Anyamanaskta book and story is written by Bhavya Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anyamanaskta is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અન્યમનસ્કતા - નવલકથા
Bhavya Raval
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
‘અન્યમનસ્કતા’ એટલે?
અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ઉપાધિઓ રજૂ કરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’
હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા...
‘અન્યમનસ્કતા’ એટલે?
અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ઉપાધિઓ ...વધુ વાંચોકરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’
હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા...
‘અન્યમનસ્કતા’માં સાદગી છે. વાર્તામાં ઉતાર-ચઢાવ છે, પાત્રોની માનવસહજ નબળાઈઓ છે. અને આ ઉપરાંત પરિસ્થિતિને કારણે જન્મ લેતા ડ્રામાને કારણે એમાં રસ જળવાઈ રહે છે.
આજની પેઢીમાં ગુજરાતીમાં લખવા બેઠેલા યુવાને શું લખ્યું હશે એ ઉત્સુકતાથી જ આ નવલકથા મેં વાંચી ...વધુ વાંચોજ વિવેચનની ગડમથલમાં પડ્યાં વિના એટલું જ કહીશ કે લેખકમાં ભવિષ્યમાં સારા નવલકથાકાર બનવાની સારી એવી શક્યતા છે. સરળ પાત્રો, વર્ણન સ્ટાઈલ અને વચ્ચે વચ્ચે ચિંતનનો ડોઝ પણ આપતા એમને આવડે છે. કશુંક રચવાની, કહેવાની અને પાત્રોની સ્ટાઇલ ઊભી કરવાની તીવ્ર મહેચ્છા એમની કલમમાં વારંવાર ઝળકે છે. એક પ્રકારની મુગ્ધતા પણ છે. જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
ભવ્ય રાવલની પ્રથમ રચનામાં જે કોન્ફિડન્સ ઝળકે છે એ કાબિલે દાદ છે.
અને આજે સૌથી મોટી વાત તો એ છે કે કોઈપણ જુવાન વ્યક્તિ નવલકથા લખવાની ચેલેન્જ ઉપાડી લે એ જ એક ‘ઉત્સવ’ છે. આ ‘ઉત્સવ’ માટે અભિનંદન. ઑલ ધ બેસ્ટ.
- સંજય છેલ
નવલકથાનું ફોર્મ, તેના પ્રતીક, કલ્પન, કથનશૈલી, રચનારીતિ... જેવા અનેક પાસાઓની ચર્ચા કોઈ વિદ્વાન કરી શકે – કરશે. હું તો એટલું કહીશ કે, અંદર જે વલોવાતું હતું તેને આ જુવાને બહાર તો કાઢ્યું છે. હું કેમ લખી શકું તેવા ...વધુ વાંચોઓળંગીને તેણે એક છલાંગ મારી છે. આ વાર્તાની શરૂઆતમાં જ વર્ષોથી અલગ થઇ ગયેલા બે પાત્રોનું મિલન અને સીધું જ જૂની પ્રેયસીનું સગર્ભા હોવું... એ વચ્ચેના ગાળાના રહસ્યો સાથે પહેલા જ પાને ભવ્ય અનેક પાના ઉતારી ગયો છે! વાર્તામાં આગળ શું છે તે કાંઈ હું અહીં થોડો કહું એ તો તમને ભવ્ય જ કહેશે, પરંતુ આનંદ એ વાતનો છે કે પત્રકારત્વના કલાસરૂમમાં ભણતો એક છોકરો સાહિત્યક્ષેત્રે મંડાણ કરે. આ ભવ્ય મરીઝની ગઝલો પણ ફેસબુક પર પોસ્ટ કરે, વ્હોટ્સએપ પર ઉર્દૂ કવિતા પણ લખે.
ભવ્યની આ સ્વમનસ્કતા સમાન અન્યમનસ્કતાને હું એક મિત્ર તરીકે, વાચક – ભાવક તરીકે આવકારું છું. સર્જનને તેના પૃથક્કરણમાં પડ્યાં વગર આવકારું છું. ભવ્ય રાવલનું સર્જન સંખ્યા અને ગુણવત્તા બંનેમાં વૃધ્ધિ પામે તેવું ઈચ્છું અને પ્રાર્થના કરું.
- જ્વલંત છાયા
અન્યમનસ્કતા નવલકથા શું છે
- ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ ઘટી ચૂકેલી ઘટનાઓના અવસાદભર્યા રહસ્યોની કહાની...
- શરીર અને મન બેફામ બની દિમાગ સાથ ટકરાઇ સિધ્ધાંત, આદર્શ અને સ્વાર્થની લડાઇ લડે છે ત્યારે કોને, કેમ, કેટલું અને શા માટે ઇમાનદાર, ...વધુ વાંચોઅને જવાબદાર રહી સંધર્ષમય જીવતા મારા-તમારા જેવા પાત્રોની વાર્તા...
- દગાબાજી અને બેવફાઇ જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો પર બાજીને સંબંધોને ખતમ કરતાં પહેલાં ક્યા પ્રકારે જૂઠ અને ફરેબભર્યું અનહદ સુખ આપે છે તેવા કેટલાક અનુભવોની દાસ્તાન... ઉપરાંત... સમયની જીવલેણ પકડમાં બદલાઇને મુર્ઝાઇ જતા સંબંધમાં ફસાયેલી વિરલ સ્ત્રી સોનાલી, નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી અઢળક ઇચ્છાઓ અને આકાંક્ષાભર્યા સપનાં સેવતો માયાળુ વિવેક, સા,રે,ગ,મ,પની લયમાં, આરોહ-અવરોહના અનુક્રમમાં જ્યારે પ્રાસબધ્ધ વહેતી જિંદગીમાં સૂરમય ઉતાર-ચડાવ આવે છે ત્યારે તેના કારણોનો લેખાંજોખાં પ્રસ્તુત કરતાં ખંજન અને આલોક. પરણિત યુવાદિલોની કશ્મકશ, વાયદાઓનાં આટાપાટા, મનનો એકએક ખૂણો ખૂંદી નાંખે તેવા સંવાદ અને ઘટનાઓનો અંત નથી તેવી યાદોનો પટારો ખોલીને તમારા અને તમારી આસપાસના પરિચિતોનો આયનો દર્શાવી પોતીકું પ્રતિબિંબ રચી દેતી કથાવિશ્વની સફર એટલે અન્યમનસ્કતા નવલકથા...
‘અન્યમનસ્કતા’ એટલે
અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ...વધુ વાંચોરજૂ કરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’
હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા...