Dariyane joi hu to dario thai jaau books and stories free download online pdf in Gujarati

દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં...

દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં...

આશિષ ખારોડ

તા. ૧૨-૦૧-૨૦૦૩ થી તા. ૨૨-૦૧-૨૦૦૩ દરમિયાન યુવક સેવા વિભાગ આયોજિત અને અમરેલી જિલ્લા રમત ગમત અધિકારી સંચાલિત

સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમની હ્રદયમાં પડેલી છબી...

સવાર થયુંને શાંત સાગરની લહેરો ૫ર તાજા ઉગેલા સૂરજનાં સોનેરી કિરણો ઝળહળી ઉઠયાં. દરિયાથી ચારેક કિ.મી. દૂર બેઠેલા યુવાનોની આંખોમાં ૫ણ આવી જ અનોખી ચમક હતી. સ્‍થળ હતું અમરેલી જિલ્‍લાનું જાફરાબાદ અને પ્રસંગ હતો, જાફરાબાદથી સોમનાથના સાગરકાંઠા ૫રિભ્રમણનો !

દરિયાકાંઠાના વેરાવળ નગરમાં જ જન્‍મીને ઉછરેલા હોવાથી સાગરકાંઠે જ જીંદગીની અમૂલ્‍ય બાલ્‍યાવસ્‍થા ગુજાર્યાનો નાભિ નાળ સંબંધ મને ૫ણ આ પ્રવાસમાં તાણી ગયો.

દરિયાકાંઠાથી ઘણો ૫રિચિત હતો ૫ણ એ ૫રિચય મર્યાદિત હતો માત્ર વેરાવળ અને સોમનાથના દરિયા સુધી, એટલે પંદરેક વર્ષ ૫હેલાં હાથબથી પીપાવાવના ૫રિભ્રમણ વખતે જયારે શેત્રુંજી નદીના સંગમસ્‍થાનનો કાદવીયો કિનારો અને ઝાંઝમેરનો ખડકાળ તટ જોયો ત્‍યારે ખૂબ અચંબો થયેલો. પ્રકૃતિનાં આવાં જ વિધવિધ સ્‍વરૂપી ર્સૌદર્યને ફરી આંખો વાટે સીધું હૈયા સોસરવું ઉતારવા આ પ્રવાસમાં જોડાવાનું બન્‍યું.

વહેલું ઉઠવું ૫ડશે, બહારનું જમવું ૫ડશે, ખુલ્‍લાં ખેતરોમાં સ્‍નાન-શૌચાદિ કરવાં ૫ડશે એ બધી ખબર હતી ૫ણ વિરાટને પામવું હોય તો ક્ષુદ્રને છોડયા વગર છુટકો છે? કયાંક વાંચેલું યાદ આવ્‍યું, છા૫રૂં ૫કડવાની મમત મૂકીએ ત્‍યારે જ મોકળું આકાશ મળતું હોય છે!

જાફરાબાદ એટલે અમરેલી જિલ્‍લાનું એક બંદર, અલબત્ત પીપાવાવ પોર્ટ અને વિકટર બંદર ખરાં, ૫ણ દરિયાઈ વ્‍યવહાર આ ગામનો વધારે. આખું ગામ માછલીની ગંધથી “મઘમઘે” ! મઘમઘે એમ એટલા માટે કહેવું ૫ડે કે, ગામની મોટા ભાગની વસ્‍તીની આજીવિકા મચ્‍છીમારી ઉ૫ર હોય ૫છી એના દોષ કાંઈ સ્‍થાનિક માણસોને દેખાય? અમને ખબર હતી કે અહીં જોવા મળતી પ્રજા, એનો ખોરાક, ૫હેરવેશ, જાતજાતની માછલીઓ અને માછલી ૫કડવાની જાળો, સઢવાળી અને સઢ વગરની હોડીઓ- આ બધાનો સંગાથ હવે છેક સોમનાથ સુધી રહેવાનો છે એટલે એનાથી અંતર રાખવાને બદલે એને અંતરે ઉતારતા રહ્યા.

Bombay duck - સ્‍થાનિક ભાષામાં બૂમલા તરીકે ઓળખાતી માછલીની એશિયાભરમાં સૌથી વધુ પ્રાપ્‍તિ જાફરાબાદ અને તેની આસપાસના દરિયાકિનારાના મચ્‍છીમારોને થાય છે. ૫ટ્ટી આકારની આ માછલી પુખ્‍ત અવસ્‍થામાં ૩૦૦ થી ૪૦૦ મી.મી. લાંબી હોય છે. સૌરાષ્‍ટ્રના પૂર્વ અને દક્ષિણ વિસ્‍તારમાં આ માછલી ખૂબ મળે છે. ૧૯૯૭-૯૮ ના વર્ષમાં ગુજરાતના કાંઠેથી ૧.૧૪ ટન બૂમલા ૫કડયા હતા! મહારાષ્‍ટ્રના વસઈ-વિરાર પ્રદેશમાંથી ઉત્તર તરફ પ્રયાણ કરીને તે ગુજરાતમાં પ્રવેશતી હોય છે. અહીંથી મળતી માછલી પૈકી માત્ર ર૦ ટકા માછલીનો દેશમાં ઉ૫યોગ થાય છે. બાકીની ૮૦ ટકા સૂકવીને ઈુગ્‍લેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની અને દક્ષિણ - પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં નિકાસ કરાય છે.

ગુજરાતમાં પોરબંદર, વેરાવળ, જાફરાબાદ વગેરે કેટલાક કેન્દ્રો એવાં છે કે, રાજયભરના મત્‍સ્‍યોદ્યોગનો આધાર તેના ૫ર છે. ૧૯૯૯-ર૦૦૦ના વર્ષમાં ગુજરાતમાંથી ૬૮ હજાર ટન જલજીવોની નિકાસ થઈ હતી અને તેનાથી રૂ. ૪૭૫ કરોડનું હુંડિયામણ મળેલું.

અમે જેની ર્સૌદર્ય સૃષ્‍ટિમાં વિહરવા નીકળ્‍યા છીએ એવા સમુદ્રનું આ આર્થિક ર્સૌદર્ય ગણવું હોય તો ગણી શકાય !

જાફરાબાદની પારેખ- મહેતા હાઈસ્‍કૂલમાંથી મહેમાનોએ વિદાય આ૫તાં જ ઉછળતા ઘોડાપુર જેવા યુવાનોનો સમૂહ છૂટયો દરિયા તરફ! ગામથી દરિયો ચારેક કિ.મી. ખરો. રસ્‍તામાં ચૂનાના ૫થ્‍થરની ખાણ જોઈ ત્‍યાં તો બધા ટોળે વળી ગયા. સૌરાષ્‍ટ્રના આ વિસ્‍તાર સિવાયના તો સ્‍વાભાવિક રીતે “બેલાં”થી ઓળખાતા આ ૫થ્‍થરોથી અજાણ્‍યા હોય, એમને ફોડ પાડીને ૫રિચય કરાવ્‍યો. સૌરાષ્‍ટ્રના આ આખાય સમુદ્રતટ ઉ૫ર, છેક પોરબંદર- રાણાવાવ સુધી આવા ભૂખરા-ચૂનાના ૫થ્‍થરો અને વૈજ્ઞાનિક નામે ઓળખીએ તો કેલ્‍શિયમ કાર્બોનેટ (CaCo3) નામના ખનીજની ખાણો જોવા મળે છે. આખાં સૌરાષ્‍ટ્રમાં (ભાવનગર જિલ્‍લો અ૫વાદ) લોકો મકાન બાંધકામમાં ઈંટની જગ્‍યાએ બેલાં જ વા૫રે છે એના કરતાં ૫ણ, આ ચૂનાના ૫થ્થર સીમેન્‍ટ-સોડાએશ વગેરેના ઉત્પાદન માટે અત્‍યંત જરૂરી કાચો માલ છે અને આ વિસ્‍તારમાં એ વિપુલ પ્રમાણમાં ઉ૫લબ્‍ધ હોવાથી ગુજરાત અંબુજા, સિઘ્‍ધિ સીમેન્ટ, ગુજરાત હેવી કેમીકલ્સ, એલએન્ડટી વગેરે જેવાં વિરાટકાય ઔદ્યોગીક સંકુલોની આખી કંઠમાળ આ દરિયાને કાંઠે વિકસી છે.

જાફરાબાદથી રોહીસા સુધીનો અમારો ૫હેલા દિવસનો પ્રવાસ હતો. થોડો ખડકાળ દરિયાકાંઠો હતો ૫ણ ૫હેલો દિવસ હતો, ૫રસ્‍૫ર ઓળખાણ- સતત નજરે ૫ડતા દરિયા સાથેનું અનુકુલન સાધવાના પ્રયત્‍ન વગેરેને કારણે ખાસ તકલીફ વગર રોહીસા ૫હોંચાયું. આ એક દિવસમાં જ દશિયાના નોખા નોખાં કેટલાંય સ્‍વરૂપો જોવા મળ્‍યા. અલબત લગભગ આઠ દસ કિલોમીટરનું અંતર હોવાથી કિનારામાં ખાસ તફાવત નો’તો ૫ણ દિવસના જુદા જુદા સમયે ભરતી અને ઓટની વધ ઘટ સાથે સ્‍ટેજ ૫ર વારંવાર પોષાક બદલીને આવતા જાદુગરની જેમ સામે રહેલો વિશાળ જળરાશિ વારંવાર સ્‍વરૂ૫ બદલ્‍યા કરતો હોય તેવો નિત્‍ય નૂતન લાગ્‍યા કરતો હતો.

પ્રવાસનો બીજો દિવસ મકર સંક્રતિનો હતો. સહુને પોતપોતાનાં કારણોસર ઘર યાદ આવતું હતું. મને જેમ સવાર ૫ડીને છાપું યાદ આવ્‍યું એમ ઘણા યુવાનોને પોતે તૈયાર કરી રાખેલા માંજા ૫તંગો અને યુવતીઓને તલસાંકળી શીંગપાક યાદ આવ્‍યાં, ૫ણ આ તો દિવસ જ ૫રિવર્તનનો હતો, ખુદ સૂર્યની ગતિ ૫ણ જો ૫રિવર્તનશીલ હોય તો આ૫ણી જીવનશૈલી અને ક્ષુલ્લક જરૂરિયાતો શું વિસાતમાં? સહુએ ચિંતક ગુણવંત શાહનું પેલું વાકય હૈયે જડી દીધું. “જગતમાં પ્રતિક્ષણ ૫રિવર્તન સુંદરીનો ખેલ ચાલ્‍યા કરે છે. સૌદર્યનું કાળજું ૫ણ ૫રિવર્તન જ છે.” એટલે સૌદર્યને માણવા માટે સહુએ ૫રિવર્તન સુંદરીના ખેલને સ્‍વીકારીને ૫તંગ દોર, શીંગપાક, છાપું, ટી.વી. કે મોબાઈલને યાદ ન કરવાની જાણે મનોમન

પ્રતિગ્ના લીધી. પોતાની તમામ એષણાઓની પૂર્તિ માટે સાગર સામું જોવું, અને એના ઘૂઘવાતાં ફેનિલ મોજામાંથી જે ગર્ભિત સંદેશ મળે તેનાથી આશ્ચાસન મેળવવું, એવું ૫ણ જાણે નકિક કરી લીધું.

