રામનામ - 6 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામનામ - 6

(6)

૨૮. ઊરુળીકાંચનમાં કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારમાં બે પાસાં છે : એક, ઇશ્વરશક્તિ. એટલે કે રામનામથી રોગ મટાડવા, અને બીજું, રોગ થાય જ નહીં એવા ઇલાજ લેવા. મારા સાથીઓ લખે છે કે, કાંચન ગામના લોકો સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે. જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય તો વૈદ, હકીમ કે દાક્તરની જરૂર રહેતી નથી.

કાંચનમાં ગાયોની સંખ્યા નહીં જેવી છે. આને હું એક કમનસીબી લેખું છું. થોડી ભેંશો છે ખરી; પણ મારી પાસે જે પુરાવો છે તે પરતી જણાય છે કે એ બેમાં ગાય વધારે ઉપયોગી જાનવર છે. વળી, ગાયનું દૂધ તંદુરસ્તીને પોષક છે, અને ગાય જેટલી ઉપયોગી છે તેટલી ભેંશ નથી. બીમારોને માટે તો વૈદો ગાયના દુધનો ઉપયોગ કરવાનું જ કહે છે. માટે તો વૈદો ગાયના દૂધનો ઉપયોગ કરવાનું જ કહે છે. એટલે હું આશા રાખું છું કે કાંચનવાસીઓ ઊરુળીમાં ગાયોનું એક ધણ રાખશે જેથી સૌને ગાયનું તાજું સ્વચ્છ દૂધ મળે. તંદુરસ્તી જાળવવા માટે દૂધની ઘણી જરૂર રહે છે.

કુદરતી ઉપચારના મૂળમાં એે વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઇ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાની કે શહેરની આદર્શ રચના સમાઇ જાય છે. અલબત્ત એ રચનાનું મધ્યબિંદુ તો ઇશ્વર જ હોય.

હરિજનબંધુ, ૨૬૫-૧૯૪૬

૨૯. ગરીબો માટે કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારમાં જીવનપરિવર્તનની વાત તો છે જ. આ કંઇ વૈદનું પડીકું લેવાની અથવા ઇસ્પિતાલમાંજઇને મફત દવા લેવાની કે ત્યાં રહેવાની વાત નથી. મફત દવા લેનારી ભિખારી બને છે, કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી નથી બનતો. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનોઉપાય પોતાની મેળે કરી લે છે. તથા શરીરમાંથી ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે એવો પ્રયત્ન કરે છે. વળી કુદરતી ઉપાયમાં મધ્યબિંદુ તો રામનામ છે ને ? રામનામથી માણસ સલામતી મેળવે છે. પણ નામ અંતરમાંથી નીકળવું જોઇએ.રામનામ અંતરમાંથી નીકળે તે માટે નિયમપાલનની જરૂર રહે છે, અને ત્યારે જ માણસ નીરોગી થાય. આમાં મહેનતની કે ખર્ચની વાત નથી. મોસંબી ખાવી એ ઉપચારનું અનિવાર્ય અંગ નથી, પથ્ય ખોરાક, યુક્તાહાર એ અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવા કંગાળ છીએ તેવાં કંગાળ આપણાં ગામડાં છે. ગામડાંમાં શાકભાજી, ફળ વગેરે પેદા કરવાં એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે તે વ્યર્થ જતો નથી, એટલું જ નહીં તેનાથી બધાં ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૩૦. કુદરતી ઉપચાર અને આધુનિક ઉપચાર

