તણખા
૧] જો તમે સમયનો ઉપયોગ નહી કરો તો સમય તમારો ચોક્કસ ઉપયોગ કરશે.
૨] નિરશાવાદી લોકોની વચ્ચે જીવવા કરતા નિષ્ફળ છતા આશાવાદી લોકોની સાથે જીવવુ વધુ ફાયદાકારક છે.
૩]સંત બનીને ભગવાન મેળવવા કરતા
સંસારના લોકોની સાથે રહીને ઇશ્ર્વર
વધારે સરળતાથી મળે છે, કેમ કે જો સંસારીક
સુખ અને શરીર સુખ મેળવવાથીભગવાન ન મળતા હોત તો નરસિંહ અને સુદામા
એ સંસાર માંડ્યો જ ન હોત.
૪] માતાનું હાલરડુ એ ભગવાન શ્રી કૃષ્ણનો ૧૧ મો અવતાર છે કેમ કે બાળક ભગવાનની સાક્ષાત અનુભૂતી કરતા નિરાંતે સૂઇ જાય છે.
૫] માતા પિતાની સેવા કરવામા ભલે શ્રવણ ન બની એ
પણ શ્રવણ જેવા બનવાનો પ્રયત્ન તો કરીએ.
6] જ્યા આપણુ કશું ચાલે તેમ ન હોય ત્યા કાગડાની જેમ કો-કો કરવા કરતા
કોયલની જેમ ટહુકો કરી આપણી હાજરી નોંધાવવી વધુ હિતાવહ.
૭] મહાન બનવાના પ્રયત્નમાં કયાંક રાવણ ન બની જઇએ તેનું ધ્યાન રાખવું જોઇએ.
૮] પ્રસિધ્ધ થવા કરતા જિંદગીમા સિધ્ધ થવું સારુ અને સાચું છે.
૯] કોઇ માણસ કશું ન બોલે તેનો અર્થ એ ન સમજવો કે... એ ગાંડો છે કે તેને કશી ખબર પડતી નથી.
૯] કોઇ વ્યક્તી જ્યારે પોતાની જાત વિશે ફાંકા મારતુ હોય ત્યારે આપણે સજ્જન બની તેની , હકીકત તેને સંભળાવ્યા વગર ચુપચાપ સાંભળવાથી એ વ્યક્તી કેટલામાં છે તેનો ખ્યાલ આવી છે.
૧૦] મહાન બનવાના પ્રયત્નમા ક્યાંક રાવણ ન બની જઇએ તેનુ ધ્યાન રાખવુ જોઇએ.
૧૧]દુ;ખનો દેખાડોને વિચાર કરવાને બદલે
આપણા દુ:ખનો નિવેડો લાવવાનો પ્રય્તન કરવો જોઇએ.
૧૨] ધોળી ચામડીવાળા કુબુધ્ધિના માણસની સંગત કરવા કરતા કાળી ચામડીવાળા સદબુધ્ધિવાળા માણસની
સંગત ચંદન સમાન છે.
૧૩] સ્ત્રીની સૌથી પહેલી અને છેલ્લી સૌથી મોટી અને નાની,સૌથી વધારે ઇર્ષાવાળી અને અભિમાની સમસ્યા એ છે કેબીજી સ્ત્રી તેના કરતા વધારે સુંદર ન હોવી જોઇએ.
૧૪] પાડોશીને રુપિયાવાળો થતા જોઇ દુ:ખી થવાને બદલે ખુશ થવુ જોઇએ.
કેમ કે તે આપણી પાસે ઉછીના લેવા કે ચોરી કરવા નહી આવે.
૧૫] આપણા વિચારો આરસની તખતી ઉપર ત્યારે જ ખાય છેજ્યારે તે સારા કરતા સાચા વધારે હોય.
૧૬] આપણી ઇર્ષા અને અભિમાનથી મનને દુ:ખી કરવા કરતા મીઠી બોલીથી મનને પવિત્ર રાખવુ જોઇએ.
૧૭] સાચા મિત્ર જેવો કોઇ સાથીદાર નથી અને સાચા મિત્ર જેવો કોઇ દગાવબાજ નથી.
૧૮] આપણા દોષોને રોજ મન વડે વાચવાથી આપણા દોષો ઓછા થઇ જાય છે
૧૯] કેરી જેવા મિઠા ન બનીએ તો કાઇ નહી પરંતુ
વડલા જેવા ઘટાદાર બની બીજાને છાયા આપીએ.
૨૦] અત્યારે લોકોના મકાન સ્વચ્છ છે અને ઘર શણગારેલા છે પણમન અસ્વચ્છ અને દીલ બેહાલ છે.
૨૧]કોઇ વ્યક્તિ કે કોઇ વ્યક્તિના જીવન ચરિત્રને સમજતા કે વાંચતા પહેલા પોતાની જાતને સમજવી અને વાંચવી જોઇએ.
૨૨] અન્ય લોકોની ઇર્ષા કરવા આપણે જ્યા ખોટા હોઇએ
ત્યારે પોતાની જાતની જ ઇર્ષા કરવી જોઇએ તે સુધરવાનોસરળ ઉપાય છે.
૨૩] ઘણું વાચવા કરતા થોડું અને સમજીને વાંચવુ જોઇએ.
૨૪] દોડીને પડી જવા કરતા ચાલીને મુકામે સરળતાથી પહોચી શકાય છે.
૨૫] છેતરપિંડી કરનારને એ ખબર નથી કે પોતે પણ પોતાની જાતને છેતરીને જ બીજાને છેતરાવે છે.
૨૬] જીવન વ્યર્થ કરવા કરતા રોજ એક જીવને મદદ કરવાથી પણ પુણ્ય મળે છે.
૨૭] આજે આપણી જરુરિયાત એટલી બધી વધી ગઇ છે કે આપણી જાતની કિંમત કરતા જરુરિયાતની વસ્તુની કિંમત વધારે છે.
૨૮] કોઇ માખણ લગાવીને છેતરે તેના કરતા મોઢે કહી દે ‘તુ નથી સારો’ એ માણસ શ્રેષ્ઠ છે.
૨૯] સતત કોઇ સ્વતંત્ર વ્યક્તિને આદેશ આપવામાં આવે તો એ રીઢો ગુનેગાર બની જાય છે.
૩૦] જે ખૂબ જ જડપથી ગુસ્સે થાય છે તે વ્યક્તિ પોતાના સારા કામને પણ ખરાબ કરી દે છે.
31] શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે સમાજના લોકોને બાળકોને સ્ત્રીને પુરુષને સામાજીક આર્થીક અને વ્યવહારીક રીતે સક્રિય બનાવે છે.
૩૨] માનવીને ઉચ્ચ વિચારો તેને સફળતા અપાવે છે જ્યારે નિમ્ન વિચારો નિષ્ફળ બનાવે છે આથી ધ્યેય ઉચ્ચ રાખી સારું વિચારવુ જોઇએ.
૩૩] આત્માને શુધ્ધ રાખવા પૂજા અર્ચનાની નહી પરંતુ ઇર્ષા દ્વેષ દૂર કરવાની જરુર છે.
૩૪] ઉત્સાહી માણસ બીજાને ૧૦૦ ઉત્સાહ જગાડે છેઆળસુ માણસ એક ઉત્સાહને પણ નિષ્ફળ બનાવે છે
૩૫] જો સારી નિંદર કરવી હોય તો આપણે સત્કર્મ કરતા રહેવુ જોઇએ.
૩૬] મૌન રહેવુ એ ઉત્તમ ગુણ છે પરતું મૌન રહી જાતને નુકસાન પહોચાડવા જેવો બીજો કોઇ અવગુણ નથી.
૩૭] સંપતિ વસ્તુ ચોક્કસ આપે છે પરંતુ સંપતિ સુખ શાંતિ અને પ્રેમ આપે એ વાતમા માલ નથી.
૩૮] અન્યની નિંદા કરવાથી આપણા પુણ્યનો ખજાનો ખૂટે છે સાથે સાથે જેની નિંદા કરીએ તેના પાપ પણ ધોવાય છે.
૩૯] જે કાર્ય કરતા પહેલા એમ થાય કે આ ખોટુ થાય છે તે કામ ન જ કરવુ.
૪૦] બગીચાના સુંદર પુષ્પો મનમાં વસી ગયા બીજાની લાગણી દુભાવતા પહેલા ત્યાથી ખસી ગયા
૪૧] શિક્ષક દરિયા સમાન છે જો તેને માન સમ્માન ઇજ્જત આપવામા આવશે તો એ કોહિનૂર ઉભા કરશે.
૪૨] સુંદર વસ્તુને સર્વ શ્રેષ્ઠ માની લેવાની ભૂલ ન કરવી
એ મેનકા જ હતી જેણે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરાવી.
૪૩] જિંદગીમા ચાહે ગમે તેટલી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલીઓ એવી નથી હોતી કે જેનો કોઇ ઇલાજ ના હોય .
૪૪] કામ વગર ના દિવસો ન કામા છે શ્વાસ વગરની જિંદગી ન કામી છે.
૪૫] હંમેશા મુશ્કેલી જોય હારી જવા કરતા એ વિચારવુ કે ખોરાક મેળવવા કરોળિયાને રોજ નવું જાળુ બનાવવું પડે છે.
૪૬] મને એવુ લાગે છે કે લોકો વ્યર્થ બીજાને સમજવાનો પ્રયત્ન કરે છે એકવાર પોતાની જાત ને પ્રેમ કરી સમજવી જોઇએ.
૪૭] નસીબ ત્યા જ કામ કરે છે જ્યા પરિશ્રમ આશા અને શ્રધ્ધા હોય છે.
૪૮] શાંતિ પામવા માટે કુદરતની રચના નિહાળવી જોઇએ.
૪૯] માણસ જ્યારે લાંબી મુસાફરી કરે ત્યારે થાકે છે પણ એ મુસાફરીમાં જો ઇર્ષા ભળે તો ફ્રેશ થઇ જાય છે.
૫૦] જે માણસને મનની શાંતી છે તે દુનિયાનો રાજા છે.
૫૧] જો મનને અંકુશમા રાખવામા નહી આવે તો
એ બ્રેક વગરના વાહન જેવુ બની જાશેતે ઍક્સિડન્ટ કર્યા વગર નહી રહે.
૫૨] ઉચાઇ એ પહોચ્યા પછી ડુંગરો પણ નાના લાગે છે અને મન ગર્વ થી ઉભરાય છે હુ જ જગતમા મોટો છુપણ એ જ ખ્યાલ ખોટો છે.
૫૩] જે માણસ ગ્નાની છે તે દરેક બાબતને પ્રેમથી શાંતીથી અને દીલથી વિચારી ડગલુ ભરે છે.
૫૪] હાસ્ય એ જીવનનો એક રંગ છે જે દરેક દુ;ખમા ભળ્યા પછી મન અને દિલ હળવા કરી દે છે.
૫૫] અહિંસા માર્ગ શ્રેષ્ઠ છે .. પણ કોઇ વ્યક્તિને બોલી બોલીને બાળવું એ એક હત્યા જ છે.
૫૬] ખુશીથી જિંદગી છલકાય છે જિંદગીથી માણસ મલકાય છે.
૫૭] શાંતિના મિઠા મધુરા ફળ પામવા મૌન રહેવુ જરુર છે.
૫૮] પ્રેમ કરવો એ ગુનો નથી કેમ કે પ્રેમ એ ઇશ્વરનુ અર્પણ કરેલુ સોપાન છે જે દુઃખમા લોકોને જોડે છે.
૫૯] સાચો કલાકાર એ જ છે જે જિંદગીના બધા જ કંટકોને ઉખાડી ત્યા ફૂલ બીછાવે છે.