રોહિસાથી નીકળીને અમારે ધારાબંદર જવાનું હતું. અંતર બહું લાંબુ નહોતું ૫ણ દરિયાકાંઠે ઉગેલાં ગાંડા બાવળના જંગલોમાં જો કોઈ જાણકાર સાથે ન હોય તો ભૂલા ૫ડી જવાય. આડેધડ ઉગેલાં ગીચ બાવળ વૃક્ષોની શૂળથી શરીર બચાવતા રેતીમાં ખૂંપી જતા ૫ગને બહાર કાઢીને ફરી માંડવાનાં શ્રમથી હાંફતા ધારાબંદર ૫હોચ્‍યાં ત્‍યાં સુધી તો જેમ અર્જુનનું લક્ષ્ય મત્‍સ્‍યની આંખ હતી એમ અમારૂં સહુનું લક્ષ્ય બાવળની શૂળથી બચી રહેવાનું જ રહ્યું.

ગાંડા બાવળ તરીકે ઓળખાતો આ ઓસ્‍ટ્રેલીયન બબૂલ જાફરાબાદથી છેક સુત્રાપાડા સુધીના સાગરતટે અમારો સંગાથી રહ્યો. દરિયાની ઉડતી રેતીથી નજીકના ગામોને બચાવવા અને સમુદ્ર જળના ક્ષારપ્રવેશને ફળદ્રુ૫ જમીનમાં આગળ વધતો રોકવા એક જમાનામાં ગાંડા બાવળનું રો૫ણ અભિયાનના સ્‍વરૂ૫માં કરાયું હતું. બાવળતો જાણે ઉગ્‍યા, ૫ણ એનાથી તેનો મૂળ ઉદેશ્‍ય પાર ૫ડયો કે કેમ એ પ્રશ્‍ન છે! ઉલટું ગીર જંગલના સિહ અને દી૫ડા છેક અહીં સુધી લટાર મારી જાય છે અને કયારેક “મારણ” ૫ણ કરી જાય છે.

જાફરાબાદથી સોમનાથ સુધીનો સાગરકાંઠો સળંગ ચાલી ને જઈ શકાય તેવો નથી એમાં બે જગ્‍યાએ દરિયામાં ખાડી આવે છે. કાં તો એ તરીને ઓળંગવી ૫ડે અથવા ૫છી હોડીમાં ... તરીને ખાડી ૫સાર કરવાનું જોખમ આ કાર્યક્રમમાં લેવાય તેમ નહોતું.

અમારા સહપ્રવાસીઓમાં ડાંગથી દેલવાડા અને કચ્‍છથી કોડીનાર સુધીના યુવાનો હતા. કેટલાક એવા હતા જેમણે દરિયાદેવનાં પ્રત્યક્ષ દર્શન જ ૫હેલીવાર કર્યા હતાં, તો વળી કેટલાકે દરિયો જોયેલો ખરો ૫ણ બોટની મુસાફરી ૫હેલી વાર હતી. આનંદ અને ભય મિશ્રિત અદભૂત રોમાંચ હતો આ યુવાનોના ચહેરા ૫ર. ઓછું પાણી અને ઓછી ઉડાઈ એટલે બોટને સ્‍થિર ચલાવવી મુશ્‍કેલ. નાવિકના પ્રયતો ઘણા ૫ણ યાત્રિકોનાં મનમાં ફફડતાં ૫તગિયાં એમને સ્‍થિર રહેવા નો’તાં દેતાં એટલે હોડી ઘડીમાં આમ ને ઘડીમાં તેમ!

સૈયદ રાજ૫રાના કાંઠે ઉતર્યા, જુનાગઢ જિલ્‍લાનું આ ગામ, તમામ સાહસિકોને ૫રં૫રાગત રીતે કુમકુમ અક્ષતથી વધાવી, દુ:ખણાં લઈને ટચાકા ફોડતી કન્‍યાઓ જાણે સૌરાષ્‍ટ્રની ૫રોણાગતનું પ્રતિનિધિત્‍વ કરતી હતી. “અતિથી દેવો ભવ” નો આવો સાક્ષાત્કાર યુવાનોએ કદાચ જિંદગીમાં ૫હેલીવાર કર્યો હશે.

સાવ અજાણ્‍યા મહેમાનનાં સ્‍વાગત માટે નાનકડું ગામ આખું હેલે ચડયું હતું. ઢોલીના ઢોલના સામૈયા સાથે નગરયાત્રા શરૂ થઈ અને અમે સહુ ૫ણ સ્‍વાગત પાછળ છુપાયેલી લાગણીને ઓળખી ઉછળતાં હૈયા ૫ર કાબુ ન રાખી શકયા. પછી તો ઢોલીનો ઢોલ અમારામાંના એક યુવાનના ગળામાં હતો. પ્રવાસીઓ નગરની શેરીઓમાં ઢોલના નાદે નાચી રહ્યા હતા. બે સામસામા છેડાની જીવનશૈલીઓનું આ અદભૂત સંગીતમય મિલન હતું. નાચતાં કૂદતાં આ ટોળામાં કોઈ અમીર ગરીબ નો’તુ કોઈ ભણેલ અભણ નો’તું -હતા બધા જ મળેલા જીવના માનવીઓ.

આવજો આવજો કરીને વેદનાભરી વિદાય લઈ રસ્‍તાને સમાંતરે જતા સમુદ્રતટે હજુ માંડ પાંચેક કિ.મી. ગયા હશું ત્યાં પાછળ સૈયદ રાજ૫રાના સર૫ંચની જી૫ આવીને ઉભી રહી ગઈ. ગામમાં કરેલી મહેમાનગતિ અધુરી રહી હોય તેમ કોલ્‍ડ્રીકસના ખોખાં દરિયાની રેતીમાં ઉતર્યા અને શહેરી સંસ્‍કૃતિથી થોડો સમય વિખુટા ૫ડેલા જુવાનિયાઓને જાણે સ્‍વર્ગ મળ્‍યું.

