Amasno andhkar book and story is written by શિતલ માલાણી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amasno andhkar is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અમાસનો અંધકાર - નવલકથા
શિતલ માલાણી
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને માથે લઈને પણ ન ફરી શકાય એવો પાપનો ભારો હતો. એ સમયની સ્ત્રીઓએ વેઠેલી વ્યથા અને સંતાપને લઈને હું આપની સમક્ષ આ નવલકથા લાવી છું. આ વાર્તામાં શ્યામલી એ મુખ્ય પાત્ર છે. શ્યામલીનુ સરળ, ગમતીલું અને મોજીલું જીવન કયારે એના માટે અભિશાપ બની જાય છે. એ જોવા અને જાણવા માટે આપે આ નવલકથા વાંચવી રહી. હાં, એ જ અબળા શ્યામલી એક એવો નિર્ણય લઈ તમામ વિધવા સ્ત્રીઓને એક અનેરી આઝાદી બક્ષે છે. પોતાનો રસ્તો ખુદ બનાવે છે.
આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને માથે લઈને પણ ન ફરી શકાય એવો પાપનો ભારો હતો. એ સમયની સ્ત્રીઓએ વેઠેલી વ્યથા અને સંતાપને લઈને હું આપની ...વધુ વાંચોઆ નવલકથા લાવી છું. આ વાર્તામાં શ્યામલી એ મુખ્ય પાત્ર છે. શ્યામલીનુ સરળ, ગમતીલું અને મોજીલું જીવન કયારે એના માટે અભિશાપ બની જાય છે. એ જોવા અને જાણવા માટે આપે આ નવલકથા વાંચવી રહી. હાં, એ જ અબળા શ્યામલી એક એવો નિર્ણય લઈ તમામ વિધવા સ્ત્રીઓને એક અનેરી આઝાદી બક્ષે છે. પોતાનો રસ્તો ખુદ બનાવે છે. સળવળતી
આગળ જોયું એ મુજબ ત્યારે વિધવા હોવું એ શ્રાપથી પણ બદતર હતું...હવે આગળ... શ્યામલી યુવાનીના ઉંબરે ઊભી જ હતી અને એક શુરવીર સાથે જન્મોજન્મના બંધને બંધાવા નદીની જેમ ઊછળતી હતી. એને એક એવી ...વધુ વાંચોમહેચ્છા હતી કે જે ઘરમાં એના શુભ પગલા પડે ત્યાં લક્ષ્મીજી ફુલોના ઢગલે બેઠા હોવા જોઈએ.. નબળું ઘર કે નબળી વાત એને ગોઠતી નહીં.. એ ઘણીવા એકલી પડતી ત્યારે કાનુડાને ધમકાવતી, વ્હાલ કરતી અને ફરિયાદ પણ કરતી કે..... સાજણ સાજણ કરે વિજોગણ પણ, સાજણ કાને બહેરો ન સંભળાય વેદના કેમ કરૂં હવે ઊજાગરાનો વધ્યો પહેરો સોળ શણગાર શા કામ ના? નજરનો શિકારી છુપાયો નથી હજી
શ્યામલી એક નમણી નાગરવેલ સમી વિવાહના અભરખા સેવતી હતી ત્યાં જ તરણેતરને મેળે એક અજાણ્યા યુવાનને જોઈ એને નજરમાં વસાવીને ઘરે પહોંચે છે. હવે આગળ..... ગોધુલી વેળાએ સરખી સાહેલડીનું ટોળું ગીતો ગાતા ગાતા ...વધુ વાંચોપહોંચે છે. શ્યામલી એની માતા ચંદાબાઈને પોતે લીધેલા ઘાઘરા અને કમખાની જોડ બતાવે છે. કે એની માતા વચાળે જ બોલી ઊઠે છે કે "ઓઢણું તો કાળી ભાતનું જ હશે ને ! " અને શ્યામલી હસતા હસતા 'હા' કહે છે... શ્યામલી સાંજે વાળુપાણી પતાવીને રૂમના આભલામાં એ ઓઢણી માથે ઓઢી શમણામાં ખોવાઈ જાય છે કે પોતે એક સુંદર યુવકની પરિણીતા બની છે.. હાથોમાં મહેંદી રચાવી
આગળના ભાગમાં શ્યામલી એની સખીના કહ્યાં મુજબ વીરસંગને મળવા જશે કે નહીં એ વિચાર મુક્યો હતો.. હવે આગળ...... વીરસંગ ગામની બહારના ભાગે આવેલ તળાવ પાસે રાહ જોવે છે. સંધ્યા સમય થયો હતો. મંદિરની ઝાલર વાગતી હતી. બધા પોતપોતાના ઘરનાં ...વધુ વાંચોઅને બાળકો તેમ જ વૃદ્ધ લોકો મંદિરે એકઠા થયાં હતા. શ્યામલીની સખી એને વીરસંગનો સંદેશો પહોંચાડે છે અને શ્યામલી તો આ વાત સાંભળીને એ પોતે ખુશ પણ થાય છે અને મુંઝાય છે. એ એની સખીને સાથે લઈ જવા મનાવે છે અને બેય સખીઓ છાનાપગલે ઘરના પાછળના ભાગેથી નિકળી જાય છે. એ શ્યામલી એના માણીગરને મળવા જાય છે ત્યારે કેવી
આગળના ભાગમાં આપણે વીરસંગ અને શ્યામલીની પહેલી મુલાકાતમાં એકબીજાને પામવાના સપના જોયા અને ક્રુર જુવાનસંગની વિધવાઓ પ્રત્યેની હીનતા પણ જોઈ હવે આગળ........ જુવાનસંગે ગામોગામ નોતરા મોકલી દીધા. એના ખુદના સુંદરપુરા (ગામ)માં પણ રંગેચંગે ભુમિપુજનની ...વધુ વાંચોથવા લાગી. ગામની તમામ સોહાગણો મંદિરની ફરતી જગ્યાએ આસોપાલવના તોરણ લગાવી હરખાઈ રહી હતી. નવોઢાઓ પણ ઘર અને મંદિરના પટાંગણમાં રંગબેરંગી રંગોળીથી ગામના ઉત્સાહમાં રંગો ભરતી દેખાઈ. ગામના વૃદ્ધો પણ મંદિરના એ પુજનમાં થનારા ભંડારામાં બનનારા પકવાનો પર ધ્યાન આપી રહી હતી. જુવાનસંગની બંને પત્નીઓ રાજસી ઠાઠ સાથે બધી જગ્યાએ નજર દોડાવી રહી હતી. એકલી હતી અને આંસુ સારતી હતી એ વીરસંગની માતા