પ્રેમ ની પરિભાષા - 5 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરિભાષા - 5

નમસ્કાર મિત્રો .... કેમ મજા માં ! પ્રેમ ની પરિભાષા માં આપણે છેક છેલ્લા પડાવ પર આવી ગયા તમે ભય,મોહ, ક્રોધ ઈર્ષા,અને અહંકાર બરાબર સમજી ગયા હશો હવે ખાલી બાકી રહ્યું સમજવાનું તે પડાવ નું નામ છે સમર્પણ હવે આપણે આગળ વધીએ પહેલા તેના પહેલા એક વાત કરવી છે 
સોલંકી મનોજભાઇ
પ્રેમ ની શોધ માં 
(8401523670)
              મારા મિત્ર એ મને કહ્યું કે શું પ્રેમ લગ્ન કરાઇ?..... મારો જવાબ એટલો જ હતો કે હુ પ્રેમ ની પરિભાષા કહ્યુ છું અને જવાબ તમારે જાતે શોધ વાનો રહસે...પ્રેમ માં લગ્ન ની વાત આવી એટલે તમને હું પાછો અહંકાર ના પડાવ વિશે થોડું બતાવી દઉં અહંકાર ના પડાવ માં જે જોયું તે બરાબર છે પણ થોડું વધું કહેવા માગું છું અહંકાર એટલે અભિમાન આ બધા ને ખબર છે પણ અહંકાર નો બીજો અર્થ એટલે "અધિકાર જે ચીજ વસ્તુ ,પર કોઈ વ્યક્તિ પર તમારો અધિકાર નથી તેને બળ પૂર્વક પોતાનું બનાવવું એ પણ અહંકાર નો બીજો અર્થ થાય છે" આ તમને હાલ નહિ સમય જતાં સમજાશે હવે પ્રેમ માં અહંકાર ના અધિકાર વિશે વાત કરીએ તો ઈર્ષા ના પડાવ ને જે સમજી ગયું હોય જેના પ્રેમ માં ઈર્ષા નો પડાવ આવે છે તેમના પ્રેમ માં અહંકાર નો પડાવ પણ આવે છે એમાં 90% પ્રેમી અલગ થાય છે.... ક!તો આત્મહત્યા , ક!તો મારી નાખે છે અને જે 10%પ્રેમી વધે છે તે અહંકાર ના બીજો અર્થે એટલે કે અધિકાર માં ફસાય જાય છે તેઓ પોતાના પ્રેમ ને પોતાના અધિકાર થી તેના કબ્જો કરવા , પોતાનો હક માનતા ,તેને એક લગ્ન ના બંધન માં બાધી નાખે છે(એક વાત હંમેશા યાદ રાખવાની ....કે પ્રેમ નું કોઈ બંધન નથી પ્રેમ તો મુક્ત છે") અને પોતાનો પ્રેમ સાચો હોય તેવું બતાવવા માગે છે પણ એક વાત કહું તો લગ્ન પછી પ્રેમ ધીરે ધીરે ભૂલી જાય છે જવાબદારી પરિવાર,સમાજ,આ બધા માં એવા ફસાઈ જાય છે અને પાછું તેમનું જીવન આખું ભય,મોહ,ક્રોધ,ઈર્ષા, અને અહંકાર માં ફર્યા કરે છે એવા કર્મ કરે છે કે જીવનમરણ ચક્ર માં ફર્યા કરે છે....અને આ એટલું સૂક્ષ્મ જ્ઞાન છે જે મનુષ્ય નું આખું જીવન નીકળી જાય છે પણ સમજી સકતો નથી "પ્રેમ થી કર્મ વિશે જાણો" બુક એકવાર જરૂર વાંચજો....
    ચાલો આગળ ની વાત કરીએ તો લગ્ન પછી પ્રેમ થાય છે અને પ્રેમ ટકી રહે છે પણ એના માટે તમારે પ્રેમ લગ્ન ના કુલ 7 વચન ને સમજવા પડે છે અને તેનું પાલન કરવું પડે છે અને આ કયા 7 વચન છે તો ભગવાન વિષ્ણુ 7 અવતાર વિશે જાણવું પડશે આ 7 અવતારો માં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અવતાર તો થાય છે પણ પોતાના પ્રેમ ને અને પોતાના પ્રેમી પાત્ર ને બચાવવા શું...શું...કરે છે આ 7 વચન વિશે પછી વાત કરશું હાલ આપણે આગળ અહંકાર ને સમજી ગયા અને આગળનો પડાવ વિશે વાત કરીએ....
              સમર્પણ
 સમર્પણ ની વિશે બધા મનુષ્ય ની અલગ અલગ વાતો તમે જાણી હસે પણ જો તમે સાચે કોઈ ને પ્રેમ કરો છો તો તમારા માટે કહું કે પ્રેમ માં તમે જે પાત્ર માટે જે સમર્પણ કરવાનું હોય છે તે આ બધા વિકાર જ હોય છે તમારે તમારા અંદર થી 1 ભય, 2મોહ ,3 ક્રોધ 4 ઈર્ષા ,અને 5 અહંકાર આ વિકાર નું સમર્પણ કરવાનું હોય છે જો આ બધા વિકારો તમારા અંદર થી નીકળી જાય છે તો તમે એક પ્રેમી બની જાવ છો તમારા અંદર ખાલી પ્રેમ અને પ્રેમ જ બચે છે તમે તમારો પ્રેમી તો શું ! ..તમારી આજુબાજુ તમામ પ્રકૃતિ જેમાં મનુષ્ય,જનાવર, જાડ,જીવજંતુ,કે પક્ષી, પડાડ,કે નદી તળાવ .....અને છેવટે પરમાત્મા ખુદ તમને પ્રેમ કરવા લાગશે અને આ બધા ને તમે એક જ ભાવ તમારા હદય માં રહેશે ખાલી પ્રેમ ....પ્રેમ....અને પ્રેમ...તમે નજર ઉઠાવી તમારા ભૂતકાળ માં જુવો જેને આ 5 વિકારો માંથી 1,2.. પણ વિકાર પોતાના જીવનમાંથી કાઠી નાખયા છે તેને ઇતિહાસ માં અમર થય ગયા છે અને પૂજનીય બની ગયા છે....અને જે આ તમામ વિકાર મુક્ત થાય છે તે ભગવાન બની જાય છે ક!તો ભગવાન ના ફરિશ્તા બની પ્રેમ અને નેકી ના માર્ગ પર ચાલી દરેક મનુષ્ય ને પ્રેમ અને શાંતિ નો સંદેશો આપે છે.....
     આ તમામ વિકાર તમારા અંદર નહિ હોય તો તમે એવા જ્ઞાન ની પ્રાપ્તિ થશે કે સમાજ ,દુનિયા તમારું ખોટું કરતું હસે સતા તમને તેઓ નાદાન ,મૂર્ખ લાગશે અને તમે તેને સદા ને પ્રેમ જ કરતા હશો.... ઉ.દા તમારી સામે છે.. ગૌતમ બુદ્ધ,.... મહાવીર,...સાંઈબાબા....,ઈસુ,...અને મનુષ્ય માં જુવો તો મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ...વગેરે જેવા મહાન વ્યક્તિ બની ગયા...
      હવે સમર્પણ શું કરવું તમને ખબર પડી ગઈ આ બધા વિકાર ને સમર્પણ કરી દો ,અને પ્રેમ ની સાથે જીવો અને જુવો દુનિયા કેટલી રંગીન છે ....પ્રેમ ની શક્તિ તમને પરમાત્મા સુધી પહોચવા માં મદદ કરશે અને તમને સાચું જ્ઞાન તેમજ મોક્ષ જરૂર મળે છે.....એક વાર તમે પ્રેમ સમજી જશો તમે સાચા પ્રેમી બની ગયા તો એ જ્ઞાન તમને મળે શે જેમાં તમને સાચું,ખોટું અને પાપ ,પુણ્ય બધું સમજાય જશે પછી તમે જે કર્મ કરશો તે કર્મ શુદ્ધ કર્મ બની જશે....માટે હું કહું શું કે પ્રેમ એક મોક્ષ નો દ્વાર છે...માટે પ્રેમ કરો અને પ્રેમ સમજો...
   શ્રી કૃષ્ણ ભગવાન અને પ્રેમ ની દેવી રાધા આજ સંદેશો આપવા પ્રેમી અને પ્રેમિકા બની તમને સમજાવવા નો પ્રયત્ન કર્યો છે ....છતાં મૂર્ખ મનુષ્ય ને ખાલી પાત્ર પર નજર રાખી તેમના જ્ઞાન અને તેમના ઉપદ્દેશ પર નહિ ...એટલે તો આજ ના પ્રેમી પ્રેમ કરવા પ્રેમી,અને પ્રેમિકા ની શોધ માં છે તમે પ્રેમ ની શોધ માં ફરો ના કે પ્રેમી ,કે પ્રેમિકા ની તમે જીવન માં પ્રેમ ને સમજવા ગમે તે એક પાત્ર ને શોધો...પ્રેમિકા,પત્ની,માં બાપ ,ભાઈ,બહેન,ગુરુ,ભગવાન,કે કોઈ જાનવર.....વગેરે...કોઈ એક વ્યક્તિ ને આજીવન પ્રેમ કરતા રહો અને જે દિવસે પ્રેમ સમજાય જસે ત્યારે તમને બધી બાજુ પ્રેમ ...પ્રેમ દેખાશે..અને તમે ખુદ એક મહાન અને સાચા પ્રેમી બની જશો....
પ્રેમ નું કોઈ બંધન નથી તે બંધન થી પરે છે...
પ્રેમ બલિદાન માગે છે...
પ્રેમ માં સમર્પણ જરૂરી છે...
પ્રેમ ને ખાલી પ્રેમ કરો...
પ્રેમ ને આઝાદી આપો...
પ્રેમ નું કોઈ નામ નથી...માટે નામ ના આપો..
પ્રેમ ને પ્રેમ ની નજર થી જુવો....
પ્રેમ નો આજીવન...ઇન્તજાર કરો... જયા સુધી પ્રેમ ના મળે..કે ના સમજાય.....
પ્રેમ માં મરો નહિ પ્રેમ માટે જીવતા શીખો....તોય પ્રેમ ના સમજાય તો છેલ્લો રસ્તો...
પ્રેમ માટે બધું છોડી દો...નામ , પદ ,પાવર,ધન,અને શૂન્ય થી શરૂવાત કરો ....વિચારો તમારો જન્મ થયો ત્યારે તમારી પાછે કશું ન હતું ત્યારે તમને કેટલો પ્રેમ મળતો હતો અને આજે જુવો કોણ પ્રેમ કરે છે....આજે બધે સ્વાર્થ નો પ્રેમ જોવા મળશે સાચો પ્રેમ નહિ..,
      આમ પ્રેમ ની પરિભાષા માં સમર્પણ ના પડાવ ને જે સમજી જાય છે તેને સાચો પ્રેમ મળી જાય છે અને તે પ્રેમી બની જાય છે અને તેને દરેક જગ્યાએ ખાલી આત્મા જ દેખાય છે અને તે પ્રેમી ખાલી આત્મા ને જ પ્રેમ કરે છે. .પ્રેમ કરતા કરતા પરમાત્મા ના નિરાકાર સ્વરૂપ ને પણ સમજી જાય છે....માટે હંમેશા કહું છું પ્રેમ કરવો અને પ્રેમ ને સમજવો ખૂબ કઠિન કામ છે આવી રીતે મારી પ્રેમ ની પરિભાષા પૂરી થાય છે તમને આ બુક કેવી લાગી એકવાર પ્રેમ થી જણાવજો હું તમારા પ્રેમ ના જવાબ નો હંમેશા ઇન્તજાર કરીશ ...
આ બુક લખવામાં કે સમજાવવા મારી કાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.... રાધે...રાધે...
(❤️ભૂલ સે અગર કોઈ ભૂલ હુઇ હોતો .... ઉસ ભૂલ કો .......ભૂલ સમજકર ભૂલ જાના.....ભૂલ ના સિફ હમારી ભૂલ કો... ભુલ સે કહી હમે ના ભૂલ જાના❤️)🙏🙏🙏🙏
                          સોલંકી મનોજભાઇ
                               પ્રેમ ની શોધ માં
                               8401523670