ગરુડ પુરાણ - ભાગ 13 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 13

તેરમો અધ્યાય

યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણજીથી કહ્યું કે હે ભગવન્! તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાઓ છો. એને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર આવે છે?

આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જ જાણવાની ભાવના આવી જાય છે. હું તને શરીરના પારમાર્થિક રૃપના વિષયમાં બતાવું છું. આ સ્વરૃપ યોગિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે.

યોગી ષટચક્રનું ચિંતન કરે છે અને બ્રહ્મ રંધ્રમાં ચિદાનંદ રૃપનું ધ્યાન કરીને પરમ ધ્વનિને સાંભળે છે. આ પણ જાણવા યોગ્ય છે. સત્કર્મ વાળા લોકો શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે. એમના માતા-પિતાનું એક નિશ્ચિત રૃપ હોય છે. તેઓ નિયમાનુસાર ભાવ કર્મ કરે છે.

મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો ચાર દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે કેમ કે આ અવસ્થામાં શરીર-દોષ રહે છે. ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે. એના પછી સાત દિવસ ઉપરાંત તે યોગ્ય થાય છે કે દેવતાઓની પૂજા કરી શકે અને વ્રત વગેરે રાખી શકે. આ રીતે સાતમા દિવસની અંદર કોઈપણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ. આઠમા દિવસે ગર્ભઆધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે. સમ રાત્રિ અને દિવસમાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે અને વિષમ રાત્રિઓમાં છોકરી પેદા થાય છે. સામાન્ય રૃપથી ઋતુકાળ ૧૬ રાત્રિઓ સુધી ચાલે છે. ૧૪મી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૃપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે અને ધર્માત્મા તથા ગુણવાન પુત્રની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે સામાન્ય્ પ્રકૃત રાત્રિ સાધારણ જીવોને નથી મળતી. સ્ત્રીને જોઈએ કે તે પાંચમા દિવસે મધુર ભોજન કરે અને તીખા તથા ખારા ભોજનથી દૂર રહે. કેમ કે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતથી ઔષધિઓનું પાત્ર છે અને બીજ અમૃતની સમાન હોય છે. સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે. ચંદન તથા ફૂલ ધારણ કરીને શુદ્ધ વસ્ત્રોને પહેરીને ઉત્તમ શૈય્યા (પથારી) પર સૂએ. કેમ કે પ્રસંગના સમય જેવી ચિત્તની સ્થિતિ હોય છે તે જે પ્રકારથી ખુશ અને ખિજાય છે, સંતતિ પર એ જ પ્રકારની અસર પડે છે. આથી જે ચૈતન્ય બીજ સ્વરૃપમાં સ્થિતત રહે છે તે સ્વસ્થ ભાવથી પ્રભાવશાળી થાય છે. કામ ચિત્ત અને શુક્ર તન્મય થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવથી શુક્ર અને રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે. ગર્ભમાં શક્રતિ પુત્ર વધારે આનંદ આપવાવાળો થાય છે. આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને એના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરે છે. તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈને પોતાના પિતાના ઘરમાં વધતો રહે છે અને આ પ્રકારથી શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે. આવો પુત્ર પૂર્વ જન્મમાં કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે.

