રામનામ - 2 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

રામનામ - 2

(2)

૩. સહેલો મંત્ર

જ્યાં મનુષ્યત્ન કંઇ જ નથી કરતો ત્યાં ઇશ્વરની કૃપા કામ આવે છે. તેથી મેં ધારાળાઓને, અંત્યજોને તેમ જ કાળીપરજને રામનામનો જપ જપવાની ભલામણ કરી છે. સવારમાં સૂર્યોદય પહેલાં ઊઠી, દાતણ કરી, મોં સાફ કરી ઇશ્વર પ્રત્યે પ્રાર્થના કરે કે તે તેઓને પ્રતિજ્ઞાપાલનમાં સહાય કરે ને તેઓ રામનામ જપે. આમ જ રાતે સૂતી વેળાએ કરે. રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઇ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે. જેને ઉચ્ચાર ન આવડે, જે દ્ધાદશ મંત્ર પણ યાદ ન કરી શકે, ‘ઇશ્વર’ શબ્દનો ઉચ્ચાર જેમને અઘરો લાગે, તેવાને સારુ પણ ‘રામ’ શબ્દનું ઉચ્ચારણ

“તમારી કામવૃત્તિઓ તમારા પર સવાર થાય અને તમને લાચાર બનાવી મૂકે ત્યારે પગે પડીને તમે ઇશ્વરની મદદ માગજો. રામનામ અચૂક મદદરૂપ નીવડે છે. બહારની મદદ તરીકે તમે કટિસ્નાન કરજો, એટલે કે, ઠંડા પાણીથી ભરેલા ટબમાં તમે તમારા પગ બહાર રાખીને બેસજો.”- ‘સંતતિનિયમન’, પૃ. ૨૫૮

સહેલું છે. શ્રદ્ધાપૂર્વક જે એ નામનો જપ જપે તે હમેશા સુરક્ષિત છે એમ હું માનું છું.

નવજીવન, ૨૫-૧-૧૯૨૫

૪. રામનામ અને રાષ્ટ્રીય સેવા

પ્ર૦-કેવળ રામનામ લઇને, રાષ્ટ્રીયસેવા કર્યા વિના સ્ત્રી-પુરુષ મોક્ષ મેળવી શકે ખરાં કે ? આ પ્રશ્ન હું એટલા જ માટે પૂછું છું કે મારી કેટલીક બહેનો કહે છે કે ઘર સંભાળવું અને કોક કોક વાર ગરીબની ઉપર દયાભાવ બતાવવો એ ઉપરાંત કશું કરવાની જરૂર નથી.

ઉ૦-આ પ્રશ્ને સ્ત્રીઓને જ નહીં પણ ઘણા પુરુષોને પણ મૂંઝવ્યા છે. અને મને પણ એ પ્રશ્ન ઉકેલતાં બહુ મહેનત પડી છે. હું જાણું છું કે એક વિચારસંપ્રદાય એવો પડ્યો છે કે જે સંપૂર્ણ નિવૃત્તિનો અને પ્રવૃત્તિમાત્રની નિરર્થકતાનો ઉપદેશ કરે છે. એ ઉપદેશનઈ કિંમત મને સમજાઇ નથી, જોકે એનો સ્થૂલ સ્વીકાર કરવો હોય તો એનો મારો પોતાનો અર્થ કરી હું સ્વીકારી કરવો હોય તો એનો મારો પોતાનો અર્થ કરી હું સ્વીકારી છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વિકાસને માટે પ્રવૃત્તિની જરૂર છે, અને તે પણ ફલાભિસન્ધિરહિત પ્રવૃત્તિની. ‘રામનામ’ અથવા એવો જ કોઇ મંત્ર, બોલવાની ખાતર બોલવાની જરૂર નથી, પણ આત્મશુદ્ધિની ખાતર બોલવાની જરૂર છે, પ્રવૃત્તિને મદદ મળે તે માટે, ઇશ્વર સન્માર્ગે પ્રેરે તે માટે જરૂર છે. જો પ્રવૃત્તિમાત્ર મિથ્યા હોય તો કુટુંબનો ભાર ઉપાડવાની અને કોક કોક વાર ગરીબને મદદ આપવાની પ્રવૃત્તિ પણ શા સારુ ? આ પ્રવૃત્તિમાં જ રાષ્ટ્રીય સેવાનું બીજ રહેલું છે. અને બધી રાષ્ટ્રીય સેવામાં સમાજસેવા રહેલી છે, જેમ કુટુંબની નિઃસ્વાર્થ સેવાનો પણ એ જ અર્થ છે. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા ઉપરથી ઊતરી પડતો નથી. મોક્ષ તો હું ગરીબમાં ગરીબની સેવા વિના અને તેમની સાથે તાદાત્મ્ય વિના અશક્ય સમજું છું.

સેવાકાર્ય કે નામસ્મરણ ?

પ્ર૦-સેવાકાર્યના કઠણ પ્રસંગોએ ભગવદ્‌ભક્તિનો નિત્ય નિયમસાચવી ન શકાય તો તેથી કશું નુકસાન ખરું ? સેવાકાર્ય અને નામસ્મરણ બેમાં પ્રધાનપદ કોને આપવું ?

ઉ૦-કઠણ સેવાકાર્ય હોય કે એથીયે કઠણ પ્રસંગ હોય તોય ભગવદ્‌ભક્તિ એટલે કે રામનામ બંધ થઇ જ ન શકે. હ્ય્દયમાં અંકિત થઇ ચૂક્યું, પછી થોડું જ માળા છોડવાથી છૂટવાનું છે ?

હરિજનબંધુ, ૧૭-૨-૧૯૪૬

૫. રામની મદદ યાચો

ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે. ગમે તેવી કોશિશ કરવા છતાં અમારા દિલમાં ઘર કરી ગયેલા સેતાનને અમે હઠાવી શકતા નથી તેથી અમે જેવા છીએ તેવા ને તેવા રહીએ છીએ એમ એ લોકો લખે છે ત્યારે તે સૌને મારું હ્ય્દય દ્રવે છે. આજીજી કરી ્‌્‌એ લોકો કહે છે, “આ સેતાનને કેમ કાઢ્યો, અને અમને ઘેરી વળેલી અશુદ્ધિને કેમ મારી હઠાવવી તે અમને બતાવો.” હું એ લોકોને કહું છું કે રામનામ લો અને ઇશ્વરને ચરણે પડી તેની સહાય યાચો, ત્યારે તેઓ મને કહે છે : “ઇશ્વર ક્યાં વસે છે તે અમે જાણતા નથી. પ્રાર્થના કરવી એટલે શું તે પણ અમે જાણતા નથી.” આવી લાચાર દશા આ લોકોની થઇ છે....

એક તામિલ વચન હંમેશને માટે મારા દિલમાં કોતરાઇ ગયું છે. તેનો અર્થ છે : “સર્વ અસહાય લોકોને સહાય કરનારો ઇશ્વર છે.” એની સહાય યાચતી વખતે તમે જેવા હો તેવા, તમારું હ્ય્દય પૂરેપૂરું ખુલ્લું કરી તમારે તેની પાસે પહોંચવું જોઇએ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની મદદ યાચવી જોઇએ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની સહાય કરે એવા વહેમનો ડર તમારા દિલમાં જરાયે ન રહેવા દેવો જોઇએ. પોતાની પાસે સહાય મેળવવાને આવતા કોટ્યવધિ જીવોને જેણે સહાય કરી છે તે તમને છેહ દેશે કે ? પોતાને શરણે આવનાર કોઇને તે સહાય કર્યા વિના રહેતો નથી અને તેથી તમે જોશો કે તમારી એકેએક પ્રાર્થના તે મંજૂર રાખશે. આ બધું હું મારા અંગત અનુભવ પરથી કહું છું. એ નરકની

કેટલાક માને છે કે મંદિરમાં ગયા, આરતી ઉતારી, ભજનમાં ભળ્યા, રામનામ લીધું એટલે પ્રાર્થના થઇ ગઇ. પણ ભજન, રામનામ વગેરે બધાં પ્રાર્થનાનાં સાધન છે, સાધ્ય ઇશ્વરની સાથે અનુસંધાનિ છે. શબ્દ વિનાની પણ હ્યદયથી થતી પ્રાર્થના ચાલે, હ્યદય વિનાની પણ શબ્દડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે. આત્માનાં પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થના સાર્થક છે. એમાં દંભ ન હોય, આડંબર

યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.

