Jaadui Pustak ane Shivansh book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jaadui Pustak ane Shivansh is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જાદુઈ પુસ્તક અને શિવાંશ - નવલકથા
Mittal Shah
દ્વારા
ગુજરાતી રોમાંચક
આ વાર્તા જાદુ અને રોમાંચથી ભરેલી છે.
આ એક તાંત્રિકની વાર્તા છે, જે પોતાના અમરત્વ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, એ માટે કોઈ પણના મોતની તેને વિસાત નથી.
આ એક પત્નીની અને તેની વેદનાની વાર્તા છે, જેને પોતાના પતિના ખરાબ કામ પસંદ નથી, પણ તે કંઈ બોલી નથી શકતી. એટલે જ તેને પોતાની મમતાને ગૂંગળાવી દીધી છે.
આ એક પુસ્તકની વાર્તા છે, જે પુસ્તક જ્ઞાન કે વિદ્યાને સાચવે છે અને પ્રસાર કરે છે પણ જયારે કોઈ તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે તો તેનો વિનાશ પણ કરી શકે છે.
આ એક નવ વર્ષના ભાઈની વાર્તા છે, જે પોતાની બહેનને બચાવવા માટે મોટામાં મોટા તાંત્રિક સાથે બાથ ભીડે છે.
આ એક પાંચ વર્ષની બહેનની વાર્તા છે, જેના પર આ તાંત્રિકે એવો જાદુ કર્યો છે કે જાદુની અસરથી તે ક્રૂરતાપૂર્વક ભલભલાને પછાડી દે અને જાદુની અસર વગર કરોળિયા અને કીડીથી પણ ડરે.
આ ભાઈ પોતાની બહેન માટે તાંત્રિક જોડે કેવી રીતે બાથ ભીડશે કે કેવી રીતે જીત મેળવશે, કેવી રીતે બહેનને તે જાદુમાં થી છૂટકારો અપાવશે.
જાણવા માટે જોડાયેલા રહો અને વાંચો મારી આ નવલકથા.
પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આપ સૌના સ્નેહ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. આપના પ્રતિભાવ અને સ્નેહ જ મને વધુને વધુ લખવાની પ્રેરણા આપે છે. આગળ પણ મારી રચનાને આપના મહત્ત્વના પ્રતિભાવ આપતા રહેશો. તો ફરીથી તમારા માટે લઈને ...વધુ વાંચોરહી છું નવી નવલકથા: 'જાદુઈ પુસ્તક અને શિવાંશ' આ વાર્તા જાદુ અને રોમાંચથી ભરેલી છે. આ એક તાંત્રિકની વાર્તા છે, જે પોતાના અમરત્વ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, એ માટે કોઈ પણના મોતની તેને વિસાત નથી. આ એક પત્નીની અને તેની વેદનાની વાર્તા છે, જેને પોતાના પતિના ખરાબ કામ પસંદ નથી, પણ તે કંઈ બોલી નથી શકતી. એટલે
2 લીલા કામ પતાવીને નવરી પડી એટલે તે જયંતી જોડે ગઈ. તે પગમાં તેલની માલિશ કરી રહ્યા હતા, તે લીલા કરવા લાગી. તે બોલી કે, " બા, તમે શું કામ શેઠને કંઈ નહીં કહેતાં, તે કેટલું વઢે છે તમને? ...વધુ વાંચોતમારી જગ્યાએ હોઉં ને તો ફટ લઈને તેના જ માથામાં મારું." "તે તું રામલાલને અત્યારથી જ મારે છે, હે લીલા?" લીલા શરમાઈ ગઈ અને જયંતી હસવા લાગી. " શું બા તમેય એમને એમ તો શું કામ મારું!" લીલા શું બોલી નાખ્યું એ ખબર પડતાં જ મ્હોંમાંથી જીભ બહાર નીકળી ગઈ. "બા હું એમ નથી કહેવા માંગતી...." "રહેવા દે, મને બધી
3 બગીચામાં પરી પાંચ વર્ષની બાળકી હિંચકા ખાઈ રહી હતી. એકદમ જ સુંદર જાણે નાનકડી પરી જોઈ લો, તેના ચહેરા પરની હસી અને એ વખતે તેના ગાલ પર પડતા ખાડા. તેને જોઈને રમાડવાનું મન થાય પણ મન ધરાય નહીં ...વધુ વાંચોસુંદર પરી હતી. બાજુમાં તેનો નવ વર્ષનો ભાઈ યશ પણ લપસણી ખાઈ રહ્યો હતો. તે ભલે નવ વર્ષનો જ હતો પણ બરાબર તેની બહેનનું ધ્યાન રાખી રહ્યો હતો. જાણે તેનો મોટોભાઈ અને રક્ષક ના હોય. બંને જણા રમતા રમતા થાકી ગયા અને ભૂખ પણ સતત લાગી તો ભાઈ બહેન દોડતા દોડતા પોતાની ઘરે ગયા અને સારિકાને કહ્યું કે, "મા... મા...
4 બાળક અને બાળપણ જેમ એકબીજાના પૂરક છે એમ જ નિર્દોષતાના પણ બાળપણની જ નિશાની છે. જુઓને કૃષ્ણે લીલા કરીને ગોપીઓ નું માખણ ચોરીને ખાઈ જતાં અને પકડાઈ જાય ત્યારે મા આગળ તેમની ફરિયાદ પહોંચતી અને તે નિર્દોષ બનીને ...વધુ વાંચોકે, "મા મેને માખણ નહીં ખાયો... મા મેને માખણ નહીં ખાયો." આવા નટખટ બાળપણને અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જયારે એ બાળક અને તેના બાળપણનો ભોગ લે છે. તેમનાથી આ દુનિયામાં મોટું કોઈ દુષ્ટ કે પાપી નથી. આપણે કેટલા બાળકોને ભીખ માંગતા કે નાની નાની વસ્તુઓ વહેંચતા ટ્રાફિક સિગ્નલ પર જોઈએ છીએ. બાળપણની બલિ લેવાની સદીઓથી ચાલતી આવી છે, જેમ
5 કંસનો લોકો પર, પ્રજા પર અત્યાચાર વધવા લાગ્યો હતો અને લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકરી રહ્યા હતા. તે વખતે દેવો અને લોકોએ પ્રાર્થનામાં ભગવાન પાસે એક એવો ઉધ્ધારક માંગી રહ્યા હતા કે જે કંસનો વિનાશ કરે અને એના ત્રાસમાંથી ...વધુ વાંચોજે સમાજને શાંતિ પ્રદાન કરે. ત્યારે ભગવાન વિષ્ણુએ આ ધરતી પર જન્મ લેવાનું નક્કી કર્યું, તો લક્ષ્મીજી એ કહ્યું કે, "તમે શું કામ ધરતી પર જાવ છો. તમારા કોઈ દૂત કે અહીંથી સુદર્શન ચક્રને જ મોકલી દો. આપોઆપ સમાજમાં બધે જ શાંતિ થઈ જશે અને રાક્ષસોનો સંહાર પણ થઈ જશે, તો એ માટે તમારે સાહસ ખેડવાની જરૂરત શું કામ?" ત્યારે