ગરુડ પુરાણ - ભાગ 7 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 7

સાતમો અધ્યાય

ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૃપ અને એમની ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. આ સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે ગરુડ! હું હવે તને પ્રતેના સ્વરૃપ અને એના ચિહ્નોના વિષયમાં બતાવું છું. પ્રેતોની દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાઈ નથી દેતી. પ્રેત ભૂખ-તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાના બંધુ-બાંધવોની પાસે જાય છે અને ક્યારેક-ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સ્વપ્ના જોવાની અનેક સ્થિતિઓ હોય છે. પરંતુ એ સપનાઓથી એમના વિશેષ ભૂત અને ભાવી સ્વરૃપને જાણી શકાય છે. જે વ્યક્તિ સૂતા પોતાને ઝંજીરોમાં બંધાયેલો જુએ છે અને સ્વપ્નમાં અન્નની યાચના કરે છે એને પ્રેત દુખી કરે છે.

જે સવ્પનમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવ કરે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓથી મૃત્યુ રૃપમાં નજરે પડે છે એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે. ક્યારેક-ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે. જ્યારે આવા સ્વપ્ન દેખાય તથા ઘરથી નિકળવાવાળા પુત્ર અને પશુ નજરે પડે તો સમજી લેવું જોઈએ કે પ્રેત દોષ લાગ્યો છે.

હે ગરુડ! કોઈ વેતને જાણવાવાળા પૂરા વિદ્વાનનો ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો. પરંતુ વેદજ્ઞાતાને તર્પણ કરતાં-કરતાં પ્રેતના દોષથી મુક્તિ થઈ જાય છે કેમ કે દાન અને તર્પણથી ભટકતું પ્રેત પણ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. જે પ્રેત તૃપ્ત થાય છે તે પોતાના બંધુ-બાંધવોને કષ્ટ નથી આપતા જ્યારે એના વિપરીત અતૃપ્ત પ્રેત કષ્ટ આપે છે.

હે ગરુડ! તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ-સુવિધા આપે છે. જે વ્યક્તિ પ્રેતના દો,ોને જાણીને એના નિવારણનો ઉપાય નથી કરતો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. પ્રેત પણ ક્યારેક-ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે.

ક્યારેક-ક્યારેક મનુષ્ય પ્રેતથી શાપયુક્ત થઈ જાય છે અને પછી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મોનો ક્ષય કર્યા કરે છે.

આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે ક્યારેક-ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે અને ન સ્વપ્નમાં પ્રેતની કોઈ ચેષ્ટા નજરે પડે છે., ના પ્રેતના દર્શન થાય છે.. છતાં આવી દશામાં શું કરવું જોઈએ?કેમ કે પ્રેત ન દેખાવા પર પણ જ્યોતિષી એમની સત્તાની વાત કરે છે. આ સાંભળીને ભગવાને કહ્યું કે એમની વાત સત્ય હોય છે. મનુષ્યને જોઈએકે ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે. આવું કરવાથી પ્રેત-દોષ નથી લાગતો. જો કોઈ મનુષ્યને ભૂત-પ્રેત અને પિશાચ નથી સતાવતા તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એણે જપ કરવા જોઈએ. એણે એ સમજવું જોઈએ કે એના પિતૃગણ એના જપથી ખુશ થશે.

મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી જાપ કરે. એનાથી તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં માતા-પિતા સમાન કોઈ દેવતા નથી. તેઓ પ્રત્યક્ષ દેવતા છે કેમ કે એમના દ્વારા જ પ્રાણી શરીર ધારણ કરે છે. આથી એમના હિતોની રક્ષા અવશ્ય કરવી જોઈએ. ગુરુ પણ પ્રત્યક્ષ દેવતા છે. તેથી ગુરુના માટે પણ જપ કરવા જોઈએ.

મનુષ્યનું શરીર જ સ્વર્ગ-નરક અથવા મોક્ષ પ્રદાન કરવાવાળું છે. આ શરીર પૂજા પણ કરે છે અને પૂજાના યોગ્ય પણ થાય છે. આ શરીરથી મહાન કર્મ કરતાં કરતા મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય છે. જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન લોકો કહે છે કે પુન્નામ વાળા નરકથી પુત્રને જોઈએ કે તે પિતાનું તાર્ણ કરે ત્યારે તે પ્રેત વિદ્વાનોને નથી જોતા.

ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શં ભોજન હોય છે. ભગવાને આનો જવાબ આપતા કહ્યું કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વ જન્મોને કારણે જ પ્રેત થયા કરે છે. જે લોકો કોઈ બાવડી, કૂવા અથવા તળાવ કે આરામ (બગીચો) અથવા કોઈ દેવસ્થાનની સાથે લાગેલા સુંદર ફળોથી યુક્ત બગીચાને કે ભોજનશાળાને કે પાણી પીવાવાળા સ્થાનને કે ધર્મના સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે તેઓ મરીને પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે.

જે લોકો ઘોર જંગલ અને ગોચર-ભૂમિને પોતાના લોભથી કાપે છે તેઓ પણ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી ચાંડાલ થઈ જાય છે. આવા લોકો ચાંલાડથી સર્પ દર્શનથી અથવા કોઈ ઝડપી દોડવાવાળા પશુના દાંતથી મૃત્યુને પ્રાપ્ત થાય છે.

જે લોકો ડાકુઓ, ચોરો દ્વારા મારી નાંખવામાં આવે છે તેઓ પણ ક્યારેક-ક્યારેક પ્રેત યોનિમાં આવે છે. પોતાના સંસ્કારોના લોપ થવાથી અને પિંડાના લુપ્ત થઈ જવા પર ભૂખી દશામાં રહેતા પર્વત વગેરે સ્થાનથી પતિત થઈ જાય છે તેઓ આ યોનિને પ્રાપ્ત થાય છે. હે ગરુડ! જે લોકો સૂતક વગેરેમાં સંપર્ક કરીને કઠોર શૈત્ય ક્રિયાથી મરે છે તેઓ પ્રેત યોનિમાં આવી જાય છે.

આ વિષયમાં તને એક પ્રાચીન ઇતિહાસ બતાવું છું. ધર્મરાજ યુધિષ્ઠિરે મહારાજા ભીષ્મથી ફૂછ્યું હતું કે કયા કર્ના વિપાકથી પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે અને પછી એનાથી છુટકારો કેવી રીતે થાય છે? આનો જવાબ આપતા ભીષ્ણજીએ કહ્યું-મનુષ્યને પ્રેતત્વ પ્રાપ્ત થઈ જાય છે અને તે એનાથી મુક્ત પણ થાય છે. હે ધર્મરાજ, પ્રાચીન સમયમાં એક સંતપ્ત નામનો બ્રાહ્મણ હતો. તે તપ કરવા માટે વનમાં નિવાસ કરતો હતો. તે સ્વાધ્યાયમાં લાગેલો રહેતો હતો અને દયાળુ હતો. તે હવન વગેરે કરતો-કરતો બ્રહ્મચર્યનું પાલન કરતો હતો અને તપ કરીને હંમેશાં જ પરલકોથી ડરતો રહેતો હતો. તે હંમેશાં ગુરુના વચનોનો માનતો, અતિથિઓની સેવા કરતો, બધા સંઘર્ષોથી રહિત હતો. તે ફક્ત યોગાભ્યાસ કરતો.

એને આ રીતથી રહેતા-રહેતા અનેક વર્ષ વ્યતીત થઈ ગયા. એના પછી એણે વિચાર્યું કે હું તીર્થોમાં ભ્રમણ કરું. તીર્થોમાં સ્નાન કરતા સમયે એણે સૂર્યના ઉદય કાળમાં સૂર્યને નમસ્કાર કર્યા પરંતુ એક દિવસે એ બ્રાહ્મણે પાંચ પ્રેતોને જોયા. આ પાંચ પ્રેતોને જ્યારે એણે જોયા તો તે આંખ બંધ કરીને વિચાર કરવા લાગ્યો. તે એણે ખૂબ જ વિકૃત આકારવાળા નજરે પડી રહ્યાં હતા. પછી એ બ્રાહ્મણે સાહસ કરીને એનાથી પૂછ્યું કે તમે લોકોએ એવા કયા દુષ્ટ કર્મ કર્યા છે, જેનાથી તમને વિકૃત રૃપ પ્રાપ્ત થયું? આ સાંભળીને એ પ્રેતોએ જવાબ આપ્યો-અમને પોત-પોતાના કર્મોને કારણે આ પ્રેત યોનિ મળી છે. અમે બીજાઓથી દ્વેષ કર્યા અને એ કારણે અમે ભૂખ-તરસથી પીડિત રહીએ છીએ. અમે હવે મૂર્ચ્છિત થઈ ગયા અને અમે દિશાઓને પણ ના ઓળખી શક્યા. અમે ક્યાં જઈએ એની અમને ખબર જ નથી. ના કોઈ પિતા છે, ના કોઈ માતા. એના પછી એ પાંચેયમાંથી એકે કહ્યું કે અમે પાંચે અલગ-અલગ નામધારી છીએ. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે- તમે નાધારી કેવી રીતે થયા? મને એનું કારણ બતાવો. ત્યારે તે પ્રેત પોલ્યો કે હમેં હંમેશાં બ્રાહ્મણને વાસી ભોજન ખવડાવીને પોતે સ્વાદિષ્ટ ભોજન કર્યું આથી મારું નામ પાર્યુષિત પડ્યું. આ બીજા પ્રેતે અન્નની ઇચ્છાથી બીજાઓને દગા ઓપાય્ આને આનું નામ સૂચીમુખ પડ્યું. આ ત્રીજા પ્રેત જેનું નામ શીઘ્રક છે તે કોઈ પણ યાચક બ્રાહ્મણને જોઈને જલ્દીથી ચાલ્યો જતો હતો અને આ ચોથો રોહક નામનો પ્રેત છે. એણે બધા સંબંધિઓના પદાર્થોને ખુદ ખાવાની ટેવ નાખી હતી અને આ પાંચમો પ્રેત લેખક નામનો છે. આનું આ નામ આથી પડ્યું કે જ્યારે કોઈ એનાથી કશું માગતા તો તે પૃથ્વી પર લખવા લાગતો હતો. આથી અમને પ્રેતોના નામ પ્રાપ્ત થયા. અમારા આકાર વિપરીત છે અને હવે બગડેલા રૃપવાળા થઈ ગયા છીએ. પરંતુ હવે હે બ્રાહ્મણ અમે દમારા દર્શન કરી લીધા છે અને હવે અમારું જ્ઞાન પાછું આવી ગયું છે તેથી અમારાથી તમે કંઈ બીજું પણ પૂછી શકો છો.

બ્રાહ્મણે પૂછ્યું કે તમારો આહાર શું છે? કેમ કે આહાર વગર તો કોઈ જીવિત નથી રહી શકતો. આ પ્રશ્નના જવાબમાં પ્રેત બોલ્યા-પ્રેતોનું ભોજન કફ, મળ અને હવન કરેલો પદાર્થ હોય છે. તે પવિત્રતાથી રહિત હોય છે. જ્યાં પર મળ-મૂત્ર રહે છે ત્યાં જ આ પ્રેત ભોજન કરે છે. જે ઘરમાં પવિત્રતા નથી હોતી ન સત્ય અને સંયમ હોય છે, જે પતિત હોય છે એના ઘરમાં પ્રેતોને ભોજન મળે છે. જ્યાં પર લોભ, ક્રોધ, મોહ, શોક, ભય વગેરેની અધિકતા હોય છે ત્યાં પ્રેતોને ભોજન મળે છે.

એના પછી બીજા પ્રેતે પોતાના ભોજન વિષયમાં બતાવતા કહ્યું કે ખરાબમાં ખરાબ વસ્તુ અમારો ખાદ્ય પદાર્થ હોય છે. પરંતુ હવે અમે પ્રેત ભાવથી વિરક્ત થઈ ગયા છીએ આથી હે મહાભાગ! તમે એ બતાવો કે અમે શું કરીએ જેનાથી આ પ્રેત ભાવ ના રહે.

એમની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે નિત્ય પ્રતિ ઉપવાસ કરવાવાળા અને મહાવ્રત કરવાવાળા ક્યારેય પ્રેતત્વને પ્રાપ્ત નથી થતાં. જે મનુષ્ય રાજાના રૃપમાં યજ્ઞ કરે છે તથા આરામઘર, પ્યાઉ વગેરે બનાવે છે તે પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો. જે બ્રાહ્મણ અને કુંવારી કન્યાઓના લગ્ન કરાવી દે અને જે વિદ્યા દાન કરે છે એ પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો. પરંતુ એના વિપરીત બીજાના અન્નને ખાવાવાળા, યજ્ઞ ન કરવાવાળા, અને અપકર્મ કરવાવાળા બ્રાહ્મણ દેવતા તથા ગુરુમાં કોઈની સંપત્તિનું હરણ કરવાવાળા વ્યક્તિ પ્રેતત્વને પ્રાપ્ત થાય છે. એના સિવાય ધરોહરનું અપહરણ, મિત્રોથી દગો, વિશ્વાસઘાત, ભાઈથી દ્રોહ, ગાયનો વધ, ગુરુની પથારી પર ગમન કરવાવાળો મનુષ્ય પ્રેત થઈ જાય છે.

ભીષ્મજીએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણ અને પાંચ પ્રેતોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો તો આકાશમાં ફૂલોની વર્ષા થઈ. એ પ્રેતોનું પ્રેતત્વ એ બ્રાહ્મણની સાથે વાતચીત ક રવામાં નષ્ટ થઈ ગયું અને તેઓ મુક્ત થઈ ગયા હતા.

આ સાંભળીને ગરુડજીએ ભગવાનથી કહ્યું-હે પ્રભુ! વેદોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ અકાળમાં નથી મરતો અર્થાત્ બધા સ્વાભાવિક મૃત્યુને પ્રાપ્ત થાય છે પછી રાજા ક્ષોત્રિય કેવા મૃત્યુને પ્રાપ્ત થાય છે? કળિયુગમાં આટલી ઉંમર કેમ નથી રહેતી?

આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા-મનુષ્ય વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવાને ચાલી જાય છે. તેમ છતાં મનુષ્ય સો વર્ષો સુધી જીવવાવાળો હોય છે પરંતુ પોતાના ખરાબ કર્મોથી એની આયુનો ક્ષય થઈ જાય છે અને જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે, પાપોમાં લીન રહે છે એના માટે યમરાજના દ્વારા જલ્દી ખુલી જાય છે. જે બ્રાહ્મણ પોતાના કર્મોને નથી કરતા અને જે વૈશ્ય શાસ્ત્રની વિધિથી કર્મ ન કરીને પાપયુક્ત કર્મ કરવા લાગી જાય છે તે પણ જલ્દી જ યમરાજના લોકમાં પહોંચે છે. જે શૂદ્ર પોતાના સેવાભાવને ત્યાગીને પોતાના મન-ઇચ્છિત કર્મ કરે છે તે પણ યમરાજને ત્યાં જલદી પહોંચી જાય છે.

આ મનુષ્યનું શરીર અનિત્ય છે અને સમાપ્ત થવાવાળું છે. આવું તે ક્યાં સુધી રહેશે એ નથી કહી શકાતું. આ દેહની ઉત્પત્તિ રસથી થાય છે અને આ અન્નના પિંડથી પૂરું થાય છે. આથી રસ અને અન્નની સંગતિમાં દોષ હોવાથી આ શરીર કેવી રીતે નિત્ય થઈ શકે છે? મનુષ્યને જોઈએ કે તે પોતાના શરીરથી અને પાપ ન કરીને જૂના પાપોને જ નષ્ટ કરે કેમ કે પાછલા જન્મના પાપ જ મનુષ્યના નવા જન્મને પ્રભાવિત કરે છે. અર્થાત્ માનસિક વ્યથા અને વ્યાધિ અર્થાત્ રોગના વિષયમાં વિચાર કરીને મનુષ્યને જોઈએ કે તે શુભ અને અશુભને જુએ. કેમ કે જન્મ લીધા પછી શરીર અજ્ઞાનના અંધકારથી ઢંકાઈ જાય છે.

જન્મ ગ્રહણ કર્યા પછી મૃત્યુ અવશ્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય-સંપન્ન કે ગરીબ, વિદ્વાન કે અભણ, ઊંચી જાતિવાળો હોય કે નીચી જાતિવાળો, આ દેહને ધારણ કર્યા વગર સુખની પ્રાપ્તિ નથી થતી અને તે સુખ-દુઃખ પહેલા જન્મોના કર્મો પર જ નિર્ભર રહે છે. જન્મ પછી સમય-સમય પર પૂર્વ જન્મના પાપ અને પુષ્ણ ભોગવવવામાં આવે છે. આ પ્રકારે મનુષ્ય વ્રતો અને દાનોના પ્રભાવથી મોક્ષને પણ પ્રાપ્ત કરે છે અને એના અભાવથી ભાવાગમનમાં લાગેલો રહે છે.

એના પછી ગરુડજીએ પૂછ્યું કે જેની બાલ્ય અવસ્થામાં મૃત્યુ થઈ જાય છે એનું પિંડદાન કેવી રીતે થાય છે? જ્યાં સુધી બાળકના ચૂડાકરણ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી કે પછી એના પછી એના મરવા પર શું વિધાન હોય છે?

આ પ્રશ્નના જવાબમાં ભગવાન બોલ્યા કે ગર્ભપાતની અવસ્થામાં કશું વિશેષકરણીય નથી હોતું. જ્યાં સુધી ચૂડાકર્મ ન થાય ત્યાં સુધી શિશિને ભૂમિમાં ગાડી દેવો જોઈએ અને એની આત્માની શાંતિ માટે બાળકોને દૂધ પિવડવવું જોઈએ. ચૂડાકર્મ પછી વિધિવત્ દાહ સંસ્કાર કરવા જોઈએ અને જો દસ વર્ષની અવસ્થા સુધી મૃત્યુ થયું છે તો એની તૃપ્તિ માટે અન્ય શિશુઓને ભોજન અને દૂધ આપવું જોઈએ. જે જન્મ ગ્રહણ કરે છે એની મૃત્યુ તો થાય જ છે આથી તે પુનઃ જન્મ ગ્રહણ કરે છે. મૃત્યુ પછી આત્માની તુષ્ટિ માટે સંકલ્પ કરીને મનુષ્યને જોઈએ કે તે દાન કરે અને ભોજનની સાથે મિઠાઈનું દાન પણ ઉત્તમ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પાંચ વર્ષથી વધારે મોટો થાય છે, જે પોતાની ઇન્દ્રિયોના વિષયમાં પૂરી રીતે જાણી લે છે એના જ પૂર્વ જન્મોમાં કરેલા કર્મોનું ધ્યાન નથી રહેતું પરંતુ એનો પ્રભાવ થાય છે. આવાના મૃત થઈ જવા પર વિધિવત્ સંસ્કાર કરવા જોઈએ અને પછી દસ પિંડ દાન કરવા જોઈએ. જે-જે કંઈ એને પોતાના જીવનમાં પ્રિય હોય છે તે જ પછીથી દાન કરવું જોઈએ. આ પ્રકારે એના પછી અવસ્થાના અનુરૃપ ભોગ અને યોગથી જ્ઞાન પ્રાપ્ત કરીને બધા સંસ્કાર કરવા જોઈએ.

હે ગરુડ! હું પ્રેતત્વની મુક્તિ માટે સુકૃત અને દાનના વિષયમાં પણ બતાવું છું. મેં આના વિષયમાં પહેલાં તમને બભ્રુ વાહન નામના રાજાની કથા સંભળાવી હતી અને તને જાણ થઈ હતી કે કયા પ્રકારે તે પ્રેત યોનિથી મુક્ત થયો હતો. પરંતુ એની વિશેષ મુક્તિ માટે સ્વર્ણ ઘટનું દાન ખૂબ જ આવશ્યક છે. આવું દાન કરીને ફરી કોઈ બીજા દાનની જરૃર નથી રહેતી. પરંતુ આ બંનેમાં જેવું કે મેં પહેલાં બતાવ્યું મનુષ્યને આસક્તિ રહિત થઈને દાન કરવું જોઈએ. એનાથી યમરાજની તુષ્ટિ થાય છે અને પ્રેતત્વથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

***