યંગ ઇન્ડિયા, ૪-૪-૧૯૨૯

૬. જપની ખૂબી

સેરેસોલ : “આ એકની એક વસ્તુ ફરીફરીને ગવાય છે એ મારા કાનને રુચતું નથી. એ મારા બુદ્ધિવાદી ગણિતી સ્વભાવની ખામી હોઇ શકે. પણ મને એકના એક શ્લોકો ફરીફરીને ગવાય એ ગમતું નથી. દાખલા તરીકે બાકના અદ્‌ભુત સંગીતમાં પણ એકનું એક ભજન ફરીફરીને ગવાય છે ત્યારે મારા મન પર એની અસર પડતી નથી.”

ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું : “પણ તમારા ગણિતમાં પુનરાવર્તી દશાંશ હોય છે ને !”

સેરેસોલ : “પણ દરેક દશાંશ ફરી આવે છે ત્યારે નવી જ વસ્તુ સૂચવે છે.”

ગાંધીજી : “એ જ રીતે દરેક જપમાં નવો અર્થ હોય છે. દરેક જપ માણસને ઇશ્વરની વધારે સમીપ લઇ જાય ન હોય. જેમ ભૂખ્યા માણસને ભોજન મળ્યે સ્વાદ આવે છે, તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનાનો સ્વાદ ્‌આવવો જોઇએ. હ્ય્દયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી. હું મારા પોતાના અને મારા કેટલાક સાથીઓના અનુભવથી કહું છું કે જેને પ્રાર્થના હ્યદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે. જો ભૂલેચૂકે પણ પ્રાર્થના વિના તેનો દિવસ જાય છે તો ચિત્તશુદ્ધિ કરીને તે પોતાના આત્માનો મળ કાઢે ત્યારે જ તેને શાન્તિ થાય છે. - ‘નવજીવન’, ૨૬-૧-૧૯૩૦

છે. આ ખરેખરી હકીકત છે; અને હું તમને કહું કે તમે કોઇ સિદ્ધાંતવાદીની સાથે વાત નથી કરતા પણ એવા માણસની સાથે વાત કરો છો જેણે આ વસ્તુનો જીવનની પ્રતિક્ષણે અનુભવ કર્યો છે-એટલે સુધી કે આ અવરિત ક્રિયા બંધ થવી જેટલી સહેલી છે એના કરતાં જીવ નીકળી જવો વધારે સહેલો છે. એ આત્માની ભૂખ છે.”

“એ હું બરાબર સમજી શકું છું, પણ સામાન્ય માણસને માટે એ પોપટિયા ગોખણ થઇ જાય છે.”

“સાચું, ફણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દશ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઇએ જ એના જેવી વાત છે.”

સેરેસોલ : “પણ તમે આપેલા ઉપમાં જરા આગળ લઇ જાઉં. મકાન બંધાઇ રહે ત્યારે પાલખ ખસેડી લેવી જોઇએ ને ?”

“હા, જ્યારે આ દેહ ખસી જાય ત્યોર એ પણ ખસે.” “એમ કેમ ?”

વિલકિનસન આ સંવાદધ્યાનપૂર્વક સાંભળતા હતા. એમણે કહ્યું : “એટલા માટે કે આપણે નિરંતર બાંધ્યા જ કરીએ છીએ.”

ગાંધીજી : “એટલા માટે કે આપણે નિરંતર પૂર્ણતા માટે મથ્યા કરીએ છીએ. ઇશ્વર એકલો પૂર્ણ છે, મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી.”

હરિજનબંધુ, ૨૬-૫-૧૯૩૫

 

૭. રામનામનો જપ

પ્ર૦-કોઇની સાથે વાતચીત કરતી વખતે, કંઇ કઠણ કામમાં મગજ રોકાયેલું હોય ત્યારે અથવા ઓચિંતા ગભરાટના વગેરે પ્રસંગોએ પણ હ્ય્દયમાં રામનામનો જપ થઇ શકે ? આવી સ્થિતિમાં કોઇ જપ કરતા હોય તો તે કેમ કરતા હશે ?

ઉ૦-અનુભવ કહે છે કે માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઇ હોય ને રામનામ હ્ય્દયસ્થ થઇ ગયું હોય તો જ્યાં સુધી હ્ય્દય ચાલે છે ત્યાં સુધી હ્ય્દયમાં રામનામ ચાલતું રહેવું જોઇએ. એમ ન બને તો કહેવું જોઇએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે; અથવા કોઇ કોઇ વાર હ્ય્દય સુધી પહોંચતું હોય તોપણ હ્ય્દય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્ય્દયનો કબજો મેળવ્યો હોય તો પછી ‘જપ કેમ થાય’ એવો પ્રશ્ન પૂછવો ન જોઇએ. કારણ કે નામ જ્યારે હ્ય્દયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે, આ પ્રમાણે રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેને વિશે મને જરાય શંકા નથી. માત્રન ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્ય્દયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાગ પરિશ્રમની જરૂર છે, ધીરજની પણ આવશ્યકતા છે. પારસમણિ મેળવવો છે ને ધીરજ ન રાખીએ તે કેમ ચાલે ? ને રામનામ પારસમણિ કરતાં કેટલુંયે અમુલ્ય છે !’

હરિજનબધું, ૧૭-૨-૧૯૪૬

રામનામ

પ્ર૦-રામનામ હ્ય્દયસ્થ હોય એટલે બસ નથી ? એને મોઢે ઉચ્ચારવામાં ખાસ કંઇ છે ?

ઉ૦-રામનામ લેવામાં ખૂબી છે એમ હું માનું છું. જે માણસ ખરેખર એમ માને છે કે રામ તો તેના હૈયામાં રહ્યા છે, તેને સારુ રામનામ રટણની જરૂર નથી, એ હું કબૂલ કરું છું. પણ એવો માણસ મેં હજુ જોયો નથી. આથી ઊલટું, મારા અંગત અનુભવ પરથી હું કહી શકું કે, રામનામ-રટણમાં કંઇક ચમત્કાર છે. તે કેમ છે અને શો છે તે જાણવાની જરૂર નથી.

હરિજનબધું, ૧૪-૪-૧૯૪૬

૮. રામધૂન

આજની કેટલાયે લાખ માણસોની બનેલી સભા ઘણા વખત સુધી શાન્ત રહી હતી, પરંતુ ગાંધીજીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે લોકો ચંચળ બની ગયા અને વિખેરાવા લાગ્યા હતા. ગાંધીજીએ તેથી પોતાનું પ્રવચન ટૂંકમાં જ આટોપી લીધું. પ્રવચનમાં તેમણે કહ્યું કે સભામાંના થોડા પુરુષો રામધૂન બરાબર ઝીલતા હતા ને બરાબર તાલ પ્રમાણે તાળી પાડતા હતા ત્યારે સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઇ ધૂન ઝીલતું હતું જેમને થોડોસરખોયે અનુભવ થયો છે એ સૌ રામધૂનમાં એટલે કે ઇશ્વરના નામનું હ્યદયના ઊંડાણમાંથી રટણ કરવામાં કેવી તાકાત રહેલી છે તે જાણે છે. પોતાના બૅન્ડના સૂરની સાથે તાલમાં પગલાં માંડતા લાખો લશ્કરી તાકાતે દુનિયામાં હોય છે તે મને ખબર છે. પરંતુ લશ્કરી તાકાતે દુનિયામાં કેવી તારાજી કરી છે તે રસ્તે ચાલનારો કોઇ પણ આદમી જોઇ શકે છે. આજે યુદ્ધનો અંત આવ્યો છે એમ કહેવાય છે, પણ યુદ્ધોત્તર દશા પ્રત્યક્ષ યુદ્ધ ચાલતું હતું તે દરમિયાન થયેલી દશાથીયે બદતર છે. લશ્કરી તાકાતની નાદારી આ પરથી સાબિત થાય છે.

જરાયે સંકોચ વિના હું આ સ્થળેથી જાહેર કરવા માગું છું કે માનવજાતના લાખો માણસો સાથે મળીને બરાબર તાલમાં રામધૂન જગાવે છે ત્યારે લશ્કરી તાકાતના કરતાં જુદા પ્રકારની પણ અનંતગણી ચડિયાતી શક્તિપ્રગટ થાય છે. અને બિજું, હ્યદયના ઊંડાણમાંથી ઊઠતી ઇશ્વરના નામની આ ધૂન આજે જેખાના ખરાબી ને વિનાશ જોવાનો મળે છે તેને ઠેકાણે કાયમની શાન્તિ અને સુખ નિર્માણ કરશે.

હરિજનબંધ, ૩૧-૮-’૧૯૪૭

૯. યૌગિક ક્રિયાઓ

એક મિશનરી મિત્રે ગાંધીજીને પૂછ્યું : “તમે કોઇ યૌગિક ક્રિયાઓ કરો છો કે કેમ ?” તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું :

યોગની ક્રિયાઓ હું જાણતો નથી. હું જે ક્રિયા કરું છું તે તો બાળપણમાં મારી દાઇ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો. એટલે એ મનેે કહેતી : ‘ભૂત જેવું કંઇ છે જ નહીં, છતાં તને ડર લાગે તો રામનામ લેજે.’ હું બાળપણમાં જે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઇશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુઓનો

ઇસ્લામનો અલ્લા તે જ ખિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ઇશ્વર છે. હિંદુ ધર્મમાં જેમ ઇશ્વરનાં અનેક નામ છે તેમ ઇસ્લામમાં પણ ખુદામાં ઘણાં નામ છે; એ નામોથી જુદી જુદી વ્યક્તિઓનું નહીં

અર્થ તો એક જ છે, નેસમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે, માત્ર એ નામસ્મરણ તે પોપટિયા ન હોવું જોઇએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઇએ.

હરિજનબંધુ, ૬-૧૨-૧૯૩૬

૧૦. સચોટ મદદ

ઇશપ્રાપ્તિમાં રામનામ ખાતરીલાયક મદદ આપે છે, એમાં શક નથી. હ્યદયથી તેનું રટણ કરીએ તો તે અસદ્‌ વિચારને ભગાડી મૂકે છે. અને અસદ્‌ વિચાર જ ન હોય તો અસદ્‌ આચાર ક્યાંતી સંભવે ? મન નબળું હોય તો બાહ્ય મદદ નકામી છે, મન શુદ્ધ હોય તો તેની જરૂર નથી. એનો અર્થ એ નથી કે, શુદ્ધ મનવાળો માણસ ગમે તે છૂટ લઇનેયે સુરક્ષિત રહી શકે. આવો માણસ પોતાની જાતની સાથે છૂટ લે જ નહીં. તેનું આખું જીવન તેની અંતરની શુદ્ધતાની અચૂક સાખ પૂરશે. ગીતામાં એ જ સત્ય કહેલું છે કે, મનુષ્યનું મન જ તેને તારે છે કે મારે છે. એ જ વિચાર અંગ્રેજ કવિ મિલ્ટને બીજી રીતે મૂક્યો છે. તે કહે છે કે, ‘માનવીનું મન ચાહે તો નરકનું સ્વર્ગ ને સ્વર્ગનું નરક કરી શકે છે.’

હરિજનબધું, ૧૨-૫-૧૯૪૬

પણ ઇશ્વરનાં જુદાં જુદાં લક્ષણોનું સૂચન થાય છે; અને સર્વસમર્થ ઇશ્વર સર્વ લક્ષણોથી પર, અવર્ણનીય અને માપી ન શકાય એવો હોવા છતાં બિચારા માનવે તેના પર અનેક લક્ષણોનું આરોપણ કરી તેનું વર્ણન કરવાની અદના કોશિશ કરી છે. - હરિજન, ૧૨-૮-૧૯૩૮