનિયા આખી અlધુનીક ઉપકરણોની દેન છે.
અl મ આધુનિક સમયમાં સંબધોની નવી રીતો અને
શોધોએ વ્યક્તિને ઘણો સુખી બનાવ્યો છે.
ઘણા વિકલ્પો આપ્યા છે.
એકલી રહતી વ્યક્તિ પણ એકલી નથી..
તેને કોઈનો સાથ સહકાર મિત્રતા મળી જ જાય છે.
બધો આધાર તમારા સ્વભાવ અને પ્રકૃતિ પર પણ છે.
સંબધો ની વ્યાખ્યા પ રીવારના કે પતિ પ ત્નીના
સંબંધો પુરતી મર્યાદિત નથી.
સંબધો એટલે સ્ત્રી પુરુષના સંબધો માત્ર નહિ.
બે વ્યક્તિના પરસ્પરના સંબધો વિશેષ મહત્વના બને છે.
અને લાગણીના કે intimacy ના સંબંધો કરતા આવા સબંધો
વધુ આનંદ અને સુખ આપે છે…
લાગણીના સંબધોમાં અપેક્ષા વધી જlય છે અને
સરવાળે ઉભય પક્ષે દુખ આપે છે..
સંબંધો માતાપિતાના છે ..પોત્રોના છે.
પતિ પત્નીના છે..
બાળકોના અને ભાઈ બહેનોના છે…
નાત જાતના છે.. સગા સંબંધી છે..
એ સિવાય પણ ગણા છે..
કામના ક્ષેત્રના કે પ્રોફેશનલ કહેવાય તેવા પણ હોય..
એક જ વ્યક્તિ માતા પણ છે, દીકરી પણ છે, બહેન પણ છે
પત્ની પણ છે, વહુ છે, તો કોઈ વાર મિત્ર પણ છે…
તેજ રીતે એક જ પુરૂસ પતિ પણ છે,
પુત્ર પણ છે..પિતા પણ છે...
,ભાઈ છે, મિત્ર પણ છે .
..
અને બોસ પણ છે કે જુનીયર પણ છે….
કે બીજા કોઈ સંબંધો માં છે…
એટલે સ્વાભાવિક એની ભૂમિકા અલગ અલગ રહેશે
અને વ્યવહાર પણ અલગ અલગ..
દરેક ભૂમિકામાં તેણે ઈમાનદાર અને જવાબદાર રહેવું પડશે..
માત્ર પોતાની અપેક્ષા પ્રમાણે નહિ બીજાની અપેક્ષા પ્રમાણે ચાલવું પણ પડે....
તેના કlર્યો બીજાની સાથે સમાંયોજ્નમાં રહે તો સંબધો સુખ આપે .
સુખમાં વધારો પણ કરે છે…
સંબધોમાં હમેશ સકારાત્મક રહો .
પોજીટીવ રહો તો સંબધો સુખ આપશે અને
દુઃખમાં મદદરૂપ થશે…
સંબધો જ દુખ દુર કરે છે અને સુખ આપે છે…
શરત એટલી કે સંબંધ સારો હોય, હકારાત્મક હોય …
જો પરિવારના સંબંધો ની વાત કરીએ તો તે મહત્વની છે.
ભારતીય સમાજમાં પરિવારનું મહત્વ પહેલેથીજ ચાલ્યું આવે છે...
પરિવારમાં રહેતો આ દેશ છે..સમાજ છે..
અને સુખ ની પરીભાષા પરીવlરમાં જ આવે છે.
બાળકને સંસ્કાર જ પરીવlર માંથી મળે છે..
પરિવાર જ ઘણી વાર દુઃખનું પણ કારણ બને છે
એટલેકે પરિવારના મતભેદ અને મનભેદ તમારા દુ:ખી થવાની સ્થિતિ છે...
જો પરીવાર સુખી હશે તો તમે અવશ્ય સુખી થશો...
અlમ પણ અlપણે સોથી વધુ ચિંતા પરિવારની કરીએ છીએ.
..
અlપણે ત્યાં સુખ દુ:ખના તમામ પ્રસંગ હોય ,પરિવાર અને સગા સાથે હોય છે..
મરણ હોય કે માંદગી.. પરિવાર એકત્ર થાય છે અને હૂફ આપે છે..
દુ:ખ હળવું કરવામાં મદદ કરે છે..
મુશ્કેલીમાં પરિવાર કામ ન આવે કે દુર હોય તો આઘાતમાંથી બહાર
આવવામાં સ્થિર થવામાં મુશ્કેલી પડે છે..
ભલે અl પણે સુખી હોઈએ કે ન હોઈએ પણ પરિવાર ટ કી રહેવાની મજબુત દોર છે..
પરિવાર અlપણl જીવન ની સીડી છે...
ઉપર પણ લઇ જાય અને નીચે પણ લાવે...
સુખી થવા સુખી પરિવાર અને પરિવારને સુખી કરો તો
આત્મ સંતોષ
અને સુખ અપોઅlપ આવશે...
જો કે ઘણા લોકો પરિવાર માટે વધુ પડતો ત્યાગ કરે છે પણ ખરેખર તેની જરર નથી..
ત્યાગ અને સેવા પરિવારમાં બરોબર હોવી જોઈએ .
..અlદાન પ્રદાન ઉભય્ પક્ષી રહે તો જ પરિવારમાં સમતોલપણું જાળવે છે..
અને સુખ દુઃખનું પણ બેલેન્સ કરે છે...
વ્યક્તિને સ્વlભાવીક રીતે પરિવાર હૂફ આપે છે...પ્રેમ આપે છે..
જવાબદારી નું ભાન કરાવે છે ..
અને સુરક્ષા પણ આપે છે....
પરિવારમાં કામ અને જવાબદારી નું બરોબર ડીવીજન રહેવું જોઈએ…
.
સોના હક છે અને સોની જવાબદારી છે..
સોનો પ્રેમ, પરસ્પર સમજદારી અને લાગણી થી જ પરિવાર બને છે
ટ કે છે અને સુખ આપે છે .
સફળતા પ ણ આપે છે...
ગમ ખાવી અને ગમતા રહેવું બને પરિવારમાં જરૂરી છે.....
સંબંધો પરિવારના સારા હોય તો સુખી થવાય અને સારા ન હોય તો દુ:ખી થવાય...
પશ્ચિમની સરખામણીએ અlપણે ત્યાં પરિવાર નું શુખ વિશેશ છે.
તે જ રીતે આપણે ત્યાં સંબંધો સુખ દુઃખ માં બહુ મોટી ભૂમિકા ભજવે છે .
. .
.