Junagadh ni jogan books and stories free download online pdf in Gujarati

જૂનાગઢની જોગણ

   "આ   વાત છે, અમર દેવીદાસ,પરબ ધામ જૂનાગઢ ની."

  મા : અરે અમર ના બાપુ આવી ગયા તમે? આવો આવો બેસો. અરે દીકરી અમર, બેટા બાપુ માટે પાણી લાવજો.


      બાર વર્ષ ની અમર, પગ ની ઝાંઝરી ના રણકારે,છમ છમ કરતી પાણી નો લોટો લઇ ને ,ઉંબરે આવી, અને એના બાપુને હાથ માં આપી,કહ્યું.


અમર : લ્યો બાપુ,પાણી પીવો.


     અમર ના હસતા ચહેરા ને જોઈને એના બાપુ નો,થાક હળવો થઇ જતો.

 
     બાપુુજી : અરે દીકરી અમર, આવ બેસમારી પાહેં.અમર એના બાપુ ના ખોળે બેસી,ગઈ બાપુ એ કહ્યું,બેટા આટલા દાળા હું કામ કર્યું તે? એ કેતો મને. 


         લાડ માં બોલેલા બાપુ ની સામે જોઈ ને અમર એ કહ્યું.


અમર :  મેં..? મેં શેને ઘર કામ કયરુ,ખેતર માં ગઈ,મારી સખીયો હારે રમવા ગઈ,બૌ બધું કામ કયરુ બાપુ.


દીકરી ના નાદાન શબ્દોમાં માઁ,બાપુ બેય મોહી જતા, અને કહેતા.


મા : મારી અમર તો ઘણી ભોળી,પણ અમર ના બાપુ. થોડી ચિંતા થાય સ,અમર ને ઘર તો હારું મળહે ને. 


    માઁ, ના આવા ચિંતાજનક શબ્દોથી અમર ના બાપુ બોલ્યા.


બાપુજી : અરે તું હુકામ શીંતા કરસ, મારો ગિરનારી,બધું હારું જ કરશે,મારી અમર ને તો બાર ગામનો ભાવિ ધણી મળશે,તું શીંતા ના કર.

    માઁ અને બાપુ જી ની વાતો સાંભળી અમર ઉદાસ ભર્યા શબ્દોથી બોલી .

અમર : હું ક્યાંય નથ જવાની,મારે તો મારા માઁ બાપુની હાયરેજ રેવા નું સ,અને અમર એના બાપુજી ને ભેટીવળી,બાપુજી એ તેને લાડ કરાવતા કહ્યું.


બાપુજી : અરે દીકરા. એક દન તો તારે સાસરે જાહુ જ પળહે,આખી જંદગી થોડી કાય માવતર પાહેં રહેવાનું હોય. તારું ઘર તો,તારું હાહર્યું કેવાય.


      એમ કહી અમર ના બાપુજી એ તેને સમજાવી ને કહ્યું. 

 બાપુજી : હાલ હવે શિરાય લઇએ,ઉદર માં ઉંદરડા દોડે સે.


  બાપુજી ના આવા અટપટા શબ્દોથી,અમર હસવા લાગી.

અમર :  હાહાહાહા,તમારા પેટ માં ઉંદર,બતાવો બતાવો.

      અમર તેના બાપુ સાથે બાળક્રીડા ,કરવા લાગી,અને તેના માઁ એ કહ્યું.

મા ; બસ હવે દીકરા અમર,બૌ થયું હાલ હવે ખાવાનું કાઢ,હું તારા બાપુ ને હાથ ધોવડાવી આવું.

     અમર તેના માઁ બાપુ સાથે,સૌરાષ્ટ્ર ના જૂનાગઢ પંથક માં રહેતી હતી. બાર વર્ષ ની અમર દેેખાવ માં ,સ્વભાવ માં ,રહેન સહેન માં ખુબ,ઉત્તીર્ણ હતી.  ગામડા ગામમાં, માઁ બાપુ સાથે રહેતી,અમર ને બાળપણ થી,જ સારા સંસ્કાર, અને સારા વ્યહવાર નું વાવેતર થયું હતું.
     
        જૂનાગઢ પંથક એટલે સાધુ સંતો નો પ્રદેશ,એવું કહેવાય.  ગિરકાંઠા ના જંગલ વાળા વિસ્તાર માં આવન જવાન કરવા નું જાણે એક રમત હોય. એવા માણસો રહેતા,સિંહ ના ટોળા વચ્ચે નીકળતી અમર ને જરાય ભૈ ના રહેતો.  રોજ બરોજ વાડી માં ગાયું માટે ચારો અને ખાતર લેેવા જતી.


બાર વર્ષ ની અમર ક્યારે અઢાર વર્ષ ની થઇ ગઈ કોઈ ખબર ના રહી. અમર ના માઁ ,બાપુ ની રાત ની ઉંઘ હવે હરામ થવા લાગી. જુવાન દીકરી થાય એટલે માઁ બાપ ની આંખો,જાણે ત્રણે પળ, ખુલી ને ખુલી,રહી જાય એમ મા બાપુ અમર ની ચિંતા કરતા.

અઢાર વર્ષ ની અમર માટે,લગ્ન ની વાતો કરવાં  નું શરૂ થઇ ગયું હતું. જેવી રૂપવાન ગુણવાન દીકરી ના લગ્ન માટે કોઈ કચાશ ના રહી જાય,તેનું ધ્યાન રાખતા. અમર ના માઁ બાપુજી દરેક વાતે જાણ રાખતા કે ,અમારી દીકરી ને ,કંઈ ખોટ ના રહી જાય.  અને એના અનુરૂપ કોઈ સારો મુરતિયો મળી જાય.
જેવી અમર હતી,એવોજ એક યુવાન અમર ના માઁ બાપુ જી,ને મળી ગયો હતો.

      બાર ગામ નો ધણી એવા દરબારનો એક નો એક દીકરા સાથે,અમર નું સગપણ નક્કી થઇ ગયું,ગોર ધાણા ખવાઈ ગયા. લગ્ન ની તારીખ પણ લેવાય ગઈ. અમરના માઁ બાપુજી પાસે નાણાં, પૂરતા ના હોવાથી,લગ્ન માટે તારીખ લંબાવવા નું નક્કી કરાવ્યું. એટલા માં  અઢાર વર્ષની અમર 19 વર્ષ અને 7 મહિના ની થઇ ગઈ. આ વીતેલા સમય માં અમર ના મા બાપુજી એ અમર ના લગ્ન માટે નો પૂરતો બંદોબસ્ત કરી લીધો, અને અમર ના  સાસરિયાં વાળા ને લગ્નની તૈયારી કરવાનું કહી દીધું.

    અમર આ વાત થી ખુબ ખુશ હતી,કે તેના લગ્ન લેવાના છે. આ વાત થી અમર ની સખીયો તેને સહેલાવતી,અને ક્રીડા કરતી.


સહેલી ; અરે અમર,હવે તો તારા લગ્ન થઇ જાહે. અને તું અમ બધી સખીયો ને ભૂલી જાહે.અમને યાદ પણ નઈ કરે,હને..? 

    સખી ના ઉતરતા ચહેરા જોય અમર પણ થોડી ઉદાસ થઇ ગઈ. અમર ને ઉદાસ થતા જોઈ તેની સખીયો એ કહ્યું.

સહેલી : અરે અમર, હું...થયું. કેમ ઉદાસ થઇ ? અમે તો મજાક કરતા હતા. લે ! તું નહીં આવે તો હુ થયું. અમેં તને મળવા આવશું એમાં રિહામણા શેના હે...? હાયલ હવે આપણે નદી કાંઠે,રમવા જાય.

    અમર અને તેની સહેલિયો, ઉછળતા કુદતા, વીતેલા બાળપણની ફરી મજા માણવા નદી કાંઠે ગયા. હવે થોડા દિવસ માં અમર ના લગ્ન થવાના છે,એટલે આજ મન ભરી ને રમી લ્યો,પછી આ દાળો નથ આવવાનો એવું એક સહેલી એ હસતા મુખે ટોન માર્યો અમર હસી ગઈ અને કહ્યું હાલો, હવે દન આથમવા આવ્યો ઘરે માઁ બાપુ રાહ જોતા હશે.

અમર અને તેની સહેલિયો ઘર તરફ વળ્યાં,અમર ઘરે પહોંચી ગઈ અને ઓરડા માંથી એની મા નો અવાજ આવ્યો.


મા : અરે બેટા અમર, આવી હોયતો થોડી ગાયર કરી નાખ. નીચે તળિયામાં લેપવાની સ.

     અમરે હા કહીને ગાયર,તૈયાર કરી નાખી,અને થોડા સમય માં ઘર લગ્ન માંટે સણગાર કરી દીધું. હવે લગ્ન ની ઘડી ઉંબરે આવી પહોંચી.


     ઘરે મંડપ રોપાણા, ઢોલ શરણાઈનો નાદ ગુંજવા લાગ્યો,સમય સર  જાન આંગણે,આવી પહોંચી. અને ચોરી ના ચાર ફેરા ફરીને સમય સર જાન ને વળાવવા ની ઘડી પણ આવી ગઈ. સોળે સણગાર સજી અમર જાણે ખુદ સવર્ગ થી અપ્સરા ધરતી પર આવી ઉતરી હોય એવી લાગતી. અમર ને વળાવતાં, મા બાપુ ની આખો માં આસું છલકાય આવ્યા,અમર પણ મન ભરી રડી ગઈ.  અમર ના માઁ બાપે, જાન વળાવી દીધી. અમર ડોલી માં બેઠી હતી,અને પાછળ વર ઘોડો અને જાનૈયાઓ આવતા. અમર ની સાસરી આવતા વચ્ચે એક ખનડેર જેવી જગ્યા આવે જાણે કોઈ નું તૂટેલું ફુટેલું,જુપડું હોય ને એવું હતું. એમાં એક મંદિર,અને વરણડો વાળેલો હતો. આ દ્રસ્ય જોઈ અમર ને મન સાંત્વના જાગી.  એણે ડોલી ઉભી રખાવી દીધી. પાછળ આવતા અમર ના સાસુ સસરા અચમ્ભીત થઇ ગયા, અને કહ્યું.


સાસુજી : અરે વહુ બેટા અહીં કેમ ઉતરી ગયા. ? હાલો હાલો,જટ ડોલી માં બેહો બેટા અહીં ના ઉતરાય. અહીં તો રોગ ચાળો ફેલાયેલો છે.


     પણ સાસુ ની વાત થી અમર ને કોઈ ફર્ક ના પડે, એતો જાણે પોતાના આત્મચિન્હ માં લિન થઇ ગઈ. અને તે પેલા ખનડેર તરફ કદમ,વધારતી રહી, પાછળ થી તેનો  ભાવિધણી, અને સાસુ સસરા અવાજ પાડતા રહ્યા,અને અમર ને મનાવતા રહ્યા,પણ અમર લિન બની આગળ વધતી રહી.
   
      ધીરે ધીરે આગળ વધતા છેક,ખંડેર ,સુધી પહોંચી ગઈ,અને અંદર રગત પિતયા ની સેવા કરતા એક સંતની નજર અમર પર પડી,અને કહ્યું.


સંત : જે હોય તે ત્યાં જ થોભી જાવ. અહીં આવવા ની મનાય શે. 

    અને અમર સ્તબ્ધ થઇ ઉભી રહી ગઈ, અને સંત બહાર આવ્યા,અને જોયું તો સોળે સણગાર સજી,ઉભેલી અમરને જોય હસવા લાગ્યા અને કહ્યું.


સંત : અરે દીકરા, આવા સમય માં તો જીવન ની શરૂઆત કરાય આમ ભટકી નો જવાઈ,જાવ જાવ,સુખી દામ્પત્ય જીવન ની મજા માણો અહીંયા,ઉભા ના રહો. નહીંતર આ,ચેપી રોગ તારા કોમળ શરીર ને ભરખી જાહે. 


     જા જા દીકરા,એમ કહી,સંત અંદર તરફ વળી ગયા,અને પાછળ થી હળવા શબ્દો માં અમર બોલી.


          "બાપુ હવે આ સાજ શણગાર  મારા માટે તો એક રાખ બરાબર.  હવે તો એકજ હરખ છે કે અલખધણી ના નામે આયખું કરી દઉં. ગરીબ લાચાર બેબસ, દર્દી ઓ ની સેવા કરવી એજ મારો ધર્મ રહ્યો."

    અમર ની વાત સાંભળી,સંતે હસતા કહ્યું. 

સંત : દીકરા, જોખતી આગમાં હાથ શેકવાના અભરખા નો રખાય. બેટા બોલવું સહેલું છે, પણ જમાના ના વાંક વચન સાંભળવા ની તેવળ બધા માં ન હોય. દીકરા હું તો રોજ નો આદિ છું. તું એક નાની રૂપવાન બાળકી છે. બેટા અહીં કદમ કદમ પર ઝેર ના પારખા આપવા પડે છે, તમને નહીં પરવડે,જાવ તમે !

 પણ અમર તો હઠે ભરાણી, અને સંતે રજા આપી. 

સંત : ઠીક છે દીકર,જેવી અલખ ધણી ની મરજી.

    અને અમર ખનડેર માં પગ મુકવા ગઈ ત્યાં પાછળ થી એના  પતિ એ હાથ જાલી કહ્યું.

દરબાર : અરે અમર, તમે આવું કેમ કરો છો? તમે આવી રીતે જશો તો મારુ હું થાહે,! હજુ તો મેં મન માં સપના નું વાવેતર કર્યું ને તમે એને બંજર કરી ના જાવ 


  ભાવિ ભરથાર ના ઉદાસ ભર્યા   સ્વર નો જવાબ આપવા માં અમર ને કોઈ અસર ના થઇ. અને બે જ શબ્દ માં કહ્યું.

અમર: હવે મારે મન બધા ભાઈ બાપ. મારો તો બસ હવે અલખ ધણી તમે જાવ તમને ઘણીયે મળી જાહે.


આટલું કહી અમર અંદર તરફ વળી ગઈ,અને  સંત પાસે જઇ ને ઉભી રહી ગઈ. બહાર થી અમર ની થયેલ સાસુ ગુસ્સામાં ને ગુસ્સામાં,સંત ને ગાળો અને શ્રાપ આપવા લાગ્યા,અને સંત હસતા મુખે બોલ્યા જેવી અલખ ધણી ની મરજી.

   અમર ના સાસરી વાળા ખાલી હાથ પાછા વળી ગયા, અને સંતે અમર ને કહ્યું. 

સંત : દીકરા,તમે ઓરડામાં જાવ અને ભેખ બદલી લ્યો. આવા વેશે સેવા નો થાય.અને હા,દીકરા તમે સેવા કરવા માંગતા હોય તો અહીં થી શેટા રહેજો. નહીં તો તમને રોગ લાગી જશે 

    સાધુ ની વાત માની અમરે કહ્યું. ભલે બાપુ જેવી તમારી મરજી. કહી અમર ઓરડા માં ગઈ અને શણગાર ઉતારી સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા અને કહ્યું  જય અલખ ધણી. અને બહાર આવી ને કહ્યું બાપુ કામ બતાવો સંતે  હસતા કહ્યું દીકરા હું કોણ કામ બતાવવા વાળો હું તો ચાકર છું તમે જાવ ને દવા બનાવવા લાગો સામગ્રી ત્યાં પડી છે.

  અમર મલકતા મલકતા,આગળ વધી અને દવા બનાવવા બેસી ગઈ અને  સંત ને કહ્યું.  બાપુ તમને  લોક ક્યાં નામ થી ઓળખે છે ?

 તયારે સંતે દેવીદાસ નામ આપતા  કહ્યું. આજ મારી ઓળખ છે, અને સંત દેવીદાસે,અમર ને કહ્યું તારું નામ શું. બાઈ ? ત્યારે એણે અમર નામ આપ્યું.અને કહ્યું. બાપુ મારુ નામ અમર હતું , હવે અમરબાઈ થઇ ગયું.

    સંત દેવીદાસ,મન માં વિચારતા રહેતા, ખરી સ્ત્રી છે. જે ઉંમર માં સોળે શણગાર સજી. સંસાર ના ઓવારણાં લેવાના હોય એ સમયે આ બાઈ,ભક્તિ માં રંગાઈ ગઈ,જેવી અલખધણી ની મરજી.


         અમર બાઈ ને મન થતું,જે કામ બાપુ કરે એ કામ હું કરું, પણ સંત દેવીદાસ, અમર બાઈ ની ઉમર જોતા 'ના' કહી દેતા. કારણ કે સંત બહાર ની દુનિયા થી ભલી ભાતી, જાણીતા હતા,. પણ અમરબાઈ તો હરખ માં રંગાયેલા, અખંડ જ્યોત ના પ્રકાશે ઉભરાયેલા, અલખધણી ની ભક્તિ માં રંગાઈ ગયા હતા.


  અમરબાઈ વારંવાર સંત દેવીદાસ ને કહેતા.

અમરબાઈ : બાપુ હવે તમારી ઉમર થઇ ગઈ સ. લાવો હું ઘરે ઘરે જઇ, અન્ન માંગી આવું. અને સંત સ્પષ્ટ 'ના' કહી દેતા. છતાં અમરબાઈએ દેવીદાસ ને મનાવી લીધા.અને જોલી લઇ ગામ માં જવા લાગ્યા.


          એક દિવસ બે દિવસ,એમ એક અઠવાડિયું અમરબાઈ, ગામ માં આવવા લાગ્યા. અને એક સાળદુલ નામ નો જાગીરદાર, ગામ ના ચોરે બેસીને ડાયરો જમાવતો, અને કહુંબા નો કશ લેતો. એક દિવસ સાળદુલની નજર અમરબાઈ પર પડી, અને મોહી ગયો.

     એક દિવસ જવા દીધી બીજા દિવસ, ફરી તેની નજર અમરબાઈ પર પડી અને રાહ માં રોકીને કહ્યું.

શાળદુલ : અરે.... આ મોગરા સમ ખીલતું જોબન પર આવા ભેખ ના હોય બાઈ. આ સમય તો રાણી બની રાજ કરવાનું હોય. 

આ સાંભળી અમરબાઈ બોલ્યા,ભાઈ જેવી અલખ ધણીની મરજી. અને ત્યાં થી આગળ વધવા લાગ્યા. શાળદુલ એથી સંતોષ માને એવો ન હતો. 

રોજ બરોજ,અમરબાઈ નો પીછો કરતો અને વચ્ચે ઉભા રાખતો. એક દિવસ થયું એવું કે પરબમાં જમવા માટે સાધુ સંતો આવ્યા. પણ પરબમાં ખાવા માટે કશું હતું નહીં, અને સંત દેવીદાસ બીજા ગામ ગયા હતા. અમરબાઈ, કીરાણા ની દુકાને ઉધાર સિદ્ધુ માંગવા ગયા. પણ ત્યાં દુકાનદારે અમરબાઈનું કુવારું જોબન જોયને શરત મૂકી, કે

શેઠ : સિદ્ધુ આપું તો ખરા પણ એક રાત અમારા મોલે આવું પડે હો... બોલો શે મંજુર?

 અમરબાઈ હસતા મુખે એટલું બોલ્યા જેવી અલખ ધણીની મરજી, ભાઈ તમે સિદ્ધુ આપો હું રાતે તમારા ઘરે આવી જાયશ એવું કહીને અમરબાઈ કરયાણૂ લઇને પરબ આવ્યા, અને સાધુ સંતો ને જમાડી વિદાય આપી, રાત પડતા અમરબાઈને પેલા દુકાન દાર ને આપેલુ વચન યાદ આવ્યું અને  હાલતા થયા. અને દુકાનદાર ના ઘરે પહોંચ્યા ને કહ્યું.

અમરબાઈ :  શેઠ હું મારુ વચન પાડવા આવી છું. 

    અને અંદર થી શેઠ બહાર આવ્યો અને અમરબાઈને અંદર લઇ ગયો. શેઠ હવસના આવાસમાં ભૂલી ગયો, કે અમરબાઈ, કોઈ આમ મહિલા ન હતી. અમરબાઈ, કોઈ પણ જાતનો,પ્રતિભાવ આપ્યા વગર સ્થિર ઉભા રહી ગયા. જેવો શેઠ અમરબાઈ તરફ આવ્યો અને એક આંતરિક પ્રકાશ થયો તુરંત શેઠને આખા શરીરે લકવા મારી ગયો.


   શેઠને પોતાની ભૂલ નો આભાસ થયો અને જેમ તેમ બે હાથ જોડી માફી માંગી અને અમરબાઈ જય અલખ ધણી નો નાદ આપી ચાલ્યા ગયા.
   

          બીજે દિવસે સાળદુલ જાગીદાર,અમરબાઈ ને રોકી ને તેના હાથ માં રહેલા મોગરા ના ફુલ ની સુંગધ લેતા અમરબાઈને પ્રેમના વેણ સંભળાવવા લાગ્યો. અમરબાઈ આગળ અને સાળદુલ પાછળ,એમ પરબ ધામ સુધી આવી પહોંચ્યા.આ દ્રસ્ય,જોય સંત દેવીદાસ,સાળદુલ જાગીરદારને કહ્યું. 

સંત : આવો ભાઈ પધારો.

     પણ સાળદુલ તો અમરબાઈમાં મોહિત હતો, એણે સંતની વાત માં ધ્યાન ન આપ્યું. જયારે એ ભ્રમ માંથી બહાર આવ્યો ને તરત ત્યાં થી ભાગી છૂટ્યો.
સંત તેને ભાગતા જોઈને હસવા લાગ્યા. જય અલખ ધણી,જય અલખ ધણી,બોલવા લાગ્યા,આ જોઈ અમરબાઈએ કહ્યું. 

અમરબાઈ : શું થયું બાપુ,? કેમ એકલા એકલા હશો છો.

ત્યારે સંત બોલ્યા કઈ નહીં દીકરા,આતો જયારે ભ્રમ છૂટે તેદી ખબર પડે કે શરીર ની શું કિંમત છે.

          રગત પીત્યા ની સેવા કરતા કરતા,દેવીદાસની ઉંમર ક્યારે વધી ગઈ કઈ ખબર ના પડી, સંત નું શરીર પણ હવે પહેલા જેવું સ્થિર ના હતું. હવે વધુ પડતું બધું કામ અમરબાઈ પર આવતું, ફરી એકવાર સંત દેવીદાસ ને બહાર ગામ જવાનું થયું નવાગામ અખલ ધણી ની ધૂણી ધખાવવા ની હતી.
આ વખતે સાળદુલને પૂરો મોકો હતો, અમરબાઈને એકલામાં  મળવાનો,રાત્રી નો સમય અમરબાઈ પરબ ધામે એકલા હતા,રોગ થી પીડાયેલા લોકો  ભર નીંદરમાં ઘેરાયેલા હતા. સાળદુલ મોકો જોયને અમરબાઈ ના ઓરડા માં ઘુસી ગયો, અને અમરબાઈએ તેની સામે જોતા કહ્યું.

અમરબાઈ : આવો ભાઈ,કેમ અડધી રાતે આવું પડ્યું,? 

   અમરબાઈ ના શાંત સ્વભાવ પર સાળદુલ કોઈ પ્રતિક્રિયા નહતો આપતો. એને તો બસ પોતાની હવસ જ દેખાતી,અને એ એને બુજાવવા માંગતો હતો. અમરબાઈ તેની સામે જોઈ હસતા મુખે બોલ્યા.

અમરબાઈ : અરે ભાઈ ,તમને આ દેહ જોઈએ છે. શું કરશો આ દેહ થી, આતો એક દન રાખ જ થવાનો છે, એમાં શું અભરખા હોય.

પણ સાળદુલ તો અમરબાઈ ની વાત થી,અંભિગય હતો,તેથી અમરબાઈ સાળદુલ ની આંખ ઉઘડવા માટે,સુંદર કોમળ અને ગુલાબ સમ દેહ ને પલવાર માં હાડ પિંજર માં બદલી નાખ્યું, અને સાળદુલ એ જોઈના શક્યો.

 અમરબાઈ એ કહ્યું લ્યો ભાઈ,તમારા મન ને શાંત કરી લ્યો.
    
       સાળદુલ જાગીરદાર અમરબાઈ ના પગ માં પડી ગયો અને કહ્યું.


  શાળદુલ : મને માફ કરો સતી, મને માફ કરો હું વાસના ની લાલસામાં વસમી ભૂત થઇ ગયો હતો. મને માફ કરી દયો. 

અને અમરબાઈ પોતાના અસલી રૂપમાં આવી ગયા અને સાળદુલ ભગત ને કહ્યું ઉઠો ભાઈ ભૂલ તો માણહ થી થાય,તમે પશ્ચાતાપ કર્યો તમારા પાપ ધોવાઈ ગયા.

અમરબાઈ ના ઓરડા માંથી સાળદુલ બહાર આવ્યો આ નજારો ગામ વાળા જોઈ ગયા અને અમરબાઈ પર શબ્દો ના બાણ, મારવા લાગ્યા અને સાળદુલ જાગીરદાર ગામના લોકો ને સમજાવવા લાગ્યા, કે સતી માં કોઈ ખોટ નથી એ પવિત્ર છે   શુદ્ધ છે. પાપી તો હું હતો જેનું મેં,પ્રશ્ચાતાપ કરવાનું વિચારી લીધું છે. 

એટલા માં સંત દેવીદાસ પરબ ધામ આવી ગયા, અને નજારો જોતા અમરબાઈ ને કહ્યું.


સંત : અમર. બાઈ આ શું છે ?

અને વળતા જવાબ માં અમરબાઈ એ કહ્યું.


અમરબાઈ : કાઈ નહીં બાપુ,અલખધણી એ આજ કોઈ ની આંખ ખોલી છે.

    અમરબાઈ અને,દેવીદાસ,ની વાતો સાંભળી સાળદુલ જાગીરદાર, હવે સાળદુલ,ભગત બનવા તૈયાર,હતો,અને સંત દેવીદાસ ના ચરણો માં પડી ને કહ્યું બાપુ મને તમરા ચરણો માં લઇ લો,સંત દેવીદાસ એ સાળદુલ ને ગળે લગાવતા કહ્યું ઉઠો ભગત,હું કોણ ચરણો માં લેવા વાળો,રાખનાર તો મારો રામ અલખ ધણી છે, અમરબાઈ પછી સાળદુલ ભગત ને જોગ ધરતા જોઈ સંત દેવીદાસ વિશ્રામ અનુભવતા હતા,અને હવે સમાધિ લેવાનો નિર્ણય લઇ લીધો હતો, સમાધિ લેવાનો સમય અને,જગ્યા સંત દેવીદાસે તય કરી લીધી હતી.

      એક વખત અમરબાઈ પરબધામ માં ન હતા એમણે બીજા ગામ ભજન માં જવાનું આમંત્રણ હતું, એટલે ત્યાં ગયા હતા,અને પાછા વળતા,પરબ ધામે જોયુ તો કોઈ હતું નહિ. એના મન  થયું જરૂર બધા ક્યાંક ગયા હશે. એમ સમજી વડલા નીચે બેસી  ભજન ગાવવા લાગ્યા,અને પેલી બાજુ સંત દેવીદાસ ને સમાધિ લેવાનો સમય આવી ગયો હતો. સાધુ સંતો ગામ ના લોકો સાળદુલ ભગત,બધા સમાધિ ગાળતા હતા,અને આ બાજુ સતી અમરબાઈ ભજનમાં લિન હતા. સંત દેવીદાસ ની સમાધિ ગડાય જતા સંત અલખ નિરંજનના નાદ સાથે સમાધિ માં બેસી ગયા. ત્યાં રહેલા બધા એ સંત દેવીદાસ ની સમાધિ પર ફુલ માટીની ચાદર ચઢાવવા લાગ્યા ત્યાં હાજર બધા લોકો ને માટી ની અંજલિ લીધી પણ સમાધિ અધૂરી રહી ગઈ, ત્યાં હાજર બધા આસ્ચર્યતામાં હતા. સમાધિ પુરી કેમ નથ થાતી? ત્યારે ત્યાં એક જ્ઞાની સાધુ એ કહ્યું. બાપુ ને હજુ એક મુઠી માટીની ખોટ છે,જેની કમી રહી ગઈ છે. ત્યારે સાળદુલ ભગતે કહ્યું. જરૂર અમર માઁની કમી વર્તાય છે. અને કોઈ સંત ને પરબ ધામે અમરબાઈને બોલાવી લાવવા કહ્યું. પણ એ સાધુ પરબ ધામે આવ્યોતો સતી અમરબાઈ ને ભજન માં લિન જોઈને પાછો વળી ગયો. અને સમાધિની જગ્યા એ આવીને સાળદુલ ભગત ને વાત કરી. સાળદુલ ભગત આખી મન્ડલી સાથે પરબ ધામે આવ્યા,અને અમરબાઈ ને અરજ કરી ને કહ્યું.

શાળદુલ : સતી અમરબાઈ ભજન માંથી જાગો, અને બાપુની સમાધિ પર એક મુઠી,અંજલિ આપો, તો સમાધિ પૂર્ણ થાય.

શાળદુલ ભગત ના બે શબ્દો ના તાર થી તરત'જ, અમરબાઈ નો દેહ  પરિવર્તિત થઇ ગયો. 

શાળદુલ ભગત બે હાથ જોડી અમરબાઈ ની ભક્તિ ની પ્રશંશા કરી અને એ માટી સંત દેવીદાસ ની સમાધિ પર રોપવામાં આવી અને સમાધિ પૂર્ણ થઇ ગઈ.

        "રૂપ રૂપિયો અને રજવાડું, આજ છે અને  કાલ જતું રહેશે.
છે તો બસ વિશ્વાસ,પ્રેમ,અને લાગણી,અમર". 

                            ?    સમાપ્ત,  ?

બીજા રસપ્રદ વિકલ્પો