Milan ni raat books and stories free download online pdf in Gujarati

મિલન ની રાત

પ્રેમ ની રાત

જીવન માં પ્રેમ નું ખુબજ મહત્વ હોય છે અને પ્રેમ માં પણ મિલન ની રાત તે એક પ્રકારનો લહાવો હોય છે, પ્રેમ માં ડૂબવાની તે રાત ખુબજ મહત્વની હોય છે આવીજ કથા ઉર્વશી અને પૂરુંરવાની હોય છે, ઘણા વર્ષોના વિરહ બાદ પ્રેમ ની રાત આવે છે, અને તે રાત બાદ એક વિરહનો સમય આવે છે, તેજ રીતે પૂરુંરવા અને ઉર્વશીમાં મિલન ની રાત ખુબજ કષ્ટ આપનારી હોય છે, તેમાં વિરહ પણ આવે છે, તો આ પ્રેમની અને મિલન ની પરાકાષ્ઠા ની શરૂઆત થાય છે અહિયાથી.

હજારો વર્ષો પહેલા આ ભારતવર્ષ માં એક મહાન પ્રેમ કથા એ આકાર લીધો, એવું પ્રેમ પ્રકરણ કે જે મહાભારત નો પુર્વ્ભાગ હતો। મહાભારત ની પૂર્વભૂમિકા હતી।

મારા મતે આ પ્રેમકથા ને દરેક સંસારિક પુરુષ ની કહી શકાય। આ વાર્તા છે ઉર્વશી અને પુરુરવા ની। એક અપ્સરા અને મનુષ્ય ના પ્રેમ ની। એક મર્ત્ય અને અમર્ત્ય ના પ્રેમ ની। આ કથા મહાકવિ કાલિદાસ અને મહર્ષિ વેદ વ્યાસ દેવે તેમની કથાઓ માં સાંકળી છે.

આપણા ભારત માં આવી અનેક કથાઓ છે, જેને વાચવા અને સમજવામાં આવે તો તેમાં પ્રેમ ની સાથે સાથે અનેક વાતો સમજવા મળે છે. એક એક વાત માં ખુબજ ગુઢ અર્થ સમાયેલો હોય છે. અને તે વાત આપણા ભારત દેશ માં ખુબજ સારી રીતે જોવા મળે છે.

અપ્સરા એટલે અપ્સ એટલે કે પાણી માં થી પેદા થનારી, આ અપ્સરાઓ સમુદ્ર મંથન માં પણ પેદા થઇ હતી , પાશ્ચાત્ય કથાઓ માં જળ પરીઓ ની વાર્તા આવે છે. કદાચ એ જળપરીઓ આ અપ્સરાઓ જ હોય. નરનારાયણ ઋષિ ના દયાન ભંગ માટે ઇન્દ્ર એ જે અપ્સરાઓ મોકલી હતી તેના થી પણ વધુ સ્વરૂપવાન અપ્સરા નરનારાયન ઋષિ એ પેદા કરી હતી, તે ઉર્વશી। સપ્રમાણ શરીર, હાથ ની કોમળતા જાણે જુઈ ની વેલ, ઉન્નત મસ્તક, ભાવવાહી આંખો, તીક્ષણ નયન, ખુબ લાંબા કેશ, ઉન્નત વક્ષ સ્થળ, ચાલે તો જાણે ગજ ગામિની તેના પગલા નો કોઈ અવાજ નહિ. તે અમર્ત્ય લાગતી, તેનું શરીર કાલ ના પ્રભાવ વિનાનું લાગતું. સદા યૌવના. જયારે આ ઋષિ નું તપ પૂર્ણ થયું ત્યારે , તેમને આં અપ્સરા ઇન્દ્ર ને આપી, આમ ઉર્વશી ને સ્વર્ગ માં સ્થાન મળ્યું।

પુરુરવા એ ચંદ્ર વંશી રજાઓ નો વંશ સ્થાપ્યો, પુરુરવા એ બુધ ની સંતાન હતા. બુધ અને ઈલા ના પ્રણય થી પુરુરવા પેદા થયા, બુધ એ ચંદ્ર અને તારા ની સંતાન હતા. તારા એ ગુરુ ની પત્ની હતી. પણ ચંદ્ર ખુબ સૌન્દર્ય વાન ગ્રહ હતો, તારા અને ચંદ્ર ના સંયોગ થી બુધ પેદા થયો. આ ચંદ્ર વંશી અર્થાત યદુ વંશી રાજાઓ ના કુળ માં પછી થી વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો।

પ્રેમ કથાઓ જ્યારે ફિલ્મી પડદે જોઈએ ત્યારે એમ લાગે કે પ્રણય તો ફિલ્મો માં જ થાય। આ કલ્પના પણ ફિલ્મી લાગે, પણ પુરુરવા અને ઉર્વશી નું પ્રથમ મિલન ઉર્વશી ને એક દાનવ સતાવતો હતો ત્ત્યારે થયું। એક પલ માટે પુરુરવા એ ઉર્વશી નો હાથ પકડ્યો અને ઉર્વશી એ પ્રથમ વાર જ કોઈ મનુષ્ય ના ગરમ લોહી અને શ્વાસ ને અનુભવ્યા। આ મિલન પછી પુરુરવા એ એક જેન્ટલમેન ની જેમ ઉર્વશી ને સ્વર્ગ સુધી લીફ્ટ આપી. પણ આ મિલન કરતાય વિરહે તેમને વધુ ભીંજવી નાખ્યા।

પ્રેમકથા નું બીજ અહી છે, પ્રેમ ઐછીક છે ઇચ્છાઓ પેદા કરે છે. પણ પ્રેમ માણસા ને સાથે સાથે બદલી પણ નાખે છે. અહી પણ એ જ થયું। એક તરફ અપ્સરા અને એક તરફ મનુષ્ય।

ઉર્વશી પુરુરવા ને પલ પલ યાદ કરે છે પણ વ્યક્ત નથી થઇ શક્તિ, તે માને છે કે સ્ત્રી પ્રેમ ને પહેલા વ્યકત ના કરી શકે. તો બીજી તરફ પુરુરવા ને ઉર્વશી ની ચિંતા હતી, પ્રેમ સ્વીકાર ના થવા ની બીક હતી તે માનતો કે ઉર્વશી ની ના તેની માટે અસહ્ય થઇ પડશે. તે ઉર્વશી ની ના સહન ની કરી શકે. પુરુરવા બેચેન છે, સ્વર્ગ ને કંપાવી દે તેવો યોદ્ધો પ્રણય ના પ્રભાવ માં લાચાર છે.

સમય જાય છે, એક વાર ઉર્વશી જ્યારે સ્વર્ગ માં નૃત્ય કરી રહી હતી ત્યારે પુરુરવા પણ ઇન્દ્ર ની સભા માં બેઠા હતા. ગાયન માં ઉર્વશી એ વિષ્ણુ ની સ્તુતિ ગાવાને બદલે પુરુરવા નું નામ લઇ લીધું। તત્ક્ષણ સભા માં સર્વે દેવો આશ્ચર્ય પામી ગયા. ત્યાં અપ્સરાઓ ના ગુરુદેવ ભારત ઋષિ હતા. તેઓ ઉર્વશી ના મન ની વાત પામી ગયા. તેમણે ઉર્વશી ને વરદાન પાયું કે તે ચોક્કસ પુરુરવા ને વરશે, પણ જ્યારે ઉર્વશી ને પુત્ર પ્રાપ્તિ થશે ત્યારે તત્ક્ષણ ઉર્વશી એ પૃથ્વી અર્થાત પુરુરવા ને છોડવા પડશે। ઉર્વશી ના રોમ રોમ માં પ્રેમ નું બીજ વવાઈ ચુક્યું હતું, તે પુરુરવા ને પામવા પળ પળ તરસી રહી હતી.

પુરુરવા એ પણ ઉર્વશી ને તત્ક્ષણ સ્વીકારી લીધી અને વિવાહ કરી લીધા। પુરુરવા એ ઉર્વશી સાથે ગંધમાદ ના પર્વતો પર વૈભવી મહેલો બાંધી રેહવાનું શરુ કર્યું। ઉર્વશી અપ્સરા હતી તેના પુરુરવા સાથેના સહજીવન દરમ્યાન કોઈને પણ આ પર્વતો ની આસપાસ પણ આવવાની આજ્ઞા નહોતી। પુરુરવા ને ઉર્વશી નું સહજીવન એટલે એક મનુષ્ય ની આકાંક્ષાઓ નું નક્કર સ્વરૂપ। ઉર્વશી ને મૃત્યુલોક ના જીવન સાથે નવીનતા પેદા થવા લાગી। પુરુરવા એક સ્વપ્નવત જીવન જીવવા લાગ્યો। ઉર્વશી ના આનંદ માટે ના બધાજ વૈભવો અને સુખો પુરુરવા એ મહેલ માં મુક્યા હતા. મહેલ ના પથ્થરો જાણે ઉર્વશી ના આવવાથી સજીવન થઇ ગયા હતા. મહેલ ની સર્વ્દીશાઓ માં જાણે ઉર્વશી ની કોમલ અને સુંદર છાયા ભાસતી હતી. ચારે તરફ બસ ઉર્વશી ની જ ખુશ્બુ। પુરુરવા ની સાંજ અને સવાર ઉર્વશી ની ત્રણ તાર વાળી વીણા અને ગાયન સાથે મનોહર બની જતી.

