ગરુડ પુરાણ - ભાગ 15 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 15

પંદરમો અધ્યાય

ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું-જ્યારે ધન્વંતરના કહેલાં કેટલાક વિશિષ્ટ રોગ અને એના નિદાનના વિષયમાં સાંભળો. ધન્વંતરિએ બતાવ્યું કે લોહી, પિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે. રોગની ઉત્પત્તિ વધારે ગરમ, તીખા અને ખાટ્ટા પદાર્થ ખાવાથી થાય છે. કેમ કે એનાથી પિત્તથી સંયુક્ત પદાર્થોમાં પિત્ત વધારે હોવાને કારણે લોહીમાં બાધા પહોંચે છે અને પોતાની માત્રાથી વધારે હોવાને કારણે સમાન રૃપે હોઈને વિકૃત રૃપમાં પ્રભાવ કરે છે. આનો પરસ્પર સંસર્ગ લોહીમાં અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે. જ્યારે રક્ત-પિત્ત તેજ હોય છે ત્યારે માથામાં ભારેપણું, કોઈ પણ વસ્તુ સારી ન લાગવી, ખાંસી, શ્વાસનું કષ્ટ અને મ્હોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ થઈ જાય છે. મનુષ્યનું મુખ પીળુ-પીળુ થઈ જાય છે. આંખોની રોશની ધૂંધળી થઈ જાય છે અને મનુષ્ય પરમત્વ હોવાની અવસ્થા સુધી પહોંચી જાય છે.

આ રોગને કારણે નાક, કાન, મ્હોમાં બળતરાં થાય છે. કફ વગેરે વધી જાય છે પરંતુ આની સૌથી મોટી ઔષધિ વિરેચનથી થાય છે. કફની શુદ્ધિ કરવી જરૃરી હોય છે. કેટલાક કસેલા પદાર્થ કફની સમન કરે છે. આ અવસ્થામાં મનુષ્યએ મધુર પદાર્થ ખાવા જોઈએ. મધુર પદાર્થોની સાથે લોહીનું પિત્ત શુદ્ધ થઈ જાય છે અને ખાંસી દૂર થઈ જાય છે. આ પાંચ પ્રકારની હોય છે. વાત-પિત્તથી થવાવાળી ખાંસી અને કફથી થવાવાલી ખાંસી ખૂબ તેજ હોય છે અને એક ખાંસી ક્ષય હોવાનું કારણ પણ હોય છે. આનાથી ગળામાં સૂકાપણું આવી જાય છે. ગળામાં ખાજ જેવા આસાર પણ દૃષ્ટિગોચર થાય છે. એનાથી શ્વાસ તૂટતો રહે છે એના ઉપચાર હેતુ એ જોવાનું હોય છે કે ખાંસીથી વધારે વેગથી તરલ પદાર્થ ખાઈને છુટકારો મેળવી શકાય છે. વક્ષસ્થળની પીડા અને માથાનું દર્દ કયારેક-ક્યારેક તીવ્ર થઈ જાય છે અને એનાથી મનુષ્યની અંદરની શક્તિ ઓછી થઈ જાય છે. ખૂબ જ વધારે પીડા થાય છે જાણે સોય ચુભી રહી હોય.

આની અધિકતાની સાથે શ્વાસ રોગ અને પીઠના ભાગમાં પીડા પણ થવા લાગે છે. અચાનક જ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે. ધન્વંતરિએ આ વિશે કહ્યું કે કોઈ રોગની સમાન શ્વાસ રોગ પણ ઉલ્લેખનીય છે. ખાંસીની વૃદ્ધિ થઈ જવાથી શ્વાસ રોગ પેદા થાય છે અને આ પ્રાણ અને જળ તથા અન્નને ગ્રહણ કરવાવાળા શારીરિક સ્ત્રેતોને દૂષિત કરે છે. આ શ્વાસ રોગનું લક્ષણ એ છે કે હૃદયના બગલમાં દર્દ થાય છે. અને ખૂબ વધારે ભોજનથી પીડા વધા છે. વાયુ પ્રતિકૂળ થઈને શ્વાસના ઉતાર-ચઢાવમાં ઝડપતા વધારે છે. પરંતુ જ્યારે અંદરનો મળ બહાર નિકળી આવે છે ત્યારે થોડી શાંતિ મળે છે. કેટલીય વખત સૂતા સમયે એનાથી ખૂબ જ ગભરાટ થાય છે અને તે ઉઠી જાય છે. જે રીતે વાદળોમાં થવાવાળા જળ અને વાયુના સંઘર્ષમાં પ્રકંપન થાય છે એવી જ રીતે શ્વાસ રોગથી હૃદય કાંપે છે. કેટલીય વખત જ્વર અને મૂર્ચ્છાનો આભાસ પણ થાય છે. આ રીતે આ રોગ ખૂબ કષ્ટ આપે છે. વાણીમાં સૂકાપણું આવી જાય છે અને જ્યારે મનુષ્ય ઉપર લાંબી શ્વાસ લે છે તો એનું અવરોહણ નથી કરી શકતો. તે બોલવામાં અસમર્થ થઈ જાય છે અને એને એવું લાગે છે જાણે એના પ્રાણ નિકળી રહ્યાં હોય.

ધન્વંતરિએ કહ્યું કે એક વિશેષ પ્રકારનો હિચકીનો રોગ પણ થાય છે. આનો પ્રારંભ પણ શ્વાસની ક્રિયાથી થાય છે. કેટલીય વખત અયોગ્ય વસ્તુના સેવન કરવાથી રૂખું, તીખું અને તેજ અન્યય અંદરની વાયુની પ્રપીડિત કરી દે છે અને એનાથી હીચકી ઉત્પન્ન થાય છે. મૂળ રીતે આ ખાધેલા અન્નથી પેદા થઈ ક્યારેક ધીમી અને ક્યારેક વેગવતી થઈને આ મનુષ્યમાં પ્રકંપન પેદા કરે છે. એના વિશે આખા શરીરને મથતી વાણી, સ્મૃતિ અને સંજ્ઞાને પણ ધૂમિલ કરી દે છે. કેટલીય વખત વમન કરવાની સ્થિતિ પણ આવી જાય છે. અનેક વખત આના શબ્દ મોટા ધ્વનિવાળા હોય છે. હિચકીના સમયે મનુષ્યને વારંવાર એ લાગે છે કે એના શ્વાસ ઉપર નીચે અવરોધથી ચાલી રહ્યો છે.