૬૦] બીજાને પાપી કહેતા વિચારવું કેમ કે કોઇને પાપી કહેવું એ પણ એક પાપ જ છે.
૬૧] ધ્યેય મેળવવા માટે પરિશ્રમ કરવો એ શ્રેષ્ઠ બાબત છે અને ધ્યેય મેળવી અભિમાન ન કરવુ એ સર્વશ્રેષ્ઠ બાબત છે.
૬૨] ભૂલો પડતી જાય તેમ માણસ શીખતો જાય શીખતો જાય તેમ અનુભવ થાતો જાય અનુભવ થાતો જાય તેમ માણસ ધ્યેય ને પહોંચતો જાય.
૬૩] માણસ રહે છે તો ઘરમાં પણ મનથી એ છે સપનામાં.
૬૪] પક્ષીને માળો કરોળિયાને જાળુને માણસને ઘર મળી રહો...
૬૫] એક્ની પાછળ જેમ શૂન્ય વધતા જાય તેમ માણસની લાગણી પણ શૂન્ય બનતી જાય છે.
૬૬] સૌથી મોટી મૂડી બીજાના સુખને પાટું ન મારવું એ જ છે.
૬૭] જિંદગીમાં આપણે યોગ્ય તક ક્યારેક ઉભી થાય છે જેથી કોઇ પણ સંજોગોમાં તેનો લાભ ઉઠાવવો જ જોઇએ.
૬૮] ફૂલો ચુંટવા જતા કાટા વાગે છે ધ્યેય મેળવવા જતા આફત આવે છે.
૬૯] ક્ષમા એ હદયમાંથી પસાર થતી એવી કે કેડી છે જ્યા ફૂલો સિવાય કશું દેખાતુ નથી.
૭૦] કુદરત અવસર આપે ત્યારે સવાલો ઉભા કરવા કરતા પરિશ્રમ કરવો જોઇએ.
૭૧] ખુશ રહેવાથી જિંદગીનો એક દિવસ ચોક્કસ વધશે.
૭૨] હસોને સામેવાલાના હદય સુધી પહોચો.
૭૩] હું કોઇના પણ વિચારો સાથે બંધાયેલ નથી કેમ કે કોઇના વિચારો બીજા માટે શ્રેષ્ઠ જ હોય તે જરુરિ નથી.
૭૪] સાચું કહેનાર દુશ્મન હોય તો પણ તેનો આભાર માનવો કેમ કે તેણે સત્યનો માર્ગ બતાવ્યો.
૭૫] મનનુ ગમવુ અને દીલને નમવુ એ બાબત જ પ્રેમ છે.
૭૬] મનને ગમવુને અને દીલને ગમવુ એ બાબત ઉતર દક્ષિણ જેવી છે
કેમ કે મનને ગમતી બાબત દીલ સ્વીકારતું ન પણ હોય તેવું બને.
૭૭] સાદાઇથી જીવવુ એ એક ગુણ છે પણ આજે ફેશન સામે જુકવુ એ જ અવગુણ છે.
૭૮] માનવી એ બધી જ શોધ કરી પરંતુ માણસને કેમ જીવાય એ શોધ કરવાનુ રહી જ ગયુ.
૭૯] કેવળ સુખ મેળવવા માટે બીજાના આત્માને તડપાવવો ન જોઇએ
૮૦] એક દિવસ બગડે તેનો અર્થ એ નથી કે જિંદગી બગડી.. એમ એક વખત નિષ્ફળતા મળે તેનો અર્થ એ નથી કે આપણાને નિષ્ફળતા જ હાથ લાગ્યા કરશે.
૮૧] આશા કદી છોડવી નહી અનેશ્રધ્ધા કદી ડગાવવી નહી એ જ
પૃથ્વી પરનો સાચો કલાકાર .
૮૨] કોઇ સાચી સલાહ આપતું હોય ત્યારે પાત્રનહી પરંતુ તેના શબ્દોની પાત્રતા જોવી જોઇએ.
૮૩] પરિશ્રમ વગર તો રામ અને શ્યામને પણકશું ન તું મળ્યુ તો આપણે તો કાળા માથાના માનવી છીએ.
૮૪] મનુષ્ય જો મનુષ્ય ની જેમ જીવતા શીખે તો મૃત્યુ પેલા સ્વર્ગ ની કલ્પના કરવાની જરુર જ ન પડે.
૮૫] માતૃભાષા એ માતાના ધાવણ જેટલી જ કિંમતી છે કેમ કે બાળક ની કિલકારી માતાના અવાજ થી જ ગૂંજી ઉઠે છે.
૮૬] અભિમાન કરવાથી માન મળતું નથી કે સ્વમાન.
૮૭] સ્વામાન જેવું બીજું કોઇ માન નથી.
૮૮] આખા વર્ષમાં ૧૦ પેઇજ વાંચવાથી પણમનુષ્ય વર્ષ જ્તા એક સંસ્કાર શીખે છે.
૮૯] હિમ્મતથી કામ લેવું જોઇએ પણ કામમાં બળ નહી કળ પણ કામ આવે એ યાદ રાખવુ જોઇએ.
૯૦] માતાનો પ્રેમ એ પારસમણી છે.
૯૧] દરેક વાતમાં પોતાનો મત આપતા પહેલા વિચાર કરો કે કેવા લોકોની વચ્ચે ઉભા છીએ.
૯૨] જો મન પ્રસન્ન હશે તો તનમાં પ્રસન્નતા આપોઆપ પ્રસરી જશે.
૯૩] દુનિયાની મહાન પાંચ વસ્તુ
માતા માતૃભાષા માતૃભૂમિ માતૃપ્રેમ માતૃહદય
૯૪] બગીચાના ફૂલો હસીને સંદેશો આપે કરમાય ભલે જાવરોજ સવાર ખીલવા માટે જ પડે છે.
૯૫] વૃક્ષ એ દુનિયાની અદભૂત અજયબી છે.
૯૬] ઉડતા પક્ષી સંદેશો આપી જાય છેપાંખો ફેલાવો હિમ્મત આપોઆપ આવી જાય છે.
૯૭] તમામ દેવોનો વાસ ગાયમાતામાં છે એવુ કેહવાય છેપણ આજે ‘માતા’ જ બેહાલ છે.
૯૮] ખરાબ કામ કરતા પહેલા આંખો બંદ કરી પોતાની જાત પર આવનાર સંકટ ને નિહાળવું જોઇએ.
૯૯] એવી કલ્પના કરવી જે દુઃખ – દર્દ ભૂલાવી એક નવો રસ્તો બનાવવા પ્રેરણા આપે.
૧૦૦] આશા કોહિનૂર સમાન છે જે મનુષ્યને અકલ્પ્ય શક્તિ અનેક વિશ્ર્વાસ આપે છે
૧૦૧] દુઃખ આવે એટલે લાસ્ટ વિકના પન્ના જોવા જોઇએ કશેય કોઇની ઇર્ષા કરેલી કોઇને દુઃખ આપેલુ.
૧૦૨] ખુબ વિચારવુ પછી બોલવુ એવુ બોલવું જે પ્રિય લાગે પ્રિય લાગે તેને ન દુભાવવું.
૧૦૩] દરેક ઇર્ષાળુઓ હંમેશા પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા બીજાને ઉતરતી કક્ષાના બતાવે છે.
૧૦૪] જેનુ મન અડગ છે તે પરિશ્રમ કરે છે જે પરિશ્રમ થકી આગળ વધે તે સફળતા પામે છે.
૧૦૫] જેણે તમારુ સતત ખરાબ કર્યુ છે તેની ઇર્ષા કરતા આપણે બંદ થઇ જાયે તેના પાપનો ઘડો તરત ભરાયને ફૂટી જશે.
૧૦૬] યુધ્ધોની ઉત્તમ રચના એટલે મહાભારત .
૧૦૭] સંસ્કારોની ઉત્તમ રચના એટલે રામાયણ.
