શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 4 સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 4

પરમ કૃપાળુ પરમાત્માએ આ લીલા કેવળ પોતાના ભક્તોનો હિત થાય એ માટે કરી. એમની પોતાના ભક્તો પર અતિશય મમતા અને કરુણા છે એમને એકવાર જેના ઉપર કરુણા દ્રષ્ટિ કરે તેમના પર પછી કદ નથી કર્યો.

દિનબંધુ એવા ભગવાન શ્રી રઘુનાથજી સરળ અને સરળ છે તેમજ ગુમાવેલું પાછું મેળવી આપનાર સર્વના સ્વામી છે. પણ સમજી જ્ઞાનીઓ શ્રી હરિના યશોદાન કરીને પોતાની વાણીને પવિત્ર અને સફળ બનાવે છે.

હું પણ એ જ બળને આધારે, શ્રી રઘુપતિ રામનાથ ચરણે મસ્તક નમાવી એમના ગુણગાન કરું છું. અગાઉ અનેક ઋષિમુનિ હોય ભગવાનની કીર્તિ નું ગાન કર્યું છે. એ જ માર્ગે જવું સુગમ થશે.

મોટી મોટી અતિ દુસ્તર નદી હોય પણ તેના ઉપર જો રાજા પુલ બંધ આવે તો પછી તે માર્ગે ચડીને નાની કીડીઓ પણ આરામથી તે નદીને પાર કરી જાય.

મારા મનને આવી રીતે બળ આપતો હું ભગવાન રામની સુંદર કથા કરીશ. જેમણે શ્રી હરિ ના સુરેશ નું સાદરખાન કર્યું છે એવા વિદ્યાર્થીઓ વગેરે અનેક મોટા કવિઓ છે.

એમના ચરણ કમળમાં વંદન કરું છું. એ મારા બધા મનોરતો પૂર્ણ કરે વડી શ્રી રામના ગુણોનું ગાન કરનાર કળિયુગના કવિઓને પણ હું પ્રાર્થના કરું છું.

જન સાધારણની ભાષામાં કાવ્ય રચના કરનારા જ સમજાવ્યું છે અને જેમણે સામાન્ય હિન્દી ભાષામાં શ્રી હરિના ચરિત્રો ગાયા છે એવા કવિઓ જે હાલ છે અગાઉ થઈ ગયા છે અને પછી થનાર છે સૌને હું નિષ્કપટ થઈને પ્રણામ કરું છું. અને વિનંતી કરું છું કે આપ પ્રસન્ન થાવ અને એવુ વરદાન આપો કે સજન સમાજમાં મારી આ રચના સન્માન પામે જે ગ્રંથોનો સમજદાર લોકો આદર ન કરે એવી રચનાઓ નો નિરર્થક શ્રમ મૂર્ખ જ કવિ કરે.

કીર્તિ,કાવ્ય અને સમૃદ્ધિ તો એ જ સારી ગણાય જે ગંગાજીની જેમ સૌનો હિત કરનારી હોય. શ્રી રઘુનાથજી ની સુકીર્તિ અને મારી ભૂંડી કવિતા બંને નો મેળ કેમ થાય એ જ મને ચિંતા છે.

હે કવિઓ એ મને આપને આપની કૃપાથી સુલભ બની શકશે. કારણ સુંદર હીર નું ભરતકામ ભલે ગુણપાટ પર કર્યું હોય તોય શોભે છે .
કાવ્ય એને જ કહેવાય જે સરળ હોય, જેમાં નિર્મળ ચરિત્ર ગવાયું હોય, જેનું ચતુર્મ માણસો આદર કરે દુશ્મનો પણ જેને સાંભળતા સ્વભાવિક વેર ભૂલી જઈ વખાણે.

એવી કવિતા વિમળ બુદ્ધિ વિના થઈ શકતી નથી, અને મારું બુદ્ધિબળ અતિ અલ્પ છે. એટલે વારંવાર પ્રાર્થના કરું છું કે આપ કૃપા કરો જેથી હું હરિનો યશ ગાઈ શકું.

હે કવિઓ પંડિતો આપતો શ્રીરામ ચરિત્ર માનસરોવરના હંસો છો મુજ બાળકની વિનંતી સાંભળી અને મારી સારી રૂચીને ધ્યાનમાં લઇ મારા ઉપર કૃપા કરો.

જે રચનામાં ખર્ચે છતાં તે કઠોર નથી, બહુ કોમળ અને સુંદર છે અને જેમાં દૂષણની વાત છે છતાં તે દોષોથી મુક્ત છે. હરદૂષણ એ બેઉ રાક્ષસ છે એની વાત આમાં છે તે રામાયણની રચના કરનારા મુનિ વાલ્મિકીને હું વંદન કરું છું.

સંસાર સાગરને પાર કરવા માટેના જહાજરૂપી ચારે વેદોને હું નમસ્કાર કરું છું જેમને લીધે શોપને પણ શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરવામાં ખેદ ન થાય.

હું બ્રહ્માજીના ચરણની રજની વંદન કરું છું જેમણે આ ભવસાગર નું સર્જન કર્યું જ્યારથી સંતો રૂપિયા અમૃત ચંદ્રમાને કામધેનુ પ્રગટ થયા તેમ ઝેર અને મદિરા પ્રગટ થયા છે.

હું દેવો બ્રાહ્મણો પંડિતો અને ગ્રહોના ચરણમાં વંદન કરીને હાથ જોડીને પ્રણામ કરું છું કે આપ પ્રસન્ન થઈને મારા જે શુભ સંકલ્પો મનોરતો હોય એ પુરા કરો સફળ કરો.

પછી હું સરસ્વતી અને ગંગાજીને વંદન કરું છું મને પવિત્ર અને મનોહર ચરિત્ર વાડી છે એમાંથી એક ગંગાજીના જળનું પાન કરવાથી એમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે જ્યારે બીજી શારદા ના ગુણો અને યસ ગાવાથી અવિવેક નાશ થાય છે.

હું ઉમા મહેશ્વર દેવને પ્રણામ કરું છું. એ મારા ગુરુ અને માતા પિતા છે. દિનજનોના બંધુ અને નિત્ય દાન આપનારા છે. એ સીધા પછી શ્રી રામના સેવક ભગવાન સખા છે મારું એ સર્વ પ્રકારે હિત કરનારા છે.
શિવ પાર્વતીએ કડી કાર્ડ જોઈ જગતના હિત માટે સાબર મંત્રની રચના કરી જેનો શબ્દમેળ ન હોવાથી અર્થ કે જાપ થઈ શકતો નથી તો પણ શિવજીના પ્રતાપથી એનો પ્રભાવ પ્રત્યક્ષ છે.

એ ઉમાપતિ શંકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, જે આ રામકથા ને આનંદ મંગળ નું મૂળ બનાવશે. એમ પાર્વતીજી અને શિવજીનું સ્મરણ કરી, એમની કૃપા મેળવી હું પ્રસન્ન શ્રી રામજીના ચરિત્ર નું વર્ણન કરું છું.

શિવજીની કૃપાથી મારી રચના એવી સુંદર થશે જેની તારા પણ સહિતના ચંદ્ર વાડી અજવાળી રાત શોભે છે આ કથા છે પ્રેમપૂર્વક કહેશે ગાશે સાંભળશે ને સજા થઈને સમજજે. શ્રી રામચરણમાં પ્રેમ ધરાવતો કડીકાર્ડના પાપોથી રાત અને કલ્યાણનો અધિકારી બનશે.

મારા ઉપર સ્વપ્નમાં કે સાચો શાસ્ત્રી શિવ પાર્વતીની કૃપા હોય તો મેં લોક બોલીને મારી આ રચનાઓનો આગળ કયો પ્રભાવ પડે સર્વથા સત્ય થાવ.

અતિ પાવનકારી અયોધ્યા નગરી અને કળિયુગના પાપોનો નાશ કરનારી નદી ને હું વંદન કરું છું. વળી જેમના ઉપર ભગવાનનું ઘણું મહત્વ છે એવા તે નગરના નરનારીઓને પ્રણામ કરું છું.

સીતાજીની નિંદા કરનારાના પાપો નો એમણે નાશ કર્યો અને પ્રજાજનોને સિક્કોતાના લોકમાં શોક રહિત બનાવી વસાવ્યા હવે ઓસ્ટ્રેલિયા રૂપી પૂર્વ દિશા જેની સમગ્ર જગતમાં કીર્તન કીર્તિ વિસ્તરી છે એને હું વંદન કરું છું. જ્યાં વિશ્વને સુખ આપનારા અને દુષ્ટ રૂપી કમળો માટે હિમ સમાન શ્રીરામરૂપી ચંદ્ર પ્રગટ્યા હતા. વળી સૌ રાણીઓ સહીદ દશરથ રાજા ને સકલ પુણ્ય અને કલ્યાણ ની મૂર્તિ માનીને હું મન વચન કર્મથી પ્રણામ કરું છું.

પોતાના પુત્રનો સેવક જાણી મારા પર કૃપા કરો શ્રી રામચંદ્રજીના માતા-પિતા થવું એ મહિમાની સીમા છે એમને ઉત્પન્ન કરીને તો વિધાતા નો મહિમા વધ્યું.

અયોધ્યાના રાજવી, જેમનો શ્રી રામના ચરણમાં સાચો પ્રેમ હતો, જેમણે દિન દયાળ ભગવાન શ્રીરામનો વિયોગ થતા જ પ્રિય શરીરને તણખલાની જેમ તજી દીધું એમને હું વંદન કરું છું.

સહપરિવાર શ્રી વિદેહી જનકજીને પ્રણામ કરું છું. જેમણે ભગવાન શ્રી રામના ચરણમાં પોતાના ગુડ પ્રેમને યોગ્ય અને ભોગમાં ગુપ્ત રાખ્યો હતો પણ શ્રીરામના દર્શન થતા જ પ્રગટ થઈ ગયું.

હવે સૌ પ્રથમ ભરતજીના ચરણમાં વંદન કરું છું જેમના નિયમ વ્રતો નું વર્ણન કરવું અશક્ય છે જેમનું મન શ્રીરામના ચરણ કમળમાં ભમરાની લુબ્ધ હોઈ તેમનો સંઘ છોડી શકતું નથી.

શ્રી લક્ષ્મણના ચરણ કમળમાં વંદન કરું છું જે શીતળ સુંદર અને ભક્તોને સુખ દેવાવાળા છે અને જેમનો યશ શ્રી રઘુનાથજીની કીર્તિ રૂપી નિર્મળ ધ્વજ ના દંડ જેવો બન્યો છે.

જે હજાર મસ્તકોથી જગતના કારણરૂપ 1000 મસ્તકથી જગતને ધારણ કરનારા છે અને ભૂમિનો ભય દૂર કરવા જેમણે અવતાર લીધો છે તે ગુણોની ખાણ સમા કૃપા સિંધુ સુમિત્રા પુત્ર મારા પર સદા પ્રસન્ન રહો.

શૂરવીર સુશીલ અને શ્રી ભરતજીના અનુગામી શ્રી શત્રુધનજીના ચરણ કમળમાં વંદન કરું છું તેમાં જો મહાવીર શ્રી હનુમાનજીને વિનવુ કરું છું કે જેનો યશ શ્રી રામ એ સ્વયં ગાયો છે.

દોસ્તો રૂપી વનને સળગાવનાર અગ્નિ જેવા જ્ઞાનની મૂર્તિ અને જેમના હૃદયના મહેલમાં ધનુષ્યધારી શ્રી રામ વીરાજીત છે નિવાસ કરે છે એવા પવનપુત્ર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું.

વાંધો ના રાજા સુગ્રીવ રીંછરાજ રીંછરાજ જામવતજી રાક્ષસરાજ વિભૂષણજી તેમજ અંગત વગેરે જેવાનર સમાજ છે એ સર્વેના સુંદર ચરણોમાં હું વંદન કરું છું જેમણે પોતાના અધમ શરીરે પણ શ્રી રામચંદ્રજીને પ્રાપ્ત કર્યા.

વળી ભગવાન શ્રી રઘુનાથજીના ચરણના ઉપાસકો અને નિષ્કામભાવે શ્રીરામની સેવા કરવાવાળા જે પશુ પક્ષીઓ દેવો દાનુ અને મનુષ્ય છે એ સર્વના ચરણ કમળની હું વંદના કરું છું.

(ક્રમસ )

લી. "આર્ય "