Vishkanya book and story is written by Arjunsinh Raoulji. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vishkanya is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિષકન્યા - નવલકથા
Arjunsinh Raoulji.
દ્વારા
ગુજરાતી રોમાંચક
હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે, રોમા અને સમીર પતિ-પત્ની તરીકે જ રહેતાં થઈ ગયાં હતાં ‘ને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા ..! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય ...પણ રોમાને જ્યારે જવું હોય ત્યારે જતી રહે ..માત્ર એટલું જ નહીં , પણ એને જ્યાં જવું હોય ત્યાં જાય જ..! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ? શું કામ છે ? જો કે એમાં રોમાનો પણ કાંઇ વાંક નહોતો જ ..! તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ બધી વાતની શરતો કરી લીધી હતી –કે તે વિવાહ પછી પોતાની આઝાદીમાં ડખલ કરવાનો સમીરને અધિકાર આપતી નથી –સમીરે ક્યારેય પૂછવાનું નહીં કે તે ક્યાં જાય છે ?શા માટે જાય છે ? અને કોને મળવા જાય છે ? એ બધી બાબતો રોમાની અંગત બાબતો હતી અને રોમા તેમાં સમીરનાં ઇન્ટરફીયર કે બંધનો કોઇ કાળે સ્વીકારશે નહીં –સમીરે એમાં ચંચુપાત કરવાની જરૂર નથી –અને જો સમીર તેમાં ચંચુપાત કરશે તો રોમા તરત જ તેને છોડીને ચાલતી થઈ જશે –પછી સમીરનું જે થવાનું હોય તે થાય ..!
પ્રકરણ :1 હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે, રોમા અને સમીર પતિ-પત્ની તરીકે જ રહેતાં થઈ ગયાં હતાં ‘ને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા ..! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય ...વધુ વાંચોરોમાને જ્યારે જવું હોય ત્યારે જતી રહે ..માત્ર એટલું જ નહીં , પણ એને જ્યાં જવું હોય ત્યાં જાય જ..! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ? શું કામ છે ? જો કે એમાં રોમાનો પણ કાંઇ વાંક નહોતો જ ..! તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ બધી વાતની શરતો
। પ્રકરણ : 2 । રોમા અને વિશાખા ભલે બંને બહેનો હતી , ભલે વિશાખા મોટી હતી અને રોમા નાની હતી –પણ હતી તો એકબીજાની હમશક્કલ ..! બંનેને સામ સામે ઉભી રાખી હોય અને વચ્ચે આદમકદનો આયનો મૂકી દેવામાં ...વધુ વાંચોહોય –એમ એક બીજાનું પ્રતિબિંબ..! નાકનકશો , ચહેરાના વળાંકો , આંખોના ગોળાર્ધો ... ગાલ , હોઠ ... હડપચી ..ગરદનની લંબાઇ પણ એક સરખી ..! ગરદન ઘુમાવવાની રીત પણ એક સરખી ..! તફાવત હોય તો માત્ર તેમની વિચારસરણીમાં જ હતો .વિશાખા ભારતીય સંસ્ક્રુતિનું પ્રતિક હતી , હંમેશાં સાડીમાં જ લપેટાયેલી રહેતી , જરૂર પડે ત્યાં લાજનો ઘુમટો તાણી રસ્તાની એક બાજુ
। પ્રકરણ :3 । વિશાખા અને રોમાના પપ્પા બહાદુરસિંહ. વિશાખાના મ્રુત્યુથી ખરેખર દુ:ખી થઈ ગયા હતા .પોતાની પુત્રીનું આમ અકાળે અવસાન ..!? અને તે પણ સ્ટેટના જ ફાર્મ હાઉસમાં ? તેમના માટે તો આ વાત જ કલ્પનાતીત હતી –અને ...વધુ વાંચોપણ પાછું કોબ્રા નાગના કરડવાથી ? તેઓ તો કહેતા હતા કે આ શક્ય જ નથી .વિશાખાના શરીરની ઇમ્યુનિટી જ એવી હતી કે જો કોબ્રા નાગ વિશાખાને કરડે તો વિશાખા નહીં પણ કોબ્રા નાગ જ મરી જાય ..?! પછી વિશાખા મરી ગઈ એ વાત જ તેઓ કેવી રીતે સ્વીકારે ? છતાં જે હકીકત બની હતી એ સ્વીકારવી જ પડે એમ હતું
। પ્રકરણ :4 । રાજાસાહેબ ગુમ થઈ ગયા છે , એ વાત જાણીને જ સમીરને ચક્કર આવી ગયા .તેને પોતાના પપ્પા ખૂબ વહાલા હતા .માત્ર બે કલાક પણ જો સમીર રાજાસાહેબને ના જૂએ તો પણ તે રઘવાયો થઈ જતો ...વધુ વાંચો–જ્યારે આજે તો તેણે સવારથી જ પોતાના પપ્પાને જોયા નહોતા –આવા સંજોગોમાં તે નાના બાળક જેવો થઈ જતો હતો .અત્યારસુધી તો તે વિશાખાના ભૂતની ભ્રમણામાં જ વ્યસ્ત થઈ ગયો હતો , પણ મહારાજ શિકારેથી હજુ આવ્યા નથી , તે જાણીને તેના દિલની ધડકનો વધી ગઈ ..! ક્યાં ગયા હશે મહારાજ ? તેનું મન શંકા-આશંકાથી ઘેરાઇ ગયું હતું , કંઇક અનિષ્ટ
| પ્રકરણ : 5 | સમીર બે દિવસે ભાનમાં આવ્યો , તે પણ બબ્બે ડોક્ટરોને ઘેર બોલાવ્યા ત્યારે , બાકી તો રાજ્વૈધે તો કહી દીધું હતું કે –રાજકુમાર કોમામાં જતાં રહ્યા છે અને હવે તેમના બચવાની શક્યતા ઓછી છે ...વધુ વાંચોઆ વાત ઉપર તો રોમા તેમના ઉપર ગુસ્સે થઈ ગઈ હતી – તે તો બસ એક જ વાત કરતી હતી કે -ના..ના.. એ શક્ય જ નથી કે સમીર આમ અચાનક મને છોડીને ચાલ્યો જાય .સમીરને કઈજ થવાનું નથી , સમીર બધી જ કસોટીમાથી હેમખેમ પાર ઉતરવાનો છે .હજુ તેનો સમય આવ્યો નથી જવાનો –હજુ તો તેણે ઘણું બધું સહન કરવાનું