ગરુડ પુરાણ - ભાગ 6 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 6

છઠ્ઠો અધ્યાય

ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સંભળાવ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું કે હે પ્રભુ! પાપ કરવાના અનેક ચિહ્ન હોય છે અને આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિઓમાં જાય છે. તમે મને બતાવો કો એમાં શું અવસ્થા હોય છે અને તે કઈ-કઈ યોનિમાં જાય છે.

ગરુડથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીન્ અનેક યોનિઓમાં જાય છે અને જે પાપથી એમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું. ક્ષય રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણન મારવાવાળો કોઢી થાય છે અને એ ચાંડાલની યોનીમાં જન્મ લે છે. જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ કરે છે અને સ્ત્રીને મારે છે તે મ્લેચ્છ જાતિમાં થાય છે. ગુરુ પત્નીની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાવાળા વ્યક્તિ ચર્મ રોગથી પીડિત થાય છે. માંસ ખાવાવાળા લાલ રંગના હોય છે અને જે બ્રાહ્મણ ખાદ્ય અને અખાદ્ય પદાર્થ ખાય છે એમનું પેટ ખૂબ મોટું હોય છે., જે વ્યક્ત બિીજાને ખાવાનું નથી આપતો અને પોતાના માટે જ ખાય છે તે ગલગંડ રોગથી પીડિત થાય છે. સફેદ કોડનો રોગી તે હોય છે જે અશુદ્ધ અન્નથી શ્રાદ્ધ કરે છે. મિરગીના રોગથી પીડિત વ્યક્તિ ગુરુના અપમાનના ફળસ્વરૃપ આ કષ્ટ પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર અને વેદોની નિંદા કરવાવાળા પીળિયા રોગથી ગ્રસ્ત થઈ જાય છે. જે પ્રાણી ખોટી સાક્ષી આપે છે, કોઈના વિવાહમાં વિઘ્ન પેદા કરે છે, પુસ્તક ચોરે છે તે કાણો અને હોઠ વગરનો કે અંધ થઈ જાય છે. અસત્ય બોલવાવાળા વ્યક્તિ હકલાવાવાળા થઈ જાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા. જે વ્યક્તિ રત્ન ચોરે છે તે નીચ કુળમાં ઉત્પન્ન થાય છે અને જે કોઈને ઝેર આપે છે અથવા કોઈના ઘરમાં આગ લગાવે છે અથવા જે રત્ન ચોરે છે, સોનાની ચોરી કરે છે તે ઉન્મત્ત રોગી અને નીચ કુળમાં પેદા થાય છે. શાક અને પત્તા ચોરવાવાળા મોરની યોનિમાં જાય છે. આ રીતે અનેક અપકર્મ કરવાવાળા વ્યક્તિ અનેક યોનિમાં અનેક ચિહ્નોની સાથે જન્મ લે છે.

હું આના સિવાય અન્ય યોનિઓના વિષયમાં પણ બતાવું છું. જે વ્યક્તિ મધુ (મધ) ચોરે છે અને પાન ફૂલની ચોરી કરે છે, મીઠું ચોરે છે તે ગીધ, કીડી અને વાનરની યોનિ પ્રાપ્ત કરે છે. ઝેર પાન કરીને મરવાવાળા વ્યક્તિ સર્પની યોજનીમાં જન્મ લે છે. જૂતા, તિનકા અને કપાસને ચોરવાવાળા બકરી થાય છે અને જે મનુષ્ય હિંસા કરીને પોતાની જીવિકા ચાવે છે અથવા તીર્થયાત્રિઓને લૂંટે છે તેઓ કસાઈના ઘરમાં બકરો બનીને પેદા થાય છે અને જે હંમેશાં ઉદન્ડ રહેવાવાળા હોય છે એને જંગલના હાથીની યોનિ મળે છે. જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચોનું અન્ન ખાય છે એને વાઘની યોનિ મળે છે અને જે સંધ્યા તથા ગાયત્રીના જપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું રહે છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોનિ મળે છે. ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે અને જે આમંત્રણ વગર ભોજન કરે છે એમને કાગડાની યોનિ મળે છે.

જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા નથી આપતા તો બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે પશુ યોનિને મેળવે છે. ગુરુની સામે વિવાદ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે. એના સિવાય મિત્રથી દ્રોહ કરવાવાળા બહાડી ગીધ, દગો આપીને ખરીદવાવાળા ઉલ્લૂ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે. આશા ભંગ કરવાવાળઆસ ,સ્નેહને ભંગ કરવાવાળા, દ્વેષી, સ્ત્રીને ચોરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્ર્રીનો પરિત્યાગ કરવાવાળા ચિરકાળ સુથી ચકલા-ચકલી થાય છે. માતા, પિતા, ગુરુ ભાઈ અને બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળ આવવાવાળી વહુ, નિત્ય કલહ કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ (સમડી) થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષથી પ્રીતિ કરે છે તે ગોહ અને બે મ્હોંવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાળાળા, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરક્ષુ, અને શલ્લકી થઈને રીંછની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન ક રવાવાળા પુરુષ મરુસ્થળમાં પિશાચની યોનિ મેળવે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રીમાં ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની સ્ત્રીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળઆ સુવર, વૃષલી (શૂદ્રા)માં ગમન કરવાવાળા બળદ અને મહાકામી અને લમ્પટ ઘોડા થાય છે. મૃતકના એકાદશાહના દિવસ ભોજન કરવાવાળા કુતરા અને દેવતાઓના ભાગને ખાવાવાળા મરઘા થાય છે. જે બ્રાહ્મણ દ્રવ્યના લોભથી દેવતાઓનું પૂજન કરે છે તે દેવલક કહેવામાં આવે છે અને દેવકાર્ય તથા પિતૃકાર્યમાં નિંદિત થાય છે. મહાપાતકોથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મના ક્ષય થવા પર આ સંસારમાં ફરીથી આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં યઉત્પન્ન થાય છે. મદિરા પીવાવાળા વરૃ, કુતરા અને શિયાળની યોની મેળવે છે. સોનુ ચોરવાવાળા કીડા-મકોડા, પતંગિયાની યોનિ મેળવે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા અને કોઆના રાખેલા ધનને પાછું ન આપવાવાળા વ્યક્તિ બ્રહ્મરાક્ષસ થાય છે તથા બળાત્કારથી વધારે ચોરીથી લેવામાં થયેલું ધન મનુષ્યના બધા પુણ્યોને નષ્ટ કરી દે છે અને સૃષ્ટિપર્યંત એની પેઢીઓને સમાપ્ત કરી દે છે.

કોઈ પણ મનુષ્ટ બ્રાહ્મણના ધનને નથી પચાવી શકતો. બ્રાહ્મણના ધનથી જો સેના એક્ઠી કરવામાં આવે તો તે પણ રેતીના પુલની જેમ વિખેરાઈ જાય છે. હે ગરુડ! બ્રાહ્મણનું અતિક્રમણ કરવાથી દેવતાઓના ધનને હરવાથી કુળ પણ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ બ્રાહ્મણને દાન નથી આપતો તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. પોતાના માટે આપેલા દાનને લૂંટવું પણ પાપનું કારણ થાય છે અને આવા વ્યક્તિ ૬૦ હજાર વર્ષ સુધી ગટરના કીડા બન્યા રહે છે.

મનુષ્યને જોઈએ કે તે ભૂમિ અને જીવિકા આપીને વિદ્વાન બ્રાહ્મણની રક્ષા કરવાનો પ્રયત્ન કરે. જો તે રક્ષા નથી કરતો અથવા ખુદ લઈ લે છે તો પંગુ અને કુતરો થાય છે. આપણા બધા દેહધારીઓમાં અનેક ચિહ્ન અને યોનિઓ પોતાના કર્મના દ્વારા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કોઈ બ્રાહ્મણની જીવિકાને હરી લે છે તે કુતરા અને વાંદરાની યોનિમાં જન્મ લે છે.

ખરાબ કર્મ કરવાવાળા વ્યક્તિ પહેલાં તો અનેક નરકોમાં યાતના સહન કરે છે અને પછી અનેક કષ્ટકારક યોનિઓમાં જન્મ લે છે. આ યોનિઓમાં તે અનેક પશુ-પક્ષીના રૃપમાં જન્મ લઈને શરદી-ગરમીમાં કષ્ટ ભોગવતો-ભોગવતો પોતાના કર્મ અને અકર્મનું ફળ ભોગવે છે. જ્યારે આ બધા શુભ અને અશુભ કર્મ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ તે જ મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવાનો અધિકારી થાય છે. અને પછી સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવ બનીને સુખ-દુઃખ મેળવે છે. કેમ કે બધા શરીરના ધારણ કરવાવાળાઓનો જન્મ અને વિનાશ થાય છે. મનુષ્ય જીવ માયાથી ગ્રસિત થઈને કર્મ જાળમાં બંધાયેલા મૃત્યુ લોકમાં આવતા-જતા રહે છે પરંતુ આ સ્પષ્ટ છે કે કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ મનુષ્યને અવશ્ય મળે જ છે.

પાપો પછી અનેક યોનિઓમાં ઉત્પન્ન ચિહ્નોના વિષયમાં ગયા પછી ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હજુ તમે એ બતાવ્યું કે સ્ત્રી પુરુષના પ્રસંગથી જીવ ગર્ભમાં આવે છે તો હે પ્રભુ તમે એ બતાવો કે તે ગર્ભમાં આવીને માતાના પેટથી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આ અવસ્થામાં જે દુઃખ ભોગવે છે તે કયા પ્રકારનું હોય છે. ગરુડનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે ગર્ભ પ્રસંગમાં અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ પ્રકારથખી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે.

ઋતુની વચ્ચે પાપીઓનો જન્મ થાય છે અર્થાત્ સ્ત્રીઓના રજોકાળના પ્રારંભિક ત્રણ દિવસમાં ઇન્દ્ર માટે બ્રહ્મહત્યાના પાપને કારણે આ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. સ્ત્રી ઋતુ દર્શન થવાવાળા પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે રજકી થાય છે. આ પાપીઓની માતાઓ હોય છે. પુરુષના માધ્યમથી શરીર પ્રાપ્તિ માટે સ્ત્રીના ઉદરમાં પ્રવેશ થઈને ગર્ભ ધીમે-ધીમે વધે છે. તે એક રાત્રિમાં કરલ, પાંચ રાત્રિમાં બુદબુદ થાય છે, દસ રાત્રિમાં કર્કધુ નામનું માંસનું પિંડ થાય છે અથવા બીજી યોનિમાં ઇંડું થાય છે. એની પાછળ બે મહીનામાં માથું થાય છે અને બાહુ વગેરે અંગોનો વિભાગ થાય છે અને ત્રણ મહીનામાં નખ, રોમ, હાડકાં, ચામડી અને લિંગ વગેરે છેદ થાય છે. ચાર મહીનામાં સાતેય ધાતુઓ થાય છે. પાંચમા મહીનામાં ક્ષુધા-તૃણની ઉત્પત્તિ થાય છે અને છ મહીનામાં ઝિલ્લી થાય છે, જેને જરાયુ કહે છે. જીવ એમાં લપેટાયેલો જમણી કુખમાં ભ્રમણ કરે છે. આ જરાયુનો રસ, ધાતુ, લોહી વગેરે માતાથી ખાધેલા અન્ન, પાન વગેરેથી વધે છે. જરાયુથી દુર્ગંધ આવે છે. જે સ્થાનથી એની ઉત્પત્તિ થાય છે તે ભિષ્ટા-મૂત્રના ગર્ત સદૃશ છે. એમાં જ જીવ સૂવે છે. ગર્ભમાં ઉત્પન્ન ભૂખ્યાં કીડાઓથી કરડવા થ્થી ઉરુક્લેશથી પીડિત થઈને સુકુમાર જરાયુ-પિંડ મૂર્ચ્છિત થઈ જાય છે. માતાથી ખાધેલા કડવા, તીખા નમકીન, સુકા અને ખાટા વગેરે પદાર્થથી સ્પર્શ થવા પર અંગોમાં વેદના થાય છે તથા જરાયુ અને આંતરડાના બંધનમાં પડીને જીવ કુખમાં માથું કરીને પીઠ ગ્રીવાને લચીલું બનાવીને પિંજરામાં પક્ષીની સમામ અંગોને ચલાવવામાં અસમર્થ થઈ જાય છે. ત્યાં તેવ યોગથી સો જન્મોની વાતો સ્મરણ કરીને દીર્ઘશ્વાસ લઈ લે છે, તેથી સહેજ પણ સુખ નથી મળતું.

સંતપ્ત અને ભયભીત જીવ ધાતુ રૃપ સાત બંધનોમાં જકડાયેલો રહે છે તથા હાથ જોડીને દીન વચનોથી આ ઉદરમાં નાખવાવાળા ભગવાનની સ્તુતિ કરે છે.

સપ્તમ મહીનામાં સચેત થઈને પણ જીવ પ્રસૂતિ-વાયુથી કાંપતો થઈને ભિષ્ટાથી ઉત્પન્ન થઈને સહોદર કૃમિની સમાન રેંગવા લાગે છે. જીવે કહ્યું-શ્રીના પતિ, જગતના આધાર, અશુભના નાશકર્તમા, શરણાગતના વત્સલ, શ્રી વિષ્ણુ ભગવાનની શરણમાં જાઉં છું. તમારી માયાથી મોહિત થઈને દેહધારીમાં પોતાના શરીર તથા પુત્ર-સ્ત્રીનું અભિમાન કરીને તમને ભૂલી ગયા. હે નાથ! હવે હું સંસારમાં પુનઃ પ્રાપ્ત છું. મેં કુટુંબ માટે શુભ-અશુભ કર્મ કર્યા પરંતુ એ કર્મના ફળથી હું એકલો દગ્ધ થાઉં છું અને તે કુટુંબ ફળ ભોગવીને અલગ થઈ ગયા. જો આ યોનિથી મુક્ત થયો તો તમારા ચરણનું સ્મરણ કરીશ અને એવો ઉપાય કરીશ જેનાથી સંસારથી મુક્ત થઈ જાઉં. હું તમારો આશ્રય લઈને તમારા ચરણોની પૂજા કરીને પોતાનો ઉદ્ધાર કરીશ.

ભગવાન નારાયણએ કહ્યું કે હે ગરુડ! આ રીતે જીવ દસ મહીના સુધી ગર્ભમાં રહીને સ્તુતિ કરતો રહે છે અને પછી જન્મ માટે માથું નીચું કરીને પ્રસૂતિ વાયુથી પ્રેરિત થાય છે અને પછી આ સ્તુતિની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે અને તે બહાર નિકળે છે. સ્મૃતિના નષ્ટ થવાથી એનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે અને ઉલટી ગતિ થવાથી તે દુઃખી થાય છે. એ સ્વાભાવિક છે કે કષ્ટનું સ્મરણ વધારે સમય નથી રહેતું. ભગવાનની વૈષ્ણવી માયા મનુષ્યને મુક્ત કરતી રહે છે અને તે એમાં લુપ્ત થઈ જાય છે. જ્યારે તે નાનો હોય છે તે મળ મૂત્રથી અપવિત્ર થવા છતાં ઊઠવામાં અસમર્થ થાય છે. તો તે ફક્ત રોઈ શકે છે. આ રીતે તે પોતાના બાળપણના કાળના દુઃખોને સહન કરે છે. પછી ધીમે-ધીમે કિશોર અવસ્થાની તરફ આવે છે અને કિશોર અવસ્થા પછી યૌવન તરફ અગ્રેસર થાય છે. યૌવનમાં પદાર્પણ કર્યા પછી તે અનેક સારા-ખરાબ કર્મોમાં લીન થઈ જાય છે. ક્યારેક-ક્યારેક તે નીચોનો સંગ ક રવા લાગે છે અને સારા પુરુષોનો શત્રુ થઈ જાય છે, તે કામુક થઈ જાય છે તથા સ્ત્રીને જોઈને એના કટાક્ષોથી વશીભૂત થઈને એની તરફ દોડે છે, જેમ પતંગિયું અગ્નિની શીખાની તરફ દોડે છે. આ રીતે તે અપકર્મોના મોહમાં ફસાઈ જાય છે. આ પુરુષ પાંચ ઇન્દ્રિયોના પાંચેય વિષયોનું સેવન કરે છે.

તે એક તરફથી પરવશ થાય છે તથા પોતાને બચાવવામાં પરાધીન થઈને ખૂબ કષ્ટ મેળવે છે. ક્યારેક-ક્યારેક તો એનું પાલન-પોષણ બીજા પ્રાણીથી થાય છે. તે પોતાની ઇચ્છા વિરુદ્ધ પણ કર્મ કરે છે.

આ આશ્ચર્યજનક વાત છે કે માછલી, ભમરા, પતંગિયા, હાથી અને હરણ મૂળ રૃપથી એક વિષયોમાં મોહીમાં પડીને પોતાને નષ્ટ કરી દે છે. તો ભલા પુરુષ જે અનેક વિષયોના મહોમાં ફસાી જાય છે કેવી રીતે નષ્ટ ન થાય! આ પુરુષ ભાવના અનુરૃપ વસ્તુ ન મળવા પર અજ્ઞાનને કારણે લોભ અને ક્રોધના વશમાં થઈ જાય છે.

જે પુરુષ પોતાનાથી બાળવાનથી યુદ્ધ કરે છે તે પોતાનો જ નાશ કરે છે. મૂરખ પુરુષ એ નથી સમજતો કે ઇન્દ્રિયોનું સુખ એનાથી બળવાન છે. તે એમાં ફસાઈને પોતાના મનુષ્ય જીવનના હકીકત રૃપને ભૂલી જાય છે. આથી હે ગરુડ! તે પાપ કરે છે અને એ પણ નથી સમજતો કે અનેક યોનિઓમાં મનુષ્ય શ્રેષ્ઠ હોય છે અને એમાં પણ બ્રાહ્મણત્વ દુર્લભ અને મહાન હોય છે. બ્રાહ્મણ રૃપ મેળવીને જે મનુષ્ય એની વિધિપૂર્વક રક્ષા નથી કરી શકતો તે પોતાના જીવનને વ્યર્થ કરે છે. એને જોઈએ કે આત્મજ્ઞાનથી બ્રાહ્મણની પણ રક્ષા કરે અને ફક્ત જરૃરી રૃપમાં ઇન્દ્રિયોની ઇચ્છાઓનું પાલન કરે.

ઇનદ્રિયોને ખુલ્લા છોડી દેવાથી યૌવન અસમયે સમાપ્ત થઈ જાય છે અને જીવ જલ્દી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. તેથી હે ગરુડ! પોતાના ભોગવાલે અને ભોગવા યોગ્ય કર્મજાળમાં ફસાઈને આ મનુષ્ય જ બ્રહ્મની માયાથી મોહિત થઈને વૈરાગ્યથી દૂર રહે છે. હવે એના વિષયમાં તમે જે સાંભળવા ઇચ્છો મને તે કહો અને હું તમને બતાવીશ.

સૂતજીએ ઋષિઓથી કહ્યું કે ગરુડજીએ ભગવાનથી જીવ યોનિ અને કર્મ ફળનું આ સ્વરૃપ સાંભળ્યું તો તે કાંપવા લાગ્યા. પછી એમણે ભગવાનથી પૂછ્યું કે હે પ્રભુ! આ મનુષ્ય જાણીને આ અણજાણ્યા જે કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને યાતનાઓ ભોગવે છો તો શું એ યાતનાઓથી મુક્તિનો કોઈ ઉપાય છે? હે પ્રભુ આ પણ કોઈ ઉપાય છે તો મને એનું જ્ઞાન કરાવો. સંસાર રૃપી સમુદ્રમાં ડુબીને આ મનુષ્ય દુઃખી આત્માની સાથે કોઈ પ્રકારના વિષયોથી નષ્ટ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. તમે કૃપા કરીને એ બતાવો.

ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે હે ગરુડ! મેંતને કર્મ વિધાનના અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર-પ્રાપ્તિનું મહત્ત્વ વધારે છે. કેમ કે જેના પુત્ર નથી થતાં એમની દુર્ગતિ થાય છે. પુત્રવાળા ધર્માત્માઓની દુર્ગતિ નથી થતી. જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને જોઈએ કે તે પુત્ર પ્રાપ્ત કરવાના સાધન એક્ઠા કરે. અનેક પ્રકારથી ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા સાંભળીને શિવની આરાધના કરીને સદ્બુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરે. પુત્ર પોતાના પિતાને પુન્નામક નરકથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે. આ ખૂબ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લે છએ. પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણથી જ મુક્ત નથી થઈ જતા પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલ્કે એ સત્ય છે કે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોથી મુક્ત થઈ જાય છે. મનુષ્યને બ્રહ્મ મોઢા પુત્ર સ્વર્ગ લોકના દ્વાર સુધી લઈ જાય છે. જો તે વિવાહિત સ્ત્રીથી ઉત્પન્ન થયો હોય. લગ્ન વગર ઉત્પન્ન થયેલ પુત્ર નરકમાં પહોંચાડે છે કેમ કે સવર્ણ પુરુષ અને સવર્ણ સ્ત્રીના યોગથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે જ પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડે છે કેમ કે મનુષ્ય પુત્ર દ્વારા શ્રાદ્ધ કરવા પર જ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટિકોણથી તને એક વાર્તા સંભળાવું છું.

ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બભ્રુ વાહન નામનો રાજા થયો. વિધિવત્ યજ્ઞ-કર્તા, દાન આપવાવાળા, લક્ષ્મીવાન, બ્રાહ્મણોના ભક્ત, સાધુના પ્રેમાળ અને ચરિત્ર, આચાર તથા ગુણોથી યુક્ત હતા અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત, ધર્મથી પોતાના ઔરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરેતો હતો અને દંડ આપવા યોગ્ય અપરાધિઓને દંડ આપીને તે રાજા નિત્ય જ ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો હતો. કોઈ સમયે મહાબળવાન તે રાજા સેના સહિત શિકાર માટે ગયો અને નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો. તે વન નાના પ્રકારના હરણોથી ભરેલું હતું. એમાં નાના પ્રકારના પક્ષી કલરવ કરી રહ્યા હતા. રાજાએ વનમાં દૂરથી એક હરણ જોયું. તે રાજાએ અતિ તીક્ષ્ણ અને અતિ પુષ્ટ બાણથી એ હરણને વેધ્યું અને તે હરણ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું. લોહીથી ભીના સ્થળને જોઈને એ રાજાએ એ હરણનો પીછો કર્યો અને એ જ પ્રસંગથી બીજા વનમાં પ્રવેશ કર્યો. ભૂખ-તરસથી સૂકાયેલા કંઠવાલા અને શ્રમના સંતાપથી અર્દ્ધમૂર્ચ્છિત રાજાએ જળાશય પર પહોંચીને ઘોડા સમેત જ સ્નાન કર્યું. કમળ વગેરેના ગંધથી સુગંધિતત શીતળ જળ પીધું, પછીમાં એ બભ્રુવાહન રાજાએ જળથી બહાર નિકળીને વિશ્રામ કર્યો. સામે શીતળ છાયાવાળા મોટી-મોટી શાખાઓથી વધારે વિસ્તૃત અને નાના પ્રકારના પક્ષીઓના સમૂહોથી ગુંજિત મનોહર વટ-વૃક્ષને જોયું હતું. સૌથી વધારે ઊંચું હોવાને કારણે તે વટ-વૃક્ષ એ જંગલની મોટી ભારે પતાકાની સમાન પ્રતીત થથું હતું. એના જ મૂળની નજીક પહોંચીને રાજા અર્ધનિંદ્રિત થઈ ગયો. એને રાજાએ ક્ષુધા-તૃષાથી પીડિત, વ્યાકુળ ઇન્દ્રિયોવાળા, વિખેરાયેલા વાળો વાળા અને મેલા-કૂચેલા અત્યંત ભયાનક, કોડવાળા, લાંબા અને દુર્બળ એક પ્રેતને જોયું. વિકૃત અને ઘોર (પ્રેત) રાક્ષસને જોઈને બભ્રુ વાહન ખૂબ જ વિસ્મિત થઈ ગયો અને પ્રેત પણ એ ઘોર વનમાં આવેલા એ રાજાને જોઈને ચકિત થઈ ગયો. તે પ્રેત પણ ઉત્કંઠિત મનથી રાજાની નજીક આવ્યો અને હે ગરુડ! પ્રેતરાજ એ સમયે રાજાથી બોલ્યો કે હે રાજન્! તમારા દર્શનરૃપી મિલનથી મેં પ્રેત ભાવ છોડ્યો અને પરમ ગતિને પ્રાપ્ત થયો. હે મહાવાહો! તમારા સંયોગથી આજે અતિ ધન્ય થયો છું. રાજાએ કહ્યું - હે પ્રેત! આ કૃષ્ણવર્ણ, મોટું ભયાનક મુખ અને ઘોર દર્શન, આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે મળ્યું છે? હે તાત! તમે મારાથી આ પ્રેતત્વનું બધું જ કારણ કહો. તું કોણ છે. કયા દાનથી તારું પ્રેતત્વ દૂર થશે. પ્રેતે જવાપ આપ્યો કે હે રાજશ્રેષ્ઠ! હું તમારાથી વગેરેથી અંત સુધી બધું કહું છું અને મારા પ્રેતત્વનું કારણ સાંભળીને તમે મારા પર દયા કરવા યોગ્ય થાો. બધી સંપત્તિઓથી પૂર્ણ વૈદિશ નામનું એક નગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી પરિપૂર્ણ છે. ભવનો અને પ્રસાદોની શોભાથી સંયુક્ત છે અને નાના પ્રકારના શ્રૌત, સ્માત્તે વગેરે ધર્મથી યુક્ત છે. હે તાત! એ પુરમાં દેવતાઓનું પૂજન કરતો-કરતો હું નિવાસ કરતો હતો. હું વૈશ્ય જાતિનો છૂં, મારું નામ સુદેવ છે, આ તમે જાણો. હવિષ્યાન્નથી દેવતાઓને અને કવ્યાન્ન (પિંડદાન)થી પિતરોને સંતુષ્ટ કરતો હતો. નાના પ્રકારના અને દાનોથી મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા અને દીન, અંધત તથા પંગુ મનુષ્યોને મેં અનેક પ્રકારથી અન્ન આપ્યું છે. હે રાજન્! તે બધા મારા સુકર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયા. જે પ્રાકરે મારું સુકૃત નિષ્ફળ થઈ ગયું એને હું કહું છું. મને સંતતિ, મિત્ર, બાંધવ વગેરે એવું કોઈ નથી, જે મારી ઔર્ધ્વદૈહિક ક્રિયા કરે. હે મહારાજા! જેનું પોઢષમાસિક શ્રાદ્ધ નથી થતું, સેંકડો શ્રાદ્ધ કરવા પર પણ એનું પ્રેત રૃપ સમાપ્ત નથી થતું. આથી તમે મારો ઉદ્ધાર કરો. હે રાજા! રાજા જ એ લોકમાં બધાનો બંધુ માનવામાં આવે છે. હું તમને રત્ન અને મણીઓ આપીશ, તમે એવું કામ કરો જેનાથી હું પ્રેત યોનિથી મુક્ત થઈ જાઉં. મારા માટે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે. આ વન ખૂબ જ સુંદર છે એમાં ફળ-ફૂલ છે અને શીતલ જળ પણ છે પરંતુ હું તરસ્યો હોવા છતાં પણ પાણી નથી પી શકતો. હે રાજન્! મારી બધી ક્રિયાઓ જો નારાયણ વિધિથી થાય અને વેદ મંત્રનું ઉચ્ચારણ થાય તો મારું પ્રેત રૃપ નષ્ટ થઈ જશે. કેમ કે વિષ્ણુની પૂજા કરવાથી સજ્જનોની સંગતિ અને શાસ્ત્રોને સાંભળવાથી એનાથી મનુષ્ય પ્રેત યોનિથી છુટકારો મેળવે છે. આથી પ્રેત યોનિનો નાશ કરવાવાળી વિષ્ણુની પૂજાને જાણી લેવી જોઈએ અને આ પ્રકારે વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

મનુષ્ય પોતાના ન્યાયથી ૩૨ માશે સુવર્ણ એક્ઠું કરે અને નારાયણની પ્રતિમા બનાવે પછી એને બે પીળા કપડાઓથી ઢાંકીને આભૂષણ પહેરાવે અને અનેક પ્રકારથી તીર્થોના જળથી સ્નાન કરાવીને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે અને પછી એનું પૂજન કરે. એ પ્રતિમાના પૂર્વ દિશામાં શ્રીધર અને દક્ષિણ મધુસૂદન, ઉત્તતરમાં ગદાધર અનિ પશ્ચિમમાં વામનદેવને રાખે. વચ્ચે બ્રહ્મા અને મહાદેવ શંકરની સ્થાપના કરે તથા ફૂલોથી એની પૂજા કરે. પછી એની પ્રદક્ષિણા કરીને દહી અને દૂધથી તૃપ્ત કરે. એના પછી નહાઈને વિધિપૂર્વક ઔર્ધ્વદૈહિક ક્રિયા કરે. એમાં ક્રોધ અને લોભથી મુક્તિ જરૃરી છે. એના પછી બ્રાહ્મણો માટે તેર પદ દાન કરે અને પ્રેત માટે આ ઘડાનું દાન કરવું જોઈએ. આ સાંભળીને રાજાએ પૂછ્યું કે પ્રેત પ્રેતઘટનું દાન કેવી રીતે કરવામાં આવે છે? તમે મને એની વિધિ બતાવો. એના જવાબમાં પ્રેત બોલ્યો કે આ દાન પ્રેતત્વ પ્રાપ્ત નથી થતું. આ પ્રેતઘટ નામનું દાન પાપોને નાશ કરવાવાળું છે અને લોકોમાં દુર્લભ છે. મનુષ્યને જોઈએ કે તે ઓગળેલા સોનાના ઘડાને બનાવીને ઇન્દ્ર, યમ, વરુણનું આહ્વાન કરીને આ ઘડાની વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકરનું આહ્વાન કરીને એમની પૂચા કરે અને પરી લોકપાલોની આરાધના કરે. એના પછી ધૂપ, ફૂલ, ચંદાનથી સોનાના ઘટનું દાન કરે. આ દાન પાપોને નાશ કરવાવાળું છે અને જો મનુષ્ય ઇચ્છે કે એનું પ્રેતત્વ નષ્ટ થાય તો એને આ દાન કરવું જોઈએ.

શ્રી ભગવાને એને પછી કહ્યું-હે ગરુડજી! જે સમયે પ્રેતની સાથે રાજા વાત કરી રહ્યો હતો એ સમયે હાથી, ઘોડા અને રથોથી ભરેલી રાજાની સેના પણ ત્યાં આવી ગઈ. એના ઉપરાંત પ્રેતે રાજાને મહામણિ આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા પણ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યાં પ્રેત માટે શ્રાદ્ધ કર્યું. એનાથી એ પ્રેતની યોનિ છૂટી ગઈ અને એના આપેલા દાનથી પ્રેત પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો.

આ સાંભળીને ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે ભગવન્! પુણ્ય આત્માઓની અલૌકિક ક્ર્યિઆઓ હોય છે એમના વિષયમાં બતાવો. આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તને બતાવું છું. જે પુણ્યાત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોની અશક્તતાને કારણે કશું નથી સાંભળતો પરંતુ પોતાની મૃત્યુને નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, જે એણે જાણે કે અજાણે કર્યા છે. અંત સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ મૂળ, મિઠાઈ ફળ વગેરેથી પૂજા કરે. એમાં કેટલીક વાતો વિશેષ રૃપથી ધ્યાન આપવાની છે -

૧. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને ભોજન કરાવવું.

૨. અષ્ટાક્ષર (ઓઉમ વિષ્ણવે નમઃ)નો જાપ કરવો.

૩. દ્વાદશાક્ષર (ઓઉમ નમો ભગવતા વાસુદેવાય) મંત્રનો જાપ કરવો.

૪. વિષ્ણુના બધા અવતારો મતસ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, રામચન્દ્ર, કૃષ્ણ, વામન, પરશુરામ, કલ્કિ આમનું સ્મરણ કરવું અને બુદ્ધનું સ્મરણ કરવું.

(ગરુડ પુરાણમાં બુદ્ધને પણ વિષ્ણુના અવતારના રૃપમાં માની લેવામાં આવ્યા છે. આ પછી જોડાયેલું હોય લાગે છે.)

કૃષ્ણ નામના જાપ કરવાથી મનુષ્યના કરોડો પાપ ધોવાઈ જાય છે કેમ કે અજામિલના નારાયણ નામના પોતાના પુત્રને પુકારીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. તો પછી પોતાના મનની ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષ પદને અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે કેમ કે તે એમનું નામ સ્મરણ કરી લે છે. પાપનો નાશ કરવામાં વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્ત્વમાં નથી. જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે છે કે તમે ફક્ત એ જ લોકોને લાઓ જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું હોય. વિષ્ણુના અનેક નામ છે, કમલનયન, વાસુદેવ, શંખચક્રને ધારણ કરવાવાળા, દામોદર, હરિ, શ્રીધર, માધવ, જાનકી, નાયક-આ બધા નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના ચરણ-કમળોમાં પોતાની ભક્તિ રાખે છે એના માટે યમરાજનો આદેશ છે કે એને છોડી દેવામાં આવે. ફક્ત એ જ વ્યક્તિને લાવવવામાં આવે જે ભગવાનનુ સ્મરણ નથી કરતો અને એમના પૂજનથી વિમુખ થાય છે.

જે વ્યક્તિ પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે એનો ઉદ્ધાર નથી થતો. કૃષ્ણ ભક્ત સ્વપ્નમાં પણ યમદૂતોને નથી જોતો. એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી વિષ્ણુનું નામ સ્મરણ પરમ ચૈતન્યની પ્રાપ્તિ કરાવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ જોઈએ અને સાંભળવો પણ જોઈએએ. એકાદશીનું વ્રત ગીતા ગંગાજળ, તુલસી જળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ આપવાવાળા હોય છે. હે ગરુડજી! આ વાત જાણી લેવી જોઈએ, જે મનુષઅય અંતકાળમાં દાન આપે છે એને વધારે અધિક ફળ મળે છે.

અંતિમ સમયમાં કરવામાં આવેલું દાન જો પુત્ર દ્વારા સમર્થિત થાય છે તો એનું ફળ ઓર પણ વધારે થાય છે.

સત્પુત્રને જોઈએ કે તે પોતાના પિતાના અંતિમ સમયમાં એમનાથી દાન કરાવે કેમ કે આથી લોકો પુત્રની કામના કરે છે. પિતાના અંત સમયમાં કરવામાં આવેલા દાનના પળ પુત્રને પણ પ્રાપ્ત થાય છે અને પિતા પણ દુઃખને પ્રાપ્ત નથી થતાં.

તલનું દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. એનાથી અસુર, દાનવ, દૈત્ય સંતુષ્ટ થઈ જાય છે. સફેદ કાળા રંગના તળ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાઈ જાય છે.

ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવું જોઈએ. એનાથી યમરાજનો ભય દૂર થઈ જાય છે કેમ કે યમરાજના હાથમાં કુહાડી વગેરે રહે છે. તેથી આ દાન એમના ડરથી મુક્ત કરે છે.

સોનાનું દાન સૌથી મહત્ત્વપૂર્ણ દાન છે. એનાથી ભૂલોક, ભૂવર્લોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે. દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે. આ દાન પ્રેતનો ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે. તે પરાક્રમી ધની ધર્માત્મા અને રૃપવાન હોય છે.

કપાસનું દાન પણ યમદૂતોના ભયથી દૂર કરાવે છે.

મીઠા(નમક)નું દાન કરવાથી ચિત્રગુપ્ત વગેરે પણ સંતુષ્ટ થાય છે.

સપ્તધાન્યથી ધર્મરાજ પ્રસન્ન થાય છે અને યમપુરના દ્વાર બંધ થઈ જાય છે. સપ્તધાન્ય જવ, ઘઉં, મગ, અડદ, ચણા અને ચોખા તથા કંગુની કહેવામાં આવ્યા છે. ગાય ચરમ માત્ર અર્થાત્ એટલી ધરતી પર જેના પર ગાય અને બળત સાથે-સાથે બેસી શકે દાન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે.

જે મનુષ્ય વ્રત કરે છે અને આ બધા કહેલા દાનો કરે છે એના તો પાપ દૂર થાય જ છે, પરંતુ ભૂમિ દાનથી મનુષ્ય સુર અને અસુરથી પૂજિત થઈને ઇન્દ્રલોક જાય છે.

જે રાજા બ્રાહ્મણને ભૂમિ દાન નથી કરતો તે સંસારમાં જો ફરીથી આવે છે તો પોતાની એક નાની ઝૂંપડી પણ નથી બનાવી શકતો.

અભિમાનવશ ભૂમિનું દાન કરવાથી જ નરકમાં વાસ થાય છે. પરંતુ આ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી કે તે બાકી ભૂમિ પોતાની પાસે રાખે છે.

ભૂમિદાન ગૌદાનની જેમ જ છે કે મ કે ભૂમિ ગાયનું જ રૃપ છે. મનુષ્યને જોઈએ કે અંતધેનુ અને રુદ્રધેનુ તથા ઋણધેનુ તથા મોક્ષધેનુનું દાન કરે. આ પ્રકારના દાનથી મનુષ્ય બધા પ્રકારના પાપોથી મુક્તિ મેળવી લે છે.

પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાય દાનથી નષ્ટ થઈ જાય છે. સમય-સમય પર જે મન, વચન, કર્મથી પાપ થાય છે તે બ્રાહ્મણને ગાયદાન આપવાથી નષ્ટ થઈ જાય છે.

મનુષ્યને જોઈએ કે તે સાવધાન થઈને મૃત્યુથી પહેલા ગૌ દાન કરે. પરંતુ દાન સત્પાત્ર ને જ કરવામાં આવવું જોઈએ કેમ કે સત્પાત્રને પ્રતિગ્રહના દોષ નથી લાગતો. અપાત્રને દાન આપવામાં આવેલી ગાય દાતાને નરકમાં પહોંચાડે છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઇચ્છે છે એને જોઈએ કે તે અપાત્ર માટે ગાયનું દાન ના કરે અને એક ગાયને એક મનુષ્યને જ દાન કરે. ગૌદાન વહેંચી નથી શકાતું. હવે હું વૈતરણી નદીને પાર કરવા માટે ગૌદાનનું મહત્ત્વનું ચિત્રણ કરું છું.

મનુષ્યને જોઈએ કે તે કૃષ્ણ કે લાલ વર્ણની ગાયને અભૂષણોથી સુસજ્જિત કરીને એને ખુરોની ચાંદી, સીંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઊભી કરીને તાંબાના પાત્રની સાથે લોખંડ દંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે. પછી એ પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે પછી ઈખની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટીને એને પાણીના ખાડામાં નાવને નાખી દે અને પછી ગાયની સાથે એનો સંકલ્પ કરીને એને બ્રાહ્મણને દાન આપી દે. તે આ પ્રકારથી પ્રાર્થના કરે કે - હે જગન્નાથ! તમે શરણાગત વત્સલ છો. શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો, તમે મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત આ ગાયદાન કરી રહ્યો છે. તમને તથા વૈતરણ રૃપ ગાયને નમસ્કાર છે. મેં એ નદીથી ઉતરવા માટે આ ગાયદાન કર્યું છે. દેવેશ ઇન્દ્ર! હું ગાયોના મધ્યમાં જ નિવાસ કરું. ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે. આ લક્ષ્મી રૃપ ધેનું મારા પાપોનો નાશ કરે. મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરીને અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રી બ્રાહ્મણને દાન આપી દે. એવો વ્યક્તિ ધર્મરાજની સભામાં પહોંચી જાય છે. આ પ્રકારે પુણ્ય કાળમાં ગાયનું દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને કોઈ સત્પાત્ર મળી જાય એને પણ પુણ્ય કાળ માનવામાં આવે છે. અર્થાત્ એવા સમયમાં નિશ્ચિંત થઈને ગૌદાન કરવું જોઈએ. કેમ કે મનુષ્યનો વૈભવ એક જેવો નથી રહેતો અને મૃત્યુ પણ ક્યારેય પણ આવી શકે છે આથી દાન કરીને મનુષ્યને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ભાવનાથી કરવામાં આવેલું થોડું દાન પણ અપાર ફળ આપે છે. ભાઈ-બંધુ શરીર બધું નાશવાન છે ફક્ત ધર્મ જ સ્થિત રહે છે. મૃત્યુ પછી પ્રત્યેકને પ્રેમ ક્ષીણ થઈ જાય છે. પ્રાણીની પોતાની આત્મા જ એના બંધુ છે. આથી પોતાની સંતુષ્ટિ માટે દાન આપવું જોઈએ. આ જીવન અનિત્ય છે. મનુષ્યની પાછળ કોઈ એના માટે કશું નથી કરતો આથી એને ખુદ પોતાના લોકોત્તરની ચિંતા થવી જોઈએ. મરેલા શરીરને લાકડી અને કાંકરાની સમાન લોકો છોડી દે છે, આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના શુભ-અશુભનું ધ્યાન રાખીને દાન કરે. દુઃખનો સંસાર સાગર વિરાટ હોય છે. એમાં કોઈ કોઈનો ભાઈ નથી. અહીંયા કર્મના સંબંધથી પ્રાણી આવે છે અને ચાલ્યા જાય છે. કર્મના ભાવ સાથે જોડાય છે અને કર્મના ક્ષીણ થવા પર સંબંધ તૂટી જાય છે. માતા-પિતા, પુત્ર વગેરે બધે એક્ઠા થયેલા એ પ્રાણીઓ સમાન છે, જે નદીમાં વહેતાં લાકડીઓના તરાપાની જેમ એક પણ છે અને નથી પણ.

આ લોકથી જે લોકોત્તરનો માર્ગ છે એમાં જ્ઞાની વ્યક્તિ સુખ મેળવે છે નહીં તો એને કષ્ટ મળે છે. જે-જે આપણે અહીંયા આ ધરતી પર દાન કરીએ છી એના પુણ્યના પ્રભાવથી આપણને ધર્મના માર્ગમાં આરામ મળે છે.

આથી જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી તે દાન અને સમર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે. ધર્મથી અર્થ થાય છે અને ધર્મથી જ કામ થાય છે અને ધર્મ જ મોક્ષનો દાતા હોય છે. આથી મનુષ્યએ ધર્મ કરવો જોઈએ. પરંતુ એ પણ જાણી લેવું જોઈએ કે ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે છે. ધન, ધર્મનો આધાર નથી હોતો. જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મનું આચરણ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.

હે ગરુડ! જે મનુષ્ય ધરમના પુરા રૃપોને જાણીને દેવી-દેવતાઓને પ્રસન્ન કરીને ધાર્મિક કાર્ય કરે છે અને વિધિવત્ દાન આપે છે તે પોતાના પુણ્યોને સંચિત કરે છે. એને નરકની યાતના નથી થતી અને આવો મનુષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરે છે.

***