એના પછી ધન્વંતરિએ કહ્યું કે યક્ષ્મા રોગ પણ ખૂબ જ ભયંકર હોય છે. આ રોગમાં અનેક રોગ છુપાયેલા હોય છે. આ કેટલાય રોગોને કારણથી પેદા થાય છે. આનાથી મનુષ્યની બધી શક્તિ નષ્ટ થઈ જાય છે. પહેલાં આ રોગ સામાન્યતયા મોટા-મોટા રાજાઓને થયા કરતો હતો. આથી એનું નામ રાજરોગ પડયું. એના ચાર મુખ્ય કારણ કહેવામાં આવે છે. પહેલું કારણ એ છે, કરવા ન કરવાવાળા કામમાં ખરાબ રીતે લાગી જવું અને ભૂખ-તરસવગેરેની ચિંતા પણ ન કરવી. યોગ્ય સમય પર ન ખાવું-પીવું આનું બીજું કારણ છે. ત્રીજું કારણ છે- કોઈ પણ સ્થિતિઓથી શરીરમાં ઓજ, વીર્ય અને સ્નેહનું ક્ષીણ થઈ જવું. ચોથું કારણ સમય પર યોગ્ય માત્રામાં ખાવાનો અભાવ હોય છે. આ ચારણ કારણોથી પિત્ત ખૂબ જ યઉત્તેજિત થઈ જાય છે અને ધીમે-ધીમે યક્ષ્મા રોગનું કારણ બને છે. એનાથી મ્હોંની મિઠાશ અને શરીરની કોમળતા જતી રહે છે. આખા શરીરના અંગોમાં ઠંડાપણું અને સફેદી આવી જાય છે. શરીરમાં પીડા તો થાય જ છે અને મદિરાપાન, સ્ત્રી-પ્રસંગ, અને સ્વપ્ન તથા સ્વપ્નમાં સાપ, વાનર, માણસોને જોવા એના લક્ષણ હોય છે. એના અનેક ઉપદ્રવ હોય છે, ગળાને પીડા આપવાવાળા શ્વાસનો અવરોધ, જમ્હાઈ આવવી, અગ્નિની મંદતા, મુખમાં દુર્ગંધ અને શરીરના અંગોનું તૂટવું આની નિશાનીઓ છે. એનાથી મનુષ્ય પોતાની અંદર એક વિશેષ પ્રકારની અગ્નિ અનુભવ કરે છે. લોહી બનવું બંધ થઈ જાય છે.

આ રોગથી ખૂબ જ જલ્દી ક્ષીણતા આવે છે. એના માટે ક્ષીણતાથી બચવાના સાધન કરવા જોઈએ. એમાં વાતની અધિકતાથી પરેશાની થાય છે તથા પિત્તના પ્રકોપથી તાળવા અને ગળામાં બળતરાં થાય છે. રોગીને પ્રત્યેક ક્ષણ ઘુંટન અને ધુમાડાનો અનુભવ થયા કરે છે.

મનુષ્યના શરીરમાં અતિસાર રોગના આક્રમણ પણ થાય છે. ક્યારેક-ક્યારેક ખૂબ જ વધારે જળ પી લેવાથી અને ક્યારેક સૂકું અનાજ ખાવાથી અને ક્યારેક વધારે મદિરાના સેવનથી અને અનેક અવસરો પર ખૂબ પરિશ્રમથી મનુષ્યની સ્વાભાવિક વાયુ-ગતિ બાધિત થઈ જાય છે અને એના દ્વારા તેજ ક્ષય થઈ જાય છે. એમાં હૃદય તથા શરીરમાં પરસેવો વધારે આવે છે. શુષ્કતાને કારણે શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે.

આ બધા રોગ વધારે પડતા પિત્ત વધવાથી થાય છે. આથી પિત્તનું અનુશાસન ખૂબ જ જરૃરી છે. કેમ કે પિત્તને અનુશાસિત કરવાથી વાયુ અનુશાસિત થાય છે. અને એની સ્વાભાવિકતા જળવાઈ રહે છે. આથી મનુષ્યને જોઈએ કે તે ભોજન પદાર્થોમાં સમાનતા રાખે. એના ક્યારેક-ક્યારેક વિલક્ષણ લક્ષણ થાય છે. શરીરનું પીળું પડવું અને ક્યારેક-ક્યારેક ઘાની જેમ વ્રણ થઈ જવું, દુર્ગંધ, પરસેવો આવવો, અનેક લક્ષણ નજરે પડે છે.

જ્યારે મનુષ્યને વધારે સમય સુધી અતિસારનો રોગ થાય છે તો સંગ્રહણી જેવો દોષ ઉત્પન્ન થઈ જાય છે. આ પણ ચાર પ્રકારના હોય છે- એક ભેદમાં વાત, પિત્ત અને કફનો પ્રકોપ બની રહે છે. બીજું લક્ષણ વાયુનું ઓછું થવાનું છે. એમાં મુખનો સ્વાદ બગડેલો રહે છે અને હંમેશાં તરસ લાગી હોય એમ લાગે છે. ત્રીજું લક્ષણ પેટમાં બળતરાં થાય છે. અને એક પ્રકારના કાનોના છિદ્રોમાં ઝણઝણાટ જળવાઈ રહે છે. જ્યારે આ રોગ વાયુને કારણે થાય છે તો આંખોની સામે મોટાભાગે અંધારું રહે છે અને મનુષ્ય હંમેશાં આળસમાં ડૂબેલો રહે છે. એમાં જીર્ણતાથી મુક્તિ જ સૌથી મોટો ઉપાય છે.

આ પ્રકારે આ અનેક રોગ સતત મનુષ્યને થતાં રહે છે અને એનાથી મનુષ્ય કષ્ટમાં રહે છે. એનાથી સમસ્ત ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ જાય છે અને મનુષ્ય મરણથી પણ વધારે કષ્ટદાયક સ્થિતિમાં આવી જાય છે. આ રોગ મોટાભાગે વધારે ભોજન અને અસંતુલિત ભોજનથી થાય છે. જે વ્યક્તિ મદ્યપાન કરે છે એને એનામાં થી પ્રત્યેક રોગ જલદી પકડી લે છે અને એકની સાથે બીજા રોગોના લક્ષણ પણ અભિવ્યક્ત થાય છે. મદ્યથી રહિત થઈને બળવાન શરીરથી આ શારીરિક અને માનસિક વિકારો પર પણ વિજય મેળવી શકાય છે. આ પ્રકારે મેં તને અલગ-અલગ રોગોનું નિદાન બતાવ્યું છે. મનુષ્યને આ રોગોના વિષયમાં સતર્ક રહેવું જોઈએ અને યોગ્ય ઉપચાર કરીને યોગ સાધના દ્વારા પોતાને નિયંત્રિત કરવા જોઈએ.

રોગોના નિદાન પછી ચિકત્સાના અલગ-અલગ યોગ બતાવતા વિષ્ણુજીના અવતાર ધન્વંતરિએ બતાવ્યું કે આ પ્રકારના જ્વરોમાં સૌથી સારી વાત ભોજનનો ત્યાગ હોવો જોઈએ. ગરમ પાણી પીવું અને હવા રહિત સ્થાનમાં રહેવું લાભદાયક થાય છે. જો વાયુના વિકારથી જ્વર (તાવ) થયો છે તો ગિલોય અને નાગરમોથાનો ઉકાળો આપવો જોઈએ.

પિત્તના દોષથી પણ જ્વર થાય છે. એ જ્વરમાં સૌંફ, મોથા અને નવીન ફળને મિલાવની આપવા જોઈએ. કફના દોષથી ઉત્પન્ન તાવમાં કાઢો (ઉકાળો) આપવો જોઈએ.

ઊંડામાં ઊંડા તાવનો વિનાશ, લીમડો, દેવદારુ અને ધાન્યકના પત્તાની સાથે ગિલોય અને ત્રિફળાને મધમાં મિલાવને ખાવાથી થઈ જાય છે. હર્રા, પીપળ, આંમળા અને ચિરુકનો ચૂરો બનાવીને પણ તાવની સારવાર થાય છે. સન્નિપાત તાવ વધારે ગંભીર હોય છે. એમાં ત્રિફળા, લીંબૂ, હર્રા, નાગર મોથા દેવદારુનું મિશ્રમ બનાવવાથી જે પટોલ પતરના સહિત થાય એવો ઉકાળો બનાવીને આપવાથી સન્નિપાત તાવ દૂર થાય છે અને કટેરી, નાગરમોથા, ગિલોય અને પુષ્કરની સાથે નાગબલ્લીનું ચૂર્ણ ખાવા પર શ્વાસ અને ખાંસી દૂર થાય છે.

કફ અને વાતના તાવમાં હંમેશાં ગરમ પાણી પીવું જોઈએ. જો વાતનો તાવ છે તો એમાં પંચ મૂળનો કાઢો આપવાથી શાંતિ મળે છે. પિત્તના તાવમાં પર્પટી અને લીંબૂ મિલાવીને મધુની સાથે ખાવાથી શાંતિ મળે છે.

ભગવાન બોલ્યા- જે મનુષ્યના માથામાં વાળ ન હોય એના માથા પર સાત રાતોમાં વાળ ઉગી આવે છે જો હાથી દાંતની ભષ્મનો લેપ કરવામાં આવે તો. એની સાથે ભૃંગરાજના રસની સાથે ગુંજાના ચૂરાનો ઉપયોગ કરીને મનુષ્ય પોતાના વાળોમાં લગાવીને વૃદ્ધિ કરી શકે છે. કેરીની ગોટલી-ગોટલાઓના ચૂરાનો લેપ કરવાથી કેશ સૂક્ષ્મ થઈ જાય છે. કેરી અને આંમળાના લેપથી વાળ ઘેરા થાય છે. ચારગણા ગૌમૂત્ર અને મેંસિલની માથામાં માલિશ કરે તો વાળોમાં જૂ અને લીખ સમાપ્ત થઈ જાય છે. નવી રીતથી તૈયાર કરવામાં આવેલી શંખની ભસ્મના ચૂર્ણ કાચ પર ઘિસની લગાવવાથી વાળ ઘેરા અને કાળા થઈ જાય છે.

ભૃંગરાજ, લોખંડનો ચૂરો, ત્રિફળા, બિજૌરા, નીલ- આ બધાની સમાન જ ગોળ નાખીને લેપ કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. કેરીના ગોટલા અને કેરીની મજ્જા, હર્ર, બહેડા અને આમળા તથા આસમાની ભૃંગરાજ-આને એક્ઠા કરીને પકાવીને એમાં લોખંડનો ચૂરો નાખો અને કાંજી નાખો પચી લેપ કરી લો તો વાળ કાળા થઈ જાય છે. મેષનું મૂત્ર અથવા સંધવ મીઠું આ બંને મિલાવીને કાનમાં નાખવાથી કાનની દુર્ગંધ સમાપ્ત થઈ જાય છે. કાનના કીડા અને કાનનો બહાવ પણ સમાપ્ત થઈ જાય છે.

શોભાંજનના પત્તાઓનો રસ મધની સાથે મિલાવીને જો આંખોમાં નાખો તો આંખોના બધા રોગ ચાલ્યા જાય છે. આમળા, સૂંઠ, પીપળી, અસીતિ, તલના પુષ્પ ઉપનિંબ તડૂંલિયક આ બધાને પીસીને છાંયડામાં સૂકવીને વટી બનાવી લેવી જોઈએ અને પછી એને ચોખાના પાણીની સાથે પીસીને ખાઈ લેવી જોઈએ. આ વટીને ઘસીને મધની સાથે આંખોમાં લગાવવાથી આંખોનો અંધકાર જતો રહે છે. ચાર ભાગ શંખ અને એનાથી અડધો ભાગ મૈંસિલ તથા મનઃશિલાનો અડધો ભાગ સૈંધવ લઈને આ ત્રણેયને જળની સાથે પીસીને વટી (ગોળી) બનાવી લેવી જોઈએ. આને છાંયડામાં સુકવીને પછી નેત્રોમાં લગાવવાથી અંધકારનો ભય જતો રહે છે. સૂંઠ, મરચું, હળદર આને ભૃંગરાજના રસમાં પીસીને અંજન કરો તો અંધકારનો ભય જતો રહે છે. આંખોનું દર્દ દૂર કરવા માટે અષ્ટરસની જડ અને કાંજીને પીસીને આંખોમાં લેપ કરવો યોગ્ય રહે છે. સૈંધવ, કડવું તેલ અને અપામાર્ગ મૂળને ક્ષીર કાંજીથી તાંબાના પાત્રમાં પીસીને અંજન કરવાથી પિંજટનો નાશ થાય છે. બિલ્વ નીલિકાના મૂળને પીસીને અંજન કરવાથી પણ અંધકારનો ભય દૂર થાય છે. પીપળ હલ્લી અને આમળા અને ખાદિરને પીસીને એક વટી બનાવી લીધા પછી આંખોમાં લગાવી દેવાથી આંખોના રોગ ચાલ્યા જાય છે. વહેલી સવારે ઉઠીને પાણીને મ્હોંથી ભરીને પછી ઠંડા જળથી રોજ નેત્રોને છપકાં મારીને ધોવા જોઈએ એનાથી આંખોના બધા રોગ દૂર થઈ જાય છે.

એના પછી ભગવાન બોલ્યા કે ઘોષાના ફળને સૂંઘવા અને પીવા પણ કામલા રોગને ઠીક કરે છે. જાતીના પાંદડાઓને ચાવીને મ્હોમાં રાખીને મ્હોંના રોગ નષ્ટ થાય છે. કેસરના બીજોને દબાવવાથી હલતા દાંત પણ જામી જાય છે. મુસ્તક અને ઇલાયચી યાષ્ટિક અને મધુવાચક આને મિલાવીને ખાવાથી મ્હોંની દુર્ગંધ દૂર થઈ જાય છે. જો કોઈ મનુષ્ય તેલ યુક્ત કાંશીથી કુલ્લી કરે અને થોડા સમય માટે મ્હોંમાં ભરી રાખે તો મ્હોંના રોગ દૂર થાય છે. જે રીતે સૌંફને ચાવવાથી અને લીંબા તથા ઈલાચયી મધુ પીપળ અનેજાતી પત્ર આને મિલાવીને ચાટવાથી તાવનો નાશ થાય છે. ગુંજા (ચિરમિટી)ની બેલના મૂળને લઈને ચાવવાથી દાંતોના કીડાઓનો નાશ થાય છે. દૂધથી મિશ્રિત કર્કટ પાદથી મળેલું ઘી દાંતના કટકટાવવામાં ઉપચાર કરે છે. જો કોઈ વ્યક્તિ બે ભાગ છાશનો લે અને એક ભાગ તેલ એમાં મેળવે અથવા લાલ ચંદન, મજીઠ કર્સયટીને મધુ અને કુમકુમની સાથે મિલાવીને એક અઠવાડિયા સુધી પ્રયોગ કરે તો મ્હોંની શોભા વધે છે. સોંઠ અને પીપળનો ચૂરો નિષોધ ફિટકરીને મિલાવીને કાઢો બનાવવામાં આવે અને એને પીવાથી તેજની વૃદ્ધિ થાય છે. એનાથી વાયુના રોગ પણ દૂર થાય છે. જો કરંજ યક્ષ વૃહતી કટુ રોહણી ગોખરૂ આ બધાને પાણીમાં પકાવવામાં આવે તો મનુષ્યની સ્મરણ શક્તિ વધે છે. જે તાવ પારીથી આવે છે. અર્થાત્ એક દિવસ થોડીને અથવા ત્રીજા છઠ્ઠા કે આઠમા દિવસે એને દૂર કરવા માટે ગોમેદના રસને મિલાવને દૂધ આપવું પૂરતું છે.

કાકજંઘાના મૂળને ખાવાથી ઉંઘ આવે છે. શૈલી, શૈવાલ, અગ્નિમંથ પાષાણ, ભેદક, ગોખરૂ અને શોભાંજનના મૂળને જળની સાથે મિલાવીને આપવાથી વાયુના રોગ દૂર થાય છે. આર્ધ અને તગરના મૂળને ઘસીને મટ્ઠાની સાથે પીવાથી સીંજીના વાયુનો તાવ દૂર થાય છે. છાગના દૂથી મળેલી સત્વા પી લેવા, ઘીની સાથે લેપ કરવાથી પગના તળીયામાં દર્દ દૂર થાય છે. સરજનો રસ, જીરું, હર્રને ઘીમાં મિલાવીને મળવાથી આગ સળગવાથી થયેલા દર્દ દૂર થાય છે. ભેંસના દૂધથી નિકળેલું માખણ અને બાળીને પીસેલા તલ જો ભલ્લાક સહિત પ્રયુક્ત કરવામાં આવે તો વ્રણનો નાશ થાય છે અને એનો લેપ કરવાથી દર્દ દૂર થઈ જાય છે.

કેરીના ઝાડના મૂળના રસને કોઈ શસ્ત્રથી થવાવાળઆ ઘાવ ભરાઈ જાય છે. શસ્ત્રનો ઘા ડોકમાન હોય છે અને ઘીથી ભરીને તે વ્રણ રહિત થઈ જાય છે. શરપુખામાં લાજવંતી છુઈમુઈ, ગ્વારપાઠાના મૂળોને જળની સાથે ઘોંટીને શસ્ત્રના ઘા પર લગાવવાથી આરામ મળે છે. જળમાં મિલાવીને તેલના તેલને ઓંગીના મૂળથી ઘસીને જ્યારે સેક કરે છે તો વેદના ઓછી થાય છે. શ્વેત અપરાજિતાના પાંદડાઓને લીમડાના પાંદડાઓના રસની સાથે મિલાવીને પીવાથી ડાકની, પિતરો, બ્રહ્મ-રાક્ષસોનો ડર સમાપ્ત થઈ જાય છે.

પુષ્ય નક્ષત્ર શ્વેત જયંતીનું મૂળ શ્વેત અપરાજિતાના આર્ક અને ચિત્રકનું મૂળ બનાવીને એને પીને મસ્તક પર તિલક લગાવવાથી પુરુષનું તેજ ખૂબ જ આકર્ષક થઈ જાય છે. અર્થાત્ પીપળ, લોહ ચૂર્ણ, આંમળા, સોંઠ આ બધા સમાન ભાગે લઈને સેંધવ મધુ અને ખાંડની સાથે ગૂલરની સમાન ગોળી ખાવાથી બળની વૃદ્ધિ થાય છે.

ભગવાને આગળ કહ્યું કે હરિતાલ પત્રાંગ, લાલ ચંદન જાતિ અને યવક્ષાર તથા પિંગુલક અને લાક્ષાને પીસીને દાંતો પર લેપ કરવો જોઈએ. મંદ આગમાં મૂલકનું શ્વેદન કરી કાનોમાં રસ નાખવાથી કાનનું વહેવાનું સમાપ્ત થઈ જાય છે.

હરીતકીના કષાયથી દાંતોને માંજીને લેપ કરવો જોઈએ. કડવા તેલની સાથે પ્રયોગ કરવાથી કાનોના કીડાઓનો નાશ થાય છે. હળદર, લીમડાના પાંદડા, પીપળ અને કાળા મરી, વીડક ભદ્ર મુસ્ત તથા સપ્તમ વિશ્વ ભેષજ આ બધાને ગોમૂત્ર મિલાવીને એક વટી બનાવીને ખાવાથી અજીર્ણ નષ્ટ થાય છે. જે મનુષ્ય જટામાસી વચ, વિચૂ વિલ્વ, તગર, પદમ, કેશરનાથ પૂર્ય પ્રયંગુ આ બધાને સમાન ભાગમાં ચૂર્ણ બનાવીને ખાય છે તે ખૂબ જ સુંદર થઈ જાય છે. સરસોં, વચવદનના ફળ અને વીજળીની વિષ્ઠા ધુસ્તર અને નારીને કોશમાં ધૂળ લગાવી દેવાથી ચોથા દિવસે આવવાવાળો ચૌથૈયા તાવ સમાપ્ત થઈ જાય છે. અર્જુન નામ વાળા વૃક્ષના ફૂલ, ભિલાવા, વાયવિડંગવાળા સરજ રસ સોવીર સર્સપ આનો ધૂમાડો જૂ, માખી, મચ્છરોને નષ્ટ કરી દેવાવાળો છે.

ભગવાને આગળ કહ્યું-પાન, ઘી, મધ અને મીઠું તથા દૂધ જો મિલાવીને તાંબાના વાસણમાં રાખવામાં આવે અને પછી નેત્રોમાં લગાવવામાં આવે તો એનાથી નેત્રોના રોગો દૂર થાય છે. પીપળ, ત્રિફળાનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી પિનસનો રોગ દૂર થાય છે અને ખાંસીનો રોગ દૂર થાય છે. મૂળની સહિત ચિત્રકની ભસ્મ અને પીપળનો ચૂરો ચાટવાથી શ્વાસ, ખાંસી અને હીચકીઓનો રોગ દૂર થાય છે.

લોહીના વિકારોને દૂર કરવા માટે નીલોત્પલ પીસીને શાકર, મોટી કિશમિશ અને પદ્મક ચારેય વસ્તુઓને સમાન રાખીને રસ બનાવી લો પછી ચોખાને મસળીને જે પાણી નિકળે છે એની સાથે મિલાવીને પીવે.

હરતાલ, શંખનો ચૂરો અને કેળાના પાંદડાઓની ભસ્મની ઉબટન બનાવીને વાળ ઉટાવી શકાય છે. એનાથી આગળ ભગવાને કહ્યું કે કેટલાક શક્તિવર્ધક યોગ પણ જાણી લેવા જોઈએ.

ઠંડી અને ગ્રીષ્મ ઋતુમાં દહી ગર્હિત હોય છે. શિશિર, હેમંત અને વર્ષામાં દહી ખાવું જોઈએ. ભોજન પછી માખણની સાથે ખાંડ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. કુષ્ટનો ચૂરો કરીને ઘી અને મધની સાથે મિલાવીને સૂતા સમયે ખાવાથી ચહેરાની કરચલીઓ સમાપ્ત થઈ જાય છે. અલસી, અડદ, ઘઉં આનો ચૂરો કરીને ચૂના અને પીપળની સાથે મિલાવીને શરીર પર લેપ કરવાથી અંગોમાં આભા ફૂલી પડે છે. જવ, તલ, અશ્વગંધ, મૂસલી અને ગોળને એકત્રિત કરીને ખાવાથી બળમાં વૃદ્ધિ થાય છે.

સાકર અને મધને મિલાવીને ચાટવાથી અને પછી દૂધ પીવાથી શરીર પુષ્ટ થાય છે. કલીરનો ચૂરો દૂધની સાથે પીવાથી ક્ષય રોગનો નાશ થાય છે. માલૂરના રસને ગ્રહણ કરીને એનાથી જળોનું પોષણ કરીને એમાં પીસીને જો બંને હાથોથી લેપ કરે તો એના પ્રભાવથી અગ્નિ સ્તંભ થઈ જાય છે. અને પછી આગથી હાથ નથી બળતા. આ રીતે મનુષ્યને જોઈએ કે આ વિવિધ ઉપાયોથી પોતાના રોગોને દૂર કરે અને પોતાની શક્તિ વધારે.

પાંચ રક્ત વર્ણના પુષ્પ અર્થાત્ પાંચ લાલ રંગના ફૂલ ઉપલબ્ધ કરીને પછી કુમકુમથી યુક્ત કરીને પછી લોહીથી સમન્વિત કરીને પીસીને તિલક કરવાથી પરસ્પર વશ કરવાની ક્રિયામાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મદંડીને પુષ્ય નક્ષત્રમાં ખાવાથી વશમાં કરવાની શક્તિ વધારી શકાય છે.

***