૧૦૮] જિંદગીની તમામ સમસ્યાનો હલ એટલે શ્રી મદ્ ભગવદ્ ગીતા.
૧૦૯] જિંદગી જીવવાના ઉત્તમ રસ્તાઓ એટલે ચાર વેદ.
૧૧૦] ભારતનુ સર્વ શ્રેષ્ઠ સાહિત્ય એટલે રામાયણ, મહાભારત ,શ્રી મદ્ ભગવદ્ ગીતા ,ચારવેદ પુરાણ ઉપનિષદ.
૧૧૧] જે સાચા હોય છે તેને પુરાવા આપવાની જરુર નથી ધ્રુવને ક્યારેય કેહવુ નથી પડતુ કે તે ઉતર દિશા મા ઉગ્યો છેતે જ્યા ચમક્યો છે ત્યા જ બીજા એ ઉતર દિશા છે એ માનવુ પડે છે.
૧૧૨] ભાગ્ય પણ બદલાય શ્રધ્ધા થકી સફળતા પણ મળે પરિશ્રમ થકી
૧૧૩] નોટ અને બોટમા એટલો જ ફર્ક
બોટ માણસને દરિયામા ડુબાવે છે નોટ માણસને વગર પાણી એ ડુબાવે છે.
૧૧૪] પાપ નો ઘડો ભરાય પછી ચોક્કસ ફૂટે છે ફૂટે છે ત્યારે હદય ફાટ દર્દ આપે છે.
૧૧૫] વાણી અને પાણીમા એટલો જ ફર્ક
પાણી માણસ નળ ખુલ્લો રાખીને વાપરે છે
જ્યારે વાણી મોં ખુલ્લુ રાખીને વાપરે છે.
૧૧૬] પડવાની બીક રાખવા કરતા ઉભા થવાની હિંમ્મ્ત રાખીએ વાગે નહી તો કાઇ નહી પણ અનુભવ તો મળે.
૧૧૭] સમય પોતાનુ કામ ચોક્કસ કરે છે પણ ક્યારેક આપણે આપણુ કામ જરુર છોડી દઇએ છીએ.
૧૧૮] સંકટ આવે ત્યારે રોદણા રોવા અને રડવુ ન જોઇએહિંમ્મતથી કામ લઇ સંકટનો હલ કરવો જોઇએ.
૧૧૯] મૃત્યુ પછી શુ થશે? એવા વિચારવા કરતા સારા કર્મ કરવાથી એ ડર સતાવતો નથી.
૧૨૦] પૈસા વગર જીવન નિર્થક લાગે છેજીવન વગર પૈસો નિર્થક લાગે છે.
૧૨૧] ખરાબ માણસને ક્યારેય તરછોડવો નહી કેમ કે ક્યારેક નવો રસ્તો બનાવવા તેના હાથ મા પણ ફૂલ હોય શકે છે.પછી એ ફૂલ તેની જરુરિયાતના જ કેમ ન હોય
૧૨૨] માણસ પ્રત્યેક કામમાં એટલો ભય રાખે છે કે તે જીવતો હોવા છ્તા મરેલો જણાય છે.
૧૨૩] શાંત મનથી વિચારીએ તો લાગે આપણે જીવન કેટલુ કિંમતી છેછતા આપણે કેટલી દોડાદોડી કરીએ છીએ.
૧૨૪] ઇર્ષા અહંકાર સ્વાર્થ અને ગર્વ ને મહાપાપ ગણવા.
૧૨૫] પ્રેમ કરુણા કોમળતા મૃદુતા સરળતાને મહા પુણ્ય ગણવા.
૧૨૬] આજના મનુષ્યનુ જીવન કિંમતમાં ગૂંથાયેલુ છેએ દરેક વસ્તુને જોતા પેલા કિંમત અને દુકાનનુ નામ પુછશે.
૧૨૭] ભેગુ કરવુ પણ લોભ કંજૂસાયથી નહીજરુરિયાત થી.
૧૨૮] વિચાર્યા વગર બોલવુ એટલે લોટ બાંધ્યા ને શેક્યા વગર ખાવું.
૧૨૯] જેનું દીલ વિશાળ છે તેને ગરીબ કેમ કહી શકાય
૧૩૦] સાચા માણસને ફળ ન મળે ત્યા સુધી ભગવાન પણ સાંકળ વડે બંધાય જાય છે.
૧૩૧] સ્વર્ગ અને નર્ક કોણે જોયા છે? અહીં તો આપણે ભાઇ પ્રેમથી જિંદગી જીવી ખુશ રહેવાનુ છે.
૧૩૨] જે કામ શ્રધ્ધાથી થાય તે કામ પૈસાથી થતુ નથી જે કામ સમજણથી થાય તે કામ પૂરાવાથી થતુ નથી.
૧૩૩] સતત દુઃખ વિશે વિચારનાર દુઃખિયારો બની જાય છે.
૧૩૪] સજ્જ્ન અને દુજ્જન એટલે કમળ અને કાદવ.
૧૩૫] સતત પ્રશંસા કરનારથી ચેતતા રેહવુ જોઇએ.
૧૩૬] માણસની આંખોની શાંતિ ખીલેલા પુષ્પો મા સમાયેલી છે.
૧૩૭] રોજ દિવસ એટલા માટે જ ઉગે છે કે રોજ નવું વિચારવા મળે.
૧૩૮] નિરોગી સ્વાસ્થ્ય માટે બીજાની ઇર્ષા ન કરવી જોઇએ.
૧૩૯] માણસ પોતે જ પોતાનો ગુલામ છે તેને ફરજીયાત શ્ર્વાસ લેવો પડે છે આથી બીજાની ગુલામી ન કરવી જોઇએ.
૧૪૦] ખરાબ જોવાથી આંખ દુઃખી થાય
ખરાબ સાંભળવાથી કાન દુઃખી થાય ખરાબ વાસથી નાક દુઃખી થાયપણ ખરાબ બોલવાથી દીલ દુઃખી થાય.
૧૪૧] જે માણસ દરેક પળને ખુશીથી જીવે છે તે જ ખરો કલાકાર છે.
૧૪૨] સાચો કલાકાર એટલે...
જે પોતાનુ સારું કરે
જે બીજાનું સારુ કરેજે અભિમાન ઇર્ષા ગર્વ કરતો નથી.
૧૪૩] જ્યાંથી ભૂલની ખબર પડે છે ત્યાથી જ સાચી સમજણની શરુઆત થાય છે.
૧૪૪] ન સમજાય તેવુ મનુષ્યમા ઘણુય હોય છેપરંતુ તે કડાકુટ મા પડ્યા વગર આપણા કામથી જ મતલબ રાખવો જોઇએ.
૧૪૫] નથી મન માનતુ મરુ એ તરફ પગલા માંડવનું મજબુરી છે, બાકી હુ મારા ઘરનો રસ્તો પણ બદલી નાખુ.
૧૪૬] વિચારવુ તો સારુ જઇશ્ર્વર જ કરવાના છે બધુતો વિચારવુ શા માટે નબળુ.???
૧૪૭] દોસ્તી નિભાવવી તો મૃત્યુ સુધી નહિતર કોઇને વહેમ મા ના રાખવુ.
૧૪૮] સ્વમાન ખાતર જીવવુ એ ધ્યેય માટે જીવવા કરતા વધારે મુશ્કેલ છે.
૧૪૯] જે માણસ સફળતા મેળ્યા બાદ પણ અભિમાન નથી કરતો તેની સફળતા કાયમ જળવાય રહે તેવી ઇશ્ર્વર પણ કોશિશ કરે છે.
૧૫૦] બાળક એ પ્રેમનો સાગર અને વહાલનો દરિયો છેતેની પાસે ગયા પછી માત્ર મિઠાશ જ અનુભવાય છે
૧૫૧] બાળક એ ઇશ્ર્વરની અદભૂત રચના છે.