divine eyes books and stories free download online pdf in Gujarati

દિવ્ય ચક્ષુ

       
          ડૉ.શ્યામા મહેતાએ રમાની આંખો ની સંપૂર્ણ તપાસ કરીને  થોડા વ્યથિત થઈ ને એની આંખો ની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે "રમા, તારી બંને આંખો માં એસિડ પડવાથી ખુબ જ નુકશાન થયું છે.અમે અમારાં તરફથી સારવારમાં સંપૂર્ણ કોશિશ કરીશું પરંતુ આંખોની રોશની કેટલી પાછી આવશે એ અત્યારે કહી શકાય નહીં."
         આ સાંભળીને રમાની આંખોમાંથી  અશ્રુધારા વહેવા લાગી. માત્ર ૪૫ વર્ષની ઉંમર અને ૬-૬ બાળકો સાથે  આ અંધાપો કેવી રીતે સહન કરીશ એ વિચારી એનું મન ખુબ જ દુઃખી થઈ ગયું.
          રમાને યાદ આવે છે એ  ગોઝારી રાત .... લગભગ રાત્રે અગિયાર વાગ્યાનો સમય હતો...રમા નો  પતિ રમેશ રોજની જેમ જ દારૂના નશામાં ચૂર ઘરમાં આવ્યો. રમાએ જલ્દી જલ્દી ગરમ રોટલી બનાવીને એને થાળી માં જમવાનું પિરસી આપ્યું.રમેશે એક કોળિયો મોં માં મુક્યો પછી ગુસ્સામાં જમવાની થાળી દૂર ફેંકી ને બોલ્યો: 'તને બીજું કંઈ રાંધતા નથી આવડતું ? રોજ જ રીંગણા નું શાક ખવડાવે છે ?'
           રમાએ ધીમે થી જમીન પરથી ખાવાનું ઉપાડ્યું અને બોલી : 'પહેલાં જાતે કમાણી કરી ને ઘરમાં પૈસા લાવ પછી તને સારું જમવાનું મળશે... તું  તો આખો દિવસ દારૂ પીને પડી રહે છે‌..‌.. હું રાત દિવસ તનતોડ મહેનત કરી ને આ છોકરાઓ નું અને આપણું પેટ ભરુ છું....એની તને કોઈ પણ કિંમત નથી ? ...આ રીતે અન્ન નું અપમાન થાય ???'  એની આંખોમાં ગુસ્સો  અને હતાશા બંને ડોકાય રહ્યા હતાં.
             રમા નો સામો જવાબ સાંભળીને રમેશ ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો. એણે રમાને મારવાનું ચાલુ કર્યું.એ જોઈને ગભરાઈ ને એના નાના બે છોકરા મોટી છોકરી રીટા ની પાસે જઈને લપાઈ ગયા.
              પછી રમેશ ગાળો બોલવા લાગ્યો.અચાનક એને શું સુઝ્યું કે એણે સામે પડેલી ઍસિડ ની બાટલી ઉઠાવી અને રમાની આંખો માં એસિડ ફેંકી દીધો.આ જોઈ એની મોટી છોકરી રીટા બચાવવા માટે દોડી તો રમેશે એના પર પણ એસિડ ફેંક્યો ... પરંતુ એ તરત ખસી ગઈ એટલે એની આંખો બચી ગયી.. રમેશ બબડાટ કરતો ઘરની બહાર નીકળી ગયો.. રમા અને છોકરાઓ ની ચિચિયારીઓ સાંભળીને આજુબાજુ નાં લોકો ભેગા થઇ ગયા.એ લોકો રમા અને એની મોટી છોકરી રીટા ને  શહેર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા.ત્યા બંનેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવી.રમાનો કેસ કીકીના નિષ્ણાત ડૉ.શ્યામા મહેતાને સોંપવામાં આવ્યો.

.......ડૉ.શ્યામા મહેતા રમાની આવી હાલત જોઈને વિચારે ચડી ગયા.....
 
ક્યાં સુધી બની ને લાચાર જીવીશ ,તું સખી ?
ક્યાં સુધી પતિનો માર સહન કરીશ, તું સખી ?
ક્યાં સુધી બની અબલા નાર, અત્યાચાર
સહન કરીશ, તું સખી  ?
ક્યાં સુધી જીવનનો ભાર સહન કરીશ તું સખી ?
ક્યાં સુધી આ ચક્રવ્યુહમા ફસાઈ ને મરીશ તું સખી ?
ક્યાં સુધી?
સ્ત્રીઓની આવી હાલત માટે કોણ જવાબદાર છે? આપણો સમાજ ........કે ગરીબી....... કે અજ્ઞાનતા ........કે સ્ત્રી ...   પોતે  .......?
આવા અનેક પ્રશ્નો ડૉ.શ્યામાને ઘેરી વળ્યા.

     ડૉ.શ્યામાએ રમાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી.એને કાળજી પૂર્વક બધી જ દવાઓ અને આંખ ના ટીપાં આપવામાં આવ્યા.થોડા દિવસ પછી રમાની એક આંખમાં ઠીકઠાક દેખાવા લાગ્યું.પરંતુ બીજી આંખની કીકી માં ખૂબ જ નુકશાન થયું હોવા ને લીધે એ આંખમાં કીકી બદલવાનું ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી.
    રમાને એમાં કંઈ સમજાયું નહીં એટલે એણે ડૉ.શ્યામાને  પૂછ્યું ' ડૉ.મેડમ, આંખ બદલાય તો હું તો નહીં બદલાઈ જાઉં ને ? મને ભૂતના સપના તો નહીં આવે ને ? મને મારા છોકરાંઓ ઓળખાશે ને ? '... આ સાંભળીને ડૉ.શ્યામાને થોડું હસવું પણ આવ્યું અને એની અજ્ઞાનતા જોઈ થોડું દુઃખ પણ થયું.

      ડૉ.શ્યામાએ રમા અને એના સગાં ને બેસાડી ને કીકી બદલવા ના ઑપરેશન વિશે વિગતવાર માહિતી આપી.
    " જુઓ , કોઈ પણ દર્દીની આંખની કીકી સફેદ થઈ ગઈ હોવાથી જો અંધાપો આવ્યો હોય તો એવા કેસ માં
કોઈ માણસના મૃત્યુ પછી દાનમાં મળેલી સારી કીકી બદલવાનું ઓપરેશન કરવામાં આવે તો દર્દીને દેખાતું થઈ શકે છે ,જો દર્દી ની આંખનો પડદો અને નસ બરાબર કામ આપતા હોય તો ! "

      આ સાંભળી રમા બોલી ' ડોક્ટર, મારી આંખો ને પણ નવી રોશની મળશે ? ' ડો.શ્યામા એ હકારાત્મક જવાબ આપ્યો કે ' હા , કેમ નહીં ? આપણે સારી કીકી દાનમાં મળે એવી આશા રાખીએ.'

રમાએ પૂછ્યું' ડોક્ટર , આ આંખો કોણ દાનમાં આપે ? '

       ડૉ.શ્યામાએ સમજાવ્યું કે ' કોઈ પણ વ્યક્તિને પોતાની આંખો દાનમાં આપવાની ઈચ્છા હોય તો તેઓ કોઈ પણ શહેરમાં આવેલી ચક્ષુ બેંક નો સંપર્ક કરીને  જીવતેજીવ ફોર્મ ભરી શકે છે.અને એમના મૃત્યુ પછી   આંખ  કાઢી શકાય છે.મૃત્યુ પછી  સગાં ની સંમતિ થી પણ ચક્ષુદાન કરી શકાય છે.મૃત્યુ બાદ ૬ કલાક સુધીમાં ચક્ષુદાન કરી શકાય છે.ચક્ષુબેન્ક ૨૪ *૭ કલાક સેવા આપે છે."

        બધું બરાબર સમજી લીધા બાદ રમાએ કીકી બદલવાનું ઓપરેશન કરવાની સંમતિ આપી.

      થોડા દિવસ પછી એક સારી કીકી દાનમાં આવતા જ રમાની આંખો નુ ઓપરેશન કરવામાં આવ્યું. ડોક્ટર અને રમાની કાળજી ઉપરાંત ઈશ્વર ના આશીર્વાદ થકી રમાને આંખ માં દેખાવા લાગ્યું.

       રમાએ ઈશ્વર નો ખુબ ખુબ આભાર માન્યો.વળી, કીકી દાનમાં આપનાર નો પણ મનોમન આભાર માન્યો.

            એ હવે ફરી થી પોતાનું જીવન પહેલાં ની જેમ જ જીવવા લાગી, પરંતુ હવે એને પતિ નો માર સહન કરવાની કોઈ જરૂર નથી હોતી કારણ કે એણે એના પતિને હંમેશ માટે પોતાની જીંદગી માંથી બહાર કાઢી લીધો હતો. છતાંયે એ ખુબ ખુશ હતી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED