Dilchaps Safar book and story is written by જયદિપ એન. સાદિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dilchaps Safar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલચસ્પ સફર - નવલકથા
જયદિપ એન. સાદિયા
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
છેલ્લી વીસ મિનિટથી અમદાવાદ જવા માટે શ્રેય કાગડોળે બસ ની રાહ જોઈ રહ્યો હતો. રિઝર્વેશન કરાવી લીધું હતું તેમ છતાં તે આકુળ વ્યાકુળ હતો કે ક્યારે બસ આવશે. એવા માં તેની બસ પ્લેટફોર્મ પર આવી જાય છે. હૈયે હાશકારો અનુભવી પોતાની બારી બાજુની સીટ પર બેસી તે નિરાંતનો શ્વાસ લે છે. બેગ માંથી પાણી ની બોટલ કાઢી પાણી પીવે છે અને શાંતિથી બારી બહાર માણસોની અવરજવર જોઈ રહ્યો હોય છે. થોડીજ વારમાં બસ અમદાવાદ જવા નીકળી પડે છે. ટિકિટ માસ્તર રિઝર્વેશન ચાર્ટ દ્વારા નોંધાવેલી સીટ પર ચોકથી ચોકડી મારી જગ્યાનું નામ લખે છે સાથે સાથે મુસાફરોની ટિકિટ આપી રહ્યા હોય છે.
-: અસ્વીકરણ :-" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. ...વધુ વાંચોનવલકથાઓ : ૦૧. આશા - એક આથમતાં અસ્તિત્વની ૦૨. વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો ૦૩. આત્મા - એક અદ્રશ્ય અસ્તિત્વની ૦૪. પ્રણયમ ઉપરોક્ત ચારેય નવલકથાઓ Top Trending Novels, Popular Novels, Top 100 Novels માં સ્થાન મેળવી ચૂકી છે. આ સફળતા પાછળ હું માતૃભારતી પર મને અનુસરતા વાચકો, નવોદિત લેખકો / કવિઓ, માતૃભારતી
> વૃત્તાંત : ૦૨ શ્રેય એ સામે થી કહ્યું " હા, નિધિ શું વાત કરવી છે તમારે..? " જાણે વેરાન ભરબપોરના તાપે રણમાં જેમ મંદ પવન થોડી ઠંડક આપી જેમ એમ નિધિના હેલી એ ચડેલા હૈયે ટાઢક થઈ.નિધિ કાંઈજ ...વધુ વાંચોવગર એકીટશે શ્રેયને નિહાળવા લાગી. શ્રેય આ રીતે નિધિને જોઈ ભૂતકાળમાં સરી પડ્યો કે એક સમયે કેવી એકી ટશે એકબીજાંને આંખોના પલકારા માર્યા વગર નિરંતર એકબીજાંને નીકળતા પણ શ્રેય ના મને તરત તેને ત્યાંથી ધકેલી ફરી વર્તમાન સમયમાં પાછો લાવી કહ્યું, " શું ફરી ભૂલ કરવા માગે છે તું...? " આંખો પલકારી અને જોયું તો નિધિ એકી ટશે હજી પણ તેને
> વૃત્તાંત : ૦૩ શ્રેય : જ્યારે પરિસ્થિતિ ને લડવા કોઈ સાથી તમારી સાથે ઊભો હોય ત્યારે મજબૂરી ક્યાં આવે છે.... એ કપરી પરિસ્થિતિ ને અગાઉ થી જાણી લીધી હોય તેમાં શરૂઆતી તબક્કે કદાચ થોડું દુઃખ આવે પણ પાછળ ...વધુ વાંચોસુખ નો સાગર આવતો જોઈ રહ્યા હોય તેમ છતાં પરિવર્તન અને મજબૂરીના નકામા પાટીયા આપમેળે ટાંગી દેવા એ હું વ્યાજબી નથી માનતો.નિધિ : તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાં પહોંચ્યુ...શ્રેય : એ તો એ જ વર્ષે પૂરું થઈ ગયું જ્યારે તમે... નિધિ : હા... જ્યારે તમે શું... શ્રેય : ના કશું નહીં. તે જ વર્ષે પૂરું થઈ ગયું અને થોડા સમય માં બીજી કંપની માંથી
> વૃત્તાંત : ૦૪ શ્રેય કહે છે," વલોપાતની વ્યાખ્યા મને પૂછો એ આજે પણ મારી રગ રગમાં કોઈએ આપેલી ગળથૂથી માફક જીવંત છે. જે હંમેશા મને ફરી એ સમયમાં ગરકાવ કરી જાય છે. અનુભવ્યું ને તમે જોયું ને કેવો ...વધુ વાંચોવલખાં મારે છે એવું લાગે કે કોઈ જીવતી જાગતી રીતે દેહમાંથી જીવ ને ના ગમતી રીતે લઈ જવા આવ્યું હોય એ રીતે વલોપાત કરતો થઈ જાય....અમે ચરમસીમાની પેલે પાર જઈને બહુ કહ્યું બહુ સમજાવ્યું... અફસોસ..... અરે.... તમે રડો માં તમને ખબર છે કે ભૂલી ગયા... આજે પણ મને આ મોતી જેવા આંસુ બહાર આમ નકામા વેરાઈ એ જરા પણ નથી ગમતું...મને
> વૃત્તાંત : ૦૫ શ્રેય : હું કોઈનો નહીં... હું માત્ર મારો એકનો જ હવે કોઈનું થવું નથી કે સોંપવું નથી સોંપીને અમને સુખને બદલે સજા મળી વગર વાંકે વગર આરોપે વગર કોઈ હેરાન પરેશાન કર્યે... હવે અમારે કોઈનું ...વધુ વાંચોથવું અમને એકલા રહેવું છે કોઇ આશા નથી કોઈ અપેક્ષા નથી એટલે કોઈ નારાજગી નહીં આવે બસ હું અને હું જ.... અન્ય કોઈ નહીં. નિધિ : એવું ના કહો.... હું છું ને... શ્રેય : આજ વિશ્વાસે અમે તૂટી ગયા અમે ભ્રમમાં રહ્યા... કોઈ વ્યક્તિ કશું કહે તો અમે સાવ વેત અધ્ધર રહી મનોમન કહેતા તે છે ને એટલે બધું સમયસર થઈ જશે... વાતો