આ વાત કેવળ ગામડિયાઓ સારુ, ગામડાં સારુ છે, એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’ કિરણો વગેરેને કશું સ્થાન નથી. ક્વિનાઇન, ઇમેટિન, પેનિસિલીન જેવી દવાઓને પણ નેચર ક્યારેમાં સ્થાન નથી. ગ્રામસફાઇ, ઘરસફાઇ, અંગસફાઇ અને આરોગ્યરક્ષણને પ્રથમ સ્થાન છે અને તે પૂરતાં છે. એટલું થઇ શકે, તો વ્યાધિ આવ્યો હોયતો તેને કાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. ઉપચાર સાર્વજનિક ન થઇ શકે, જ્યાં લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. એટલે રામનામરૂપી ઉપચાર એકાએક સાર્વજનિક ન થઇ શકે. પણ પંચમહાભૂતોમાંથી એટલે પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુમાંથી જે દોહન કરી શકાય તે શક્તિનું દોહન કરીને વ્યાધિ મટાડવાનો આ પ્રાયસ છે અને ત્યાં મારી દૃષ્ટિએ કુદરતી ઉપચારનો અંત આવી જાય છે. એટલે જે પ્રયોગ અત્યારે ઊરુળીકાંચનમાં ચાલી રહ્યો છે, તે ગ્રામવાસીઓને સ્વાસ્થ્યરક્ષાની કળા શીખવવાનો અને રોગી છે, તેનો રોગ પંચમહાભૂત મારફત મટાડવાનો છે. એમાં જરૂર જણાતાં ઊરુળીની ઉપસ્થિત વનસ્પતિઓનો ઉપયોગ થશે, ને આમાં પથ્યાપથ્યનો સમાવેશ થઇ જાય છે.

હરિજનબંધુ, ૧૮-૮-૧૯૪૬

૩૧. અંતદૃષ્ટિ કેળવો

જે કંઇ કરવું હોય તેમાં પશ્ચિમ તરફ નજર કરીએ તો જ આગળ વધી શકાય, એ ભ્રમ કાઢી નાખવા જેવો છે. કુદરતી ઉપચાર શીખવા સારુ જો પશ્ચિમમાં જવું પડે, તો તે ઉપચાર હિંદુસ્તાનને કામ આવે એમ હું માનતો નતી. હંમેશાં ન હોવી જોઇએ. દરેક માણસ શીખી લઇ શકે એવી એ સહેલી વસ્તુ છે. રામનામ લેતાં શીખવા વિલાયત જવું જોઇએ, તો આપણા બાર જ વાગી જાય ના ? રામનામ મેં પાયો ગણ્યો છે. તેમ જ પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુના ઉપચારને સારુ દરિયાપાર જવાની જરૂર હોઇ જ ન શકે, એ સાફ સમજાય એવું છે. જે બીજું શીખવાનું હોય તે અહીં જ છે, ગામડાંમાં છે. ગામડાંનાં વસાણાં કંઇ બહારથી નથી મળવાનાં. તે તો આયુર્વેદમાં છે જ. આયુર્વેદીઓ ધૂર્ત હોય તો તે કંઇ કબૂલ કરશે. પણ તે શીખવાનાં પુષ્કળ સાધનો આ દેશમાં મળી શકે છે. મતલબમાં, પશ્ચિમમાં જે કંઇ સારુ છે, તે એવું હોવું જોઇએ ને એવું છે કે બધી જગ્યાએ શીખી શકાય. વળી એટલું અહીં કહી જવું જરૂરનું છે કે કુદરતી ઉપચાર શીખવા સારુ શરીરશાસ્ત્ર શીકવાની જરૂર છે, એવું કંઇ જ નથી.

ક્યુને, જુસ્ટ, ફાધર કનાઇપ વગેરે લેખકોએ જે લખ્યું છે, તે સાર્વજનિક ને સર્વવ્યાપક છે, સીધું છે. તે જાણવાનો આપણો ધર્મ છે. કુદરતી ઉપચાર જાણનારની પાસે એનું થોડુંઘણું જ્ઞાન હોય છે, હોવું જોઇએ. કુદરતી ઉપચારે હજુ ગામડાંમાં પ્રવેશ કર્યો જ નથી. એ શાસ્ત્રમાં આપણે ઊંડે ઊતર્યા જ નથી, કરોડોની દૃષ્ટિએ તેનો વિચાર થયો નથી. તેનો આરંભ જ થયો છે. છેવટે તે ક્યાં જઇને ઊભશે, એ કોઇ કહી જોઇએ તેમ તપ જોઇએ. નજર પશ્ચિમ તરફ ન જાય પણ અંદર જાય.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૩૨. કુદરતના નિયમો

“આપની સૂચના મુજબ રામના-સચ્ચિદાનંદના નામનું રટણ કરવાના મારા પ્રયાસો ચાલુ છે, ને મારી ક્ષયરોગની બીમારીમાં સુધારો થતો આવ્યો છે. ખરું કે, સાથે તબીબી ઉપચારો પણ ચાલું છે. પણ આપ કહો છો કે, યુક્તાહાર ને મિતાહારથી માનવી રોગમુક્ત રહી શકે ને પોતાનું જીવન લંબાવી શકે. હું તો આજ પચીસ વર્ષ થયાં મિતાહારી રહ્યો છું, છતાં આજે આવી માંદગીનો ભોગ બન્યો. એને શું પૂર્વજન્મનું કે આ જન્મનું કમનસીબ કહેવાય ? વળી આપ ૧૨૫ વર્ષ જીવી શકાય એમ પણ કહો છો. તો આપને સ્વ. મહાદેવભાઇની ઘણી જરૂર હતી એમ ઇશ્વર જાણતો હોવા છતાં, તેણે તેમને ઉપાડી લીધા. યુક્તાહારી ને મિતાહારી સ્વ. મહાદેવભાઇ આપને ઇશ્વરરૂપ સમજી જીવતા હતા, છતાં બ્લડ પ્રેશરનો એટલે કેલોહીના દબાણની બીમારીનોભોગ બની કેમ ચાલી ગયા ? ભગવાનનો અવતાર મનાતા રામકૃષ્ણ પરમહંસ ક્ષયના જેવા જ જીવલેણ મનાતા કૅન્સરનો ભોગ બની કેમ મૃત્યુવશ થયા ? એઓ કૅન્સરનો સામનો કેમ ન કરી શકયા ?”

હું તો સ્વાસ્થ્ય જાળવવામાં જે પોતેજાણું છું તે નિયમ બતાવી રહ્યો છું. પણ મિતાહાર કે યુક્તાહાર કોને કહેવો એ દરેક વ્યક્તિને વિશે જાણવું ઘટે. બહુ વાચન કર્યું હોય ને વિચાર્યું હોય તો સારામાં સારી રીતે પોતે જ જાણી શકે; પણ એનો અર્થ એ ન થયો કે એ જ્ઞાન શુદ્ધ છે અથવા પૂર્ણ છે. આથી જિંદગીને કટેલાક પ્રયોગસાળા કહે છે. અનેકના અનુભવનો સંગ્રહ કરી એમાંથી જાણવાનું જાણી લઇને આગળ વધીએ. પણ એમ કરતાં સફળતા ન મળે તોયે કોઇને દોષ ન દઇએ, આપણે પોતે પણ ન ઓઢીએ. નિયમ ખોટો છે એમ કહેવાનું ઝટ સાહસ ન કરીએ. પણ બુદ્ધિપૂર્વક એમ લાગે કે એ નિયમ ખોટો છે તો ખરો શો છે તે બતાવવાની શક્તિ મેળવીને તેનો પ્રચાર કરીએ. તમારે પોતાને વિશે ક્ષયરોગથવાનાં ઘણાં કારણો હોઇ શકે. પંચમહાભૂતોનો તમારે વિશે તમે જોઇએ તેવો ઉપયોગ કર્યો છે કે નહીં એ પણ કોણ કહી શકે ? એટલે જ્યાં લગી કુદરતના નિયમો હું જાણું છું ને ખરા માનું છું, ત્યાં લગી મારે તો એમ જ મનાવવાનું રહ્યું કે ક્યાંક પણ પંચમહાભૂતોનો ઉપયોગ કરવામાં તમે ભૂલ કરી છે. મહાદેવ ને રામકૃષ્ણ પરમહંસ વિશે તમે શંકા ઉઠાવી છે એનો જવાબ પણ મેં જે ઉપર લખ્યું છે તેમાં આવી જાય છે. એમણે પણ ક્યાંક ભૂલ કરી હશે એમ માનવું એ નિયમ કંઇ મારો બનાવેલો નથી; કુદરતનો એ નિયમ છે એમ ઘણા અનુભવીઓએ કહ્યું છે. અને એ વચન માનીને હું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાકી સાચી વાત એ જ છે કે બીજો કોઇ, અપૂર્ણ માનવી, તે કેમ જાણી શકે ? દાક્તરો એને નથી માનતા. અથવા માને છે તો બીજો અર્થ કરે છે. એની અસર મારા પર કંઇ થતી નથી. નિયમનું આમ સમર્થન કરવા છતાં, મારા કહેવાનો એ અર્થ નથી નીકળતો, ન કાઢવો જોઇએ કે ઉપરની એકે વ્યક્તિનું મહત્ત્વ ઓછું છે.

હરિજનબંધુ, ૪-૮-૧૯૪૬

૩૩. બાધાઆખડી વિ૦ રામનામ

એક મિત્ર સરસ હળવી મજાક કરે છે કે,

“કુદરતી ઉપચારને, શ્રદ્ધા એટલે કે બાધાઆખડીનો ઉપચાર કહેવામાં આવે છે, તેની સાથે નિકટનોસંબંધ છે કે કેમ, એવો પ્રશ્ન મારા મનમાંઊઠે છે. કોઇ પણ પ્રકારના ઉપચારમાં શ્રદ્ધાની આવશ્યકતા રહે છે એ નિર્વિવાદ છે. પણ કેટલાક ઉપચારો કેવળ બાધાઆખડીના જ હોય છે. દાખલા તરીકે બળિયા અને પેટના દુખણાના ઉપચારો. આપને કદાચ ખબર હશે કે, ખાસ કરીને દક્ષિણમાં, બળિયાને માટે કોઇ પણ પ્રકારના વૈદ્યકીય ઉપચારો કરવામાં આવતા નથી. એ ઇશ્વરની લીલા મનાય છે. એના ઉપચાર તરીકે અમે મરિયમ્મા દેવીની પૂજા કરીએ છીએ અને અજાયબીની વાત એ છે કે મોટા ભાગના દરદીઓ તેથી સાજા થાય છે. લાંબા વખતથી ઘર કરી બેઠેલા પેટના દુખણાના દરદને માટે પણ ઘણા તિરુપતિની દેવીની માનતા માને છે અને દરદમાંતી સાજા થઇ લોકો દેવીને માન્યો હોય તેવો ભોગ ધરાવે છે. મારી માનો જ દાખલો આપું. તે એવા જ પેટના દુખણાના દરદથી પીડાતી હતી. પણ તિરુપતિ જઇ આવ્યા પછી તેનું દુખણું મટી ગયું છે.”

“કૃપા કરીને આ બાબતમાં આપ મને સમજૂતી આપશો ?અને હું આપને પૂછી શકું ખરો કે, કુદરતી ઉપચાર ઉપર પણ આવી જ શ્રદ્ધા રાખી વારંવાર કરવા પડતા દાક્તરના ખરચમાંથી લોકોએ ઊગરી કાં ન જવું ? ચૉસરે (એક અંગ્રેજ કવિ) દાક્તરને વિશે કહ્યું છે કે, દરદીને સદાયે દરદી રાખવાને - જે પ્રાપ્ત પરિસ્થિતિનો એક ભાગ જ છે - તે ફાર્મસીવાળાઓ સાથે કાવતરું ચલાવ્યે રાખે છે.”

ઉપર ટાંકવામાં આવેેલા દાખલાઓ નથી કુદરતી ઉપચાર કે નથી રામનામ, જેનો મેં તેમાં સમાવેશ કર્યો છે. પરંતુ એ ઉદાહરણ ખસૂસ બતાવે છે કે, કોઇ પણ પ્રકારના ઉપચાર વિના ઘણા દાખલાઓમાં, કુદરત આપોઆપ દરદ મટાડે છે. એ દાખલાઓ, હિંદીઓના જીવનમાં વહેમ કેવો ભાગ ભજવે છે એ વસ્તુ પણ, અલબત્ત બતાવે છે. રામનામ, જે કુદરતી ઉપચારનું કેન્દ્ર છે, તે વહેમનો શત્રુ છે. અપ્રામાણિક લોકો બીજી કોઇ વસ્તુ કે પ્રથાનો દુરુપયોગ કરે, તે જ પ્રમાણે રામનામનો પણ દુરુપયોગ કરવાના. કેવળ મોઢેથી રામનામ બબડવું એને ઉપચાર સાથે કશો સંબંધ નથી. હું બરાબર સમજતો હોઉં તો માનતાકે બાધાઆખડીનો ઉપચાર, એ પેલા મિત્રે વર્ણવ્યો છે, તેવો આંધળો ઇલાજ છે અને તે જીવતાજાગતા ઇશ્વરના જીવંત નામની હાંસી છે, રામનામ કલ્પનાનું તૂત નથી. એનો નાદ હ્ય્દયમાં ઊઠવો જોઇએ. એ ઇશ્વર પરની જીવંત શ્રદ્ધા છે, તથા તેના કાયદાનું જ્ઞાન છે. એ જ્ઞાન તથા એ શ્રદ્ધા બીજી કોઇ વસ્તુની સહાય વિના સંપૂર્ણપણે દરદ મટાડે છે. એ કાયદો એ છે કે, સંપૂર્ણ મન પર શરીરની સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર છે. પૂર્ણ મન પૂર્ણ હ્ય્દયમાંથી ઉદ્‌ભવે છે. દાક્તરના સ્ટેથોસ્કોપની જાણી શકાય છે તે હ્ય્દય આ નથી. આ તો ઇશ્વરનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે હ્ય્દયમાં ઇશ્વરનું મંદિર છે. એવું કહેવામાં આવે છે. કે હ્ય્દયમાં ઇશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે માણસના મનમાં મેલો કે નકામો વિચાર પ્રવેશ કરી શકતો નથી. વિચારની શુદ્ધિ હોય ત્યાં રોગ અશક્ય બની જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ હોય એમ બને. પરંતુ એનો સ્વીકાર કરતાંની સાથે તંદુરસ્તીના શિખર પર ચડવાને પહેલું થાય. અત્યાર સુધીમાં માણસે ખોળી કાઢેલા કુદરતના નિયમોનું પાલન જીવનમાંઆવો ધરમૂળનો ફેરફાર કરતાંની સાથે સ્વાભાવિક રીતે જ થાય છે. એ નિયમોની સાથે રમત કરનાર કોઇ પણ પોતાનું હ્ય્દય નિર્મળ છે એવો દાવો ન કરી શકે. વળી એમ પણ કહી શકાય કે એ જ રીતે હ્ય્દય નિર્મળ હોય તો રામનામ વિનાયે ચાલે. શુદ્ધતા પ્રાપ્ત કરવાનો બીજો રસ્તો હું જાણતો નથી. પ્રાચીન કાળનઆ દુનિયાભરના શાધુસંતોએ એ જમાર્ગ અખત્યાર કર્યો છે તેઓ ધર્માત્મા હતા, વહેમી માણસો કે ધુતારા નહોતા.

આ જો ક્રિશ્ચિયન સાયન્સ કહેવાતું હોય તો એની સામે મારે કશો વાંધો નથી.રામનામનો માર્ગ કંઇ મારી શોધ નથી ઘણું કરીને, એ શોધ ખ્રિસ્તી યુગથી ઘણી પુરાણી છે. એક પત્રલેખક એવો પ્રશ્ન પૂછે છે કે, ખરેખર શસ્ત્રક્રિયાની જરૂર હોય તે રામનામ ફરી પાછો જેવો ને તેવો ન કરી શકે. ઘણા દાખલાઓમાં શસ્ત્રક્રિયા બિનજરૂરી હોય છે. જ્યાં એની જરૂર હોય ત્યાં તે કરવી રહી. પણ ઇશ્વર પર આસ્થાવાળો માણસ પોતાનું એકાદ અંગ ગુમાવી બેસે તો તેની ચિંતા કરતો નથી. રામનામનું રટણ કંઇ ઊંટવૈદું કે કામચલાઉ ઇલાજ નથી.

હરિજનબંધુ, ૯-૬-૧૯૪૬