ગરુડ પુરાણ - ભાગ 9 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 9

નવમો અધ્યાય

ગરુડજીએ ભગવાન નારાયણથી દસગાત્રની વિધિ જાણવા ઇચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ? આના જવાબમાં ભગવાને કહ્યું કે દસગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋથી મુક્ત થઈ જાય છે.

પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં. પ્રેતો માટે આંસૂ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો. તેથી શોક વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે આથી, તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે. દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાપણી ફરી પેદા થઈ જાય. જે એવું હોત તો રાજા રામ અને મોટા-મોટા મહાનુભાવ દુઃખી ન હોતા. જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો-ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીઓનો આપસી સંબંધ હોય છે. જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે. એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે. આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે. અજ્ઞાનથી ઉત્પનન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે.

૧. પુત્રના ન હોવા પર વહૂ ક્રિયા કરે.

૨. વહૂના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે.

૩. બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે.

૪. અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે.

૫. જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ.

આ પ્રકારે આ જ ક્રમથી બંધુ-બાંધઝવ આ ક્રિયાને કરે. જો એક પુરહુષની અનેક સ્ત્રીઓ છે તો એનામાંથી કો પણ એકથી ઉત્પન્ન પુત્રએ આ કાર્ય કરવું જોઈએ. કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રિઓ પુત્રવતી કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો એ કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે. જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક દસગાત્ર કરે. પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ-અલગ વિભાગને કારણે અલગ-અલગ કરવી જોઈએ કેમ સંપત્તિના વિભાગ થઈ જાય છે.

દસગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. માતા-પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે.

દસગાત્રના આરંભમાં વરસી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે. વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે. પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરેને એની પૂજા કરે અને ''અતસીપુષ્ય સંકાશમ્'' મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરે. ભાત કે જવના લોટનું પિંડ દાન કરવું જોઈએ. એની સાથે-સાથે એ પણ કહે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે.

એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવાની જેમ વિકાસ થાય આ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે.

હે ગરુડ! દસમા દિવસે માંસનું પિંડ આપે કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે. આ પ્રકારે દસગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે.

***