રામનામ - 5 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામનામ - 5

(5)

૨૫. રામબાણ ઉપાય

“આપે આમ લખ્યું છે :

“ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્યદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ’ (‘હરિજનબધું’, ૩-૩-’૪૬).

“ ‘જે પાંચ તત્ત્વોનું મનુશ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે’ (‘હરિજનબંધુ’, ૩-૩-’૪૬).

“ ‘આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે’ (‘હરિજનબંધુ’, ૭-૪-’૪૬).

“આપે કુદરતી ઉપચારમાં જ્યારે આ નવો સૂર કાઢ્યો ત્યારે, પ્રથમ તો મને એમ લાગ્યું કે, શ્રદ્ધા પર રચેલી સાઇકોથેરેપી૧ અને ક્રિશ્ચિયન સાયન્સ૨ જેવી આ એક પદ્ધતિ છે. નામ માત્ર જુદું છે એટલું જ.

આવી વસ્તુને દરેક ઔપધશાસ્ત્રમાં સ્થાન હોય છે. પહેલા ઉતારાનો અર્થ મેં એ રીતે કર્યો. બીજો ઉતારો સમજવો મુશ્કેલ છે.

૧. એટલે માનસિક ઉપચાર. મનોવિશ્લેષણ તથા ઇચ્છાશક્તિ દ્ધારા કેટલાક શારીરિક ને વ્યાધિઓનું મૂળ કાઢી નાખવાનું શાસ્ત્ર.

૨. શ્રદ્ધા દ્ધારા કરેલી એક ચિકિત્સાનું નામ. ખ્રિસ્તના સ્પર્શથી શ્રદ્ધાળું લોકો સાજા થઇ જતા. ‘નવા કરાર’માં એવો ઉલ્લેખ છે. આના ઉપર ‘ફેઇથ હીલિંગ’-શ્રદ્ધાથી વ્યાધિનો નાશ થઇ શકે એવી માન્યતા-રચાયેલું છે.

કારણ છે પંચમહાભૂતોની મદદ આપ દર્દ મટાડવામાં લેવા માગો છો એ પંચમહાભૂતોમાંથી જ બધાંય ઔષધો બને છે.

“શ્રદ્ધા એટલે કોઇ વસ્તુ બાબત નિશ્ચય કરવો એમ હોય તો મારે કંઇ કહેવાપણું નથી. સાજા થવા સારુ દરદી શ્રદ્ધાાપૂર્વક સહકાર આપે એ જરૂરનું છે. પણ શ્રદ્ધા જ શારીરિક દર્દને મટાડી શકે, એ સિદ્ધાંત ંમાન્ય રાખવો મુશ્કેલ છે. બે વર્ષ પહેલાં મારી નાની દીકરીને લકવો થયેલો. આધુનિક ઢબના ઉપચારને લઇને જ એ બાળક જિંદગીભરના અપંગપણમાંથી બચી ગયું. લકવામાંથી બચવા સારુ અઢી વર્ષના બાળકને રામનામ લેવાનું કહેવું નકામું છે, એ તો આપ કબૂલ કરશો. અને આવે પ્રસંગે ફકત રામનામ રટ્યા કરે એમ કોઇ પણ માને આપ સમજાવી શકો તો તે જોવું મને ગમે.”

“૨૪ માર્ચના અંકમાં આપે ચરકનો શ્લોક પ્રમાણભૂત સમજીને ડાંક્યો છે, તેની મારા પર બહુ અસર થતી નથી. મારું હ્યદય જે વસ્તુ ન માને તે ગમે તેટલી પ્રાચીન ને પ્રમાણભૂત હોય તોપણ ન સ્વીકારવી એમ આપે જ મને શીખવ્યું છે.”

જુવાનોના એક શિક્ષક ઉપર પ્રમાણે લખે છે.

રામનામ એ ફેઇથ હીલિંગ અને ક્રિશ્ચિયન સાયનસ જેવું

ગઇ કાલે વાતવાતમાં લૉર્ડ લોધિયને ક્રિશ્ચિયન સાયન્સ વિશે ગાંધીજીનો મત પૂછ્યો : “મનુષ્ય ઇશ્વરની સાથે અવિચ્છિન્ન રીતે જોડાયેલો છે. એટલે જેટલે અંશે તે ઇશ્વર સાથેનો અવિચ્છિન્ન સંબંધ સમજે ને સ્વીકારે તેટલે અંશે તે પાપ અને રોગથી મુક્ત રહે. શ્રદ્ધાથી રોગ મટે છે તે એ રીતે. ઇશ્વર એ સત્ય, પ્રેમ અને આરોગ્યની મૂર્તિ છે.”

છે એવો ભાસ થાય છે ખરો, પણ એ બંનેથી તદ્દન ભિન્ન છે. રામનામનો જપ એ તેમાં રહેલા સત્યનું પ્રતીકમાત્ર છે. હ્યદયમાં વસેલા ઇશ્વરનું જે ક્ષણે માણસને ભાન થાય છે તે

“અને એ વૈદ્ય પણ છે,” ગાંધીજીએ કહ્યું. “ખ્રિસ્તી વિજ્ઞાનની જોડે મારે કશો ઝઘડો નથી. મેં ઘણાં વરસ પર જોહાનિસબર્ગમાં કહેલું કે હું એ સિદ્ધાંત સોએ સો ટકા સ્વીકારું છું, પણ એવા ઘણા ખ્રિસ્તી વૈજ્ઞાનિકો પર મને આસ્થા નથી. બૌદ્ધિક શ્રદ્ધા હોવી એ એક વસ્તુ છે, અને સત્યને હ્યદયમાં ઉતારવું એ બીજી વસ્તુ છે. માંદગીમાત્ર પાપ છે. માણસને ખાંસી થાય છે એ પણ પાપનું પરિણામ છે એ હું સમજી શકું છું. એ વાતની હું બેધડક હા પાડી શકું છું. મારું લોહીનું દબાણ એ અતિ પરિશ્રમનું પરિણામ છે. પણ મારે અતિશ્રમ શા સારુ કરવો જોઇતો હતો ? ઇતિશ્રમ અને ઉતાવળ એ પાપ જ છે. અને મને બરાબર ખબર છે કે હું દાક્તરોને બિલકુલ એ પાપ જ છે. અને મને બરાબર ખબર છે કે હું દાક્તરોને બિલકુલ બોલાવ્યા વિના ચલાવી શકત. ખ્રિસ્તી વૈજ્ઞાનિકોને વિશે હું નથી સમજી શકતો તે એ કે તેઓ શારીરિક આરોગ્ય અને વ્યાધિને એકંદરે વધારે પડતું મહત્ત્વ આપે છે.”

લૉર્ડ લોધિયન : “જ્યાં સુધી રોગ એ પાપ છે એમ માનીએ ત્યાં સુધી બધું ઠીક જ છે. ગીતા પણ કહે છે કે માણસે પંચેન્દ્રિયના વિષયોને તજવા જોઇએ કેમ કે માયા છે. ઇશ્વર એ જીવન, પ્રેમ અને આરોગ્યરૂપ છે.”

ગાંધીજી : “મેં એ વાત કંઇક જુદી રીતે મૂકી છે. ઇશ્વર સત્યરૂપ તો છે જ, કેમ કે અમારાં શાસ્ત્રો કહે છે કે સત્ય સિવાય બીજું કંઇ છે જ નહીં. એ જ વાત બીજા શબ્દોમાં કહીે તો ઇશ્વર એ જ જીવન છે. વળી મેં કહ્યું છે કે સત્ય અને પ્રેમ એ એક જ સિક્કા બે બીજુઓ છે; સત્ય એ સાધ્ય છે અને પ્રેમ એ સાધન છે.” - ‘હરિજનબંધુ’, ૩૦-૧-૧૯૩૮

જ ક્ષણે તે ત્રિવિધ તાપમાંથી મુક્ત થાય છે. દુનિયામાં એવો દાખલો જડતો નથી, તેથીએ સત્ય કંઇ મટી જતું નથી. જેમને ઇશ્વરમાં શ્રદ્ધા નથી, તેમને સારું મારી દલીલ નકામી છે, એ કબૂલ કરવું જોઇએ.

ક્રિશ્ચિયન સાયન્સ, ફેઇથ હીલિંગ ને સાઇકોથેરેપીમાં માનનારા રામનામની અંંદર રહેલા સત્ય વિશે કંઇક અંશે સાક્ષી પૂરશે. વાચકને હું બુદ્ધિથી બહુ સમજાવી શકું એમ નથી. જેણે સાકર યાખી નથી તેને તે ખાવાનું કહીને જ તેનું ગળપણ સિદ્ધ કરાય ને ?

એ પવિત્ર નામોચ્ચારણ સારુ જે શરતો પાળવી જોઇએ તે ફરી વાર અહીં લખવાની જરૂર નથી જોતો.

રામનામમાં શ્રદ્ધા હોય તેને જ સારુ ચરકનું પ્રામાણ્ય કામનું છે. બીજાઓ તે પર ધ્યાન છો ન આપે.

અણસમજુ બાળકોને માટે રામનામ છે જ નહીં. લાચાર હોવાને કારણે તેઓ માબાપની માયા પર નભે છે. આ બતાવી આપે છે કે, બાળકો પ્રત્યે ને સમાજ પ્રત્યે માબાપની ભારે જવાબદારી હોય છે. પોતાના રામનામ-ઉચ્ચારણથી બાળકોનું દર્દ મટી જશે એવું માનનારાં માબાપોને હું જાણું છું.

પંચમહાભૂતમાંથી બધું બને છે એટલે દવા પણ તેમાં આવી જાય છે માટે વપરાય એમ કહી વાત ઉડાવી દેવાય ખરી, પણ તેથી કંઇ કુદરતી ઉપચારનો છેદ ન ઊડી શકે.

હરિજનબંધુ, ૫-૫-૧૯૪૬

૨૬. આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા

ઇશ્વરસ્તવન ને સદાચારપ્રચાર એ દરદમાત્ર અટકાવવાનું સારામાં સારું ને સસ્તામાં વૈદું છે, એમાં મને જરાયે શક નથી. દુઃખ એ છે કે વૈદ્યો, હકીમો ને દાક્તરો આ સસ્તા ઉપાયનો ઉપયોગ કરતા જ નથી. ઊલટું, એ ઉપચારને તેઓના પુસ્તકમાં સ્થાન નથી, અથવા છે તો તેણે મંતરજંતરનું રૂપ લઇ લોકોને વહેમકૂપમાં ઉતાર્યા છે. ઇશ્વરસ્તવન કે રામનામને વહેમની સાથે કશો સંબંધ નથી. એ તો કુદરતનો સુવર્ણ કાયદો છે. જે તે પાળે છે તે રોગમુક્ત રહે છે, જે નથી પાળતા તે રોગગ્રસ્ત રહે છે. જે કાયદો નીરોગી રહેવાનો છે તે જ કાયદો રોગ થયા પછી તેમાંથી મુક્તિ પામવાને લાગુ પડે છે. સવાલ એ થાય કે, જે રામનામ લે છે ને સદાચાર પાળે છે, તેને રોગ થાય જ કેમ ? એ સવાલ યોગ્ય છે. માણસ સ્વભાવે જ અપૂર્ણ છે. વિચારવાન પૂર્ણતા તરફ દોડે છે, પણ સંપૂર્ણકદી થતો નથી. તેથી, અજાણપણે પણ ભૂલો કરે છે. સદાચારમાં ઇશ્વરના બધા કાયદા આવી જાય છે. પણ બધા કાયદા જાણે એવો સંપૂર્ણ પુરુષ આપણી પાસે નથી. જેમ કે, હદ ઉપરાંત કામ ન કરવું એ એક કાયદો. હદ છૂટી, એમ કોણ જાણે ? એ વસ્તુ માંદા પડ્યે જ જણાય. મિતાહાર ને યુક્તાહાર બીજો કાયદો છે. એ મર્યાદા ક્યારે કેમ જાણું ? આવા દાખલા તો ઘણા કલ્પી શકાય. તે બધાનો સાર એ જ કે, દરેક માણસે પોતાના વૈદ્ય થઇ પોતાને લગતો કાયદો શોધી કાઢવો. જે એ શોધી શકે ને તેનું પાલન કરી શકે, તે ૧૨૫ વર્ષ જીવે જ.

દાક્તર મિત્રો દાવો કરે છે કે, તેઓ સંપૂર્ણપણે નિસર્ગોપચાર કરનારા છે, કેમ કે, ઔષધમાત્ર કુદરતે બનાવ્યાં છે. દાક્તરો તેના પર્યાય કરે છે. એમાં ખોટું શું ? આ રીતે બધી વસ્તુ ઉડાવી શક્યા. હું તો આટલું કહું કે, રામનામ ઉપરાંત જેટલું કરાય એ નિસર્ગ કે કુદરતની વિરુદ્ધ છે. આ મધ્યબિંદુથી જેટલે દૂર જઇએ, એટલે દૂર ગયા. આ વિચારશ્રેણીએ ચાલતાં પાંચ મહાભૂતોનો મૂળ ઉપયોગ એ નૈસર્ગિક ઉપચારની હદ હું બાધું. પણ આગળ જનાર વૈદ્ય પોતાની આસપાસ જે ઔષધિ ઊગતી હોય કે ઊગી શકે, તેનો ઉપયોગ પૈસા કમાવા નહીં, કેવળ લોકસેવાર્થે કરે તે પણ પોતાને નૈસર્ગિક ઉપચારક ગણાવી શકે. એવા વૈદ્ય ક્યાં છે ? આજે તો તેઓ પૈસા કમાવાની ધડામારમાં પડ્યા છે. શોધખોળ કરતા નથી ને તેમને આળસે ને લોભે આયુર્વેદ કંગાળ સ્થિતિ ભોગવે છે.

હરિજનબંધુ, ૧૯-૫-૧૯૪૬

૨૭. ઊરુળીકાંચનમાં

ગાંધીજીએ પ્રાર્થનામાં એકઠા મળેલા ઊરુળીકાંચનના લોકોને શરીરના વ્યાધિઓને હરનારી અવ્વલ નંબરની કુદરતી ઔષધિ તરિકે રામનામની ભેટ ધરી. “આપણે હમણાં જે ભજન ગાયું તેમાં ભક્ત કહે છે કે ‘હે હરિ ! લોકોનાં દુઃખનો હરનારો તું છે.’ આમાં અપાયેલો કોલ સર્વ દુઃખોને લગતો છે. કોઇ એક ખાસ આધિ કે વ્યાધિની આમાં વાત નથી.” વળી ગાંધીજીએ તે લોકોને કુદરતી ઇલાજમાં સફળ થવાની શરતો જણાવી. રામનામની અસરનો આધાર તમારી તેના પર જીવંત શ્રદ્દા છે કે નથી તે વાત પર રહેલો છે. “તમે ક્રોધને વશ થાઓ, કેવળ શરીર નભાવવાને નહીં પણ મોજને ખાતર ખાઓ ને ઊંઘો તો જાણજો કે રામનામનો સાચો અર્થ તમે પામ્યા નથી. એ રીતનો રામનામનો જપ કેવળ હોઠેથી હશે, હૈયામાંથી નહીં હોય. રામનામનું ફળ મેળવવાને તે જપની વખતે તમારે તેમાં લીન થઇ જવું જોઇએ અને તેમારા આખા જીવનવહેવારમાં તે દેખાવું જોઇએ.”

પહેલો દરદી

બીજે દિવસે સવારતી દરદીઓ આવવા લાગ્યા. ત્રીસેક હશે. તેમાંના પાંચ કે છને ગાંધીજીએ તપાસ્યા ને તે બધાને માંદગીનો પ્રકારન જોઇ થોડો ફેર કરી તેના તે ઇલાજો સૂચવ્યા. એટલે કે, રામનામનો જાપ, સૂર્યસ્નાન, ઘર્ષણસ્નાન, કટિસ્નાન, દૂધ, છાશ, ફળોનો રસ અને પીવાને સારી પેઠે ચોખ્ખું તાજું પાણી. સાંજની પ્રાર્થનાસભા આગળ તેમણે ખુલાસો કર્યો : “ખરેખર એવું જોવામાં આવ્યું છે કે મનના અને શરીરના સર્વ આધિવ્યાધિઓનું સર્વસામાન્ય કારણ એક જ છે. તેથી તે સર્વને માટે એક સામાન્ય ઇલાજ હોય તે પણ સ્વાભાવિક છે. જેવી રોગોની તેવી ઇલાજની એકરૂપતા હોય જ. તેથી આજે સવારે મારી પાસે જે દરદીઓ આવ્યા તે બધાને રામનામ અને લગભગ એક જ જાતનો ઉપચાર બતાવ્યો. પણ જીવનવહેવારમાં શાસ્ત્રો ફાવતાં આવતાં નથી ત્યારે તેમનો મનમાનતો ખુલાસો મેળવી લેવાની કળા માણસે કેળવી છે. આપણા મન પર આપણે એક એવા ભ્રમને સવાર થવા દીધો છે કે શાસ્ત્રો કેવળ આવતા જન્મમાંં જીવનનું આધ્યાત્મિક કલ્યાણ થાય તે માટે અને ધર્મનું પાલન મરણ પછી કામ આવે તેવા પુણ્યની કમાણી કરવાને માટે છે. મારો મત એવો નથી. આ જીવનમાં ધર્મનો વહેવારમાં ઉપયોગ ન હોય તો આવતા જન્મમાં મારે તેનો શો ખપ ?”

“શારીરિક કે માનસિક આધિવ્યાધિથી તદ્દન મુક્ત એવો આ દુનિયામાં કોઇ વિરલો હશે. કેટલાક આધિવ્યાધિનો તો દુન્યવી ઇલાજ જ નથી. દાખલા તરીકે ખંડિત થયેલું એકાદું અંગ પાછું ઉગાડવાનો ચમત્કાર રામનામમાં થોડો જ છે ? પણ એથીયે મોટો ચમત્કાર કરી બતાવવાની તેની શક્તિ છે. અંગો ખંંડિત થયાં હોય કે દર્દો થયાં હોય છતાં આખા આયુષ્યભર અનિર્વચનીય શાંતિતી જીવવાની અને આયુષ્ય પૂરું થાય ને સૌને જ્યાં જવાનું છે તે ધામમાં જવાનો વારો આવે ત્યારે મરણમાં રહેલા ડંખનું અને ચિંતાના વિજયના ભયનું તે નિવારણ કરે છે એ નાનોસૂનો ચમત્કાર છે ? વહેલું કે મોડું મરણ જો આવવાનું જ છે તો તે ક્યારે તેની ફિકરમાં આગળથી જ શાને મરી જવું ?”

તે પછી તેમણે તે લોકોને કુદરતી ઇલાજનાં મૂળ તત્ત્વો વિશે પહેલું પ્રવચન આપ્યું. તેનો સાર નીચે આપ્યો છે :

કુદરતી ઉપચારનાં મૂળતત્ત્વો

“માણસનું ભૌતિક શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ એ પાંચ તત્ત્વો જે પંચમહાભૂતોને નામે ઓળખાય છે તેમનું બનેલું છે. એમાંનું તેજ તત્ત્વ શરીરને શક્તિ આપે છે. આત્મા તેને ચેતન આપે છે.”

“એમાં સૌથી જરૂરી હવા છે. માણસ ખોરાક વિના અઠવાડિયાં

ઇશ્વરના નામ જેવો શાન્તિની સ્થાપનાનો બીજો ચમત્કારી ઇલાજ મેં જાણ્યો નથી. - છાપાનો હેવાલ, ૧૦-૧-૧૯૪૬

જીવી શકે, પાણી વિના પણ થોડા કલાકો કાઢી શકે. હવા વગર થોડી મિનિટમાં તેનો દેહ અટકી પડે. ઇશ્વરે તેટાલ ખાતર હવા સૌને સહેજે મળે તેવી બનાવી. અન્નની ને પાણીની ખાતર હવા સૌને સહેજે મળે તેવી બનાવી. અન્નની ને પાણીની તંગી કોઇક વાર પડે, હવાની કદી નથી પડતી. આમ છતાં બેવકૂફોની માફક આપણે ઘરની અંદર બારીબારણાં વાસીને સૂઇએ છીએ ને ઇશ્વરની સાક્ષાત્‌ કૃપા જેવી તાજી ને ચોખ્ખી હવા ગુમાવીએ છીએ. ચોરની બીક લાગે તો રાત્રે ઘરનાં બારીબારણાં ભલે બંધ રાખો પણ તેથી જાતે તેમાં પુરાવાની શી જરૂર ?”

“ચોખ્ખી તાજી હવા મેળવવાને માણસે ખુલ્લામાં સૂવું. પણ ખુલ્લામાં સૂવું. અર્થ નથી. તેથી તમે જે જગા પર સૂવાનું રાખો ત્યાં ન ધૂળ હોય ન મેલ હોય. ધૂળ અને ટાઢથી બચવાને ઠેઠ માથે લગી ઓઢવાને કેટલાક લોકોને આદત હોય છે. મૂળ રોગના કરતાંય આ ઇલાજ ભૂંડો છે. બીજી બૂરી કુટેવ મોઢેથી શ્વાસ લેવાની છે. મોઢું ખોરાકપાણી શરીરમાં લેવાનું અંગ છે, શ્વાસ લેવાનું નથી. નસકોરાં વાટે ફેફસાંમાં પહોંચતી હવા ગળાઇને ચોખ્ખી થઇને અને વળી જોઇએ તેટલી ગરમી પકડીને જાય છે.”

“જે કોઇ ફાવે ત્યાં ફાવે તેમ થૂંકી, કચરો કે ગંદવાડ નાખી, અથવા બીજી રીતે હવાને બગાડે છે તે કુદરતનો ને માણસનો ગુનેગાર છે . માણસનું શરીર ઇશ્વરનું મંદિર છે. એ મંદિરમાં જનારી હવાને દૂષિત કરનાર મંદિરને પણ અભડાવે છે. તેનું રામનામ લીધેલું મિથ્યા છે.”

હરિજનબંધુ, ૭-૪-૧૯૪૬