માતૃપ્રેમ વાત્સલ્યની મૂર્તિ Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃપ્રેમ વાત્સલ્યની મૂર્તિ

"માતૃપ્રેમ: વાત્સલ્યની મૂર્તિ"

"મા" તે "મા" બીજા બધા વગડાના વા..
મેં કદી ભગવાન જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે મા નું સર્જન કર્યું છે.
માતા ભગવાન દ્વારા માનવજાતને આપેલી એક શ્રેષ્ઠ ભેટ છે.

વાત્સલ્યની મૂર્તિ એટલે મા.... બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર "મા"
"મા"... વાત્સલ્યની મૂર્તિ એટલે "મા".  
"મા"જે ભક્તિ છે, તે પ્રેમ પણ છે.  
"મા" એ સ્વપ્ન આપવાવાળી આંખ છે, અને સ્વપ્ન પૂરું કરવા માટેનો નિસ્વાર્થ સાથ પણ છે.  
"મા"નો નિસ્વાર્થ પ્રેમ એ આપણા ભવિષ્યનો પાયો અને વર્તમાનનું શિખર કહેવાય છે.

વાત્સલ્યની શ્રેષ્ઠ મૂર્તિ એટલે "મા".  
"મા" પ્રેમ, કાળજી, ત્યાગ અને સહાનુભૂતિનો અનોખો ઉદાહરણ છે.  
માતાના મમતા ભર્યા હૃદયમાં સંતાન માટે અપરંપાર પ્રેમ અને માફકું સતત વહેતું રહે છે.
"મા" ની આંખોમાં હંમેશા સંભાળ અને હૂંફ દેખાય છે,  
એમની બોલી નાં શબ્દોમાં પ્રેમથી ભરપૂર લાગણીઓ છલકાય છે.  
જેમ કૂજામાં પ્રવૃત્તિઓ પરિપૂર્ણ થાય છે, તેમ માતાનો પ્રેમ  
સંતાન માટે શાશ્વત રીતે વહેતો રહે છે.

બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરનાર માતાની મૂલ્યવાન સેવા  
કોઈથી વાળી શકાય તેમ નથી.  
બાળક ઉદરમાં હોય ત્યારથી લઈને તેનું ઘડતર પૂરું થાય ત્યાં સુધી  
માતા અનેક કષ્ટો વેઠી, પોતાના સુખ અને આરામનો ત્યાગ કરી  
બાળક માટે જીવંત કવચ બની રહે છે.

"મા" આપણા જીવનની પહેલી શિક્ષિકા, પહેલી મિત્ર અને  
સૌથી મોટી પ્રેરણા છે.  
તે ન માત્ર જીવન આપીને શરૂઆત કરે છે,  
પરંતુ સંસ્કારો અને મૂલ્યો આપીને જીવન જીવવા યોગ્ય બનાવે છે.  
"મા"નો પ્રેમ નિસ્વાર્થ અને શાશ્વત હોય છે.

માતાનું ઋણ કેટલાંક શબ્દોમાં વ્યક્ત કરી શકવું અશક્ય છે.  
માતા આપણું સંપૂર્ણ ભલુ ચાહે છે,  
તેનો ત્યાગ અને પ્રેમનું મૂલ્ય કોઈપણ રીતે ચૂકવી શકાય તેમ નથી.  
"મા"નું લાડ, તેના સંસ્કાર, અને અનુકંપા જીવનભર આપણું માર્ગદર્શન કરે છે.  
માતાનો ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી,  
પરંતુ "મા"ની કાળજી, સન્માન અને પ્રેમ દ્વારા  
એના માટેનો આભાર વ્યક્ત કરી શકાય છે.

માતાની કરુણા એ એવો ભાવ છે, જેનાથી સંસારનાં તમામ લાગણીઓનું જન્મ થાય છે.  
'મા' એ કરુણાનો સાગર છે.  
બાળકની આંખમાં આંસુ આવી જાય તો પણ "મા" તરત જ સમજાઈ જાય છે  
કે તેના બાળકને ક્યાં દુખ છે.
"મા" કરુણાનું સૌથી મોટું રૂપ છે - કરુણામૂર્તિ.  

કવિ શ્રી દામોદરદાસ બોટાદકર દ્વારા આ ભાવના ખૂબ સુંદર રીતે વ્યક્ત કરાઈ છે:
*"મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,  
એથી મીઠી છે મોરી માત રે.  
જનનીની જોડ જગમાં નહિ જડે રે લોલ..."*

માતા એ એક એવી શક્તિ છે, જે મુશ્કેલ સમયમાં આશ્રય અને સુખના ક્ષણોમાં આનંદ આપે છે.  
તે આપણે માટે રાત-દિવસ જાગે છે, ત્યાગ કરે છે અને દરેક ક્ષણમાં આપણું ભલું ચાહે છે.  
"મા" માટેનું આદર અને પ્રેમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ માનવ જીવનનું મુખ્ય ફરજ છે.

માતાની મહાનતા અને પ્રેમને જો આપણે સમજીએ તો જીવનમાં આપણી સમક્ષ આપણા ભગવાન જ જોવા મળે.  

કહેવત છે ને કે :  
*"છોરું કછોરું થાય, માવતર કમાવતર કદી ન થાય."*  

જન્મ આપનારી જનેતા જેને તડકાઓ પોતે ઝીલ્યા અને આપણ ને મીઠી છાયા આપી..
ભણાવી ગણાવી ને એકડો ઘૂટાવી અને શિક્ષિકા બની ને ઈશ્વર હોવા નો આધાર આપ્યો...
નાનપણ માં વાર્તા ઓ કહી ને આપણા મા સંસ્કારો ના વાવેતર કર્યા, વાર્તારૂપી સમજણ આપી ...
લાગણીઓ આપનારી ,એના પાલવ માં હિમાલય ની હૂફ આપનારી , હાલરડાં ગાઈ ને પોઢવનારી અને ઈશ્વર સાથે જીભાજોડી કરનારી એ જ આપણી જન્મદાતા "મા" કહેવત છે ને કે છોરું કછોરું થાય માવતર કમાવતર કદી નાં થાય"
આજે જે કંઈ છીએ તે માતાના આર્શીવાદથી જ છીએ.  
"મા"... આપણી કરુણામૂર્તિ...
આપણા જીવનનો મૂળભૂત આધાર. 
આ આપણાં ભગવાન ...🙏
સમજે તેને વંદન 🙏