જે મનુષ્ય પૂર્વ જન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે તે એના ફળસ્વરૃપ પોતાની યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે. તે હંમેશાં અનાત્મા અને આત્માના સંબંધના વિષયમાં વિચાર કરે છે. આવો પુણ્યવાન પુરુષ હંમેશાં બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે. એના પછી આ પુરુષ બ્રહ્મસંગ રહિત કરવામાં આવેલા ભૂમિ વગેરે આત્મ વર્ગન પંચ ભૂતોના ગુણોના વિષયમાં બતાવીને ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ સ્થૂળ તત્ત્વ છે અને આ પિંડ આ પંચ ભૂતોથી બનેલું છે. હે પક્ષીરાજ ગરુડ, હાડકાં, ત્વચા, નાડી, રોમ અને માંસ આ પાંચ ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા અને લોહી બને છે. તેજનો આવવું પૃથક ગુણ થાય છે. ભૂખ, તરસ, આળશ, ઉંઘ અને આભા આ તેજના ગુણથી પેદા થાય છે. વાયુ દ્વારા દોડવું, રમવું, અલગ-અલગ પ્રકારની ચેષ્ટાઓ કરવી, કૂદવું-ઓળંગવું જન્મ લે છે અને આકાશ દ્વારા મોહ, સંદેહ, ચિંતા, શબ્દ વગેરે ઉત્પન્ન થાય છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના ચાર નામ છે અને આ બધાની સ્થિતિ પહેલા જન્મના કર્મના અનુસાર હોય છે. એની સાથે કાન, ત્વચા, આંખ, નાક અને જીબ આ જ્ઞાનેન્દ્રિયો છે. વાક્, હાથ, ગુદા, પગ, લિંગ આ કર્મેન્દ્રિયો છે વાયુ, દિશાઓ, સૂર્ય, પ્રચેતા, ઇન્દ્ર, મિત્ર જ્ઞાનેન્િદ્રિઓ દેવતા હોય છે. ઇડા, પિંગળા અને ત્રીજી સુષુમ્ના, ગાંધારી, ગજજિહ્વા, પૂર્સ, યશસ્વિની, અલંબુષા તથા દસમી શંખિની આ પ્રધાન દસ નાડીઓ શરીરમાં સ્થિત પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નામ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ ૧૦ વાયુ છે. હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નાભિમંડળમાં સમાન, કંઠદેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે, ડકારને નાગ કહે છે અને અને ઉન્મીલનમાં કૂર્મ વાયુ કહેવામાં આવ્યો છે. કૃકલ વાયુને ક્ષુધાકારક જાણવા જોઈએ અને વિજૃંભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો. સર્વવ્યાપી ધનંજય વાયુ છે. તે મૃતકને પણ ક્યારેય નથી છોડતો. ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાબ શરીરધારીઓને પુષ્ટિ આપવાવાળું છે. વ્યાન વાયુ અન્નના રસને બધી નાડીઓમાં પહોંચાડી દે છે, ભોજન કરેલો આહાર વાયુ દ્વારા બે ભાગોમાં વહેંચાઈ જાય છે. ગુદામાં પ્રવેશ કરીને અપચ અન્ન અને જળને અલગ-અલગ કરી દે છે, અગ્નિની ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને અને પ્રાણ ખુદ અગ્નિની નીચે સ્થિર થઈને ધીમે-ધીમે ધોંકે છે.

વાયુથી ધોંકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ-અલગ કરી નાખે છે. વ્યાન વાયુ શરીરમાં બધી તરફ રસ પહોંચાડે છે. બારેય દ્વારથી અલગ કરેલા મળને બહાર કાઢે છે. કાન, આંખ, નાક, જીભ, દાંત, નાભિ, નખ, ગુદા, લિંગ, શિરા, વાયુ અને લોમ આમને ગળ સ્થાન કહે છે. આ પ્રકારે બધા વાયુ પોત-પોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે. જેમ મનુષ્ય લોકો સૂર્યના પ્રકાશને મેળવીને પોતાની સત્તા જાણે છે. (સૂર્ય ઉદય થવા પર પોતાના કામમાં લાગી જાય છે.) હે ખગેહ! નરદેહને બે રૃપ છે, એક વ્યાવહારિક અને બીજું પારમાર્થિક.

વ્યાવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે, સાત લાખ વાળ (કેશ) છે અને વીસ નખ કહેવામાં આવ્યા છે. હે ગરુડ! સામાન્ય રીતે બત્રીસ દાંત કહેવામાં આવ્યા છે. હજાર પલ માંસ છે અને સો પલ લોહી છે. મેદા દસ પળ છે, સત્તર પલ ત્વચા છે, બાર પલ મજ્જા છે અને ત્રણ પલ મહારક્ત છે. શુક્ર બે પાવ છે, શોણિત એક પાવ કહેવામાં કહેવામાં આવ્યા છે. દેહમાં ત્રણ સો સાહીંઠ સ્થૂળ હાડકાં છે તથા નાડીઓ શરીરીમાં કરોડો કહેવામાં આવી છે. પચાસ પલ પિત્ત છે અને એના અડધા (પચીસ પલ) કફ છે. હંમેશાં ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂત્રનું કોઈ નિયમિત પરિણામ નથી. આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત વ્યાવહારિક શરીર છે.

બધા ભુવન, પર્વત, દ્વીપ, સાગર, આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં છે. પારમાર્થિક દેહમાં છ ચક્ર નિશ્ચય હોય છે. જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવ્યા છે તે બધા આમાં વિદ્યમાન છે. આ બધા ગુણ યોગિઓના અવધાન અને ઉપાધિમાં આવે છે, એમને હું તારાથી કહું છું, જેની ભાવના કરીને જીવ વિરાટ રૃપને પ્રાપ્ત થાય છે. હું એ વિરાટ રૃપને જ કહું છું.

પગની નીચે તળ જાણો અને પગની ઉપર વિતળ છે અને ઘુંટણમાં સુતળ જાણો અને સક્યિદેશ (ગુપ્તેન્દ્રિયોના જોડ સ્થાન)માં મહાતળ જાણો. સકિયના મૂળમાં તલાતળ અને ગુહ્ય દેશમાં રસાતળ જાણો અને કઠિમાં પાતાળ જાણો. આ સાત લોકો કહેવાય છે. નાભિમાં ભૂલોક, એના ઉપર ભુવલોક અને હૃદયમાં સ્વર્લોક જાણો, કંઠદેશમાં મહર્લોક જાણો, મુખમાં જનલોક, લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણોય આ ચૌદ ભુવન છે. ત્રિકોણમાં મેરુ સ્થિત છે, નીચે કોણમાં મંદરાચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને ્સવામ (વાયવ્ય) કોણમાં હિમાચલ છે. એના ઊર્વ્ રેખામાં ઉર્ધ્વ રેખામાં ઉપર નિષધ્ર પર્વત, દક્ષિણ રેખામાં ગંધ-માદન, અને વામ રેખામાં રમણાંચળ. આ સાત પર્વત કહેવામાં આવે છે. અસ્થિઓના સ્થાનમાં જંબુદ્વીપ અને શાકદ્વીપના સ્થાન પર મજ્જા, કુશ દ્વીપના સ્થાન પર માંસ અને ક્રૌંચ દ્વી પર શિરાઓની સ્થિતિ છે, આની સાથે-સાથે ત્વચામાં શાલ્મલી દ્વીપ, રોમમાં નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ.

હવે હું તને સાગરોના વિષયમાં બતાવું છું. આ વિરાટ પુરુષ પોતાના મૂત્રમાં સાગરને સ્થિત રાખે છે. દૂધમાં દૂધનો સમુદ્ર માનવામાં આવે છે અને મજ્જામાં ઘીનો સમુદ્ર. રસનો સમુદ્ર રસમાં અને દહીનો સમુદ્ર લોહી જાણવો જોઈએ. હે પક્ષીરાજ ગરુડ! ગળાની ભીતર બધા સ્વાદિષ્ટ જળ હોય છે. આ જે વિરાટ પુરુષ છે એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવે છે અને એની સાથે ચંદ્રમા બિંદુચક્રમાં સ્થિત છે. મંગળ નેત્રમાં વિરાજમાન છે અને બુધ હૃદયમાં. ગુરુની સ્થિતિ વિષ્ણુ-સ્થાન નાભિ ગોળમાં છે અને શુક્રમાં શુક્રની સ્થિતિતિ છે. એના મુખ્માં રાહુ સ્થિતત છે અને વાયુના સ્થાન પર કેતુ. આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ-અલગ તત્ત્વોથી બનેલું છે. આ વિરાટ શરીરમાં એક ગ્રહમંડળ છે, આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ અને મનુષ્યને જોઈએ કે તે વહેલી સવારે પદ્માસન લગાવીને ષટ ચક્રોનું ચિંતન કરે. આવો પુરુષ પાપોથી છુટી જાય છે.

આના ઉપરાંત ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ! તમે મને અજપાનું ઉત્તમ કાર્ય પણ બતાવો કેમ કે એનાથી જીવનો જીવ ભાવ છૂટી જાય છે.

ભગવાન નારાયણે કહ્યું કે મણિપૂરક સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધ, મૂલાધાર અને આજ્ઞા આ ષટ ચક્ર કહેવામાં આવે છે. મનુષ્યને જોઈએ કે તે મૂળાધારને સ્થિત કરીને ક્રમશઃ નાભિ, હૃદય, ગળા અને ભમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે. 'વ શ ષ સ' ચાર દળવાળા અગ્નિની સમાન મૂલાધાર ચક્ર હોય છે. આ અલગ-અલગ ચક્ર હોય છે. અને એ આ પ્રકારે છે.

૧. મૂલાધાર ચક્ર ' વ શ ષ સ' ચાર દળવાળું.

૨. સ્વાધિષ્ઠાન ચક્ર ' બ ભ મ ય ર લ' છ પત્રવાળના સૂર્યની સમાન.

૩. મણિપૂરક ચક્ર રક્ત આભાવાળું 'ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ.'

૪. અનાહત ચક્ર ક થી ઠ સુધી બાર પાત્રોવાળુ અને

૫. વિશુદ્ધ ચક્ર ચંદ્રમાની જ્યોતિ સમાન ૧૬ પ્રારંભિક વર્ણો (સ્વરો) વાળું.

૬. આજ્ઞા ચક્રમ હંસને બે અક્ષરોથી યુક્ત લાલ કાંતિવાળું.

એની ઉપર એક હજાર દળવાળું કમળ છે, જે આનંદ અને શિવમય છે. આ કમળ દળ શાશ્વત અને જ્યોતિથી પરિપૂર્ણ છે. મનુષ્યને જોઈએ કે તે આ સાધનામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગુરુ તથા ગણેશનું વ્યાપક રૃપમાં ચિંતન કરે. પંડિતો દ્વારા રાત-દિવસમાં શ્વાસની ગતિ ૨૧,૬૦૦૦ કહેવામાં આવી છે. જ્ઞાની લોકો 'હં સો હં સઃ મંત્ર'- જે જીવ તત્ત્વ છે, એનો જાપ કરે છે. એમાં ગણેશ માટે ૩૦૦૦, હરિ માટે ૬૦૦૦ અને બ્રહ્મા માટે ૬૦૦૦, જીવાત્મા માટે ૧૦૦૦ અને ગુરુ માટે ૧૦૦૦ તથા ચૈતન્ય આત્મા માટે એક હજાર આ પ્રકારના જપની સંખ્યા કહેવામાં આવી છે. મુનીશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરે છે.

મનુષ્યને એકાગ્રચિત્ત થઈને પરમ ધર્મનું ધ્યાન કરવું જોઈએ. એના ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રની જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે. તે પોતાના ગુરુનું ધ્યાન કરે કેમ કે ગુરુના હાથોમાં અભયદાનની શક્તિ છે. ગુરુના ચરણામૃતથી પોતાનું શરીર દોવે અને પંચ પ્રકારથી એનું સ્તવન કરે. પછી છ ચક્રોમાં સંચરિત અને સાડા ત્રણ વલયવાળી કુંડલીનીને આરોહ અને અવરોહના ક્રમમાં ધ્યાનમાં લાવે. બ્રહ્મરંધ્રથી બહાર ગયેલી સુષુમ્નાનું ધ્યાન કરે. કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમપદના રૃપમાં પ્રાપ્ત થાય છે. પછી વહેલી સવારે પરમબ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયંને સ્થિર કરે. અને કહે કે હંમેશાં જ તમારું ચિંતન કરું છું. ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે. આ રીતે અંતર યોગની સાધના કરીને ફરી બહિયોગ કરે. જે પુરુષ પોતાના દેહના અધિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગિક ક્રિયાઓ નથી કરી શકતા, તપ, યોગ, વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ! મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે. યોગી પુરુષ પણ ભક્તિથી જ સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે.

***