ગરુડ પુરાણ - ભાગ 14 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 14

ચૌદમો અધ્યાય

ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો. કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવન્, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ! ભગવાન શિવ પરબ્રહ્મસ્વરૃપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત અનિર્વચનીય તથા સચિદાનંદ સ્વરૃપ છે. અને જીવ એમનો એક અંશ માત્ર છે, જે રીતથી રગડ લાગવાથી કે ઠેસ વાગવાથી ચિંગારી નિકળે છે એવી જ રીતે અનાદિ કર્મથી અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહથી યુક્ત જીવની ઉત્પત્તિ થાય છે. દેહને ધારણ કરવાવાળા જીવ સુખ-દુઃખથી ભરેલ હોય છે અને સારા-ખરાબ કર્મ કરે છે અને પૂર્વ જન્મના કારણે જ જાતિના બંધન આયુ વગેરે નિશ્ચિત થાય છે. હે ગરુડ, સંપૂર્ણ જીવ ઉત્કૃષ્ટ તથા અનાશવાન સૂક્ષ્મ લિંગ શરીરથી જન્મ લે છે. અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત કરે છે.

હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું. તે આ પ્રકારે છે કે પહેલાં સ્થાવરનો જન્મ થાય છે, બીજા જન્મમાં તે કીટ વગેરે થાય છે પછી વૃક્ષ વગેરે, પછી પક્ષી પશુ અને મનુષ્ય થાય છે. ધર્મ કરવાવાળા મનુષ્ય જ યોનિ પછી દેવતાની યોનિ મળે છે. દેવતા જીવ મોક્ષ કરવાવાળા હોય છે. જીવ ચાર પ્રકારના હોય છે-પિંડજ, ઉદિભજ, સ્વેદજ અને અંડજ. અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને શરીર છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૃપમાં પ્રાપ્ત કરે છે. આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દેહધારી તેમ છતાં ૯૫ લાખ યોનિઓમાં શરીર ક્રમથી જીતે છે પરંતુ વાસ્તવિક તત્ત્વ જ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે. તત્ત્વ જ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. એનાથી એ નિશ્ચય થાય છે કે હજારો જન્મમાં હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે અને એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલી જાય છે.

જે મનુષ્ય આ શરીરને મેળવીને પણ ધર્મ નથી કરતો અને પોતાને સંસાર સાગરને પાર નથી કરી શકતો તે ખૂબ જ પાપી છે કેમ કે મનુષ્યના શરીરમાં જ સુન્દર ઇન્દ્રિઓ પ્રાપ્ત હોય છે. જો એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો તો તે અભાગ્યો હોય છે અને બ્રહ્મહત્યારાની સમાન પાપને ભોગવે છે.

પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું. આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોના સાધન કરે. આત્મા સૌથી મોટું પાત્ર છે અને બધાનું પાત્ર છે. આથી મનુષ્ય આત્માની રક્ષા કરે. આત્માની રક્ષાના પ્રયત્નમાં જ મનુષ્યને કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો તો એના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ-અશુભ કર્મ કરે છે અને ગામ, ક્ષેત્ર ઘર પર પરિઘિમાં બંધાયેલો રહે છે. જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે. કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઇચ્છા નથી કરતા. આ શરીર રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન કેવી રીતે થશે. ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન યોગ્ય માટે દેહનું હોવું જરૃરી છે. ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થઈ જાય છે. આત્માને તારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું છે. જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી શકતો આથી એના પહેલાં જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ શત્રુની જેમ પ્રહાર કરે છે આથી કલ્યાણકારી કર્મ પહેલાંથી જ પ્રારંભ કરી દેવા જોઈએ. મનુષ્યને જોઈએ કે તે જ્ઞાન તત્ત્વને એના પૂર્વ જ મેળવી લે કેમ કે શરીરના રુગ્ણ હોવા પર અને ઇન્દ્રિયોના શિથિલ હોવા પર કશું પ્રાપ્ત નથી થતું.

દેહ (શરીર)ના રહેતા મનુષ્યએ તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જે વ્યક્તિ ઘરના ખૂણામાં આગ લાગ્યા પછી, કૂવો ખોદે છે તે બળી જાય છે. આથી મૃત્યુની નજીક પહોંચતા પહલાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ.

મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે પરંતુ કાળ સંસારના ઉત્પન્ન અનેક કાર્યોને નથી જોતો પરંતુ મનુષ્ય પોતાના શુદ્ધ રૃપથી પોતાના સ્વરૃપને પણ નથી જાણી શકતો. જે કારણોથી મનુષ્ય બીજાઓને દુઃખિત જુએ છે, આપત્તિમાં ફસાયેલો મેળવે છે, કષ્ટ પ્રાપ્ત કરીને અનુભવ કરે છે મનુષ્ય એ જ કાર્યોને કરે છે, આ આશ્ચર્યની વાત છે. તે પાપથી નથી ડરતો જ્યારે જાણે છે કે પાપનું દુષ્ફળ મળશે. મનુષ્ય એ જાણે છે કે બધી સંપત્તિ સ્વપ્નની સમાન છે, ફૂલની સમાન જવાની છે અને ઉંમર પણ વિજળીની જેમ ચંચળ છે. ગમે ત્યારે કશું પણ નષ્ટ થઈ શકે છે પરંતુ છતાં પણ તે પાપકર્મમાં લીન રહે છે. મનુષ્યને જોઈએ કે માનવ જન્મમાં પોતાની સાર્થકતા પ્રાપ્ત કરી લે. આના ધૈર્ય વગર કશું પ્રાપ્ત નથી થઈ શકતું. મનુષ્યને સો વર્ષનું જીવન મળ્યું છે. એને પણ તે સૂવા અને આળસમાં વિતાવી દે છે. એને જોઈએ કે તે જીવનને નિરર્થક થવાથી બચાવે. એને જોઈએકે તે બ્રહ્મની સમાન હોવાના ઉપાય કરતો રહે. જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગો નથી કરતો અને જાણવા યોગ્ય સમયમાં ચિંતન નથી કરતો અને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે. બધા મનુષ્ય માર્યા જાય છે. તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટાની સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે. પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણીને, જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો એને આત્મજ્ઞાન નથી થતું. દેહ માયાથી મોહિત થઈને જે મનુષ્ય આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈને અણદેખ્યું કરી દે છે અને જ્ઞાનની વાણી નથી સાંભળતા તેઓ નથી જાણતા કે આ સંસાર કાળરૃપી સાગરમાં ડૂબી રહ્યો છે, મૃત્યુ રોગ વગેરે આ સાગરના ગ્રાહની સમાન છે. આ ગ્ર્હોને કારણે એને ખૂબ કષ્ટ મળે છે. પરંતુ કાળની ગતિ અબાધ છે અને તે પ્રત્યેક ક્ષણ ક્ષીણ થવાને મનુષ્યને પણ નથી જાણ થતી, કેમ કે કાળ ના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે. તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે પરંતુ એની જાણ નથી ચાલતી.

પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે. તરંગોને ગૂંથાઈ શકાય છે પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી.

આ સંપૂર્ણ પૃથ્વી કાળના વસથી ચાલે છે. કાળના બળ પર જ ક્યાંક પર પર્વત હોય છે અને ક્યાંય પર સમુદ્ર. આ પરસ્પર બદલતાં પણ રહે છે. તો પછી આ નાના શરીરની મહત્તા શું? આથી પોતાનું-બીજાનું વિચારવું બિલ્કુલ વ્યર્થ છે. આ મારા બંધુ છે, ભાઈ છે, મારા છે, બીજાના છે, આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ કાં તો ખુદને ઉઠાવી લે છે કે બંધુ-બાંધવોમાંથી કોઈ એનો ગ્રાસ બની જાય છે. પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને કે આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે. અંતે યમની તરફ અગ્રેસર થાય છે. એને હંમશાં એ જોઈએ કે તે જલ્દીથી જલ્દી પોતાના કાર્યોને સંપાદિત કરે કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા રહી ગયેલા કામની ચિંતા નથી કરતું. વૃદ્ધાવસ્થા મૃત્યુનો માર્ગ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે. આવી મૃત્યુને જીવ અનદેખ્યું કરી દે છે અને પરમેશ્વરને નથી જોતો. આશ્ચર્ય એ જ છે કે તે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો? આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે જાણે અગ્નિ રૃને. જેમ લાલચ રૃપી સોયથી છેદ આપ્યા પછી વિષયદ રૃપી ઘીથી સીંચ્યા પછી રાગ-દ્વેષ ખૂબ વધારે ઉછરે છે એવી જ રીતે મૃત્યુની જાળ વધતી જાય છે. મૃત્યુના વિધાનથી બાળક, જવાન, વૃદ્ધ કોઈ પણ નથી બચતું. આ જીવ વિવશ થઈ જાય છે અને પોતાને છોડીને યમના ઘેર ચાલી જાય છે. પછી માતા-પિતા અને સંબંધિઓના વિષયમાં તો શું કહેવામાં આવે.

આ સંસાર દુઃખનું મૂળ છે અને જે સાંસારિક ગૃહસ્થ છે તે બધાથી વધારે દુઃખી છે. જે મનુષ્યએ આ સંસારનો ત્યાગ કરી દીધો તે ખૂબ જ સુખી છે. મનુષ્યને જોઈએ કે દુઃખને ઉત્પન્ન કર વાવાળા અને આપત્તિઓના આશ્રય ઘર-સંસારને વધારે આસક્તિથી ન જુએ. જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડેલો મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે. પરંતુ પુત્ર, સ્ત્રી વગેરેમા લીન પુરુષનો મોહ નથી છુટતો. પરંતુ તે જે-જે સંબંધોના પ્રત્યે અને જેટલા સંબંધોના મહો ભાવ પેદા કરે છે એનાથી શોક રૃપી ખીલ્લા હૃદયમાં પીડા આપે છે. એની દશા એવી થઈ જાય છે કે કોઈ ચોર કોઈનું ધન લૂંટીને લઈ જાય છે.

જે રીતથી લોખંડના ખીલ્લામાં લાગેલા માંસને જોઈને ખીલ્લાની ઉપસ્થિતી ભૂલીને માછલી કાંટામાં ફસાઈ જાય છે એવી જ રીતે સુખનો લોભી પુરુષ (જીવ) સાંસારિક સુખોને જુએ છે પરંતુ એની પાછળ યમરાજના વિઘ્નોને નથી જોતો. આ રીતે હે ગરુડ! હિત-અહિતને જોવાવાળા અને હંમેશાં કુમાર્ગ પર જવાવાળા લોકો નરકગામી થાય છે. મનુષ્યની વચ્ચે ઉંઘ, ખાવું-પીવું પશુઓની સમાન જ હોય છે. ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્ત્વ હોય છે. અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે.

મૂરખ મનુષ્ય સામાન્ય ક્રિયાકર્મમાં લાગેલો રહે છે. દિવસમાં ભૂખ-તરસથી દુઃખી, ધન કમાવવા માટે અને રાત્રે સૂવા માટે તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે. અજ્ઞાનથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચ્ચો ધર્મ નથી નિભાવી શકતો. એને એ પણ જાણ નથી થતી કે સંસારમાં તલ્લીન જીવ અજ્ઞાનને કારણે મરે છે. આથી ધન વગેરેનો સંગ છોડીને મનુષ્યએ સજ્જનોનો સંગ જ કરવો જોઈએ. સજ્જનોનો સાથે ખૂબ જ મોટી ઔષધિ છે. મનુષ્યના જીવનમાં વિવેક અને સત્સંગ આ એવા દૃષ્ટિ સંપન્ન નેત્ર છે, જેનાથી મનુષ્ય સારા-ખરાબની ઓળખ કરી શકે છે. જેની પાસે આ નેત્ર નથી હોતા તે કુમાર્ગગામી થઈ જાય છે.

બધા મનુષ્યોનું કર્તવ્ય છે કે તેઓ પોતાના વર્ણાશ્રમ આચારમાં તત્પર થઈને બીજા ધર્મોને પણ જાણે. અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો કર્મમાં વધારે લીન રહે છે અને કેટલાક ધર્મમાં. જે લોકો અજ્ઞાનથી ઘેરાયેલા છે એમની સાથે દગો થઈ જાય છે. એમની અસલી પૂંજી નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો ભગવાન નારાયણ અર્થાત્ મારું નામ માત્ર લેવાથી મોક્ષની કામના કરવા લાગે છે. અને કેટલાક લોકો કર્મકાંડી થઈને મોટા-મોટા યજ્ઞોને કરીને મોક્ષની કામના કરે છે. કેટલાક લોકો ઉપવાસ કરીને શરીરને સૂકવી દે છે અને મોક્ષની કામના કરે છે.

પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતિથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી. કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું. આ એવું જ હોય છે, જેવું સાંપને મારવા માટે ખાલી બાંબી પર આક્રમણ કરવામાં આવે, જે લોકો જટાઓના ભારથી ઘેરાયેલા રહે છે, મૃગ ચર્મ ધારણ કરીને ઘમંડી જ્ઞાનીઓની જેમ નગરો અને ગ્રામોમાં ફરે છે અને બીજા લોકોને પણ ભ્રમમાં નાંખે છે એમને હું પ્રાપ્ત નથી થતો. જે વ્યક્તિ સંસારથી ઉત્પન્ન સુખમાં લીન રહે છે અને પોતાને પણ બ્રહ્મથી ઉત્પન્ન થયેલો માને છે એમને પણ હું નથી મળતો. હે ગરુડ! ષડ્દર્શન રૃપ મહા કૂવામાં પડેલા અનેક મનુષ્ય પરમાર્થના વાસ્તવિક રૃપને નથી જાણતા. તેઓ પશુઓની સમાન બંધાયેલા છે. કેટલાક લોકો કર્મથી અને બ્રહ્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે કેમ કે એમનામાં અહંકાર થઈ જાય છે. આવા પુરુષોનો ત્યાગ કરી દેવો જોઈએ. આવા લોકો ક્યાં મુક્તિ મેળવે છે જે ઘરમા અને વનમાં સમાનતા કરીને નિર્લજ્જતાપૂર્વક દિગમ્બર થઈને ફરે છે. ફક્ત માટી અને ભસ્મ લગાવવાથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે પુરુષ તપસ્વીના રૃપમાં ઘાસ, પત્ર, પાણી વગેરે પીતા રહે છે તેઓ વાસ્તવિક તપસ્વી નથી હોતા. જન્મથી મરણ સુધી ગંગામાં રહેવાવાળી માછલી અને દેડકા શું સ્વર્ગમાં ચાલ્યા જાય છે?

આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય નથી હોતા. અને ના આ બાહ્ય ઉપાયોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પપીલા પૃથ્વી પર પડેલા જળને ક્યારેય નથી પીતા અને પારાવત પક્ષી એક-એક કણનો આહાર કરે છે પરંતુ તે બધા વ્રતી નથી થઈ જતા. હે ગરુડ! સંસારના અનેક કર્મ લોકરંજન માટે છે. એનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી, મોક્ષ તો ફક્ત તત્ત્વ જ્ઞાનથી જ શક્ય છે.

વેદ-શાસ્ત્રોથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્રો અને સંવાદોના કુચક્રોમાં ફસાયેલા રહે છે તેઓ પણ તત્ત્વ જ્ઞાનને નથી જાણતા. અનેક લોકો એવા હોય છે જે વેદ-શાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે, પરંતુ એમને આપણે તત્ત્વ-જ્ઞાની નથી કહી શકતા. તે પંડિત ફક્ત પ્રદર્શન માટે હોય છે. તે ફક્ત કાગડાની સમાન બોલે છે. કેટલાક લોકો વાસ્ત્વિક તત્ત્વ જ્ઞાનના અભાવમાં ફક્ત શાસ્ત્રોને વાંચીને જ પોતાને જ્ઞાની સમજવા લાગે છે. એમની ઇન્દ્રિયો વ્યાકુળ રહે છે.

પરમ તત્ત્વ આ બધાથી પરે કંઈક અલગ જ તત્ત્વ છે. તે તત્ત્વમસિ અને ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય આ પરમ તત્ત્વ અનુભવથી જાણવામાં આવે છે અને ભક્તિ એનું મૂળ છે. જ્ઞાન તો ફક્ત મદદ કરે છે. ફક્ત શાસ્ત્રને વાંચી લેવાથી તત્ત્વ જ્ઞાનથી એવા જ દૂર રહે છે જેમ કરછીના રસના સ્વાદથી દૂરી રહે છે. તેમ છતાં ફૂલોને ગળામાં કે માથા પર ધારણ કરવામાં આવે છે પરંતુ એની વાસ્તવિકતા નાક જ જાણી શકે છે. મૂર્ખ લોકો વ્યર્થમાં તર્ક-વિતર્કથી પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.

જ્ઞાનથી હીન વ્યક્તિ, અભ્યાસથી તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકાતું. હજાર વર્ષની આયુ પણ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઓછી હોય છે અને શાસ્ત્ર જ્ઞાનનો અંત નથી. શાસ્ત્ર અનેક છે અને મનુષ્યની ઉંમર ખૂબ જ નાની હોય છે. અને એના પર પણ અનેક વિઘ્ન આવી જાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે શાસ્ત્રના તત્ત્વોને જાણવાનો પ્રયત્ન કરે. જેમ હંસ પાણીમાંથી દૂધનું કણ કાઢી લે છે તેવી જ રીતે બુદ્ધિશાળી લોકોએ શાસ્ત્રોમાંથી તત્ત્વ જ્ઞાનની વાતો કાઢી લેવી જોઈએ. તત્ત્વ જ્ઞાનની પ્રાપ્તિ પર જ્ઞાની મનુષ્ય શાસ્ત્રને એવી રીતે છોડી દે છે જાણે ઘઉંની પ્રાપ્તિ પછી ભૂસું છોડી દેવામાં આવે છે.

હે ગરુડ! જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો. આ પ્રકારે જે તત્ત્વ જ્ઞાની છે એને શાસ્ત્રોની જરૃર નથી હોતી. હકીકત રૃપમાં ગુરુની ફક્ત એક વાણીથી જ મુક્તિ મળી જાય છે. વેદોના વાંચવાથી મુક્તિ નથી થતી, ફક્ત જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે. મુક્તિના કારણ સ્વરૃપ ન તો ચારે આશ્રમ છે અને ના ષટ્દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ અપાવી શકે છે. બસ મુક્તિનો તો એક જ આધાર છે અને એ છે આત્મજ્ઞાન. મુક્તિ આપવાવાળી બધી વિદ્યાઓ એક તરફ અને ગુરુની વાણી એક તરફ. જે રીતથી સંજીવની કાષ્ઠ જ પ્રમુખ હોય છે એવી જ રીતે અદ્વૈતવાદ જ વિશ્વ રૃપ છે. આ ગુરુના મુખથી પ્રાપ્ત થાય છે. અને કરોડો શાસ્ત્રોને વાંચવાથી પણ નથી મળતું.

જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. એક શાસ્ત્રોમાં લખેલું અને બીજું પોતાના અનુભવોથી પ્રાપ્ત. શાસ્ત્રનું જ્ઞાન એક શબ્દ માત્ર છે પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાન પરબ્રહ્મ રૃપ છે. અદ્વૈતવાદ જ્ઞાનની ઇચ્છા કરીને કેટલાક લોકો દ્વૈત જ્ઞાનની ઇચ્છા પણ કરે છે અને એ પણ સમજે છે કે દ્વૈત-અદ્વૈતથી પરે જ વાસ્તવિક પરમ જ્ઞાન છે. આ મારું નથી, આ મારું છે, આ બંને વાતો મોક્ષ માટે બંધન છે. જ્યારે આપણે એ અનુભવ કરીએ છીએ કે આ મારું નથી ત્યારે આપણે બંધનોથી છૂટી જઈએ છીએ. વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે જે મનુષ્યને બંધનમાં નથી બાંધતું અને વિદ્યા એ જ હોય છે મુક્તિ આપવાવાળી હોય છે.

આધ્યાત્મિક વિદ્યાથી અલગ કોઈ પણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે. મનુષ્ય જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી આ સંસારની વાસનામાં રહે છે. અને જ્યાં સુધી ઇન્દ્રિયોની ચંચળતાના ઘેરામાં રહે છે ત્યાં સુધી તત્ત્વ જ્ઞાન પણ ક્યાં હોય છે. આથી દેહનું અભિમાન, મમતા, વાસના અને સાંસારિક તત્ત્વો માટે પ્રયત્ન છોડીને મનુષ્યને જોઈએ કે તે ગુરુની દયા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. જપ, તપ, હવન તીર્થ અને પુરાણોની કથા પણ ત્યાં સુધી જ મદદ કરે છે જ્યાં સુધી તત્ત્વ જ્ઞાન નથી થતું. આથી હું તારાથી એ કહું છું કે હે ગરુડ! સત્યનિષ્ઠ થવા લોકો મોક્ષ રૃપી વૃક્ષની છાયાનો આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૃપી વૃક્ષની છાયાના આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૃપી બંધનથી છૂટી જાય છે. જીવ અંત કાળ આવવા પર આત્મજ્ઞાનથી જ નિર્વાણને પ્રાપ્ત થાય છે.

અંત કાળ આવવા પર મૃત્યુના ભયથી રહિત ત્યાગ રૃપી શાસ્ત્ર દ્વારા પોતાના મોહને કાપીને મનુષ્યને જોઈએ કે તે રાગથી રહિત થઈ જાય. ઘરનો ત્યાગ કર્યા પછી તીર્થના જળમાં સ્નાન કરે અને વિધિપૂર્વક બનાવેલા કુશા અને મૃગચર્મને ધારણ કરે અને એના જ આસન પર સૂવે. મહાન અક્ષર 'ઓમકાર'નો અભ્યાસ કરીને પોતાના શ્વાસ ને જીતીને બ્રહ્મનું સ્મરણ કરે અને પોતાના મનને રોકે. બુદ્ધિ સારથી છે, મન અને ઇન્દ્રિયો ઘોડા છે, આને બુદ્ધિ દ્વારા રોકીને કર્મમાં પ્રેરિત કરવું જોઈએ કે આવું કરીને તે પોતાને અનુભવ કરે કે તે પરમ ધામ છે-હું જ બ્રહ્મ છું, હું જ પરમ પદ છું અને હું જ અનંત આત્મા છું. આ રીતેથી તે પોતાને સ્થાપિત કરે.

જે પુરુષ ઓમ્ ઉચ્ચારણ કરતો-કરતો મારું સ્મરણ કરીને પોતાના દેહનો ત્યાગ કરે છે તે પરમગતિ-મુક્તિને પ્રાપ્ત થાય છે. આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડી લોકો નથી જઈ શકતા. જ્ઞાની પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે.

માન-મોહથી રહિત થઈને જે લોકો સંગના દોષને જીતી લે છે, અભિલાષાઓનો ત્યાગ કરવામાં સમર્થ થઈ જાય છે અને દુઃખ-દ્વન્દ્વથી છૂટી જાય છે, રાગ-દ્વેષ રૃપી મલથી મુક્ત થઈ જાય છે તેઓ પરમ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે.

જ્ઞાન એક કુંડ છે એમાં સદ્નું જળ ભરેલું છે અને આ જળ રાગ-દ્વેષને દૂર કરે છે. આ રીતના માનસ-તીર્થમાં સ્નાન કરવાવાળા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે ફક્ત મને મોકલે છે અને પરમાત્મામાં ધ્યાન લાગે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાની મૃત્યુની ચિંતા ન કરીને તીર્થોમાં નિવલાસ કરે છે અને મુક્તિ પ્રદાન કરવાવાળા ક્ષેત્રમાં મરે છે એને મોક્ષ મળે છે.

મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ આ પ્રકારે છે - અયોધ્યા, મથુરા, કાશી, ગયા, કાંચી, અવંતિકા, દ્વારાવતી, આ સાત પુરી મોક્ષ પ્રદાતા છે. આ રીતથી હે ગરુડ! જેમ તેં પૂછ્યું એવી જ રીતે મેં આ સનાતન મોક્ષ ધર્મના વિષયમાં તને બતાવી દીધું છે. મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને સૌથી મુખ્ય વાત એ છે કે તત્ત્વને જાણવાવાળા ધાર્મિક મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગ જાય છે.

ભગવાનની આ વાણી સાંભળીને ગરુડજીએ એમને અનેક વખત પ્રણામ કર્યા અને પછી ધ્યાનસ્થ થઈ ગયા. એના પછી તે બોલ્યા-હે ભગવન્! તમે મને સદાચારના વિષયમાં બતાવો કે મનુષ્યનું સદાચાર કર્મ-વિધાન શું હોવું જોઈએ?

ગરુડજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા મનુષ્યને જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને વૈદિક કર્મ કરીને સદાચારનું પાલન કરે. શ્રોત કર્મ કર્યા પછી તે સ્માર્ત કર્મ પણ કરે. વૈદિક કર્મને પ્રમુખતા આપવી જોઈએ. જો કોઈ કારણથી કોઈ મનુષ્ય સ્માર્ત કર્મ નથી કરી શકતો તો એણે સત્પુરુષોનું આચરણ કરવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિ આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓના નેત્ર કહેવામાં આવ્યા છે. એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે. શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રિતપાદન કરવામાં આવે છે. સ્મૃતિના શાસ્ત્રોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે અપર ધર્મ હોય છે. એક ત્રીજી શ્રેણીનો ધર્મ પણ હોય છે, જેમાં શિષ્ટાચારનું કથન હોય છે. આ રીતથી આ ત્રણેય સનાતન ધર્મ થાય છે.

સત્ય, દાન, દયા, વિદ્યા, પૂજન, લાભ અને ઇજ્યા આ આઠ ધર્મના સ્વરૃપ છે અને આ જ શિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે. આપણા પહેલાં પુરુષ-શરીર અને ઇન્દ્રિયોથી તેજથી પરિપૂર્ણ હતા, ધર્મનું આચરણ કરતા હતા એણે જ સત્ય, યજ્ઞ, તપ અને દાનના રૃપમાં ધર્મના લક્ષણ બતાવ્યા છે.

સાચ્ચો સદાચાર અભ્યાસ તપ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે કેમ કે ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ જ્ઞાન મળે છે. આ ધર્મથી યુક્ત હવે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે મોક્ષ મળે છે. ઇજ્યા એટલે કે યજ્ઞ વગેરે કરવા. અભ્યાસ અને શાસ્ત્રોનું પાલન કરવું. બ્રાહ્મણ ક્ષત્રિઓ અને વૈશ્યોને કર્મ કહેવામાં આવ્યા છે. ક્ષત્રિય પોતાના કર્મ દ્વારા નિર્વાહ કરે છે અને એ જ એનો સદાચાર છે. એનો સદાચાર પ્રાણી માત્રની રક્ષા કરવાનો પણ છે. પશુઓનું પાલન કરવું, ખેતી, દુકાનદારી વૈશ્યનો ધર્મ છે. શૂદ્રનું કર્મ છે કે દ્વિજાતિઓની સેવા કરે. આ પ્રકારે ચારે વર્ણોના ધર્મ અલગ-અલગગ છે અને ચાર આશ્રમ છે, જેનું પાલન કરવું સુખી જીવન માટે જરૃરી છે. શૂદ્રને જોઈએ કે તે કર્મથી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરે. આશ્રમોમાં બ્રહ્મચારીનું ક ર્તવ્ય છે કે તે બ્રહ્મની ઉપાસના કરીને વિદ્યા અભ્યાસ કરે. ઘર છોડીને ગુરુની પાસે ગુરુકુળમાં રહે અને યજ્ઞ વગેરે કરે, સમયાનુસાર અભ્યાસ કરે. એણે ભિક્ષાચરણથી પોતાની જીવિકા પ્રાપ્ત કરવી જોઈએ. તે ગુરુની સાથે રહીને જ એમની આજ્ઞા અનુસાર કાર્ય કરે.

ગૃહસ્થાશ્રમમાં એનું કર્મ બીજું થઈ જાય છે. એને જોઈએ કે તે નિત્ય યજ્ઞ કરીને વૈદિક પદ્ધતિથી પોતાના જીવનનો નિર્વાહ કરે અને પોતાની પત્નીની સાથે પર્વોનો ત્યાગ કરી રતિક્રિયા કરીને ગૃહસ્થ ધર્મનું પાલન કરે. દેવતા, પિતૃગણ અને અતિથિઓ પૂજનૃસત્કાર પણ એનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મનો પૂરો નિર્વાહ કરી લીધા પછી મનુષ્યને જોઈએ કે તે વાનપ્રસ્થમાં પ્રવેશ કરે અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને ધર્મ-કર્મ કરે. નિત્ય યજ્ઞ કરે, મૃગચર્મ ધારણ કરી ભૂમિ પર સૂવે. વનમાં નિવાસ કરે. જે કંઈ પણ ફળ વગેરે પ્રાપ્ત થાય એનાથી પોતાનું પેટ ભરે. ચોથો આશ્રમ સંન્યાસનો છે. આ આશ્રમમાં મનુષ્ય બધું જ છોડીને સંન્યાસી થઈ જાય છે. અહીંયા પર એને ફક્ત ભિક્ષાવૃત્તિથી કામ ચલાવવું પડે છે. એને જોઈએ કે તે વ-ક્ષના મૂળમાં નિવાસ કરે અને કંઈ પણ સંચિત ન કરે. રાગ-દ્વેષથી પરે થઈ જાય. કોઈની પ્રતિ પણ મમતા ન રાખે. પ્રિય-અપ્રિય ન સમજે અને બહાર, અંદર વધારેમાં વધારે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરે, ઓછું બોલે, ફક્ત બ્રહ્મ ધ્યાનમાં મગ્ન રહે અને પોતાના હૃદયમાં ક્ષુદ્ર ભાવનાઓને ન રાખે. નિત્ય ધ્યાન અને ઉપાસના કરે. એને જ સંન્યાસીનો ધર્મ કહેવામાં આવ્યો છે.

સદાચારના અંતર્ગત કોઈ પ્રાણીની હિંસા ન કરવી અર્થાત્ કોઈને કોઈ પણ પ્રકારથી કષ્ટ ન પહોંચાડવું, મન, વચન, કર્મથી પ્રિય બની રહેવું અને બધા પર દયા ભાવ રાખવી મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત આશ્રમોમાં રહેવાવાળા મનુષ્યોનો સામાન્ય ધર્મ સત્યનું આચરણ છે. વહેલી સવારે પથારીમાંથી ઊઠીને સૂવા સુધી જવાનો એક ગૃહસ્થનો ધર્મ બધાથી વધારે મુશ્કેલ છે. ગૃહસ્થને જોઈએ કે તે બ્રાહ્મ-મુર્હૂતમાં પથારી છોડી દે એને ધર્મ-અર્થનું ચિંતન કરે. પોતાના નિત્ય-કર્મથી નિવૃત્ત થઈને સ્નાન સંધ્યા વગેરે કરે. પછી એના પછી દિવસમાં પોતાનું કાર્ય કરે. સંધિ-કાળમાં નિત્ય કર્મ કરીને દિશા-જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખે. જળમાં સ્નાન કરીને વધારેમાં વધારે શુધ્ધ રહે અને એના પછી પોતાના કર્મ વિધાનની તરફ ધ્યાન કરે. જે વ્યક્તિ નબળો હોય તે પોતાની શક્તિ અને બળ નુસાર શારીરિક શુદ્ધિ કરે. શારીરિક શુદ્ધિ પછી આચમન વગેરે કરીને સંધ્યા-વંદન કરે. વેદોનો પાઠ કરીને ઇતિહાસ-પુરાણનું પારાયણ કરે. પછી તે નાસિકામાં વાયુ, આંખોમાં સૂર્ય, કાનોમાં દિશા અને નાભિમાં ગ્રંથિ અને હૃદયમાં બ્રહ્માનું ધ્યાન રાખીને પોતાની પૂજા કરે.

યતિ લોકોને જોઈએ કે તે ત્રણ વખત સ્નાન-સંધ્યા કરે અને બ્રહ્મચારીના માટે એક વારનું સ્નાન પર્યાપ્ત છે. દિવસ અને રાત્ના મળવાવાળા સ્થળને સંધ્યા કહેવામાં આવે છે અને આ સંધ્યા કર્મ સદાચારનું મુખ્ય અંગ છે. જ્ઞાની પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ-અલગ નથી સમજતા. આ લોકમાં મંગલમય વસ્તુઓ-બ્રાહ્મણ, ગાય, કુશાસન, હિરણ્ય, ઘી, સૂર્ય, જળ અને રાજા છે. એને ધ્યાન કરીને અર્ચના અને પૂજા કરે. જે વસ્તુ પોષ્ય છે એનું પોષણ કરે. ફક્ત પોતાની જ ચિંતા ન કરે કેમ કે જે પોતાનું જ પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલાની સમાન હોય છે. કર્મના અર્થોના સ્વરૃપમાં પર્વત અને નદીઓની ક્રિયાઓ સામાન્ય હોય છે. અને આ ભૂમિ સંપૂર્ણ રત્નોની ખાન છે. પશુ, ધન, ધાન્ય, અર્થના કાર્યના યોગથી જ થાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે કોઈથી દ્રોહ ન કરે અને સામાન્ય કાળમાં રાખીને જીવન-યાપન કરે. જીવન-યાપનનું ધન ત્રણ પ્રકારનું હોય છે- શુક્લ, શકલ અને કૃષ્ણ. એના પણ સાત પ્રકારના વિભાગ હોય છે. પિતૃ પરંપરાથી પ્રાપ્ત ધન, કોઈના દ્વારા પ્રેમથી આપવામાં આવેલું ધન, પત્ની અથવા કોઈની મદદથી પ્રાપ્ત ધન આ ત્રણ પ્રકારના ધન સંપૂર્ણ રૃપથી જીવનનો આધાર બને છે.

બ્રાહ્મણનું ધન ત્રણ પ્રકારનું હોય છે-ભિક્ષાથી પ્રાપ્ત, અભ્યાસથી પ્રાપ્ત અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થવાવાળું ધન. ક્ષત્રિયનું ધન પણ ત્રણ પ્રકારનું હોય છે અને આ વિષયમાં ધન કહેવાય છે. ૧. કરો દ્વારા પ્રાપ્ત ધન, ૨, દંડોથી પ્રાપ્ત ધન, ૩. વિજય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત ધન.

આ રીતે વૈશ્યનું ધન પણ ત્રણ પ્રકારનું હોય છે-કૃષિ દ્વારા પ્રાપ્ત ધન, જેમાં પશુ-પાલન અને વાણિજ્ય-વ્યવસાય અને નફાનું ધન પણ સામેલ છે. જો બ્રાહ્મણ આપત્તિકાળમાં ઉપસ્થિત થાય છે તો એને આ પ્રકારનું ધન લેવાથી કોઈ પાપ નથી લાગતું. ક્યારેક-ક્યારેક કૃષિ કર્મમાં અનાવૃષ્ટિ થઈ જાય છે અને બાધા ઉપસ્થિત થાય છે પરંતુ એની કમી બીજા સ્થાનો પર જઈને ધન કમાવવાથી પૂરી કરવામાં આવે છે. ખેડૂત કર રૃપી રાજાને ધન આપે છે. વિદ્યા શિલ્પ દુકાનદારી પણ જીવનના નિર્વાહના કારણ હોય છે. આ પ્રકારે પ્રતિગ્રહમાં કોઈ દોષ નથી હોતો.

બધા વર્ણોએ ધનના સ્વરૃપને પણ જોવું જોઈએ. હંમેશાં વૃત્તિ દ્વારા પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ કરી લેવાનું વિધાન પણ છે. નિત્ય કર્મોમાં જે મનુષઅય સ્નાન વગેરે નથી કરતો એને જપ અને હવન કરવાનો અધિકાર નથી. સ્નાનની દૃષ્ટિથી શરીર અને મન બંનેનું પ્રક્ષાલન થવું જરૃરી છે. તળાવો, તીર્થો અને નદીઓમાં કરવામાં આવેલું સ્નાન ક્રિયા-સ્નાન કહેવાય છે. તીર્થોમાંપાપોથી છુટકારો મળે છે અને નિત્ય નૈમિત્તિક અને ક્રિયાન્ન તથા મલકર્ષણ સ્નાન તીર્થના અભાવમાં કરી લેવું જોઈએ. ભૂમિથી નિકળેલું જળ પુણ્ય જળ હોય છે. સરોવરનું જળ પણ પવિત્ર હોય છે. સરોવરથી વધારે નદીનું જળ પવિત્ર હોય છે. ગંગાનું જળ આમ તો પવિત્ર હોય છે અને તીર્થોમાં આ જળ વધારેમાં વધારે પવિત્ર થઈ જાય છે. આ પ્રકારે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય છે.

સદાચારની દૃષ્ટિની વ્રતનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. પરંતુ શ્રદ્ધાથી યુક્ત થઈને નિત્ય વહેલી સવારે સ્નાન કરવાવાળા વ્યક્તિ આ પળ ખૂબ જ જલ્દી મેળવી લે છે. જે પુરુષ ચંદ્રમા અને સૂર્ય ગ્રહની સમાન લોકોને પ્રાપ્ત કરવા ઇચ્છે છે એના માટે વહેલી સવારનું સ્નાન પુણ્યોને આપવાવાળું હોય છે. ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિના સ્નાનથી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય શ્રીની કામના કરે છે એને આમળાથી સ્નાન કરવું જોઈએ. એનાથી કીર્તિ વધે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના સ્નાન કરવાથી દેવતા અને પિતૃગણ પ્રસન્ન થાય છે. નદીમાં સ્નાન કરીને જે મનુષ્ય પિતૃગણોનું ધ્યાન કરે છે અને એમને તિલાંજલિ આપે છે એને ખૂબ પુણ્ય થાય છે. આ રીતે જળમા સ્નાન કરીને મનુષ્યને જોઈએ કે તે મંત્રનું ઉચ્ચારણ કરીને દેવતાઓની અર્ચના કરીને સ્નાન કરે. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની અર્ચના કરીને એમને જળનું સમર્પણ કરે. મનુષ્યને જોઈએ કે તે અર્ચના પ્રારંભ કરીને દેવતાઓને અર્ધ્યદાન આપે અને પછી પુષ્પાંજલિ અર્પિત કરે. ફળ પણ સમર્પિત કરે. પછી જળમાં જ આચમન કરે. અને તીર્થની પરિકલ્પના કરીને સ્નાન કરે. શૂદ્રને ચુપચાપ નમસ્કારની સાથે આચમન કરવું જોઈએ.

સ્નાન કર્યા પછી મનુષ્યને જોઈએ કે તે મધુર પદાર્થ ખાય અને વચ્ચે અન્ય અન્નનું સેવન કરે. તીખા તથા ખાટા સ્વાદવાળા અન્ન પછી ખાય અને બધાથી અંતમાં દૂધનું પાન કરે. રાત્રે ભૂમિ પર સૂવે તો ખૂબ જ સારું. આ પ્રકારે પોતાના સદાચારનું પાલન કરીને મનુષ્ય જીવન-યાપન કરતો રહે. જે મનુષ્ય શાસ્ત્રની અનુસાર સદાચાર ધર્મનો નિર્વાહ કરે છે તે ખુદ બ્રહ્મ પદને પ્રાપ્ત થાય છે.

***