Prem Aatmano - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ આત્માનો - ભાગ 6

(આગળ ના ભાગ માં જોયું કે નટવર નો નીલમ ની પ્રેત આત્મા સાથે ભેટો થાય છે, નીલમ ની આત્મા નટવર ને પાયલ સાથે મળતા રોકે છે, સુશીલા બેન આ અજીબ હરકતો ની વાત હરજીવન ભાઈ ને કરે છે, હરજીવન ભાઈ ને પરસેવો વળવા માંડે છે )

સુશીલા બેન :શુ થયું, પરસેવો કેમ વળવા માંડ્યો તમને?? સેની ચિંતા થવા લાગી??
હરજીવન ભાઈ :કઈ નઈ, તું સુઈ જા આરામથી!
સુશીલા બેન :અરે તમે ચિંતા માં હોવ ને હું સુઈ જાવ?? એવું ના બને, બોલો શુ થયું?

જાણે બને જુવાની ની જેમ પ્રેમ ભરી વાતો કરતા ના હોય..
હરજીવન ભાઈ :હું, ઘરે આવતો હતો, ત્યારે રસ્તા માં એક બાવા જેવો માણસ મળેલો, તે આપણા ઘરની બાજુ જોઈ રહ્યો હતો, એટલે મેં પૂછ્યું
"શુ, થયું મહારાજ, એ મારું ઘર છે,પધારો મારાં ઘરે "
મહારાજ :બેટા, અત્યારે તારા ઘર ઉપર પ્રેત નો પડછાયો છે!!
હરજીવન ભાઈ :અરે મહારાજ, આજના સમય માં ભૂત -પ્રેત કયાંથી હોય... આ બધી અંધવિશ્વાસ ની વાતો છે!
મહારાજ :બેટા, હું એક અઘોરી છુ,અઘોરી વિશ્વનાથ....ભૂત -પ્રેત નો અમને અણસાર આવી જ જાય...
હરજીવન ભાઈ :હું નથી માનતો એવા બધા માં, તમે મારાં ઘરે પધારો, પાણી પી ને જજો.
અઘોરી વિશ્વનાથ :હું તો આ અરવવલી ની ગિરીમાળા ઓમાં ભટકતો એક અઘોરી..બેટા, આ પ્રેત તારા પરિવાર ને બરબાદ કરી દેશે, મારું માન તો આની વિધિ કરાવી લે... નહીંતર..
હરજીવન ભાઈ :અઘોરી મહારાજ મારે કસું નથી કરાવવું, તમે હવે અહીંથી પ્રસ્થાન કરો..
અઘોરી વિશ્વનાથ :જેવી તારી ઈચ્છા, હર હર મહાદેવ...ભગવાન ભોલેનાથ તારી રક્ષા કરે, મારી જરૂર પડે તો આજુ બાજુ ના જંગલ માં મળી રહીશ.. હર હર મહાદેવ.

સુશીલા બેન :મેં સાંભળ્યું છે કે અઘોરી ઓ ને પ્રેત આત્મા ઓ ની ખબર પડી જાય છે, મને તો એમની વાત સાચી લાગે છે, નટવર પણ અજીબ હરકતો કરે છે.. કહું છુ કાલે જ તમે એમને શોધી લાવો અને જે કઈ વિધિ કરવી પડે એ કરાવી લો..
હરજીવન ભાઈ :શુ તું પણ સુશીલા, આ બધા માં માનવા લાગી છ.…..
સુશીલા બેન :તો તમે ઘભરાય કેમ ગયા?
હરજીવન ભાઈ :એતો દીકરા ની આવી હરકતો સાંભળી... કઈ નઈ સુઈ જા હવે...
સુશીલા બેન :સારુ ત્યારે... તમારી ઈચ્છા..

હરજીવન ભાઈ ને અંદર થી અઘોરી ની વાતો યાદ આવે છે..
સુશીલા બેન :ઉઠો, ઉઠો....
હરજીવન ભાઈ :શુ, થયું આટલી રાત્રે કેમ જગાડે છે?
સુશીલા બેન :તમને કોઈ ના રડવાનો અવાજ સાંભળાયો??
હરજીવન ભાઈ :ના...
ત્યાંજ પાછો કોઈ નો અટ્ટહાસ્ય નો અવાજ આવે છે..
હરજીવન ભાઈ :આવું કોણ હશે છે, આટલી રાત્રે..

બંને અવાજ ની દિશા માં આગળ વધે છે...
હરજીવન ભાઈ :કોણ છે....
ત્યાં ફરી અટ્ટહાસ્ય નો અવાજ આવે છે..
બને ઘરના અગાણા માં આવી ને જોવે છે તો કોઈક હિંચકા ઉપર બેસી ને જુલી રહ્યું હોય છે.

હરજીવન ભાઈ :લાગે, નટવર છે...
નટવર આટલી રાત્રે શુ કામ હિંચકા ખાય છે અને આવો અવાજ કેમ કરે છે, સુઈ જા અંદર જઈને..
હા... હા 😄😄😄
સુશીલા બેન :નટવર સુઈજાં આવી મસ્તી ના કર બેટા, તને શુ થયું છે...
આમ કહી સુશીલા બેન લાઈટ ની સ્વીચ પાડવા જાય છે ત્યાં બલ્બ ફૂટી જાય છે..
😄😄😄😄😄😄
હરજીવન ભાઈ નજીક જાય છે ત્યાં જ એક આકૃતિ હવા માં દેખાય છે...
હરજીવન ભાઈ ડરી પાછા આવી જાય છે..સુશીલા બેન ને પરસેવો વળવા માંડે છે..

હું, નીલમ.... સાંભળો નટવર મારો છે અને મારો રહેશે, એના લગ્ન જો બીજે કરાવ્યા તો એકેનેય જીવતા નહિ છોડું.
સુશીલા :પણ તું આવું શુ કામ કરે છે, મારાં દીકરા ને છોડી દે.
નીલમ :એ મારો પતિ છે.. હું એને કોઈ પણ રૂપે નહિ છોડું.
સુશીલા :પણ તું તો એક પ્રેત છે.. તારી સાથે જિંદગી કેવી રીતે જીવી શકશે??
નીલમ :એના લીધે જ હું પ્રેત યોની માં રહી છુ તો એ મારી સાથે જ જીવશે, હું એને પણ પ્રેત યોની માં લઈ જઈસ 😄😄😄
સુશીલા :જો તું મારાં દીકરા ને સાચો પ્રેમ કરતી હોય તો એને છોડી ચાલી જા અહીંથી..
નીલમ :લાગે છે તમને મારાથી બીક નથી લાગતી... આટલું કહી નીલમ સુશીલા બેન ને આમ-તેમ ફટકા મારે છે...
હરજીવન ભાઈ :દોડતા ઘર માં જાય છે અને ગંગાજળ લાવી છાન્ટે છે.... નીલમ ને બળતરા થવા લાગે છે...
નીલમ :😡😡હું પાછી આવીશ અને તમારો ખાત્મો કરી નાખીસ પછી નટવર ને હું જોડે લઈ જઈસ..

હરજીવન ભાઈ :સુશીલા, સુશીલા.. તને કઈ થયું તો નથી.. હરજીવન ભાઈ સુશીલા ને અંદર લઈ જાય છે અને પાણી છાટે છે. સુશીલા બેન હોસ માં આવે છે.
સુશીલા બેન :જોયું ને, પેલા અઘોરી બાવા એ સાચું જ કીધેલું, આપણા ઘર પર પ્રેત નો છાંયો છે, હું કહું કાલે ને કાલે એમને શોધી વિધિ કરાવો.
હરજીવન ભાઈ :હા,હું કાલે ને કાલે એ અઘોરી નાથ ને શોધી લાવું.
બીજે દિવસે સવારે..
નટવર :મમ્મી હું, મંદિરે જઈ ને આવું...
સુશીલા બેન ઘભરાય જાય છે.."ના, દીકરા હમણાં તું ક્યાં નહિ જતો "
નટવર :પણ કેમ મમ્મી, હું તો મંદિર જાવ છુ.
સુશીલા બેન ગુસ્સે થતા "હું કહું એમ કર, ઘરે રે, ક્યાંય નથી જવાનુ."
નટવર સુશીલા બેન નું આવું રૂપ જોઈ આશ્રય પામે છે..
નટવર મનમા :આજે કેમ મમ્મી આટલી ગુસ્સે થઈ... લાગે છે કાલનું વર્તન જોઈ શંકા ગઈ હશે... પણ હું પાયલ ને કેવી રીતે મળીશ, આજે સોમવાર છે, એ દર્શન કરવા આવવાની હશે..
સુશીલા બેન :અંદર રૂમ માં જઈ બેસી જા..
નટવર :હા, મમ્મી.... મનમાં... કેવી રીતે જાવ??🤔🤔

...........................ક્રમશ..............................

(આગળ ના ભાગ માં -શુ નટવર પાયલ ને મળી શકશે?? શુ હરજીવન ભાઈ ને અઘોરી વિશ્વનાથ મળશે?? હવે નીલમ નું પ્રેત શુ કરશે??)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED