PARYUSHAN PARV... MY GUJARATI POEMS PART 64 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ...

કાવ્ય 01

પર્યુષણ પર્વ...

મોજ શોખ પાછળ ખુબ દોડયા
આવ્યો આઠ કર્મ ખપાવવા નો પર્વ
એતો છે પર્યુષણ મહાપર્વ

મોહમાયા પાછળ થયાં પાગલ
બાંધ્યા અણધાર્યા પાપ કર્મો
પાપ કર્મો એ ઉઘાડ્યા નરક ના દ્વાર

પાપ કર્મો ખપાવવા આવ્યો મોટો પર્વ
"હું" ને પછાડી "હું" ને પામવા નો પર્વ
અહમ ને ભુલાવી અર્હમ શરણ થવા નો પર્વ

દાન ધર્મ ને શીયળ પાળવા નો પર્વ
તપ અને આરાધના કરવા નો પર્વ
જીવદયા અને અનુકંપા નો પર્વ

પાર્થિવ શરીર ની મોહમાયા ભૂલી
ક્ષમાયાચના માંગવા અને આપવા નો પર્વ
પ્રભુ મહાવીર ના પંથે ચાલવા નો પર્વ

આવ્યો ...આવ્યો છે ..
પર્વ મા સર્વોત્તમ પર્યુષણ મહાપર્વ
ચૂકશો નહી સુવર્ણ તક

આવો કરીએ હર્ષ થી વધામણાં પર્યુષણ પર્વ ના
બનાવીએ યાદગાર આ પર્યુષણ પર્વ ને
સંત સાધુ ને ગુરુજી ના સાનિધ્ય મા...

કાવ્ય 02

🙏પર્યુષણ મહાપર્વ🙏

આવ્યું આવ્યું પર્વ મા સર્વોપરી
પર્વ એવું પર્યુષણ મહાપર્વ..

આઠ પ્રકાર ના પાપકર્મો નો ક્ષય
કરી આઠ આઠ દિવસ ઉજવાય
પર્યુષણ મહાપર્વ..

તપ અને ત્યાગ ની ભાવના નું પર્વ
ધર્મ અને કર્મ કરવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..

આરાધના કરવા નું પર્વ
રાગ અને દ્વેષ છોડવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..

આંખ ને ખોલી દીલ માં
કરુણા પ્રગટાવા નું પર્વ
સવાર સાંજ પ્રતિક્રમણ કરવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..

પાપ નો ક્ષય કરી કર્મોદય દ્વારા
સ્વર્ગ કે મોક્ષ ના દ્વાર ખોલવાનું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..

ભુલ ભૂલી એકબીજા ની
બે હાથ જોડી નતમસ્તક
મિચ્છામીદુક્કડં કહેવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..

આવ્યું આવ્યું પર્વ મા સર્વોપરી
પર્વ એવું પર્યુષણ મહાપર્વ....

કાવ્ય 03

પ્રતિક્રમણ...

હા પસ્તાવો, વિપુલ ઝરણુ સ્વર્ગ માંથી
ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્યશાળી
બને છે.... કવિ કલાપી

મનુષ્ય ભવે હાલતાં ચાલતાં જાણતા અજાણતા લાગે બારવ્રત ના અક્ષમ્ય પાપ,

સૂક્ષ્મ મા સૂક્ષ્મ જીવો ને ધ્યાન માં રાખી
બન્યું પાપ કર્મો નું પ્રાયશ્રિચત કરવા માટે પ્રતિક્રમણ

પ્રતિક્રમણ ના પ્રકાર છે પાંચ, જેમાં પર્યુષણ પર્વ માં કરાય સવારે રાઇસી પ્રતિક્રમણ ને સૂર્યાસ્તે કરાય દેવસી પ્રતિક્રમણ

પર્યુષણ ના આખરી આઠમા દિવસે સૂર્યાસ્તે કરાય સૌથી મોટું સંવત્સરી પ્રતિક્રમણ

અઢાર લાખ ચોવીસ હજાર એકસો વીસ જીવાયોની ના જીવો ને હાલતાંચાલતાં જાણતાઅજાણતા ભેદ્યયા કે હણ્યા હોય આશાતના ઉપજાવી હોય તો પ્રતિક્રમણ કરી ને ખમાવાય છે

અહો પ્રભુ અજાણતાં કર્યા છે મેં કેવા કેવા અઘોર પાપ, હે પ્રભુ ક્યારે હું છૂટીશ આવા કર્મો માંથી

થાય આવો દીલ થી પ્રશ્રયાતાપ ત્યારે કર્યું કહેવાય ખરું પ્રતિક્રમણ અને ક્ષય થાય અનંત અનંત બાંધેલ કર્મો નો....

સંવત્સરી પ્રતિક્રમણ કરી કહેવાય નાના મોટા ને બે હાથ જોડી મસ્તક નમાવી
"મિચ્છામિ દુક્કડમ્"

મતલબ પ્રતિક્રમણ કરી આપ સૌને ખરા અંતઃકરણ થી મન વચન કાયા ના યોગ થી કાંઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો ખમાવું છુ...

સાચી માફી માંગી ત્યારે કહેવાય જ્યારે કરેલા કર્મો નો થાય દીલથી અશ્રુભીની આંખે પસ્તાવો

સાચા દિલે માફી માગનાર અને સાચા દિલે માફી આપનાર બન્ને છે મહાન..

માફી માંગવા માં કોઈ ની થતી નથી હાર-જીત.....જીત થાય છે બાંધેલા કર્મો નો ક્ષય કરનાર ની ..

પ્રતિક્રમણ કરવાથી અનંત પાપકર્મ નો થાય વિનાશ અને પુણ્ય ની થાય છે પાપકર્મ ઉપર જીત ...

કાવ્ય 04

મહાવીર સ્વામી જન્મ ના ...ચૌદ સ્વપ્ન

ત્રિશળા વીર નંદન કી
જય બોલો મહાવીર કી

ઈ. પૂ ૫૯૯-૫૨૭ ચૈત્રી સુદ તેરસ ના
રોજ બિહાર ના કુંડળગામ ઈક્ષ્વાકુ કુળ માં

રાજા સિદ્ધાર્થ ને માતા ત્રિશળા ને ત્યાં ભગવાન વર્ધમાન મહાવીર ના જન્મ પૂર્વ

માતા ત્રિશળાદેવી ને અર્ધનિંદ્રા અવસ્થામાં ચૌદ શુભ સંકેતો ના સ્વપ્નો આવેલા...

માતા ત્રિશળા દેવી ને આવ્યું પ્રથમ સ્વપ્ન ચાર દાંત વાળા હાથી નું - દાન શિયળ તપ ભાવ ના સંકેત નું

માતા ત્રિશળા દેવી ને આવ્યું બીજું સ્વપ્ન
વૃષભ નું - ભરતક્ષેત્રે બોધિ બીજ ની વાવણી નું

માતા ત્રિશળા દેવી ને આવ્યું ત્રીજું સ્વપ્ન
સિંહ નું - કામરૂપી હાથી ને નષ્ટ કરી વન્ય જીવ રક્ષણ નું

માતા ત્રિશળા દેવી ને આવ્યું ચોથું સ્વપ્ન
લક્ષ્મી દેવી નું - વરસીદાન આપી મોક્ષ રૂપી લક્ષ્મી ની પ્રાપ્તિ નું...

માતા ત્રિશળા દેવી ને આવ્યું પાંચમું સ્વપ્ન
ફુલ ની માળા નું...ત્રણ લોક ના પુરુષ તેમની આજ્ઞા નું પાલન કરશે

માતા ત્રિશળા દેવી ને આવ્યું છઠ્ઠું સ્વપ્ન
આવ્યું ચંદ્ર નું... દુનિયા ને આનંદ આપશે

માતા ત્રિશળા દેવી ને આવ્યું સાતમું સ્વપ્ન
સૂર્ય નું... આભા મંડળ થી સુશોભિત થસે

માતા ત્રિશળા દેવી ને આવ્યું આઠમું સ્વપ્ન
ધ્વજા નું.. ધર્મ ની ધ્વજા ચારે દિશા મા ફેરવશે..

માતા ત્રિશળા દેવી ને આવ્યું નવમું સ્વપ્ન
પૂર્ણ કલશ નું.. ધર્મ મહેલ ની ટોચ સુધી રહેશે

માતા ત્રિશળા દેવી ને આવ્યું દસમું સ્વપ્ન
પદ્મ સરોવર નું... સુવર્ણ કમળ ઉપર પગ મૂકી ચાલશે

માતા ત્રિશળા દેવી ને આવ્યું અગિયારમું સ્વપ્ન ક્ષીર સમુદ્ર નું.. કેવળજ્ઞાની રત્નો વચ્ચે સ્થાન પ્રાપ્ત કરશે

માતા ત્રિશળા દેવી ને આવ્યું બારમું સ્વપ્ન
દેવ વિમાન નું.. વૈમાનિક દેવો થી પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્તિ નો સંકેત

માતા ત્રિશળા દેવી ને આવ્યું તેરમું સ્વપ્ન
રત્નો ના ઢગલા નું.. ત્રીજા રત્ન ના કિલ્લા થી વિભૂષિત થસે...

માતા ત્રિશળા દેવી ને આવ્યું ચૌદમું છેલ્લું સ્વપ્ન ધુમાડા વિના ની અગ્નિ શિખા નું.. ભવ્ય આત્મા સુવર્ણ થી પણ શુદ્ધ

આવા શુભ સંકેતો વાળા ચૌદ સ્વપ્નો જોયા પછી માતા ત્રિશળા દેવી ને ત્યાં થયો જન્મ ભગવાન મહાવીર નો

દેવતાઓ ના રાજા ઈન્દ્ર બાળ વર્ધમાન ને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિ નો અભિષેક કરી પછી સોંપે વર્ધમાન ને માતા ત્રિશળા દેવી ને

ભગવાન મહાવીર ના જન્મ ની જાણ થતાં ચારે દિશા ઢોલ નગારા શરણાઈ ના મધુર સંગીત થી અને ફૂલો ના વરસાદ થી શોભી ઊઠે છે..

ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક નું વાંચન પર્યુષણ મહાપર્વ ના પાંચમા દિવસે
હર્ષ ઉલ્લાસ આનંદ થી કરવા મા આવે છે

ત્રિશળા વીર નંદન કી
જય બોલો મહાવીર કી




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED