Geetabodh - 11 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 11

અધ્યાય અગિયારમો

સોમપ્રભાત

અર્જુને વિનંતી કરી :હે ભગવાન ! તમે મને આત્મી વિશે જે વચનો કહ્યાં તેથી મારો મોહ ટળ્યો છે. તમે બધું જ છો, તમે જ કર્તા છો, તમે જ સંહર્તા છો, ચમે નાશરહિત છો. બની શકે એમ હોય તો તમારાં ઈશ્વરી રૂપનાં મને દર્શન કરાવો.

ભગવાન બોલ્યા : મારાં રૂપ હજારો છે, અનેક રંગવાળાં છે. તેમાં આદિત્યો, વસુઓ, રુદ્રો વગેરે સમાયેલા છે. મારામાં આખું જગત - ચર અને અચર - સમાયેલું છે. આ રૂપ તું તારાં ચર્મચક્ષુથી નહીં જોઈ શકે. તેથી હું તને દિવ્યચક્ષુ આપું છું તે વડે તું જો.

સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું : હે રાજન ! આમ ભગવાને અર્જુનને કહીને પોતાનું જે અદ્‌ભૂત રૂપ દેખાડ્યું તેનું વર્ણન કર્યું જાય એમ નથી. આપણે તો રોજ એક સૂર્ય જોઈએ છીએ. પણ ધારો કે આવા હજારો સૂર્ય રોજ ઊગે છે તો તેમનું તેજ જેવું હોય તેના કરતાં પણ આ તેજ વધારે આંજે એવું હતું એનાં આભૂષણ અને શસ્ત્રો પણ એવાં જ દિવ્ય હતાં. તેનાં દર્શન કરીને અર્જુનનાં રૂવાં ઊભાં થયાં, તેનું માથું ફરવા લાગ્યું અને ધ્રૂજતો ધ્રૂજતો તે સ્તુતિ કરવા લાગ્યો.

હે દેવ ! તારા આ વિશાળ દેહમાં હું તો બધું ને બધાંને જોઉં છું. બ્રહ્મા તેમાં છે, મહાદેવ તેમાં છે, તેમાં ઋષિઓ છે, સર્પો છે. તમારા હાથમોં ગણ્યાં ગમાતાં નથી. તેમનો આદિ નથી, અંત નથી, મધ્ય નથી. તમારું રૂપ જાણે તેજનો પહાડ ! જોતાં આખ જાઈ જાય છે. ધગધગતા ્‌ગારાની જેમ તમે ઝગી રહ્યા છો ને તપી રહ્યા છો. તમે જ જગતનો આધાર છો, તમે જ પુરાણપુરુષ છો, તમે જ ધર્મના રક્ષક છો. જ્યાં જોઉં ત્યાં તમારા અવયવો જોઈ રહ્યો છું. સૂર્યચંદ્ર તો તમારી આંખો હોય નહીં એમ લાગે છે ! તમે જ આ પૃથ્વી અને આકાશને વ્યાપી રહ્યા છો. તમારું તેજ આખા જગતને તપાવે છે. આ જગત થરથરી રહ્યું છે. દેવો, ઋષિઓ, સિદ્ધો વગેરે બધા હાથ જોડી કાંપતા કાંપતા તમારી સ્તુતિ કરી રહ્યા છે. આ વિરાટ રૂપને આ તેજ જોઈને હું તો વ્યાકુળ બની ગયો છું, શાંતિ ને ધારજ નથી રહેતાં. હે દાવ ! પ્રસન્ન થાઓ, તમારી દાઢો વિકરાળ છે, તમારા મોંમાં જેમ દીવામાં પતેગિયાં પડે તેમ આ લોકો પડતા દેખું છું ને તમે તેમના ચૂરા કરી રહ્યા છો. આ ઉગ્રરૂપ તમે કોણ છો ? તમારી પ્રવૃત્તિ નથી સમજી શકતો.

ભગવાન બોલ્યા : લોકોનો નાશ કરનારો હું કાળ છું. તુ ંલડે કે ન લડે, આ બધાનો નાશ સમજજે. તું તો નિમિત્તમાત્ર છે.

અર્જુન બોલ્યા : હે દેવ ! હે જગન્નિવાસ ! તમે અક્ષર છો, સત્‌ છો, અસત્‌ છો, અને તેથી જે પર તે પણ તમે જ છો. તમે આદિદેવ છો, તમે પુરાણપુરુષ છો, તમે આ જગતના આશ્રય છો. તમે જ જાણવા યોગ્ય છો. વાયુ, યમ, અગ્નિ, પ્રજાપતિ પણ તમે જ છો. તમને હજારો નમસ્કાર હજો. હવે તમારું મૂળ રૂપ ધારણ કરો.

આ ઉપરથી ભગવાને કહ્યું : તારી ઉપર પ્રસન્ન થઈને તને મારું વિશ્વરૂપ બતાવ્યું. વેદાભ્યાસથી, યજ્ઞથી, બીજાં શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, તપથી પણ આ રૂપ નથી જોવાતું, તે તેં આજે જોયું. એ જોઈને તું મૂંઝા મા. બીક છોડી શાંત થા ને મારું પરિચિત રૂપ જો. મારાં આ દર્શન દેવોને પણ દુર્લભ છે. એ દર્શન કેવળ શુદ્ધ ભક્તિથી જ થઈ શકે છે. જે પોતાનાં બધાં કર્મ મને સમર્પે છે, મારામાં પરાયણ રહે છે, મારો ભક્ત બને છે, આસક્તિમાત્ર છોડે છે ને પ્રાણીમાત્રને વિશે પ્રેમમય રહે છે તે જ મને પામે છે.

નોંધ :

દશમાની જેમ આ અધ્યાય પણ મેં જાણીજઈને ટૂંકાવ્યો છે. આ અધ્યાય કાવ્યમય છે. તેથી કાં તો મૂળમાં અથવા તરજુમા રૂપે જેવો છે તેવો જ વારંવાર વાંચવા યોગ્ય છે. તેથી ભક્તિનો રસ પેદા થવાનો સંભવ છે. તે રસ પેદા થયો છે કે નહીં એ જાણવાની કસોટી છેલ્લો શ્લોક છે. સર્વાર્પણ વિના ને સર્વવ્યાપક પ્રેમ વિના ભક્તિ નથી. ઈશ્વરના કાળરૂપનું મનન કરવાથી ને તેના મુખમાં સૃષ્ટિમાત્રને સમાઈ જવાનું છે - પ્રતિક્ષણ કાળનું આ કાં ચાલ્યા જ કરે છે - એનું ભાન આવવાથી સર્વાર્પણ અને જીવમાત્રની સાથે ઐક્ય સહેજે થાય. ઈચ્છા-અનિચ્છાએ એ મુખમાં આપણે અણધારેલી ક્ષણે પડવાનું છે. ત્યાં નાનામોટાનો, નીંચાઊંચાનો, સ્ત્રી-પુરુષનો, મનુષ્ય-મનુષ્યેતરનો ભેદ રહેતો નથી. બધાં કાળેશ્વરનો એક કોળિયો છીએ તે જાણી આપણે કાં દીન, શૂન્યવત્‌ ન થઈએ ? કાં બધાંની સાથે મૈત્રી ન કરીએ ? એમ કરે તેને તે કાળ સ્વરૂપ ભયંકર નહીં લાગે પણ શાંતિનું સ્થાન બનશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED