આપરાધી કોણ ?? 6 PUNIT SONANI "SPARSH" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપરાધી કોણ ?? 6


આગળ ના ભાગ મા આપડે જોયું કે મી. શેખ ને પોતે મી.મહેતા તરીકે ઓળખાવે છે અને તે લોકો સાથે તેની ટિમ માં ચાલ્યો જાય છે હવે આગળ..

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આરવ : મી.શેખ સાથે વાતો કરી ને હોટેલ નીચે આવેલા બાર માં જાય છે અને ત્યાંના ડ્રિન્ક કાઉન્ટર પર જઈને બેસે છે ત્યાંજ એક લેડી તેની પાસે આવે છે આરવ તેની પાસે એક સ્કોચ વહીસ્કી મંગાવે છે અને તે " MARALBORO " કમ્પની ની સિગારેટ કાઢી સિગારેટ ના કસ ખેંચવા લગે છે અને વિચારે છે ત્યારેજ તે લેડી વેઇટ્રેસ સ્કોચ વહીસ્કી નો ગ્લાસ આરવ ના હાથ માં આપે છે અને જતી હોય છે ત્યારે આરવ તેને રોકે અને કહે છે.

આરવ: અરે મેડમ તમારું નામ શું છે.

વૈટ્રેસ: જી મારું નામ ઇશિકા છે .

આરવ : તો ઇશિકા તમારા લગ્ન થઈ ગયા છે ???

ઇશિકા (મનમાં ચીડ સાથે):જી નહીં

આરવ : તો શું વિચારો છો મેડમ.

ઇશિકા : શેની વિશે ??

આરવ : જી લગ્ન વિશે....

ઇશિકા આરવ ને નશેડી સમજીને ત્યાંથી જતી હોય છે ત્યારેજ આરવ ફરી તેને કહે છે

આરવ :જી શુ વિચાર્યું મારા વિશે.

ઇશિકા : (ગુસ્સા માં )જી હું તમારી સાથે લગ્ન લારું પણ એક પ્રોબ્લમ છે .

આરવ :હ જી બોલો

ઇશિકા : (ગુસ્સામાં )મારા પહેલેથી ત્રણ વખત લગ્ન થયેલ છે.

આરવ : હે ! ત્રણ વખત ?

ઇશિકા : હા મારા ત્રીજા પતિ નું ચાર મહિના પહેલા મૃત્યુ થયું પછી હું અહીંયા જોબ કરું છું

આરવ : તો તો આપણી જોડી જામશે.

ઇશિકા :કેમ ! કોઈ ખાસ કારણ ???

આરવ : હ કેમકે મારા ચાર વખત લગ્ન થયા છે પણ લગ્નના બીજા દિવસેજ મારી પત્ની મારી જતી. હવે તારો વારો...

આ સાંભળી ઇશિકા પોતે ગુસ્સા માં ત્યાંથી જતી રહે છે અને આરવ એક સ્મિત સાથે તેને જતા જોઈ રહે છે.

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આ તરફ આયાન અને નીલમ અગ્રવાલ આયાન અગ્રવાલ ના બે મિત્રો અને રાધા સાથે એક હિલસ્ટેશન પર હોય છે ત્યાં તે લોકો ફરતા હોય છે ત્યારે ...

નીલમ અગ્રવાલ: આયાન ચાલો બપોર નો સમય છે તો આપડે જમી લઈએ

આયાન અગ્રવાલ અને વગેરે તેના મિત્રો જમવા બેસે છે ત્યારે

મિત (આયાન મો મિત્ર): વાહ આન્ટી શુ રસોઈ છે મજા આવી ગઈ..

નીલમ : ધન્યવાદ

રાજીવ : આંટી સાંભળ્યું છે કે તમે ફિલ્મો માં કામ કરતા હતા

નીલમ :હા હું પહેલા ફિલ્મો માં કામ કરતી પણ પછી છોડી દીધું

રાજીવ :કેમ છોડી દીધું ??

નીલમ : હા કેમકે પછી મારા લગ્ન નવલજી સાથે થયા અને..

મિત : આન્ટી તમને હજી પણ તમે ફિલ્મો માં કામ કરી શકો છો એક વાર ટ્રાય કરો....

આ વાત ત્યાં બેસેલ રાધા સાંભળતી હોય છે આ વાત સાંભળી તેની આંખો માં ચમક આવી જાય છે આ વાત મિત નોટિસ કરે છે.

થોડી વાર માં બધા જામી લે છે અને રાધા બધા વાસણ ધોવા જાય છે ત્યારે મિત તેની સાથે જાય છે અને તેને પૂછે છે...

મિત : શુ રાધા તું મારી સાથે ફિલ્મો માં કામ કરીશ ???

રાધા આ સાંભળી તરત જ હા પાડે છે ત્યારે મિત કહે છે..

(મિત ને લગે છે કે તે હવે પૂછી શકશે કે નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ને કોને માર્યા ત્યારે તે વાતો નો દોર હાથ માં લઇ છે )

મિત : રાધા શુ તું મને એક સવાલ નો જવાબ આપીશ ??

રાધા : જી હા પૂછો

ત્યારે મિત કહે છે..

મિત : રાધા મને ખબર છે કે તું નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે જાણે છે.

આ વાત સાંભળી રાધા આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે મિત પૂછે છે

મિત : રાધા મને કહે કે તેમનું ખૂન કોણે કર્યું છે અને જો તું કહીશ હું તને તારું સપનું પૂરું કરવામાં મદદ કરીશ ..

ત્યારે રાધા તે ખૂની નું નામ કહેવા જતી હોય છે ત્યાંજ....

(ક્રમશ.)