તેના ગાયન માં ક્યારેક શબ્દો વ્યક્ત થતા કે આપના મિલન માં સ્વર્ગ ના દેવો સુખી છે કે મનુષ્યો ?, ઉર્વશી પણ પુરુરવા ને ગાયન ગાવા કહેતી, પુરુરવા હસી પડતો અને તેના સંગીત માં કે તેના દેહ ની આકૃતિ માં ડૂબી જતો. પુરુરવા ઉર્વશી ના ગાયન માં અને નર્તન માં તેના ભવોભવ નું સુખ પામ્યા ની અનુભૂતિ કરે છે. કોઈ વાર ઉર્વશી અંજન આંખ માં તો કોઈ વાર અલ્તો પગે લગાવે, પુરુરવા કોઈ વાર ઉર્વશી ને તેમની દાનવો સાથે ની લડાઈ ની વાતો કરે તો ક્યારેક, વાતો કરતા કરતા ઉર્વશી ની આંખો માં ખોવાઈ જાય. પુરુરવા અને ઉર્વશી જાણે બે શરીર એક આત્મા થઇ ગયા હતા. પુરુરવા ને લાગતું કે તેના પાછલા કેટલાય ભવો ના પુણ્ય એક સાથે ઉદિત થયા છે. પુરુરવા ની નજરો ઉર્વશી પર એક ચાતક ની જેમ ટકી રેહતી। પ્રેમ ના ધર્મ માં પ્રિયતમા જ ભગવાન છે, પુરુરવા ઉર્વશી ને જ જાણે ઉપાસતો।

પ્રેમ નો તાર એ રેશમ નો તાર છે, જેટલો તે ચળકાટ ધરાવે છે એટલો જ તે પાતળો અને નાજુક છે. પ્રેમ ઘણીવાર રીસવા નોં અને મનાવા નો અબાધિત અધિકાર પણ ભોગવે છે. કોણ કોને કેટલો પ્રેમ કરે છે, તેની લગભગ બધા પ્રેમીઓ માં મીઠી ચર્ચા થતી જ હોય છે.

એક વસંત ઋતુ ની સંધ્યા છે, પ્રકૃતિ સર્વાંગ સુંદર બની છે. ઝરણાઓ હર્યાભર્યા છે, તેવામાં ઉર્વશી અને પુરુરવા પોતાના મહેલ ની બહાર એક ઝરણા પાસે ચાલવા નીકળ્યા હતા તેમની વચ્ચે કોણ કોને કેતો પ્રેમ કરે છે તેની જ ચર્ચ ચાલતી હતી, તેવામાં ત્યાં કોઈ કોઈ નવયૌવના પુરુરવા એ ઝરણા ના કિનારે એક પળ માટે જોઈ. આ સ્ત્રી ત્યાં ભૂલ થી પ્રેવેશી ગઈ હતી, પુરુરવા એ ઉત્સુકતા થી તેને જોઈ લીધી.
બસ આ જ વાત, પુરુરવા થી ઉર્વશી નારાજ થઇ જાય છે. ઉર્વશી ને એટલું તો ખોટું લાગે છે કે તે રાત્રી ના સમયે મહેલ માં થી બહાર નીકળી દુર વન માં ચાલી નીકળે છે.

તે જઈ પહોંચ છે, શિવ ના પુત્ર કાર્તિક ના બાગ માં. કાર્તિક ના બાગ માં કોઈ પણ સ્ત્રી ને પ્રવેશ નહોતો. જે પણ સ્ત્રી ભૂલ થી એ જો પ્રવેશે તો તે એક વેલ માં પરિવર્તિત થઇ જાય.
આ બાજુ પુરુરવા ખુબ જ દુખી થઇ જાય છે, તે ઉર્વશી ને શોધવા વન માં નીકળી પડે છે, પોતાના મંત્રીઓ અને સેનાપતિઓ ને આ વાત કહે છે. અને તેમને પણ ઉર્વશી ને શોધવા કામે લગાડે છે. ક્યારેક પુરુરવા દેવો ને પૂછતાં તો ક્યારેક રાજ પુરોહિતો ને; કેટલાય મહિના ના વિરહ પછી પુરુરવા ને આખરે દેવ ની સહાય થી ઉર્વશી ની ભાળ મળે છે.

પુરુરવા જાય છે, શિવ પુત્ર કાર્તિક પાસે, અત્યંત આર્ત હૈયે તેઓ કાર્તિક ને પ્રાર્થના કરે છે કે તેમના બાગ માં વેલ બની ગયેલી ઉર્વશી ને તેઓ તેમના યોગ બળ થી મુક્તિ આપે. ઉર્વશી ફરીવાર પુરુરવા ને મળી જાય.
કાર્તિક પુરુરવા ની વિનંતી થી તેમને એક રક્ત વર્ણ નો રત્ન આપે છે. આ રત્ન ના વેલ પર ઘસવાથી ઉર્વશી મુક્ત થાય છે તે ફરી દેહ ધારણ કરે છે. બનવા કાળ જે હતું તેને કર્મો ની વક્રતા માની ઉર્વશી ફરી પુરુરવા ને પ્રેમ કરવા લાગે છે.

પુરુરવા ને ઉર્વશી નું ફરી મિલન થયું છે, પણ આ ઉત્કટ મિલન ની વચ્ચે જે કઈ પણ બન્યું તેનાથી પુરુરવા નો ઉર્વશી પ્રત્યે નો પ્રણય સર્વે પ્રજાજનો માં અને બીજા રાજાઓ માં જાહેર થઇ જાય છે. મહા પરાક્રમી પુરુરવા ની બીજી પટરાણીઓ ઉર્વશી ને મહારાણી તરીકે સ્વીકારી લે છે. પુરુરવા કસ્તુરી ના પર્વતો નો મહેલ છોડી ને તેના નગર ના મહેલ માં ઉર્વશી સાથે સોળ વર્ષ સુધી અક્ષય સંસારિક સુખ પામે છે.

દુખ જાણે પુરુરવા ની દુર દુર સુધી પણ ઓળખતું નહોતું. ઉર્વશી ના રૂપ ની જેમ પુરુરવા ની કીર્તિ પણ અજર રહે છે. પેલું રત્ન જે કાર્તિકે પુરુરવા ને આપ્યું હતું તે હવે ઉર્વશી ના ગળા ની શોભા બની ગયો હતો. ઉર્વશી ને તે રત્ન ખુબ જ પ્રિય હતું.

જન્મ નું બીજ - મૃત્યુ માં રહેલું છે, ફળ નું બીજ તેની અંદર જ છે, નિયતિ નું બીજ કર્મ માં રહેલું છે. તેમ ભવિષ્ય ની ઘટનાઓ નો આધાર ભૂતકાળ અને વર્તમાન પર પણ રહેલો છે.

મૃત્યુલોક માં જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ નફરત પણ છે. ઉર્વશી અને પુરુરવા મૃત્યુલોક માં હતા.

એક દિવસ જ્યારે સ્નાનપૂર્વે ઉર્વશી ની દાસી પેલા રક્ત રત્ન ને સાફ કરી રહી હોય છે ત્યારે તે રત્ન એક કોયલ પોતાની ચાંચ માં લઇ ઉડી જાય છે. પુરુરવા આ જુએ છે, તે પોતાનું ધનુષ્ય ઉપાડી તીર ટાંકે છે પણ તેના પહેલા કોઈ બીજા નું તીર તે કોયલ ની ચાંચ માં વાગે છે કોઈ ને ખબર નથી પડતી, પણ કોયલ મર્યા વગર જ તે રત્ન મહેલ ની ફર્શ પર ઉર્વશી ના પગ માં પડે છે.

પુરુરવા મહેલ ના ઝરૂખા માં થી જુએ છે, તો એક સર્વાંગ સુંદર અને કાંતિમય યુવાન તેમને દેખાય છે.

આ યુવાન બીજું કોઈ નહિ પણ પુરુરવા અને ઉર્વશી નો પુત્ર આયુ કુમાર હોય છે.

ભારત ઋષિ ના વચન પ્રમાણે ઉર્વશી ના મૃત્યુલોક ના વાસ નો અંત આવી ગયો હતો. ભારત ઋષિ ના વચન પ્રમાણે જ્યારે પુરુરવા અને ઉર્વશી નો પુત્ર પુરુરવા ની સામે આવશે ત્યારે ઉર્વશી ને પુરુરવા ને છોડવા પડશે. આ વચન હતું જે કોઈ પણ સમયે પૂર્ણ તો થવાનું જ હતું.

પેલી સ્ત્રી જે પુરુરવા ના મહેલ માં પરવતો પાસે ઝરણા પાસે મળી હતી તે ઇન્દ્ર ની જ માયાજાળ હતી. જ્યારે ઉર્વશી રીસાઈ ને ચાલી ગઈ હતી ત્યારે તેણે ગર્ભ ધારણ કરી લીધો હતો. કાર્તિક ના બાગ માં તેને નવ મહિના ને અંતે પુરુરવા ના પુત્ર ને જન્મ આપ્યો હતો. આ પુત્ર ઉર્વશી એ ચ્યવન ઋષિ ને આપ્યો હતો. પુરુરવા ઉર્વશી નો વિયોગ થશે તે જાણી દુખી ના થઇ જાય તે માટે ઉર્વશી એ આ સમગ્ર ઘટના પુરુરવા ને નહોતી કહી. ભારત ઋષિ નું વચન ક્યારેક તો પૂર્ણ થવાનું જ હતું.

ચ્યવન ઋષિ એ આયુ કુમાર વિષે સઘળી વાત પુરુરવા ને કહી. પુરુરવા ને હર્ષ અને દુખ બેય થયા. ઉર્વશી ના સ્વર્ગ ગમન પછી, આયુ કુમાર ને પુરુરવા એ રાજા બનાવ્યો. અને પોતે પાછા કસ્તુરી ના પર્વતો પર ઉર્વશી માટે ચણેલા મહેલો માં રેહવા ચાલ્યા ગયા. ત્યાં પુરુરવા ઉર્વશી ના ખંડ માં અને સંગીત ના સાધનો માં ઉર્વશી ને શોધતા અને તેની યાદો માં જીવન વ્યતીત કરવા લાગ્યા.

એક સાહસિક રાજા ના પ્રણય ની વાર્તા અહી પૂરી થાય છે. પણ કેટલાક મહાકાવ્યો માં કેહવા માં આવ્યુ છે કે ફરી દાનવો જ્યારે દેવો પર હુમલો કરે છે ત્યારે દેવો પુરુરવા ની મદદ માંગે છે, પુરુરવા બદલા માં ઉર્વશી પાછી આપવા કહે છે.

આમ જીવન માં પ્રેમ નું ઘણું મહત્વ હોય છે, પરંતુ આવું પણ બની શકે, જીવન માં પ્રેમ તે એક મહત્વતા ધરાવે છે મિલન અને વિરહ તે ખુબજ મહત્વતા આપે છે, મિલન ની રાતનું આલિંગન અને તે લાગણી ખુબજ શાંતિ આપનારી હોય છે, આમ ઉર્વશી અને પુરુરવા તે પણ મિલન અને વિરહ ની વચે ખુબજ પીડાદાયી દિવસો વિતાવે છે અને અંતે મિલન પણ થાય છે જીવન માં ઘણી વાર પ્રેમ અને આલિંગન નું ખુબજ મહત્વ હોય છે, અને આવી અનેકો કહાની આપના ભારત માં જોવા મળે છે, ભારતમાં અનેકો પ્રેમ કહાની જોવા મેડ છે અને ભારત દેશ લાગણીઓ નો દેશ પણ આપણે સમજી શકીએ છીએ જ્યાં પ્રેમ ને ખુબજ મહત્વતા આપવામાં આવે છે, પ્રેમ ની રાત અને ખુબજ લાગણીથી ભરેલી આ રાત માં ઉરવશી અને પુરુરવાની આ કહાની છુપાયેલી છે, અને તે કહાનીમાં ભરપૂર પ્રેમ જોવા મળે છે, જીવન એક પ્રેમ નું સંગમ છે.

બીજા રસપ્રદ વિકલ્પો