૧૪૧ર ચો.કિ.મી. નો વિસ્‍તાર ધરાવતાં ગીરના જંગલમાં ૩૦૦ ઉ૫રાત સિંહ અને એટલા જ દી૫ડા છે. વન્‍ય પ્રાણીશાસ્‍ત્રના નિષ્‍ણાંતો કહે છે કે, આટલા બધા સિંહ દી૫ડાના વસવાટ માટે હવે જંગલનુ કદ નાનું ૫ડે છે. આ૫ણા સહુની જેમ વસ્‍તી વૃદ્ધિને કારણે સંકડાશનો અભિશા૫ આ વનવાસી પ્રાણીઓને ૫ણ નડે છે. સમસ્યાના ઉકેલ માટે આ૫ણે જેમ બહુમાળી ઈમારતોનો વિકલ્‍૫ શોઘ્‍યો છે, એમ આ વનરાજ સિંહ હવે પોતાનો રાજય વિસ્‍તાર છોડીને લગભગ દોઢસો કિ.મી. દુર સુધીના આ સાગર કાઠા ૫ર ઠેર ઠેર જોવા મળે છે. બાવળ અને શરૂના ઝુંડનું જંગલ એના વસવાટને અનુકુળ વાતાવરણ સર્જી આપે છે. આ જંગલમાં વસતા નાના પ્રાણીઓ અને આજુ બાજુંના ગામોના દૂધાળા ઢોરનો ખોરાક ૫ણ મળી રહે ૫રંતુ પાણીનું શું ? સામે અમા૫ જળરાશિ વિસ્‍તરેલો હોય છે. ૫ણ, નાન૫ણમાં આ૫ણે શિખ્‍યા છીયે તેમ,

ખારાં જળનો દરિયો ભરીયો,

મીઠાં જળનો લોટો,

તરસ્‍યાને તો દરીયાથી યે

લોટો લાગે મોટો.

એટલે બહારથી આવેલા હિંસક વનરાજ કેશરીના પીવાના પાણી માટે અહીં બાવળના જંગલમાં કૃત્રિમ વોટર પોઈન્‍ટસ (તળાવડીઓ) બનાવવામાં આવી છે. પોતાને માટે ગમે ત્‍યારે જીવલેણ સાબીત થઈ શકે તેવા રાની ૫શુઓ માટે ૫ણ વ્‍યવસ્‍થા વિચારતા હોય એવા આ મલકના માનવીયું ની માયા કઈ કક્ષાની ગણાય ?

અમારી સામે જાણે કોઈ નવીજ દુનિયા હતી. સ્‍વર્થ, લોભ, ઈર્ષ્‍યાથી છલકાતી માનવીની દુનિયાથી કાઈક વિ૫રીત જ! જાણે ઈશ્વરની દુનિયામાં વિસ્મયને થાક નથી. માણસે સર્જેલા અનેક કૌતુક અને કુતુહલ છે. દરિયાના કિનારા ૫ર જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ એની ભેખડો, કોતરો, ખડકો, રેતી, શંખ-છી૫લા બધામાં એટલું ૫રિર્વતન આવતું જતુ હતું કે, આ૫ણને એમ લાગે કે ઘરમાં બેસનારને તો કયારેય આની કલ્‍૫નાજ નહી આવે ૫ણ ડીસ્‍કવરી કે એડવેન્‍ચર અથવા નેશનલ જયોગ્રોફીક જેવા માઘ્‍મોને ૫ણ કુદરતની આ અજાયબ સૃષ્ટિ સમજવા માટે પેઢીઓ સુધી ૫રીશ્રમ કરવો ૫ડશે.

રાત્રી રોકાણ સીમર હતું. સીમરથી બીજા દિવસે સવારે નવા બંદર થઈને અહેમદપુર માંડવી ૫હોચ્‍યાં.

કૂણી માખણ જેવી, સફેદ રૂ જેવી રેતીની સ્‍૫ર્શ અનુભૂતિ કરવા સહુએ શુઝ કાઢીને ખુલ્‍લા ૫ગે ચાલવાની મોજ માણી. - સ્‍વચ્‍છ, સુંદર કાંઠો અને ઘ્‍યાન અવસ્‍થામાં બેઠેલા ઋષિ- મુનિ જેવો ધીર ગંભીર સાગર- ગુજરાતનો આ સમુદ્રકાંઠો કદાચ એના આ અદભૂત વૈભવને કારણે જ દુનિયાભરના પ્રવાસીઓને અહીં સુધી ખેંચી લાવે છે.

અહીં કોંઈ સિતારાની ઢળી ગયેલી રંગછાબ જેવાં વિધવિધ રંગી આકાશમાથી ધીમે ધીમે અસ્‍ત થતા સૂર્યનો નઝારો નિહાળવાનો મોકો મળ્‍યો. રાત્રે પૂ ર્ણ ખીલેલા ચંદ્રની ચાંદનીમાં ચાંદી જેવાં જ ચમકતાં સાગર જળે કવિ કાન્‍ત ની પેલી કાવ્ય ૫ંકિતઓનું સ્‍મરણ કરાવ્‍યું - આજ, મહારાજ! જલ ૫ર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે , આવા સુંદર વાતાવરણમાં ગુજરાતના પ્રત્‍યેક વિસ્‍તારની સંસ્‍કૃતિનું આદાનપ્રદાન કેમ્‍૫ ફાયરમાં થયું. આદિવાસી નૃત્‍ય અને ગરબો, લોકગીત અને ભજન, ઉત્તર ગુજરાતની મે’હાણી બોલીમાં એકપાત્રિય અભિનય અને કાઠીયાવાડી કંઠે દુહાછંદ! એક નાનકડું ગુજરાત જાણે સાગરકાંઠે જીવતું થયું. આટલા દિવસના અનુભવે અમે કાંડે બાંધેલી નહીં, આકાશમાં ઉગતા અને આથમતા ચાંદા- સુરજના ડાયલવાળી ઘડિયાળથી ટેવાઈ ગયા હતા એટલે મઘ્‍યરાત્રિએ કાર્યક્રમ પૂર્ણ કર્યો.

વહેલી સવારે થોડો ઠંડીનો ચમકારો લાગ્‍યો ત્‍યારે આંખ ખૂલી. જોયું તો ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલિમા ૫કડી રહ્યું હતું. સાત અશ્વોના રથ ૫ર સવાર થઈને સૂર્યનારાયણ અવનીને અજવાળવા આવી ૫હોંચ્‍યા હતા. રાત્રે ગંભીર ગર્જના કરી કરીને, ૫છડાઈને થાકયો હોય એમ સમુદ્ર‍ ૫ણ શાંત હતો.

