Mara Swapnnu Bharat - 1 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 1

પ્રકાશકનું નિવેદન

આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્‌ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે.

શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો છે.

પુસ્તક વાંચીને આપણી સમક્ષ ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર ખડું થાય છે જે તે કુશળ કલાકારે અને નાં અમર પૃષ્છોમાં અંકિત કર્યું છે.

૧૯૫૯માં નવજીવન ટ્રસ્ટે તેની બીજી આવૃતિ બહાર પાડીતેમાં સંપાદકે દેશની બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ફેરફાર કર્યા. આ સુધારેલી આવૃતિ તૈયાર કરવામાં સંપાદકનો હેતુ વાચકના હાથમાં એક નાનું પણ અધિકૃત પુસ્તક મૂકવાનો છે, જેમાં ભારતનાં તમામ મહત્વના પ્રશ્નો વિષે ગાંધીજીના મૂળ વિચારો વાચકને એક જગ્યાએ વાંચવા મળે; અને એ રીતે આ પુસ્તક કેવળ ગાંધીવિચારનો અભ્યાસ કરનારને જ નહીં પણ દેશસેવાનું કામ કરતા રચનાત્મક કાર્યકર્તાઓને પણ ઉપયોગી થાય.

અંગ્રેજી પુસ્તકની બીજી આવૃતિને આધારે તૈયાર કરેલું આ ગુજરાતી સંસ્કરણ વાચકો સમક્ષ મૂકતાં અમને આનંદ થાય છે. સ્વતંત્ર ભારતના નવનિર્માણના યુગમાં આવા પુસ્તકનું કેટલું મહત્વ છે તે કહેવાની જરૂર ન હોવી જોઈએ. આજે રાષ્ટ્રપિતાનાં સ્વપ્નોના ભારતને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી આપણે શિરે આવી છે. એ જવાબદારી આપણે તેમણે બતાવેલ માર્ગે સતત જાગ્રત રહીને ચાલવાનો સાચો પ્રયત્ન કરીશું ત્યારે જ અદા કરી શકીશું.

૩-૪-’૬૩

ઉપોદ્‌ઘાત

આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ તે વખતે દેશ અને દુનિયા સમક્ષ મહાત્માં ગાંધીના સ્વપ્નના ભારતનું ચિત્ર રજૂ કરવું એ એક શુભ વિચાર છે. આપણે જે સ્વતંત્રતા મેળવી છે તેને કારણે ભારતનું ભાવિ સુધારવાની કે બગાડવાની જવાબદારી આપણા ઉપર આવી પડી છે.

એ સ્વતંત્રતા મેળવવામાં મહાત્માં ગાંધીના નેતૃત્વનો ફાળો નાનોસૂનો નથી. સત્ય અને અહિંસાના જે અજોડ હથિયારનો ગાંધીજીએ ઉપયોગ કર્યો છે તેની, પોતાની અનેક પીડાઓમાંથી છૂટવા માટે, દુનિયાને જરૂર છે.

ગાંધીજીને જે માનવસાધનોનો ઉપયોગ કરવાનો હતો તે કેવાં અપબર્ણ હતાં તે આપણે જાણીએ છીએ.છતાં ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરશે કે આપણે ઓછામાં ઓછા બલિદાન વડે-જે બલિદાન આપણા જેવી પરિસ્થિતિમાં મુકાયેલ બીજા કોઈ પણ દેશને આપવું પડત,-આપણું ધ્યેય હાંસલ કરી શકયા છીએ. સ્વાતંત્યપ્રાપ્તિ માટેનું આપણું હથિયાર જેમ અજોડ હતું તેમ લ્વાતંત્રયપ્રાપ્તિથી આવી મળતી તકો પણ તેટલી જ અજોડ છે. વિજય અને આનંદના આ અવસરે આપણને દોરનાર નેતાની કે તેમને પ્રેરણા આપનાર અમર સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાનું આપણને પાલવે નહીં. સ્વતંત્રતા એ તો વધુ મહાન અને ઉદાત ધ્યેય તરફ જવાનું સાધનમાત્ર છે અને મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતની સિદ્ધિ એ જેને માટે તેમણે કામ કર્યું, અને જેના તેઓ પ્રતિક છે તે બધાની યોગ્ય પરિણતિ ગણાશે. આ પ્રસંગે આપણે તેમના ઉપદેશોનાં મૂળભૂત તત્વોને યાદ કરવાં જોઈએ.

આ પુસ્તક વાચકની આગળ એ મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરે છે એટલું જ નહીં પણ, રાજ્યવ્યવસ્થા અને સામાજિક જીવન સ્થાપીને તથા સંવિધાન મારફત તેમ જ આ વિશાળ દેશ કોઈ પણ જાતના બાહ્ય બંધન કે આંતરિક અવરોધ વગર કામ કરવાને માટે જે માનવ-મૂડી છલકાવશે તેનો ઉપયોગ કરીને, સ્વતંત્રતા દ્વારા આપણે એ સિદ્ધાંતો પાર પાડવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકીએ તે બતાવે છે. હું આશા રાખું છું કે સૌ કોઈ આ પુસ્તકને આવકારશે.

મહાત્મા ગાંધીનાં લખાણોમાંથી અત્યંત સચોટ અને સૂચક ફકરા-ઓ પસંદ કરવામાં શ્રી આર. કે. પ્રભુએ પોતાની કુશળતા બતાવી આપી છે અને એ વિષય ઉપરના બીજા સાહિત્યમાં આ સંગ્રહથી ઉપયોગી ઉમેરો થશે એમાં મને શંકા નથી.

નવી દિલ્હી,

રાજેન્દ્રપ્રસાદ

૮ ઓગસ્ટ, ૧૯૪૭

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉધમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એક રૂપ જ દેખાવાની કશી પરવા નથી.સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે,ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું દણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪’-૩૩ -ગાંધીજી

મારા સ્વપ્નનું ભારત

પ્રકરણ પહેલું

મારા સ્વપ્નનું ભારત

ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જચોઈએ તે બધું ભારત પાસલે છે.

ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી.

હિંદુસ્તાન પૃથ્વીના એવા થોડાક દેશ માંહેનો એક છે જેમણે વહેમ અને ભ્રમથી મલિન થઈ ગયેલી પણ પોતાની કેટલીક પ્રાચીન સંસ્થાને સાચવી રાખી છે, પણ આજ સુધી વહેમ અને ભ્રમ દૂર કરવાની સહજ શક્તિ હિંદુસ્તાને બતાવી છે. હિંદુસ્તાન તેની કોટી કોટી પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા, કદાપિ મહોતી એટલી આજ ઉજજવળ છે. ૩

મને લાગે છે કે હિંદુનું મિશન બીજા દેશો કરતાં જુંદું છે. હિંદુ ધર્મની બાબતમાં જગતમાં સર્વોતમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિંદને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે ; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે. યુરોપમાં ચાલી રહેલું ભયંકર યુધ્ધ આ સત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઈતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે. ૪

હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ તેનું મારા હ્ય્દયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે. હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે. હું ચોક્કસ માનું છું કે હિંદ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે-સંદેશો છે. તેણે ટુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હું એ કસોટીમાં ઓછો નહીં ઊતરું. મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિંદુસ્તાન માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિંસા મારફત હિંદુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. ૫

જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે, અને હું જીવતો હોઉં તો હું યભારતમાં રહેવાની પરવા ન કરું. પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હું ભારતને વળગી રહ્યો છું કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જેવી થશે. ૬

હું હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદઢ જોવા ઈચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. હિંદુસ્તાનની સ્વતંત્રતાને પરિણામે આખી દુનિયાની સુલેહ અને લડાઈને લગતું દ્રષ્ટિબિંદુ પલટાઈ જવાનું જ. અત્યારની તેની પામરતા આખી માનવ- જાતિને નડી રહેલ છે. ૭

પશ્વિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુધ્ધિમતા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઈજારો નથી. પશ્વિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે છે ; જે અનુકરણ એશિયાના લોકો પશ્વિમ-માંથી આવતી દરેક વસ્તુની માત્ર નકલ કરવા જેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હું ચોક્કસ માનું છું કે હિંદુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જેટલી અને પોતાની સંસ્કૃતિ જે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતા આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતા હુમલા સામે થવા જેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીન પ્રગતિ કરવનામાં કાયમી ફાળો આપી શકે. ૮

હિંદુસ્તાનનું ભાવિ પશ્વિમના રક્તમલિન પંથે નથી-પશ્વિમ જ એથી કંટાળ્યું છે-પણ સદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આતેમા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે ‘પશ્વિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાય’એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઈએ. ૯

યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છ, પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે ; અને હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદ્રષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારો અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોતદ વહોરવા બરોબર છે. ‘સાદીરહેણી અને ઊંચા વિચાર’એ એક પશ્વિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણા હ્ય્દય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોકસ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો-જેઓ આમવગ્રને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ-ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ. ૧૦

હું જે બંધારણને માટે પ્રયત્ન કરીશ તે હિંદુસ્તાનને ગુલામી અને આશ્રિત દશામાત્રમાંથી છોડનારું, અને તેને જરૂર પડ્યે પાપ કરવાનો હક આપનારું હશે. મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય ; જે ભારત-વર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર સખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી કે વિદેશી હિતસંબંધો ચીવટપૂર્વક જાળવવામાં આવશે. મને પોતાને તો દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે.. હિું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.૧૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED