સત્ય (2) 280 926 2 સત્યમોટા મોટા ચિંતકો, દર્શનિકો, વિચારકો, સંતો લગભગ દરેક જેઓ આઘ્યાત્મિકતા પર પોતાના વિચારો ધરાવે છે સત્ય વિશે કઈક ને કઈક મત જરૂર રાખતા હશે. સત્ય એક એવી સંકલ્પના છે કે જેને સિદ્ધ કરવી મતલબ કે બુધ્ધત્વને પામવું. સત્ય એક ખોજ નો વિષય બની રહ્યો છે. કોઈ કહે છે સત્ય કડવું હોય છે. તો કેટલાક કહે છે સત્ય નિર્મળ છે. શાંત હોય છે. સત્યની પરિભાષા સ્પષ્ટ રીતે કોઈ કરી શક્યું છે કે કેમ!! " સત્ય ક્યારેય કહી શકાતું નથી" શું આ વાક્ય સત્ય છે? ઘણાં કહેશે કે હા આ વાક્ય સત્ય છે. સત્ય ક્યારેય વર્ણવી શકાય જ નહીં. સત્ય તો સત્ય છે. અનુભવ કરવાનો વિષય છે. સત્ય ને માત્ર અનુભવી શકાય. તે શબ્દો દ્વારા કહી શકાય જ નહિ.આ વિધાન સ્વિકારી શકાય એમ નથી. જે વિધાન સત્ય હોવાનું માની લેવાયું છે એ બોલાયેલું તો છે જ. "સત્ય ક્યારેય કહી શકાતું નથી" જો સત્ય ક્યારેય વર્ણવી શકતું ના હોય તો અત્યાર સુધી આપણે ભણ્યા, જે વર્ણનો વાચ્યા, સભળ્યાં શીખ્યાં શું એ બધું અસત્ય.? આપણને અત્યાર સુધી અસત્ય જ પીરસવામાં આવ્યું?અધ્યાત્મિક માણસો કહેશે અરે આ વિધાન એ સત્ય માટે નથી કે જે અહી ઉલ્લેખ થયેલો છે. જે સત્ય અકથિત છે એ સત્ય પરમસત્ય છે. અને એ જ સત્ય કહી શકાતું નથી. જોકે એમને ફરી એ જ પ્રશ્ન કે તમારી આ વાત સત્ય છે? જો હા, તો તમે તો કહો છો!સત્ય અકથિત કે અવ્યક્ત કે અવ્યાખ્યાયિત નથી. સત્ય કહી જ શકાય છે. જરૂર છે એને જાણવાની. જો તમે સત્ય જાણો છો તો એને કહી જ શકો. અને જો ના કહી શકો તો એનો સીધો અર્થ એ છે કે તમે સત્ય જાણતા નથી. સત્ય કહી જ શકાય છે બસ કોઈને કહેવું નથી. સ્વાર્થ સાધવા. જો બધા ધર્મના કહેવાતા ઠેકેદારો, ધર્મગુરુઓ, મહંતો આ બધા ને સત્ય ખબર જ છે કે ઈશ્વર નથી પણ કહેવું નથી.ઘણા સંતો સત્ય જાણી કહી પણ દીધું છે કે આ બધું પાખંડ છે. ત્યાગ કરો. પણ આપણને આ પાખંડ ની આદત પડી ગયેલી છે. અને એમાં મજા આવે છે. ધર્મ એક વ્યસન જેવું છે. ખબર છે કે નુકશાનકારક છે પણ નશાની પોતાની એક મજા છે. મજા આવે છે. એટલે પરાણે તેની પાછળ ઢસડાતા જઈએ છીએ. બુદ્ધ સત્ય જાણ્યા અને કહ્યું કે આ સંસારમાં કોઈ ઈશ્વર નથી. પણ ધર્મ બુદ્ધનો વિરોધ કરશે જ. કેમ કે દુકાનો બંધ થઈ જાય એમ છે.સત્ય અકથિત નથી. નથી કહી શકતા કારણ કે સત્ય થી અજાણ છે. અને નથી કહેતા કારણ સ્વાર્થ છે. સૃષ્ટિની રચનાની સંભવિત વૈજ્ઞાાનિક થિયરી છે જ. તો પછી કાલ્પનિક અને અવૈજ્ઞાનિક ઉત્પત્તિ કે જે ધર્મગ્રંથોમાં વર્ણવેલ છે એને માનવા ને કારણ શું? જો સત્ય અકથિત છે તો વેદોમાં અને અન્ય ધર્મગ્રંથો માં કહેવાયેલું છે એ સત્ય છે એ સૈધાનિક રીતે કેમ સ્વિકારી શકાય?હું કોઈપણ વાત ના કહી શકું ત્યાં સુધી જ્યાં સુધી હું એ જાણતો નથી. જાણતો હોવ તો કહી જ શકું. જ્યારે કોઈ એમ કહે કે " સત્ય ને કહી શકાતું નથી કે સત્યને શબ્દોમાં વર્ણવી શકાતું નથી" ત્યારે માનવું કે એ અસત્ય કહી રહ્યો છે.( ગઇકાલે જ મારા એક મિત્રએ મને કહ્યું કે, "તમે અસ્પષ્ટ છો." જો ઉપરનું લખાણ ન સમજાય તો એ સજ્જન ની વાત સત્ય માનજો)- મોનાર્ક Download Our App રેટ કરો અને રિવ્યુ આપો રિવ્યુ મોકલો meera rathod 1 વર્ષ પહેલા Riya Patel 1 વર્ષ પહેલા બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન कुछ भी Bharat Makwana અનુસરો શેયર કરો કદાચ તમને ગમશે વિચાર વિમર્શ - કર્મ દ્વારા Bharat Makwana મોનાર્ક - ચેતના દ્વારા Bharat Makwana મિંદળાવનો રંગ દ્વારા Bharat Makwana રહસ્યનું રહસ્ય! દ્વારા Bharat Makwana તમન્ના દ્વારા Bharat Makwana