Din Visheshta book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Din Visheshta is also popular in કંઈપણ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિન વિશેષતા - નવલકથા
Tr. Mrs. Snehal Jani
દ્વારા
ગુજરાતી કંઈપણ
ગણિત વિષયનું નામ પડે અને ભલભલા લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જાય, બરાબર ને? ઘણાં બધાં લોકો તો એમ જ વિચારે કે આ કોનું નામ લઈ લીધું? પણ તમને ખબર છે કે આપણાં જીવનમાં ડગલે ને પગલે આપણે ગણિતનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પૈસા ગણવા, ઉંમર નક્કી કરવી, સમય જોવો, તારીખ જોવી.... બધે જ ગણિત છે. વાસ્તવિક જીવનમાં ગણિત ક્યાં વપરાય છે એ જાણવું હોય તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવતાં વ્યવહારિક દાખલાઓ વાંચવા. એ દાખલાઓ બીજું કંઈ નથી પણ જે તે ગાણિતિક મુદ્દો જીવનમાં કેવી રીતે વપરાય છે એ દર્શાવે છે.
લેખ:- ગુજરાત સ્થાપનાલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસૌ પ્રથમ તો સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ. ગુજરાતી હોવાનો ગર્વ લેવાની સાથે સાથે ગુજરાત નિર્માણ વિશે પણ જાણવું એટલું જ જરુરી છે. ચાલો તમને સૌને ભૂતકાળમાં લઈ જાઉં અને કેવી રીતે ...વધુ વાંચોબન્યું એ જાણીએ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ ભાગ મોટા ભાગે બૉમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. 1937માં તેને બ્રિટિશ ભારતમાં ઉમેરવામાં આવ્યું. ભારતની આઝાદી પછી ભાષાવાર રાજ્યોની માંગ કરવામાં આવી ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 17 જૂન 1947નાં રોજ એક સમિતિ રચી. આ સમિતિમાં અલહાબદ હાઈકોર્ટનાં નિવૃત્ત જજ એસ. કે. દાર, એક વકીલ જે. એન. લાલ અને નિવૃત્ત ભારતીય સનદી અધિકારી પન્નાલાલ
લેખ:- ઓઝોન વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો તેમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી આપણી રક્ષા ઓઝોન વાયુ ...વધુ વાંચોછે. ઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. જે ઑક્સિજન વાયુનો એક પ્રકાર છે. ઑક્સિજનનાં બે પરમાણુઓ ભેગા થાય તો ઑક્સિજન વાયુ બને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે આપણી શ્વસનક્રિયા માટે જરૂરી બને છે. જયારે ઑક્સિજનનાં ત્રણ પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ઈ. સ. 1839માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી.
લેખ:- આંતરરાષ્ટ્રીય શિક્ષકદિન લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગયા મહિને જ આપણે ગુરૂઓની વંદના કરતો તહેવાર એટલે કે શિક્ષકદિન ઉજવી ગયા. માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વનાં લોકો પોતાનાં શિક્ષકોને માન આપવા માટે કોઈ એક દિવસ નક્કી કરી શિક્ષકદિન તરીકે ...વધુ વાંચોછે. ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. એ જ રીતે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ આજ રોજ એટલે કે 5 ઓક્ટોબરનાં રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા ઈ. સ. 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. દર વર્ષે જુદી જુદી થીમ ઉપર આ દિવસની આંતરરાષ્ટ્રીય
લેખ:- વિશ્વ બિંદી(ચાંદલા) દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આખા વિશ્વમાં 7 ઓક્ટોબર એટલે વિશ્વ ચાંદલા કે બિંદી દિવસ. યુગોથી બિંદી હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. બિંદીના સાચા વૈદિક મૂલ્ય અને મહત્વને સમજવાનો સમય આવી ગયો છે. વિશ્વ ...વધુ વાંચોદિવસ એવો દિવસ છે જ્યાં વિશ્વભરના તમામ હિંદુઓ બિંદી/તિલક પહેરવાની આ પ્રાચીન પરંપરાને ઓળખે છે, અને આજની પેઢીને એનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિશ્વભરની હિંદુ મહિલાઓ હંમેશા તેમની 6-મીટર લાંબી સાડીઓ અને તેને પહેરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા ઓળખાય છે, જે તેઓ આખા વર્ષ દરમિયાન પહેરે છે. જો કે રંગ, પેટર્ન અને ફેબ્રિક પણ પ્રસંગ, હવામાન અને સંજોગો પ્રમાણે અલગ-અલગ હોય
લેખ:- વિશ્વ વાઘ દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની વાઘ એક રોયલ અને મોભાદાર પ્રાણી છે. વાઘ ઈકોસિસ્ટમની હેલ્થ અને ડાયવર્સિટીને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઘ ઉચ્ચકોટીનો શિકારી જે પોષણશૃંખલા પર સૌથી ઉપર આવે છે. વાઘ જંગલના ...વધુ વાંચોપ્રાણીઓની વસ્તી જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે, જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન જળવાઈ રહે છે. વનોના નિકંદનને કારણે આવાસમાં ઘટાડો, શિકાર, વાઘના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર વાઘની વસ્તીના ઘટાડા પાછળના મુખ્ય પરિબળો છે. દુર્ભાગ્યની વાત છે કે, હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક છે. તેથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