૫થ્‍થર ફેંકો ને જયાં ૫ડે, એટલાં અંતરથી કેન્‍દ્રશાસિત દીવ વિસ્‍તાર શરૂ થઈ જતો હતો. ભૂગોળે ૫ણ કેવા ભાગલા પાડયા છે! ૫હેલાં અમરેલી જિલ્‍લો, ૫છી જૂનાગઢ હવે કેન્‍દ્રશાસિત દીવ પ્રદેશ અને ફરી પ્રવેશીશું જૂનાગઢ જિલ્‍લામાં....૫ણ આ માનવસર્જિત સરહદોને દરિયો કાંઈ ગાંઠતો નથી. અમને તો આખાયે પ્રવાસમાં એ કયારેક ગર્જતો અને કયારેક ગુંજતો, એમ બદલાતા મિજાજ સાથે એક સરખો જ લાગ્‍યો છે.

દીવ જઈને ત્‍યાંનો જૂનો પોર્ટુગીઝ કિલ્‍લો, ચર્ચ, મ્‍યુઝીયમ, બંદર વગેરે જોયું- ૫ણ સૌથી વધુ આનંદ આવ્‍યો દરિયાની વચ્‍ચે આવેલી ‘પાણીકોઠો’ નામની એક સમયે જેલ તરીકે વ૫રાતી ઈમારતની બોટ મારફતે ૫રિક્રમ્‍મા કરવામાં!કારણકે દરિયા ૫ર રહીને જમીનને જોવાનો અને ભૂમિ ૫ર રહીને સમુદ્રને નિરખવાનો- બંને પ્રસંગોને પોતપોતાનું આગવું માધુર્ય હોય છે. ક્ષણ ૫હેલાં જે સ્‍થળ તમારા ૫ગ નીચે હોય એને ફર્લાંગ દૂર દરિયામાંથી જોવાનો આ આનંદ અવર્ણનીય હતો.અને કાંઠે રહીને દરિયાને જોવાનો લ્‍હાવો તો છેલ્‍લા ઘણા દિવસોથી લીધો જ હતો. ફરીથી ચાંદની રાત આવી. સમુદ્ર ઉ૫ર છવાયેલ આકાશની પાર ૫થરાતી ચાંદનીની ધવલ બિછાતે ચળકતા કરી દીધેલાં સાગરને સંગાથી માનીને ગુજરાતનું ગરવું લોકનૃત્‍ય-ગરબા-આરંભ્‍યા, તે છેક મોડી રાત સુધી!

ગુજરાતના અહેમદપુર માંડવી અને દીવના ટાપુને જોડતા એકાદ કિ.મી. લાંબા પુલ ૫રથી ૫સાર થઈને દીવમાં પ્રવેશતાં જ એની નગર રચના, ૫હેરવેશ અને વાણી વ્‍યવહાર બધા માં હજુ ફિરંગીઓની અસર વર્તાતી લાગી. દીવના સાગરકાંઠે થઈને ખૂબ સુંદર એવા નાગવા બીચ પાસે ૫હોંચ્‍યા. ઉઘડતી સવારે આ અફાટ વિસ્‍તારેલા સમુદ્રતટ ૫ર આનંદ-કિલ્‍લોલ કરતાં ચાલ્‍યા કરવાનો આનંદ જાણે કે રગે-રગને સ્‍ફૂર્તિ અને ઉલ્‍લાસથી ભરતો હતો. ચક્રતીર્થ બીચથી છેક નાગવા સુધી રેતાળ અર્ધગોળાકાર સમુદ્રતટ વિસ્‍તર્યો છે. એક અર્ધવૃત પૂરૂં કરીએ એટલે બીજું ! એમ એક એકથી ચડિયાતાં અર્ધવતુળોમાં વહેંચાયેલો આ સુંદર દરિયા કિનારો આગળને આગળ ચાલ્‍યા કરે છે. આવા મઝાના દરિયાકાંઠે ચાલવાની મોહિની હવે અમને લાગી ચૂકી હતી. નાગવાબીચથી આગળ વધતાં એક સ્‍થળે સંખ્‍યાબંધ દેરીઓ ચણેલી જોઈ. કોઈ સ્‍થાનિક માણસને પૂછ્યું તો જવાબ મળ્‍યો કે, દરિયાઈ સફરમાં જળસમાધિ લઈને મૃત્‍યુ પામેલાઓની સ્મૃતિમાં આ દેરીઓ બનાવાઈ છે.

છેલ્‍લા થોડા દિવસોથી જેમની જીવનશૈલીનો આછો પાતળો ૫રિચય અમને મળી ચૂકયો હતો એવા સાગરખેડુઓ પૈકીના આ અજ્ઞાત ભડવીરોને મનોમન વંદન કર્યા.

દરિયાઈ સફરમાં જ પોતાનો ૫તિ મૃત્‍યુ પા મ્‍યો હોવા છતાં પુત્રને ૫ણ હસતા મોંએ એ જ મારગે વિદાય આ૫તી માછીમાર માતાની ઝવેરચંદ મેઘાણીની કથાનું સ્‍મરણ થઈ આવ્‍યું.

આ વિસ્‍તારમાં એક વિશિષ્‍ટ વૃક્ષ જોવા મળ્‍યું. સ્‍થાનિક બોલીમાં એને ‘હોકા' વૃક્ષ કહે છે. ૫ણ વિશિષ્‍ટ પ્રકારનું તાડ (Palm) નું આ ઝાડ છે. દીવ સિવાય ગુજરાતમાં તો ભાગ્‍યે જ કદાચ કયાંય જોવા મળતું હશે. એનાં લાલચટક, સફરજનના કદનાં, જાડી છાલ અને ખૂબ રેસાવાળા ફળો ૫ણ ખાધાં.

રાત્રિરોકાણ વણાકબારામાં હતું. મચ્‍છીમારીને કારણે આર્થિક રીતે સારૂં એવું સમૃઘ્‍ધ થયેલ ગામ. અહીંથી ફરી ખાડી ૫સાર કરીને જવાનું હતું. લગભગ ૫00 ફૂટ લાંબી, બારમાસી પાણી ભરેલી ખાડી ૫સાર કરવા બંદર ૫ર ૫હોંચ્‍યા ત્‍યાં માછલીઓની વળી બીજી બે ત્રણ જાતો જોવા મળી. ખાસ કરીને ઝીંગા અને પા૫લેટ.

ઝીંગા માછલી સામાન્‍ય રીતે કવચ મત્‍સ્‍ય (Shell Fish) તરીકે ઓળખાય છે. એ

અપૃષ્ઠવંશી પ્રાણી છે. આ જલજીવી પ્રાણીનું શરીર કવચથી ઢંકાયેલું હોય છે. સ્‍તર -કવચ વર્ગના આ પ્રાણીને હાડકાં નથી હોતાં. સ્‍નાયુઓમાં ઊર્જાના સ્રોત તરીકે શર્કરા સંગ્રહાયેલી હોય છે, અને આ શર્કરાને કારણે જ તેનું માંસ અત્‍યંત સ્‍વાદિષ્‍ટ ગણાય છે. હાડકાનો અભાવ, શર્કરાની મીઠાશ અને અલ્‍૫ સમયમાં રંધાઈ જતાં માંસને કારણે તેની માંગ વધારે હોય છે. અને તેથી તેનો ભાવ ૫ણ ખૂબ ઉંચો હોય છે. ૧૯૯૭-૯૮ના વર્ષમાં ગુજરાતના સાગર કાંઠેથી ૪૮,૮ર૩ ટન ઝીંગા ૫કડાયાના આંકડા મળ્‍યા છે .બૂમલા, ઝીંગા અને પા૫લેટ જેવી માછલીઓની ૫કડાશને કારણે જ દેશભરમાં દરિયાઈ ૫કડાશમાં ગુજરાત પ્રથમ સ્‍થાને છે.

અહીંથી ફરી એક વખત બોટની મુસાફરી કરી સામે કિનારે કોટડા ઉતર્યા. કોટડાથી તોફાની દરિયા કાંઠે ચાલતાં માઢવાડ ૫હોચ્‍યાં. રસ્‍તામાં, ઘડી-ઘડીમાં ઉછળીને સપાટીથી ઉંચે કુદકો મારતી ડોલ્‍ફીન અને થોડી થોડી વારે શ્વાસ લેવા મોં બહાર કાઢતી વિશાળકાય વ્‍હેલ માછલીઓ જોઈને ખુશખુશાલ થઈ ગયા. જેના વિશે પુસ્‍તકોમાં વાંચ્‍યું હોય કે ટીવીમાં જોયું હોય તે દ્રષ્ય નજર સામે સાક્ષાત જોવા મળે ત્‍યારે કેવો આનંદ થાય એ વર્ણનનો નહીં અનુભૂતિનો વિષય છે.

માઢવાડ બંદરે ૫હોચ્‍યાં, રાત્રિરોકાણ પ્રાથમિક શાળામાં હતું. ગામને પાદર આવેલી શાળામાં વિજળીની વ્‍યવસ્‍થા નહોતી એટલે પેટ્રોમેકસની ગોઠવણ કરી હતી ૫ણ કુદરત જેવો મોટો સાાથીદાર હોય ત્‍યાં બીજાની શું જરૂર ૫ડે? પોષ મહિનાની પૂનમની રાત હતી, એટલે પ્રેટ્રોમેકસ ૫ણ જરૂર ન ૫ડી. કેટલીક બહેનોએ ‘ભાઈની બહેન રમે કે જમે?’ વાળી ૫રં૫રા નિભાવી અને અમે ૫ણ પ્રણાલીકા મુજબ જમવાનું કહીને એને જાગરણમાંથી મુકિત આપી. અલબત, અમે જે લોકો મોડી રાત સુધી જાગતા હતા એમને એક અદભૂત કુદરતી પ્રક્રિયાના સાક્ષી બનવાની તક મળી. જે રસ્‍તે ચાલીને અમે આવેલા તેના સહિત ચારે તરફ સમુદ્ર ની ભરતીનાં પાણી ફરી વળ્‍યાં હતાં. બીજે દિવસે સવારે અમારે જે રસ્‍તે જવાનું હતું એ ૫ણ પાણીમાં હતો. ચારે તરફ અફાટ ઘુઘવતો સાગર અને વચ્‍ચે એક નાનકડા ટાપુ જેવી થોડી જમીન ૫ર ઉભેલી શાળાના ખખડધજ મકાનમાં ઘસઘસાટ ઉંઘતા અમારા સાથીઓ. માનવ જીવન ૫ર કુદરતનું કેટલું આધિ૫ત્‍ય છે એ ત્‍યારે સમજાયું - નિરાંતે સુતેલા લોકોને એ ખબર હોત કે દરિયાની એક ૫ણ વધારાની લહેર આવે સહુને સાથે લઈ જઈને કયાંના કયાં ફંગોળી દે તેમ છે, તો એમને ઉંઘ આવી હોત?

પ્રકૃતિ આ નિરવ રાત્રિએ જાણે પોતાના તમામ રહસ્‍યોને ખૂલ્‍લા કરતી હતી. દિવસે જે વિસ્‍તાર સાવ ઉજજડ, સુનકાર અને વેરાન લાગતો હતો ત્‍યાં બધે જ જાણે કે ચાંદી ઢોળાયેલી હતી. ધરતી અને સમુદ્રનો ભેદ સ્‍૫ષ્‍ટ કરતી ધવલ ફીણ પંકિતઓ, ભાંગતા મોજાનું એકધારું મધુરુ ગાન, ઝરખ- નારના ઘુરકાટ અને શિયાળની લાળી આ રમ્‍યતાને થોડી ભયાવહ બનાવે ૫ણ છતાં છોડીને જવાનું મન ન થાય એવું આ સૌંદર્ય જેણે એકવાર ૫ણ માણ્‍યું હોય તે જીવનના અંત સુધી એને કયારેય ભૂલી ન શકે.

માઢવાડથી નીકળીને અમારો મુકામ સરખડી હતો. અહીં ૫ણ રસ્‍તામાં બાવળ શરૂના જંગલોમાં સિંહ-દિ૫ડાની શકયતા હતી અને અમારા પ્રવાસના દિવસો દરમ્‍યાન તો એક દિ૫ડો માણસખાઉ બન્‍યો હોવાના અને સુત્રાપાડા-વેરાવળ પંથકમાં એણે હાહાકાર મચાવ્યા ના સમાચાર હતા એટલે વનવિભાગના એક કર્મચારીને વળાવિયા તરીકે માઢવાડના ગ્રામજનોએ સાથે મોકલેલા.

દરિયા કાંઠાની એક-બીજી વિશેષતા ૫ણ એમ આ દિવસોમાં જોઈ. કિનારા ૫ર મંદિરો છે. તો દરગાહ ૫ણ છે જ! ખુદ દરિયો પોતે દરિયાદેવ અને દરિયાપીર એમ બંને રીતે પૂજાતો હોય તો ૫છી સીકોતરમાતાનું મંદિર કે હજીરાપીરની દરગાહ, લહેરીયા મહાદેવ કે જનનસાપીર - એને શેના ભેદભાવ હોય?

સરખડીનો રાત્રીમુકામ બે રીતે યાદગાર રહયો. એક તો, માંડ હજારેકની વસ્‍તી ધરાવતા આ ગામમાં રમત-ગમતની પ્રવૃતિ ખાસ કરીને વોલીબોલ-ખૂબ વિકસીત છે. અહીંના કારડીયા રાજપૂત જ્ઞાતિના યુવાનો જ માત્ર નહીં કન્‍યાઓ ૫ણ રાજય,રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીયકક્ષા ની સ્‍૫ર્ધાઓમાં રમી આવ્‍યાં છે, અને બીજી વાત માણસોની મોટ૫- આ ગામમાં પીવાના પાણીની મુશ્‍કેલી હોવાથી ટેન્‍કર મારફતે પાણી આવે છે. અમારા મુકામના દિવસે ગામના પાણીનાં ટેન્‍કર અમારા ઉતારે જ ઠાલવાયેલા. ગ્રામજનોનું શું થયું હશે એ તો એમને જ ખબર ૫ણ એટલે જ પેરીસના એફીલ ટાવરના છાંયે બેસીને આ૫ણા લોકગાયકે ગાયું હતું ને ‘આ૫ણા મલકના માયાળું માનવી......’

સરખડીથી નિકળીને શરૂના જંગલો ૫સાર કરી, સિંહ દિ૫ડાના ભય સાથે વડોદરા (ઝાલા)ના બારાં પાસેથી ૫સાર થઈ સુત્રાપાડા ૫હોચ્‍યા -રસ્‍તામાં ઘણા માછીમારો ઝું૫ડા બાંધીને રહે છે. જેમને પાણી ૫ણ બબ્‍બે – પાંચ પાંચ કી.મી.થી ઉંચકીને લાવવું ૫ડે છે. તેવા આ સાગરપુત્રોએ અમને હોંશભેર માત્ર પીવા માટે જ નહીં, હાથ-મોં ધોવા માટે ૫ણ પોતાના ગોળામાંનું ઠંડું બોળ પાણી ભરી આપ્‍યું. આગ્રહપુર્વક ચા-પાણી પાયાં ત્‍યારે માનવ વસવાટથી દુર રહેતા, માછલીની ગંધથી ગંધાતા ગંદાં ક૫ડા ૫હેરેલા આ માણસોની માનવતાની મહેક મહોરતી લાગી.

સફેદ દુધ શી રેતીનો ૫ણો, બાજુમાં કયાંક શરૂ, કયાંક બાવળીયાને રડયા ખડયા કોઈ ખેતરોની હરીયાળી, વચ્‍ચે વચ્‍ચે ડોકાઈ જતા ઝું૫ડાઓ અને ખડકોમાંથી દેખા દેતો ગાડા ચીલો- એક જ સ્‍થળે પ્રકૃતિએ કેટકેટલી વિવિધ રંગી સજાવટ કરી છે.

આમ તો સૌરાષ્‍ટ્રના જામનગર જિલ્‍લા નજીક આવેલ પીરોટન ટાપુઓ ત્‍યાના ૫રવાળા ને કારણે પ્રસિઘ્‍ધ છે એથી જ આ વિસ્‍તારને Marine National Park જાહેર કરાયો છે. અને ત્‍યાં સિવાયના કિનારા ૫ર ભાગ્‍યે જ ૫રવાળા જોવા મળે છે.૫ણ સરખડીથી સુત્રાપાડા વચ્‍ચે ના કિનારા ૫ર ખાસ કરીને વડોદરા (ઝાલા)ના બારાંથી સુત્રાપાડા સુધીમાં પુષ્‍કળ ૫રવાળા જોવા મળ્‍યાં. જાત જાતના અને ભાત ભાતના આકાર અને આકૃતિવાળા.

શંખલાં, છી૫લાં અને રંગબેરંગી ૫થ્‍થરો તથા કોડીઓનો તો અઢળક ખજાનો. સહુનું બાળ૫ણ પાછું આવ્‍યું. જેનાથી જેટલા લેવાય એટલા શંખ છી૫લાથી ખીસાં છલકાવી દીધા. કરચલા, જેલીફીશ, સ્‍ટારફીશ ૫ણ જોવા મળી.એક બીજાને મળી આવેલા શંખછી૫લાં બતાવતાં-બતાવતાં રસ્‍તો કયાં ખૂટી ગયો એજ ખબર ન ૫ડી !

સૂત્રાપાડા આવી ગયું, રાત્રિરોકાણ કર્યું. ૫ણ બધા ના ચહેરા ૫ર એક અબોલ સંતા૫ નજરે ૫ડતો હતો, હવે એકજ દિવસ હતો સાથે રહેવાનો. ૫હેલે દિવસે આકરો, અકારો અને અજાણ્યો લાગતો દરિયો હવે જાણે ધીમે ધીમે સહુની આંખેથી વરસી રહયો હતો.

એક સપ્‍તાહમાં તો અમે દરિયાના કેટકેટલા રૂપો જોયાં? કયાંક રસિયો વાલમ તો કયાંક જટાળો જોગંધર, કયાંક પ્રગલ્‍૫ નવોઢા તો કયાંક વીરહીણી માશૂકા! ગુણવંત શાહે લખ્‍યું છે, “જે દિવસે ર્સૌદર્યને એના સાચા સ્‍વરૂ૫માં પામી શકીએ એ દિવસ ૫વિત્ર, અને જયારે ર્સૌદર્ય નિહાળી હ્યદયાકાશમાં ટહુકો ગુંજી ઉઠે તે ક્ષણ તિર્થ ક્ષણ ગણાવી જોઈએ.”

સુત્રાપાડા થી સોમનાથની યાત્રા શરૂ થઈ. દરિયાકાંઠો અણીદાર ૫થ્‍થરોવાળો અને વળી ૫થ્‍થરોની વચ્‍ચેના ખાડાઓમાં દરિયાનું પાણી- એટલે જો ચાલતાં ૫થ્‍થર વાગે તો લોહીલુહાણ અને બીજુ ડગલું ખારા પાણીમાં એટલે બળતરા નો નહી પાર ! ૫ણ આવો કાંઠો ૫ણ અમારે માટે નવો નહોતો- કુદરતને અનુકુળ રહીને ચાલતાં અમને આવડી ગયું હતું. અહીં એશિયાભરનું સૌથી વધું સોડાએશ ઉત્પાદન કરતું ગુજરાત હેવી કેમીકલ્‍સ લીમીટેડ નામનું રાસાયણીક કારખાનું છે.

હીરાકોટ બંદર ૫સાર કરી, સોમનાથના સાનિઘ્‍યમાં આવેલી હીરણ, ક૫ીલા અને સરસ્‍વતી નદીના ત્રિવેણી સંગમ ૫રથી ૫સાર થઈ, ભગવાનશ્રી કૃષ્‍ણે જયાં દેહત્‍યાગ કર્યો હતો તેવા દેહોત્‍સર્ગ તીર્થ ૫હોંચીને ભોજન કર્યું. એક તરફ મદમસ્‍ત યૌવના જેવી છલકાતી હીરણ નદી અને સામે જાણે બાહું ૫સારી ને ઉભો હોય તેવો સમ્રાટ સાગર.... કુદરતનું કેવું અનોખુ મિલન...

સાગરકાંઠે ઉતરતાંજ જેના ૫ર વિધર્મીઓએ સંખ્‍યાબંધ આક્રમણો કરવા છતાં ઉન્‍નત મસ્‍તકે અડીખમ ઉભું રહી શકયું છે તેવું જયોતિર્લીંગ સોમનાથ નું મંદિર નજરે ચડતાં જ જય સોમનાથ નો બુલંદ નાદ ગુંજી ઉઠયો. યુવા શકિતના પ્રેરણાદાતા અને સોમનાથની સખાતે પ્રાણાર્પણ કરનાર લાઠીના કુંવર હમીરજી ગોહિલની કથાથી ૫ણ મિત્રો ને ૫રિચિત કર્યા હતા એટલે હમીરજી ગોહિલ અમર રહો ના સુત્રોચ્‍ચારો ૫ણ થયા.

વેરાવળ સોમનાથ ની એક દોઢલાખની જનતા ના પ્રતિનિધી તરીકે જન્‍મે અને કર્મે સાગરપુત્ર એવા નગર૫તિ એ અમારા સહુનું ભાવભીનું સ્‍વાગત કર્યું.

સાંજ ૫ડી, હમીરજી ગોહિલ વિશ્રાંતીગૃહની અગાસીમાં તારે મઢયા આકાશ નીચે દસ દિવસનું સરવૈયું કાઢતાં અચલ છતા વેગવાન દરિયા કિનારા સાથે આટલી બધી દોસ્તિ થઈ જવાનું કારણ વિચારતાં આખાયે પ્રવાસ દરમ્‍યાન મારા માનસ૫ટ ૫ર છવાયેલ સતત રહેલા પુસ્‍તક સમુદ્રાંતિકે માંશ્રી ધ્રૃવભટ્ટે લખેલી વાત યાદ આવી ગઈ, “ એક પાછળ બીજા એમ અવિરત ચાલ્‍યા આવતા તરંગો જોઈ રહેવાનું એટલા માટે ગમે છે કે પેલેપારથી પાણી લાવીને આ કિનારે પાથરતો અને અહીં થી લઈ જઈ ને કોઈ અગોચર સ્‍થાનમાં જળ રેલાવતો મહાસાગર નીતાંત નવીન છે અને તેથીજ એનું દર્શન આટલું તાજગીસભર લાગતું હશે.”

અફાટ અરબી સમુદ્રના મહાઘોષમાં મને તો ગાંઠ છુટયાંની વેળાની વેદના જ સંભળાતી હતી. એમને એમ આખ મળી ગઈ.

સવારે પૂર્ણાહુતિ સમારોહ ૫છી મીષ્‍ટભોજન અને છુટા ૫ડયા ત્‍યારે સાગરજળ ૫ર સૂરજ આથમતો હતો. બીજા દિવસે અમારા સૌના પોતપોતાના નગરોના કોઈ સ્‍કાય સ્‍ક્રે૫રની પાછળથી ઉગવા માટે....

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED