સમાધાન Abhishek Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

સમાધાન

આજ - કાલ  ની  પેઢી  માં  એક  ખરાબ  દુષણ  જોવા  મળે  છે .

તે  છે  . સહન શક્તિ  ની  ખામી  .

કઈ પણ  નાની  એવી  વાત  થઇ  જાય .

સીધો  સંબંધ  જ  પૂરો  કરી  નાખે  છે .

એ  વ્હાલા  એમ  કઈ  ઢીંગલાં- ઢીંગલી  નો ખેલ  છે .

 

પત્ની  થી  ના  જામ્યું  છુટા - છેડા  આપી  દીધા  .

કઈ પણ  વિચાર્યા - વગર  .

કે  પાછળ  શું  પરિણામ  આવશે  .

 

મમ્મી - પપ્પા  થી  ના  જામ્યું  અલગ  રહેવા  ચાલ્યા  ગયા .

એ  પણ  વિચાર્યા  વગર  કે  જેને  આખી  જિંદગી  મને  આપી  દીધી  .

જેને  મારા  સુખ - સગવડ  માટે  પોતાની  સુવિધા  ઓનો  પણ  ત્યાગ  કરી  દીધો  .

એ  મા કે  જે  ધારત તો  આખી  જિંદગી  આરામ  થી  વિતાવી  શકત  .

પણ  એને  બધી  વસ્તુ  નો  ત્યાગ  કર્યો  માત્ર ને  માત્ર  એટલા  માટે કે  આપણે આ  દુનિયા  જોઈ  શકીએ .

 

એ  પપ્પા  કે  ધારત  તો  નવા  કપડા  ને  નવા  વાહન  લઇ  ને  રખડી  શકત  પણ  તેને  પોતાની  ,

બધી  ઈચ્છાઓનો  ત્યાગ  કર્યો  માત્ર  એટલા  જ  માટે કે  મારો  પુત્ર કે  પુત્રી  ને  દુનિયા ની  બધી  ખુશીઓ  પામે .

પણ  આપણે  તેનો  ત્યાગ  કરીએ  છીએ  શાના  માટે  ,

એક  આજ - કાલ  ના  આવી  ગયેલ  છોકરા કે  છોકરી  માટે .

શું  આ  સમાધાન  છે  ના  આ  હર હરતું  પાપ  છે .

દુનિયા  નું  સૌથી  મોટું  પાપ  .

 

એ  ભાઈ  કે  જેને  હમેશા  પોતાના  પહેલા  તમારું  વિચાર્યું  હોય  તેને  માટે  ખરાબ  વિચારવું .

અને  એ  પણ  કેના  માટે  સંપત્તિ  માટે .

શું  આપણે  સંપત્તિ  પામવા ની  લાલચ  માં  સાચું  ધન  નથી  ખોઈ  બેઠા  તે  છે  .

આપણા સંબંધો .

 

હવે  ઘણા  જણા ને  મનાવવા  જઈએ  તો  શું  કેહેશે  ખબર  છે .

આ  તો  એમનું  દર વખત  નું  છે .

એ  લોકો  નહિ  સુધરે .

ભાઈ  તારી  તો  વાત  કર  કે  તું  કેટલી  હદે  ખોટો  છે .

દર  વખત  નું  એ  લોકો  નું  છે  .

તો  તારું  પણ  એજ  છે .

 

પાછું  સમજાવવા ની  કોશિશ  કરીએ  તો  શું   કહેશે  ખબર  છે  .

સમાધાન  ને  બહુ  મોટા  શબ્દો  માં  વર્ણિત  કરશે  કેવા  શબ્દો  ખબર  છે .

કહું  તમને  " SACRIFICE "  અને  ત્યાગ  જેવા  શબ્દો  વાપરશે  .

અરે  ભાઈ  તું  શું  આખી  દુનિયા  ત્યાગ  કરે  છે .

 

ઘણા  તો  એવી  ડીબાંગ  હાંકે  કે  એક  વાર  મેં  નિર્ણય  લઇ  લીધો  તો  હું  પાછો  નહિ  હટુ .

ભાઈ  તું  કોય  સલમાન  ખાન  છો  કે  .

" अगर  एक  बार  मैंने  कमीटमेंट  कर  दिया  तो  फिर  मै  अपने  आप  की  भी  नहीं  सुनता  " 

 

એક  વાત  તો  સાચી  છે  કે  જે  વ્યક્તિ  પોતાની  છે  .

તેમાં  લાખ  બુરાઈ  કેમ  ના  હોય  .

પણ  સમય  આવ્યે  એનો  જ  સહારો  રહે  છે  .

જ્યાં  દુનિયા  આખી  હટી જાય  છે .

એવા  કપરા  કાળ માં  એક  પરિવાર  જ  હોય  છે  .

જે  આપણી ઢાલ બની  ને  ઉભો  હોય  છે .

 

તો  સમાધાન  એમાં  છે  કે  .

થોડા  સમય  માટે  તે  વ્યક્તિ  થી  વાત  કરવાનું  બંધ  કરી  દ્યો .

ખરાબ  બોલી  ને  કે  ખરાબ  કરીને  કોઈ  નું  દિલ  દુભાવવા  કરતા .

તેને  તેના  હાલ  પર  મૂકી  ધ્યો .

પણ  સંબંધ  તો  કોઈ  શરતે  ના બગાડવો  .

 

સમય  ના  એક  ભાગ  માં  તમને  ખબર  પડી  જશે  કે  .

ભૂલ  કોની  હતી  . તમે  સ્પષ્ટ  થઇ જશો .

 

સમય  ના  બીજા  ભાગ માં  તમને  ખબર  પડી  જશે  કે .

એના  જીવન  માં  તમારું  અને  તમારા  જીવન માં  એનું  કેટલું  મહત્વ  છે .

 

સમય  ના  ત્રીજા  ભાગ માં  તમને  ખબર  પડી  જશે  કે  .

એ  વ્યક્તિ  જોડે  તમારે  સંબંધ  રાખવો  કે  તોડી  નાખવો .

એ  સંપૂર્ણ  સમાધાન  હશે .