mirracle old tample - 3 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 3)

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-3

(આગળના ભાગમાં તમે વાંચ્યું કે ગામને આશ્વાસન આપતાં ગુરુ મહારાજ બધાને 12 મા દિવસની રાતે બધાં ગામ લોકો ઘરની અંદર જ રહયા. હવે આગળ.)

એક જ રાત માં ગામના લોકો બીમારી થી મુક્ત થઈ રહ્યા હતા. બધા બહુ ખુશ હતા. અને ખુશ મિજાજ માં સવારે દોડીને સાધુ મહારાજ પાસે ગયા. પરંતુ આ શું? ત્યાં સાધુ મહારાજ હતા જ નહીં. બધા તેમના સેવક ને કહેવા લાગ્યા કે સાધુ મહારાજ ક્યાં છે? તેમના સેવકે આંગળી બતાવી ને સાધુ મહારાજ ને બતાવ્યા.

બધા ના હોશ ઊડી ગયા. ખુશી એક દુખ માં પરીવર્તન થઇ ગઇ. કેમ કે ત્યાં સાધુ મહારાજ ની સમાધિ હતી. બધા ના આંખમાંથી આંશુ વહી રહ્યા હતા.

ગામમાં બહુ જ જૂનો રિવાજ હતો કે કોઇના મૃત્યુના દિવસ શોક કરવો. કોઈ પણ ખુશીઓ મનાવી નહીં. અને આજે આટલા ખુશ હોવાનો સમય હતો અને જે ગુરુના કારણે બધાં લોકો ખુશ હતાં તેં જ ગુરુ મહારાજ આજે સ્વર્ગવાસી બની ગયા હતાં.


“ખુશી ને મૂક હાથ, દુખી ને લાગે ગળે.
ઘર ને મૂક માર્ગ, સફર ને જીવન પગ.
દેહ ને મૂક મન, કાયા ને સોંપ ગામ.
પત્થર ને મૂક દૂર, સત્ય ને જાણ સંત.”


ત્યાં જ સાધુ નો સેવક બોલ્યો મહારાજે કહ્યું છે કે તમારું ગામ ફરી એક વાર વૃંદાવન બનશે, તે હવે અમારી જીમેદારી છે. બધા હવે તે સેવક નું માન રાખવા લાગ્યા.

અને ફરી એક વાર મુખિયાજી પોતાની આંખમાં આંસુ સાથે કહ્યું કે મહારાજ સિવાઈ બીજું કોઈ ઉપાઈ નહતો કે મહારાજને સ્વર્ગવાસી બનવું પડયું.?

ત્યારે સેવક મહારાજે કહ્યુ કે " તમે ભુલ કરો છો. ગુરુજી ને સ્વર્ગ જ જવું હોત તો બહુ સમય પહેલા સ્વર્ગમાં પ્રવેશ મળી ગયો હોત. પરન્તુ તેને સમાધિ 13માં દિવસ લીધી છે. બસ ફક્ત તેનુ શરીર જ જમીન સાથે મળ્યું છે. તેની આત્મા હજુ અહિયાં જ છે. તેં મૃત્યુ નથી પામ્યા. ગુરુજી અમર રહેશે.

બધાં ગામનાં લોકોમાં એક અનોખો સુખ દુખ નો સમય ફરી વળ્યો. અને બધાં સમાધિ પાસે રડી પડ્યા.

ત્યારે સેવક બોલ્યો કે બીજો કોઈ ઉપાઈ નહતો. અને મહારાજ ની આત્મા હમેશા તમારા ગામ ની રક્ષા કરશે અને  છેલ્લે મહારાજે જતી વખતે મને કહ્યું હતું કે તમારા ગામ ની દશા તમારા જ ગામે કરી છે. ગામ ની બહાર તમે લોકો એ જે ચોર ને મોત ની સજા કરી હતી, તે જ ચોરો ની આત્મા આ ગામ ઉપર ભટકે છે અને તેને જ તમારા આ ગામ ની દશા કરી છે. પરંતુ તેને રોકવા એક દયાવાન આત્મા મદદ કરે છે. જેને પણ તમે ગામ લોકો એ સજા કરી છે.

ત્યારે બધા ચકિત રહી ગયા કે ગામ માં કોઈ દયાવાન વ્યક્તિ ને સજા આપી જ નહી કોઈ દિવસ. આ સાંભળી મુખિયાજી એ કહ્યું કે અમે લોકો એ કોઈ સાધુ કે સંત પર કિયારેય પાપ નથી કર્યું.

મહારાજ ના સેવકે કહ્યું કે જ્યારે તમે ચોરો ને સજા આપવા મંદિરમાંથી લઈ ગયા હતા. ત્યારે ગામ માં આવેલ અને મંદિર માં રહેલ એક મૂંગા અને અંધ સાધુ ને પણ તમે ચોર ગણી સજા કરી હતી. પણ તે સાધુ દયાવાન છે કે હજી તમારા ગામ ની મદદ કરે છે એટલે જ કોઈ પણ ગામ વાસી ને નુકસાન નથી થયું. પરંતુ તે સાધુ મહાદેવ શિવજી ના ભક્ત હતા એટલે તમારા ગામ પર આવી દશા બની રહી છે, અને એટલે જ મહારાજે 13 માં દિવસે સમાધિ લીધી કેમ કે 13 દિવસ સૈતાન શક્તિ રૂપ હોય છે અને મહારાજ ની આત્મા તમારી મદદ તે દયાવાન સાધુ સાથે રહી કરી શકે.

પરન્તુ વધું સમય તેં શૈતાની શક્તિ ને રોકી રાખવી મુશ્કેલ છે.
તેં ચોરો જરૂર હતાં પરન્તુ તેમની ઈચ્છાઓ હજુ બાકી રહીં ગઇ. તેમણે પાપ અવશ્ય કર્યું છે. પરન્તુ હજુ તેમનો પરલોક સ્વિધારવાનો સમય નહતો.

ગુરુ મહારાજે છેલ્લે કહ્યુ હતુ કે " 24 દિવસ છે આપણી પાસે"?

ત્યાંજ મુખીજી એ કહ્યુ, " શું 24 દિવસ સેવક મહારાજ? 24 દિવસ પછી શુ થવાનું છે?"

ક્રમશ...

24 દિવસ પછીની રાતે શુ થવાનું છે અને એક નવા રહસ્ય સાથે આજ બપોરે જ નવો ભાગ આવી જશે...


પ્રિત'z...?

9737019295

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED