જીવન મૂલ્યો Mittal purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

જીવન મૂલ્યો

‌ """જીવન મૂલ્યો"""



આમ તો મારા વર્ગ માં ૨-૩ ને બાદ કરતાં બધાં જ વિદ્યાર્થીઓ હોશિયાર, એટલે પરિણામ પણ સારું જ આવતું છતાં હું એ ૨-૩ વિદ્યાર્થીઓ ને બધાં ની હરોળમાં લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતી...
અવનવી વાર્તાઓ, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા એમને બધાં ની હરોળમાં લાવવા મથતી.. એવામાં શિક્ષક દિન આવ્યો એટલે હોશિયાર વિદ્યાર્થીઓ શિક્ષક બનવા તૈયાર થઈ ગયા અને એ પેલા ૨-૪ વિદ્યાર્થીઓ ને પટાવાળા બનવા કહી રહ્યા હતા..
આમ તો ૯ થી એ લોકો મારી જ શાળા માં હતાં એટલે એમને વ્યક્તિગત હું ઓળખતી, મારા ઘણાં પ્રયત્નો છતાં પણ એ ૨-૩ વિદ્યાર્થીઓ ક્યારેય વર્ગ માં પોતાનું કોઈ હકારાત્મક છાપ છોડી ન હતી એટલે મને પણ હતું જ કે આ લોકો ભાગ નહીં લે.. એટલે મેં પણ અન્ય વિદ્યાર્થીઓ ને કહ્યું કે, ""એમને ચીડવશો નહીં એ ભલે ભાગ ન લે, વિદ્યાર્થીઓ ય જોઈશે ને વર્ગ માં....""
એટલાં માં જ એ ૨-૩ વિદ્યાર્થી માંથી એક ઉભો થયો... એનું નામ કિરણ, શ્યામ રંગ, ઉંચાઈ પણ ખાસ નહીં, અને મોઢા ઉપર થી તો સાવ ભોટ, એટલે બધાં હસવા લાગ્યા...
" જોયું મૅડમ, આ ૨ વરસે જાતે ઉભો થયો, અત્યાર સુધી તમે બધાં ઉભો કરો તો જ થતો,,.." એમ કહી સૌ એનું મજાક ઉડાવવા લાગ્યા..
એની આંખો માં દુઃખ ના બદલે એના ચહેરા ઉપર એક આછું સ્મિત ઝળકી ઉઠ્યું...
"બોલ કિરણ, તું ચિંતા ના કરીશ કોઈ તને પટાવાળા તરીકે નહીં રાખે, તું બેસી જા.."
મારી આજ્ઞા નું હંમેશા પાલન કરનાર આજે ઉભો જ રહ્યો .. હું એના મનમાં ચાલતી ગડમથલ ને સમજવા પ્રયત્ન કરતી હતી એ જાણે એ સમજી ગયો.. એટલે તરત બોલ્યો,
" મૅડમ, હું પટાવાળા તરીકે ભાગ લેવા માંગુ છું"..
ને આખો વર્ગ ખડખડાટ હસવા લાગ્યો, મેં બધાં ને શાંત કરી કિરણ ને બોલવા કહ્યું,
એણે એ જ સ્મિત સાથે કહ્યું,
"મૅડમ, સાચું તો કહે છે આ લોકો, હું ભણવામાં હોશિયાર નથી એટલે બરોબર છે પટાવાળા તરીકે... એવું આ બધાં સમજે છે પણ સાચું કહું મને પટાવાળા બનવું ગમે છે એટલે હું કહું છું કદાચ આગળ ભણ્યા પછી પણ આ નોકરી મળે તો હું ખુશી થી સવીકારીશ.."
"કેમ?" મારાથી પુછાઇ ગયું..
"કેમ કે મારી માં કે છે,
મારે બાપા નથી પણ માં બધાં ના ઘરે કામ કરે છે અને એ એમ કહે છે કે ઘર, મંદિર અને શાળા આ જગ્યા પર સ્વચ્છતા હોય તો ભગવાન હંમેશા ત્યાં રહે.... એટલે મૅડમ અત્યારે આપણી શાળાનાં પટાવાળા કાકા બહુ ઘરડા થયા અને બીમાર પણ રહે છે જેથી થોડી ચોખ્ખાઈ ઓછી છે, આ થોડી ગંડકી ના લીધે સરસ્વતી માતા અંહી રહેતાં નથી અને અમને ૨-૩ જણને કંઈ નથી આવડતું.... હું પટાવાળા તરીકે શાળા ને એકદમ સ્વચ્છ બનાવવા માગું છું જેથી સરસ્વતી માતા હંમેશા બધાને વિદ્યા આપે..."

થોડીવાર હું સ્તબ્ધ થઈ ગઈ આ વિદ્યાર્થીને અમે ભોટ કહેતાં....પછી મેં તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો... અન્ય વિદ્યાર્થીઓ ને પણ એની આ વાત થી ગર્વ થયો...
બીજા દિવસે એ વિદ્યાર્થી ખુબ ઉત્સાહ થી પટાવાળો બન્યો અને ખુબ મહેનત થી આખો દિવસ શાળા ની સફાઈ કરી... સાંજે અમે શિક્ષકો વિચારતાં કે નંબર કોને આપવો ... એવામાં વિદ્યાર્થીઓનું ટોળું આવ્યું..

" મૅડમ, આજનો નંબર કિરણ ને જ આપજો 🙏...એની વાત અને મહેનત બન્ને સાચાં છે"...મને બહુ જ ગર્વ થયો મારા આ બાળકો માટે...
ઈનામ વિતરણ સમારોહ માં કિરણનુ નામ આવતાં જ એ ઉભો થઇ આગળ આવ્યો અને મને પગે લાગ્યો પછી તમામ શિક્ષકો ને પણ પગે લાગ્યો,...આજે વર્ગ જ નહીં શાળા ના બધાં એને પહેલીવાર સાંભળવાના હતાં એટલે એ થોડો શરમાયો .. એણે મારી તરફ જોયું, મેં માથું હલાવી બોલવા કહ્યું,

" આદરણીય શ્રી આચાર્ય મૅડમ, અન્ય શિક્ષકો, તથા આજના દિવસે બનેલ મારા શિક્ષક મિત્રો, આજે મને બહુ જ આનંદ થયો મારી મનગમતી પ્રવૃત્તિ કરીને...મારી માં ઘણી વાર કહેતી કે શાળા માં ભગવાન વસે, આજે મને બધાં શિક્ષક બનેલા વિદ્યાર્થીમિત્રો આને મારા આ ગુરુજનો એ નંબર એક પટાવાળા ને આપીને સાબિત કરી દીધું.... જ્યારે તમે નાના પદ ઉપર રહેતા માણસ ની કદર કરો ત્યારે આપોઆપ ભગવાન તમારી મદદ કરે એવું આપણા મૅડમ વારંવાર કહે છે, એ પોતે આચાર્ય હોવા છતાં ક્યારેક શાળા માં કચરો સાફ કરે ત્યારે ખરેખર ભગવાન આંહીં હાજર છે એમ લાગે...આને એટલે જ હું આજે બધાં ની હાજરી માં કહું છું કે હું આ શાળા માં જ પટાવાળા તરીકે આવું આને મૅડમ ની સેવા કરીશ..""

તાળીઓના ગડગડાટથી સૌએ વધાવી લીધો પણ મારી આંખ માં હરખનાં આંસુ આવી ગયાં.....

મેં મારા વિદ્યાર્થીઓને પુસ્તકિયું જ નહીં પણ જીવન ના સાચાં મૂલ્યોનું જ્ઞાન આપ્યું છે એ વાત નો મને હંમેશા ગર્વ રહેશે...
મિત્તલ પુરોહિત