Moon Man - Dr. M Annadurai books and stories free download online pdf in Gujarati

મુન મેન - ડો એમ અન્નાદુરાઈ

Gems of india


#Greatindianstories


'મુન મેન' ડો એમ અન્નાદુરાઈ


ચંદ્રયાન -1 મિશન ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે મુખ્ય પ્રોત્સાહન બન્યું છે. આ મિશન થકી સ્પેસ ક્ષેત્રમાં ભારતનું નામ ઉજજવળ થયું છે. આ મિશનને સકસેસ કરવામાં ડો એમ અન્નાદુરાઈ અને તેમની ટીમનો અથાગ પ્રયાસ રહ્યો છે. તેમના આ નોંધપાત્ર પ્રયાસ માટે તેમને 'મુન મેન' તરીકે ઓળખવામાં આવે છે.
ડો એમ અન્નાદુરાઈનો જન્મ 2 જુલાઈ, 1958 ના રોજ તમિલનાડુના કોઇમ્બતુરથી 25 કિલોમીટર દુર આવેલા નાનકડા કોધાવડી ગામમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય શિક્ષક હતાં.
ડો એમ અન્નાદુરાઇ એ પ્રાથમિક શિક્ષણ તમિલનાડુના ના નાનકડા ગામ કોધાવડીમાં જ મેળવ્યું હતું. તેમનો પરિવાર ગરીબ હોવાથી તેમને ભણવા માટે વધુ સારી સગવડ મળે તેમ ન હતી. તેમને નાના પાંચ ભાઇ બહેન હતાં. તેમના પિતાએ તેમને અગાઉથી જ જણાવી દીધુ હતું કે તારે કપડાં બરાબર સાચવીને પહેરવા પડશે, કેમકે તેમના પછી તેમના નાના ભાઇબહેન તે જ કપડા પહેરવાના છે.
તેમને તેમના શાળાના પાઠ્યપુસ્તક પણ સારી રીતે સાચવીને વાપરવા પડતાં હતાં. તેમને તેમના માતા-પિતાએ કહ્યું હતું કે તેમના પુસ્તકોનો ઉપયોગ તેમના પછી તેમના નાના ભાઈ બહેનો ને કરવાનો છે. તેઓ વર્ષ દરમ્યાન બહુ સાચવીને પુસ્તકો વાંચતા હતા અને બીજા છોકરા છોકરીઓની જેમ પુસ્તકો પર નામ કે અન્ય લખાણ પણ લખતાં ન હતાં.
ડો એમ અન્નાદુરાઇના પિતા પાસે નામ માત્રની જમીન હતી અને તે જમીન પર તેમનું નાનકડું કાચું મકાન હતું. તેમના પિતાને શિક્ષકની નોકરીમાંથી માત્ર 120 રુ માસિક પગાર મળતો હતો, જેમાંથી પરિવારનું ગુજરાન ચલાવું અઘરુ હતું. તેમના પિતા શિક્ષકની નોકરીની સાથે સિલાઇ મશીન પર કપડા સીવવાનું કામ પણ કરતાં હતાં. તેમના પિતા તેમના સ્કુલના કપડાનું કટીંગ એટલી સાવચેતી અને આઇડીયાથી કરતાં જેથી તેમના અન્ય ભાઇ બહેનના કપડા સીવવા માટે કાપડ બચી જાય. તહેવાર દરમ્યાન તેમના પિતા ગામના મોટા માણસોના બાળકોના કપડા સીવીને જે કાપડ બચાવી લેતા તેમાંથી તેમના ભાઇ બહેન માટે કપડા તૈયાર કરતાં. તે કપડા બીજા વર્ષના તહેવારમાં પહેરવા મળતાં.
ડો એમ અન્નાદુરાઇને પણ નાની ઉંમરે કપડા સીવવાનું મજબુરીમાં શીખવું પડયું હતું. તેઓ ત્રીજા ધોરણમાં હતાં ત્યારથી કપડા સીવવાનું શીખી ગયા હતાં. તેઓ શરુઆતમાં ગાજ બટન ના કામમાં તેમના પિતાને મદદ કરતાં હતાં પછી ધીમે ધીમે તેેઓ પુરુષોના પેન્ટ શર્ટ અને સ્ત્રીઓ માટે બ્લાઉઝ બનાવતા શીખ્યા હતાં. તેઓ ભણવાની સાથે કપડા સીવીને પૈસા કમાઇને તેમના પિતાને ઘરના ખર્ચ પુરા કરવામાં મદદ કરતાં હતાં. તેમણે સ્કુલમાં ભણ્યા પછી સિલાઇ કરવાનું કામ કરીને દર મહિને વધારાની આવક મેળવતા હતાં.
ડો એમ અન્નાદુરાઇ પિતા પાસેથી કયારેક કયારેક મળતા પાંચ પૈસાના સિક્કા બચાવવાનું શરૂ કર્યું હતું અને એ બચાવેલા પૈસા ભરવા માટે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં બચત ખાતું પણ ખોલાવ્યું હતું. આમ તેમણે નાની ઉંમરે પૈસાની બચત કરવાનું શરુ કરી દીધું હતું.
તેઓ હાઇસ્કુલમાં ભણવા માટે દરરોજ તેમના સાથી મિત્રો સાથે બસમાં જતા હતાં. તેમને બસની ટીકીટ માટે 5 પૈસા ખર્ચ થતો હતો. એ 5 પૈસા નો ખર્ચ પણ તેમને પરવડે તેમ ન હતો. તેમણે 5 પૈસા બચાવવા માટેનો રસ્તો પણ શોધી લીધો હતો. તેઓ ઘરેથી સ્કુલે જવા વહેલા નીકળી જતાં, તેઓ બસ આવવા પહેલા પહોંચીને બસ આવે તરત તેમના પાંચ કે છ મિત્રોની જગ્યા રોકી રાખતાં હતાં અને તે મિત્રો તેમની ટીકીટના પૈસા આપી દેતાં હતાં આમ તેમની ટીકીટનો ખર્ચ બચી જતો હતો. તેઓ ભણવામાં હોંશિયાર હોવાથી તેમને ઉચ્ચ શાળા અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળતી હતી. તેમાંથી તેમનો ભણવાનો ખર્ચ નીકળી જતો હતો. તે સિવાય પણ તેઓ નાનુ મોટુ કામ કરીને પૈસા કમાઇ નાના ભાઇબહેનોને પણ ભણવામાં મદદ કરતા હતાં.
તેઓ સેકન્ડરી સ્કુલમાં એક જિલ્લા ટોપર હતા.તેમણે પોલાચીના નલ્લમુથુ ગુન્દર મહાલિંગમ કોલેજમાંથી પોસ્ટ અંડર ગ્રેજયુએટ કર્યું હતું. જ્યાં તેઓ કોલેજ ટોપર હતા.
ડો એમ અન્નાદુરાઇ એ વર્ષ 1980 માં ગવર્નમેન્ટ કોલેજ ઓફ ટેકનોલોજી, કોઈમ્બતુર, તમિલનાડુથી એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તેમણે 1982 માં પીએસજી કોલેજ ઓફ ટેક્નોલોજી, કોઈમ્બતુર, તમિલનાડુથી માસ્ટર ડીગ્રી મેળવી હતી. અન્ના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, કોઈમ્બતુર,તમિલનાડુથી પીએચડીની ડીગ્રી મેળવી હતી.
ડો એમ અન્નાદુરાઇના લગ્ન વંશિતી સાથે થયા હતાં. અન્નાદુરાઇ તેમની પત્ની વંશિતીને તેમના સૌથી મોટા ચાહકો પૈકીની એક માને છે. તેમની પત્ની તેમના મીડિયામાં દેખાતા સમાચારના નાનામાં નાના કટીંગ પણ એકત્રિત કરે છે.
તેમની પત્ની વંશિતી કહે છે કે, 'અન્નાદુરાઈ હંમેશાં ચંદ્રથી પ્રભાવિત રહ્યા છે. તેઓ રાત્રીના સમયે ટેરેસ પરથી ઘણો સમય ચંદ્રને જોતા રહે છે.' તેમના પુત્ર ગોકુલ કન્નન બેંગલુરુમાં બોશ કંપનીમાં કામ કરે છે.
રજાઓ દરમિયાન ડો અન્નાદૂરાઈ સમગ્ર દેશમાં પ્રવાસ કરે છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પર જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓને મળવા અને તેની સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. આપણા ભુતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ તેમના આઇકોન છે. અન્નાદુરાઇએ દિવસ દરમ્યાન ભગવદ ગીતાના ઓછામાં ઓછા બે પાના વાંચનાનું પણ પસંદ કરે છે. તે ભગવદ ગીતાનાં શબ્દોથી પ્રેરિત છે, 'તમારી ફરજ ચાલુ રાખો અને તમને પુરસ્કાર મળશે' આજના યુવાનોમાં તેઓ આશાના કિરણ જુએ છે અને ભારતનું ભવિષ્ય તેમને તેજસ્વી દેખાય છે.
ડો એમ અન્નાદુરાઇ 1982 માં 24 વર્ષની વયે ઇસરોમાં જોડાયા હતાં. INST મિશનના ડિરેક્ટર તરીકે તેઓ ઇસરોમાં જોડાયા હતાં. તેમણે INST સિસ્ટમ્સ રિસર્ચ માટે ઘણું યોગદાન આપ્યું હતું. અન્નાદુરાઇએ ઇસરોમાં ભારતના અગાઉના ઉપગ્રહ પ્રક્ષેપણનો હવાલો સંભાળ્યો હતો. ઇસરોમાં સોફ્ટવેર ઉપગ્રહ સિમ્યુલેટર ડિઝાઇન અને વિકાસ માટે ટીમના લીડર તરીકે ડૉ. અન્નાદુરાઇએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ડો અન્નાદુરાઈને 1982 માં સ્પેસ ઓર્ગેનાઇઝેશનમાં કાર્યરત થયાના ત્રણ મહિનાની અંદર ઉપગ્રહ લોન્ચ કરતા પહેલા અને પછી આવતી સમસ્યાઓનો સામનો કરવા એક સિમ્યુલેટર બનાવવાનો વિચાર આવ્યો. તેમણે ખર્ચો બચાવવા તેમજ કાર્યક્ષેત્રમાં વધારો કરવા માટે હાર્ડવેર અને સૉફ્ટવેરનો ઉપયોગ કરવા વિચાર કર્યો.
ડૉ. અન્નાદુરાઇ 1985 માં એસ / ડબ્લ્યુ સેટેલાઇટ સિમ્યુલેટર વિકસાવવાની ટીમના લીડર હતાં. તેઓ 1988માં આઇઆરએસ -1 એ સ્પેસક્રાફ્ટ ઓપરેશન્સ મેનેજર બન્યા હતાં. તેઓ 1992 માં આઈએનએસએટી -2 એ ના સ્પેસક્રાફ્ટ ઓપરેશન્સ મેનેજર બન્યા હતાં. તેઓ 1993 માં આઈએનએસએટી -2 બી ના સ્પેસક્રાફ્ટ ઓપરેશન્સ મેનેજર બન્યા હતાં.તેમને 1994 માં આઈએનએસએટી -2 સી ના નાયબ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતાં.તેમને 1996 માં આઈએનએસએટી -2 સી ના મિશન ડાયરેક્ટર , 1997 માં આઈએનએસએટી -2 ડી ના મિશન ડાયરેક્ટર, 1999 માં આઈએનએસએટી -2 ઇ ના મિશન ડાયરેક્ટર, 2000 માં આઈએનએસએટી -3 બી ના મિશન નિયામક બનાવવામાં આવ્યા હતાં. તેમને 2001 માં જીએસએટી -1 ના મિશન ડિરેક્ટર તથા 2003 માં આઈએનએસએટી -3 ઇ ના મિશન નિયામક બનાવવામાં આવ્યા હતાં. તેમને 2003 માં EDUSAT ના એસોસિયેટ પ્રોજેક્ટ, નિયામક ની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમને 2004 માં ચંદ્રયાન -1 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવ્યા. તે પછી 2008 માં ચંદ્રયાન -2ના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવ્યા. તેમને 2011 માં આઇઆરએસ અને એસએસએસ (ભારતીય રિમોટ સેન્સીંગ એન્ડ સ્મોલ, સાયન્સ એન્ડ સ્ટુડન્ટ સેટેલાઈટો)પ્રોગ્રામ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. તેમને 2015 માં ઇસરો ઉપગ્રહ કેન્દ્ર, બેંગલોરના ડિરેક્ટર બનાવવામાં આવ્યા.
ડૉ. અન્નાદુરાઇ એ 2004-2008ના સમયગાળા દરમ્યાન ચંદ્રયાન -1 ના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે એન્જિનીયરો અને વૈજ્ઞાનિકોની એક ટીમની આગેવાની લીધી હતી. ઇસરોના ડિરેક્ટર ડૉ. અન્નાદુરાઇ ચંદ્રયાન 1 ના પ્રોજેકટ ડિરેક્ટર હતા અને મંગલ્યાનના પ્રોગ્રામ ડિરેક્ટર હતા. ભારતની રાષ્ટ્રીય અવકાશ એજન્સી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શરૂ કરાયેલા ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન -1 હતું. 1999 માં જ્યારે અન્નાદુરાઈને ચંદ્રયાન મિશનના વડા તરીકે મૂકવામાં આવ્યા હતા ત્યારે મોટાભાગના લોકોનું એવું માનવું હતું કે 2008 સુધીમાં તે પૂર્ણ થવું અશક્ય હતું. આ મિશન ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે એક મોટું પ્રોત્સાહન હતું.
ભારતે 22 ઓક્ટોબર 2008 ના રોજ ચેન્નાઇથી 80 કિલોમીટર ઉત્તરમાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરીકોટા, નેલ્લોર જિલ્લો, આંધ્ર પ્રદેશથી પીએસએલવી-C11 એક સંશોધિત આવૃત્તિ દ્વારા અવકાશયાન લોન્ચ કર્યો હતો. 8 નવેમ્બર 2008 ના રોજ વાહનને સફળતાપૂર્વક ચંદ્ર ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન -1 અવકાશયાને ચંદ્ર પર પાણી શોધ્યું. ચંદ્રયાન -1 મિશનએ ચંદ્રના મેપિંગ અને વાતાવરણીય રૂપરેખાકરણ જેવા અન્ય કાર્યો પણ કર્યા.
વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 15 ઓગસ્ટ, 2003 ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ યોજનાની જાહેરાત કરી હતી. તે પછી તેના પર ઘણું સંશોધન થયું હતું.
ડો અન્નાદુરાઇ કહે છે કે , "નાસાની મંગળ ઓર્બિટર મેવેન - મંગલ્યાનની આસપાસ જ શરૂ થઈ હતી - મંગલ્યાનની 450 કરોડના કુલ મિશન ખર્ચ કરતા તે દસ ગણા વધુ ખર્ચાળ છે." ઇસરોએ સસ્તામાં મંગલ્યાન બનાવી વિશ્વને મોટું કામ કરી બતાવ્યું હતું.
ચંદ્ર મિશનમાં નાસા, ઇએસએ, અને બલ્ગેરીયન એરોસ્પેસ એજન્સી સહિત અન્ય સ્પેસ એજન્સીઓમાંથી છ પેલોડ અને પાંચ ઇસરોના પેલોડ્સ નો સમાવેશ થાય છે, જે મફતમાં લઇ જવાયા હતા.
ઇસરો તેના વ્યાપારી ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા રેવન્યુ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અન્નાદૂરાઈની ફ્રી બસ સવારીની જેમ છે. જો ઇસરોના પ્રયત્નો સફળ થાય, તો ભારતના ઉપગ્રહ કાર્યક્રમનો ખર્ચ મોટેભાગે વિદેશી ઉપગ્રહોના વ્યાપારી લોન્ચિંગથી મેળવેલી મહેસૂલ દ્વારા સરભર થઈ શકે છે.
ડો અન્નાદુરાઇ નું માનવું હતું કે ઘણો બધો સમય અને ખર્ચ કરી ઉપગ્રહ જમીનથી આટલે દુર અવકાશમાં મોકલી વ્યર્થ ન જવો જોઇએ. તેથી તેમણે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યક્રમોની ઉંડી તપાસ કરી. તેમણે ગ્રાઉન્ડ લેવલ પર સેન્સર તરીકે કામ કર્યું હતું. જરુરી તપાસના રીઝલ્ટ આધારિત ઉપગ્રહને તેમની ટીમે ગોઠવ્યો. ઉપગ્રહ આગામી 12 વર્ષ માટે કાર્ય કરે તેઓ ઉન્મત્ત વિચાર તેમનો હતો. તેના માટે તેમણે અને તેમની ટીમે વ્યવસ્થિત અમલીકરણનું કામ કર્યું હતું.
ચંદ્રયાન -1 ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો એમ અન્નાદુરાઇના જણાવ્યા અનુસાર, 2020 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સમજવા માટે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ચંદ્ર પરની સ્પેસને સસ્તી બનાવવા માટે વધુ સારી તકનીકોનો પ્રયાસ કરી રહી છે. અંતરીક્ષ માટે સસ્તી સ્પેસ તેમણે સંભવ બનાવી છે. તેમણે દેશના સમગ્ર વિકાસ માટે બાહ્ય અવકાશ વિકાસને પણ મહત્વનો ગણ્યો છે.
તેમની ટીમે બનાવેલ ચંદ્રયાન ને વર્ષ 2009 માં ફ્લોરિડા યુ.એસ.એ.માં સ્પેસ ડેવલપમેન્ટ પરના 28 મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટેના સ્પેસ પાયોનિયર એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે.
ડો અન્નાદુરાઈ એ તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે થઇને ઘણા પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત કર્યા છે.
તેમને 2008 માં એમજીઆર યુનિવર્સીટી, ચેન્નઈ દ્વારા ડોકટર ઓફ સાયન્સ ડી.એસ.સી નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને 2009 માં પંડિચેરી યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી, ચેન્નાઇ તેમજ મદ્રાસ યુનિવર્સિટી, ચેન્નાઇ દ્વારા ડોકટર ઓફ સાયન્સ ડી.એસ.સી નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને 2009 માં પીએસજી કોલેજ ઓફ ટેક્નોલૉજી પ્રતિષ્ઠિત એલ્યુમની એવોર્ડ આપવામાં આવ્યો છે. 2010 માં પેરીયાર યુનિવર્સિટીથી, સાલેમ તરફથી સર સીવી રમન પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2011 માં સાથિયાબમા યુનિવર્સિટી, ચેન્નઈ તરફથી નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એવોર્ડ આપવામાં આવ્યો છે.
ડો અન્નાદુરાઇ ને સૌથી વધુ નોંધપાત્ર ભારતીય અવકાશ કાર્યક્રમ (2007) ઈસરો માટે ટીમ એક્સેલન્સ એવોર્ડ ફાળો આપવા 2008 માં ભારતીય એરોનોટિકલ સોસાયટી તરફથી નેશનલ એરોનોટિક્સ એવોર્ડ મળ્યો છે. 76 મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ તરફથી વિખ્યાત વૈજ્ઞાનિક એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે.
2016 ભારતના સૌથી મોટો નાગરિક પુરસ્કારો પૈકીનો એક પદ્મ શ્રી એવોર્ડ ભારત સરકાર તરફથી આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું.
ડો અન્નાદુરાઇ ને ઘણી બધી સંસ્થાઓ તરફથી પણ એવોર્ડ આપવામાં આવ્યા છે.
2008 માં સેટેલાઈટ, સ્પેસક્રાફ્ટના ક્ષેત્રમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ એરોનોટિકલ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2016 માં તેમના ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક નેતૃત્વ માટે ભાસ્કર એવોર્ડ, રામ કૃષ્ણ મિશન દ્વારા માનવ શ્રેષ્ઠતા માટે વિવેકાનંદ અવૉર્ડ, 2009 માં એનઆઈએ ટ્રસ્ટ, પોલચી તરફથી કોંગુ અચિવર એવોર્ડ, 2010 માં વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અમરા ભારતી નેશનલ ઈનિનન્સ એવોર્ડ, 2010 માં ચેન્નઇના મહાજના સભા દ્રારા કર્મવીરાર કામરાજ એવોર્ડ, 2017 માં વિજ્ઞાન અને ગ્લોબલ ઇન્ડિયન ફોર સાયન્સ માટે આઈસીઆઈસીઆઈ અને ટાઇમ્સ ગ્રૂપ દ્વારા એવોર્ડ, 2014 માં રોટરી ક્લબ બેંગલોર દ્વારા નાગરિક અસાધારણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
2009 માં તેમને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી નેશનલ ઈનિનન્સ , વિજ્ઞાન અને ટેકનોલોજી માટે એચ કે ફિરોડિયા એવોર્ડ મળ્યો છે.
ડો અન્નાદુરાઇ ને ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. 2013 માં ઇન્ટરનેશનલ એકેડમી ઓફ એસ્ટ્રોનોટિક્સ, બેઇજિંગ ચાઇના તરફથી ચંદ્રયાન -1 ની ટીમ એચીવમેન્ટ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. 2009 માં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ, યુ.એસ. તરફથી સ્પેસ સિસ્ટમ્સ એવોર્ડ આપવામાં આવ્યો છે.
ડો અન્નાદુરાઇ ને ઇસરો તરફથી પણ એવોર્ડ આપવામાં આવ્યા છે.
2003 માં તેમને INSAT સિસ્ટમ્સ મિશન મેનેજમેન્ટ માં તેમના યોગદાન માટેના ઇસરોનો એવોર્ડ મળ્યો છે.
2004 માં અન્નાદુરાઈ સિસ્ટમ્સ વિશ્લેષણ અને સ્પેસ સિસ્ટમ્સ મેનેજમેન્ટ માટે તેમના ઉત્કૃષ્ટ ફાળા માટે હરિઆમ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઇ રિસર્ચ એવોર્ડ મળ્યો છે.
2007 માં ભારતીય સ્પેસ પ્રોગ્રામમાં તેમના યોગદાન માટે ટીમ એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે. 2009 ઇસરો મેરિટ એવોર્ડ પણ મળ્યો છે.
2010 માં ચંદ્રયાન -1 માટે ટીમના નેતા તરીકે ટીમ એક્સેલન્સ એવોર્ડ , 2014 માં ઇસરો આઉટસ્ટેન્ડિંગ એચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.
ડો અન્નાદુરાઇ ઉત્તમ વૈજ્ઞાનિક અને કાર્યક્રમ નિર્દેશક, ભારતીય રીમોટ સેન્સિંગ સેટેલાઇટ (આઇઆરએસ) અને આઇએસઓઆરઓ સેટેલાઇટ સેન્ટર (આઈએસએસી), એસએસએસના નાના સેમિટિ સિસ્ટમ્સ (એસએસએસ) ના ડિરેક્ટર, આઇએસએસી નું પદ 01 એપ્રિલ, 2015 ના રોજ થી સંભાળે છે. તેમણે 31 માર્ચ, 2015 ના રોજ સુપરચાર્જ થયેલી ડૉ. એસ. કે. શિવકુમાર દ્વારા આઇએસએસીના ડિરેક્ટર તરીકેની કામગીરી સંભાળી.
સ્થાનિક ભાષામાં વિજ્ઞાન શીખવું વધુ ફાયદાકારક છે એવું ડો અન્નાદુરાઇનું માનવું છે. તેઓ જણાવે છે કે, "સ્થાનિક ભાષામાં વિજ્ઞાન શીખવાની સાથે, એકવાર તે નવી ભાષા શીખવા કરતાં તે વિષયને શીખવામાં અને સમજવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ."
ડો અન્નાદુરાઇ ના મત મુજબ, "સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, સંશોધનકાર બનવું એ મહત્વનું છે "
ડો અન્નાદુરાઇના જણાવ્યા મુજબ, "તમામ નવીનતાઓ સરળ વિચારથી શરૂ થાય છે પરંતુ તેમને સાવચેતીપૂર્વક વિકસિત કરવાની જરૂર છે."
ડો અન્નાદુરાઈનો 2014 ના 100 વૈશ્વિક વિચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે યાદીમાં તેઓ ટોચ પર હતાં.
ડો અન્નાદુરાઈ તામિલ દૈનિક દીના થંતી માં 'મંગળ આપણી પહોંચ પર છે' વિષય પર નિયમિત કોલમ લખે છે.
ડો અન્નાદુરાઇ અને તેમના કાર્યોનો તમિલનાડુના 10 મા ધોરણના વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ડો અન્નાદુરાઇ નું હવેનું મિશન આદિત્ય છે. આ મિશનનો ઉદ્દેશ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. ડો અન્નાદુરાઈને ઘણા સપનાં છે, તેમાંનું એક સપનું ભારતને અવકાશ ઉદ્યોગમાં વૈશ્વિક નેતા બનાવવાનું છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED